વિકિપીડિયા
guwiki
https://gu.wikipedia.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.6
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિપીડિયા
વિકિપીડિયા ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પુના
0
6488
901534
895168
2026-06-16T15:40:10Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
901534
wikitext
text/x-wiki
{{Infobox Indian Jurisdiction
|native_name = પુના
|other_name = पुणे
|type = Tier 1 city|Metropolitan city
|nickname = દખ્ખણની મહારાણી, ભારતનું ડિટ્રાયટ
|skyline = Pune Montage.JPG
|skyline_caption = Clockwise from bottom: the [[National War Memorial Southern Command]], the [[HSBC GLT India|HSBC Global Technology India Headquarters]], [[Roads in Pune#Mahatma Gandhi Road - MG Road Pune|Mahatma Gandhi Road]], [[Fergusson College]] and [[Shaniwar Wada]]
|locator_map = {{Location map|India|float=none|label=Pune|lat=18.53°|long=73.85°|position=left}}
|latd=18 |latm=28|lats=25 |latNS=N
|longd=73 |longm=47|longs=52 | longEW=E
|state_name = Maharashtra
|district = [[Pune district|Pune]]
|taluk_names = [[Haveli, Pune|Haveli taluka]]
|leader_title = Mayor
|leader_name = Mohansingh Rajpal<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/city/pune/Mohansingh-Rajpal-is-Punes-first-Sikh-mayor/articleshow/5289537.cms|title=Mohansingh Rajpal is Pune's first Sikh mayor|publisher=Times of India}}</ref>
|leader_title_2 = Municipal Commissioner
|leader_name_2 = Mahesh Zagade
|altitude = 560
|population_as_of = 2009
|population_total = 3337481
|population_total_cite =<ref>[https://web.archive.org/web/20061117081029/http://www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=32&geo=-104&srt=npan&col=aohdq&pt=c&va=&srt=pnan Pune Population]. World Gazetteer. Retrieved 28 July 2009</ref>
|population_rank = 8th
|population_metro = 5273211
|population_metro_cite =<ref>[https://web.archive.org/web/20101008023456/http://www.world-gazetteer.com/wg.php?x=&men=gcis&lng=en&dat=80&geo=-104&srt=pnan&col=aohdq&msz=1500&va=&pt=a Pune Metro Area Population]. World Gazetteer. Retrieved 28 July 2009</ref>
|population_metro_as_of = 2009
|population_metro_rank = 8th
|population_density = 7214
|area_magnitude = 7
|area_total = 1109.69
|area_telephone = 91(20)
|postal_code = 411 0xx
|vehicle_code_range = MH 12 (Pune), MH 14 (PCMC)
|website = www.punecorporation.org
|footnotes =
}}
'''પુના''' ({{lang-mr|पुणे}}) ને '''પુનવાડી''' અથવા '''પુણ્ય-નગરી''' તરીકે પણ ઓળખવામાં આવે છે તે [[ભારત]]નું આઠમા ક્રમનું સૌથી મોટું શહેર છે અને [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં [[મુંબઈ]] પછી બીજું સૌથી મોટું શહેર છે. તે મુળા અને મુઠા નદીના સંગમ સ્થાને ડેક્કન ઉચ્ચ પ્રદેશ પર સમુદ્રની સપાટીથી ૫૬૦ મિટરની ઊંચાઇએ આવેલું છે.<ref name="GeographyOfPuneUrbanArea">{{cite web|last=Nalawade|first=S.B.|url=http://www.ranwa.org/punealive/pageog.htm|title=Geography of Pune Urban Area|publisher=Ranwa|access-date=2008-04-04|archive-date=2007-12-22|archive-url=https://web.archive.org/web/20071222080029/http://www.ranwa.org/punealive/pageog.htm|url-status=dead}}</ref>
પુણે એ [[પુના જિલ્લો|પુના જિલ્લા]]ની વહીવટી રાજધાની છે અને ભારતનું ૭મું મેટ્રો સિટી છે.
પુણે એક શહેર તરીકે ઇ.સ. ૯૭૩થી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે.<ref>{{Cite web |url=http://www.pune.org.uk/history.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-06-16 |archive-date=2010-06-28 |archive-url=https://web.archive.org/web/20100628003014/http://www.pune.org.uk/history.html |url-status=dead }}</ref> [[મરાઠા સામ્રાજ્ય]]ના સ્થાપક [[શિવાજી]] કિશોરાવસ્થામાં પુણેમાં રહેતા હતા અને તેમના શાસન દરમિયાન શહેરની નોંધપાત્ર વૃદ્ધિ અને વિકાસ થયો હતો. 1730માં સતારાના [[છત્રપતિ]]ના વડાપ્રધાન [[પેશ્વા]]ની ગાદી તરીકે પુણે મહત્વનું રાજકીય કેન્દ્ર બન્યું હતું. વર્ષ ૧૮૧૭માં શહેરને [[બ્રિટીશ ભારત]] સાથે જોડી દેવામાં આવ્યા બાદ [[ભારતને સ્વતંત્રતા]] મળી ત્યાં સુધી તે [[કેન્ટોનમેન્ટ]] શહેર અને [[બોમ્બે પ્રેસિડન્સી]]ની "ચોમાસાની રાજધાની" રહ્યું હતું.<ref>{{cite web|title=History of The Southern Command|url=http://indianarmy.nic.in/Site/FormTemplete/frmTempSimpleWithEightPara.aspx?MnId=Sg+FqEGS1Bo=&ParentID=Y11bXvHH2Ok=&flag=p|access-date=4 January 2010}}</ref>
આજે પુણે તેની શૈક્ષણિક સુવિધાઓ માટે જાણીતું છે, જ્યાં એકસોથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને નવ યુનિવર્સિટી છે.<ref name="Pune100Educational9Universities">{{cite paper|first = Sanat|last=Kaul|title = Higher Education in India: Seizing the Opportunity (working paper)| publisher = Indian Council for Research on International Economic Relations, New Delhi, India|date=May ૨૦૦૬|url=http://www.icrier.org/pdf/WP_179.pdf|format=PDF|access-date = 2008-04-04}}</ref> પુણેમાં 1950-60થી સારી રીતે પ્રસ્થાપિત [[મેન્યુફેક્ચરિંગ]], [[ગ્લાસ]], [[ખાંડ]] અને ફોર્જિંગ ઉદ્યોગ છે. પુણેમાં વિકસી રહેલો ઔદ્યોગિક વિસ્તાર છે જેમાં ઘણી [[ઇન્ફર્મેશન ટેકનોલોજી]] અને [[ઓટોમોટિવ]] કંપનીઓ પુણે જિલ્લામાં પોતાના કારખાના નાખી રહ્યા છે. આ ઉપરાંત, પુણે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે શાસ્ત્રીય સંગીત, રમતગમત, સાહિત્ય, વિદેશી ભાષાના અભ્યાસ અને વહીવટશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજ વિજ્ઞાનના અભ્યાસ માટે જાણીતું છે. આ પ્રવૃત્તિ અને રોજગારની તકના કારણે ભારતભરમાંથી કામદારો અને વિદ્યાર્થીઓ અહીં ખેંચાઇ આવે છે તથા [[મધ્ય-પૂર્વ]], [[ઇરાન]], [[પૂર્વ યુરોપ]], [[અગ્નિ એશિયા]]ના વિદ્યાર્થીઓને તે આકર્ષે છે જેથી તે વિવિધ સમુદાય અને સંસ્કૃતિનું શહેર બને છે.
== નામનો અભ્યાસ ==
''પુણે'' નામ (''પુના'' તરીકે અંગ્રેજીકરણ) પૂણ્ય નગરી ([[સંસ્કૃત]]માં 'પૂણ્યનું શહેર') પરથી ઉતરી આવ્યું છે. આ નામનો સૌથી જૂનો ઉલ્લેખ ઇસ 937માં [[રાષ્ટ્રકૂટ]] તાંબાની પ્લેટમાં જોવા મળ્યો છે. વર્તમાન યુગ જેમાં શહેરનો ઉલ્લેખ ''પૂણ્ય-વિષય'' અથવા ''પૂનક વિષય'' તરીકે કરવામાં આવ્યો છે.<ref name="PuneTimeline">{{cite web |url=http://www.punediary.com/html/historyevents.html |title=Some Important Years In The History Of Pune |access-date=2008-04-04 |archive-date=2005-02-07 |archive-url=https://web.archive.org/web/20050207185805/http://punediary.com/html/historyevents.html |url-status=dead }}પુણેની ટાઇમ લાઇન</ref> 13મી સદી સુધીમાં તે ''કસ્બે પુણે'' અથવા ''પુનાવડી'' તરીકે ઓળખાવા લાગ્યું હતું. અંગ્રેજીમાં ક્યારેક શહેરનો ઉલ્લેખ ''પુના'' તરીકે કરવામાં આવે છે, જે [[બ્રિટીશ રાજ]] વખતે એક સામાન્ય પ્રથા હતી, તેનો સ્પેલિંગ "pune" હવે સામાન્ય બની ગયો છે.{{Clarify|date=December 2008}} પુણેનો ઉલ્લેખ "સ્ટુડન્ટ કેપિટલ ઓફ ઇન્ડિયા" તરીકે પણ કરવામાં આવે છે કારણ કે ત્યાં વિવિધ યુનિવર્સિટી અને સંસ્થાઓના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી મોટી છે. {{Citation needed|date=December 2008}}
== ઇતિહાસ ==
{{Main|History of Pune}}
[[ચિત્ર:Pataleshwar cave complex Pune.jpg|right|thumb|રાષ્ટ્રકુટા વંશ દરમિયાન પાતાલેશ્વર ગુફા મંદિર ખાતે બંધાયેલો વર્તુળાકાર નંદી મંડપ]]
=== પ્રાચીન અને મધ્યયુગ ===
[[758]] અને [[768]]ના મળી આવેલા તાંબાના પત્રકો પરથી જાણવા મળે છે કે આજનું પુના જ્યાં છે ત્યાં 8મી સદી સુધીમાં 'પૂન્નકા' તરીકે ઓળખાતા કૃષિ આધારિત વિસ્તારો અસ્તિત્વ ધરાવતા હતા. પ્લેટ પરથી જાણવા મળે છે કે આ વિસ્તારમાં રાષ્ટ્રકૂટોનું શાસન ચાલતું હતું. ખડક કાપીને બનાવાયેલું [[પાટલેશ્વર]] મંદિર પરિસર પણ આ યુગમાં બાંધવામાં આવ્યું હતું.
9મી સદીથી 1327 સુધી પુણે [[દેવગીરી]]ના [[યાદવ સામ્રાજ્ય]]નો હિસ્સો હતું. ત્યાર બાદ તેના પર નિઝામશાહી સુલ્તાનનું રાજ આવ્યું જે 17મી સદીમાં તેને [[મુઘલ સામ્રાજ્ય]] સાથે જોડવામાં આવ્યું ત્યાં સુધી ચાલ્યું હતું. [[1595]]માં માલોજી ભોંસલેને મુઘલો દ્વારા પુણે અને સુપેના જાગીરદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.<ref name="PuneTimeline"/>
=== મરાઠા અને પેશ્વા શાસન ===
[[1625]]માં [[શાહજી ભોસલે]]એ રંગો બાપુજી ધાડફળે (સારદેશપાંડે)ને પુણેના વહીવટદાર તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ શહેરના સૌ પ્રથમ વિકાસકાર પૈકી એક હતા જેમણે કસ્બા, સોમવાર, રવિવાર અને શનિવાર [[બજાર]]ના નિર્માણ કામનું નિરીક્ષણ કર્યું હતું. 1630માં અને ત્યાર બાદ 1636થી 1647 સુધી વિજાપુરના સુલ્તાન દ્વારા શહેર પર આક્રમણ વખતે શહેર નષ્ટ કરવાની ઘટના બાદ [[શાહજી ભોંસલે]]ના લશ્કરી અને વહીવટી અધિકારી [[દાદોજી કોનદેવ]]એ આ વિસ્તારમાં વિકાસ અને બાંધકામ પ્રવૃત્તિ કરાવી હતી. તેમણે પુણે અને 12 મવાળની મહેસુલી વ્યવસ્થા સ્થિર બનાવી એટલું જ નહીં, વિવાદ ઉકેલવા અને કાનૂન અને વ્યવસ્થા જાળવવા માટે અસરકારક પદ્ધતિઓ પણ વિકસાવી હતી. શાહજીના પુત્ર [[શિવાજી ભોંસલે]] (પછી ''છત્રપતિ શિવાજી'' ) તેમના માતા [[જીજાબાઇ]] સાથે ત્યાં આવવાના હતા ત્યારે લાલ મહલ પેલેસનું નિર્માણ શરૂ થયું હતું. લાલ મહલનું બાંધકામ 1640માં પૂર્ણ થયું હતું.<ref name="PuneTimeline"/> જીજાબાઇએ [[કસ્બા ગણપતિ]] મંદિરનું બાધકામ જાતે શરૂ કરાવ્યું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર પર બેસાડવામાં આવેલી [[ગણપતિ]]ની મૂર્તિ શહેરના મુખ્ય દેવતા (''[[ગ્રામદેવતા]]'' ) સમાન ગણવામાં આવે છે.<ref>{{cite web|title=Monuments in Pune|publisher=Pune district administration|url=http://pune.gov.in/history/monuments1.htm|access-date=2008-04-04|archive-date=2008-03-25|archive-url=https://web.archive.org/web/20080325021426/http://pune.gov.in/history/monuments1.htm|url-status=dead}}</ref>
શિવાજીનો વર્ષ [[૧૬૭૪]]માં [[છત્રપતિ]] તરીકે રાજ્યાભિષેક થયો હતો. તેમણે પુણેનો વધુ વિકાસ નિહાળ્યો જેમાં ગુરુવાર, સોમવાર, ગણેશ અને ઘોરપડે પીઠનો સમાવેશ થતો હતો.
[[બાજીરાવ]] પ્રથમ વર્ષ [[૧૭૨૦]]માં મરાઠા સામ્રાજ્યના પ્રથમ પેશ્વા બન્યા હતા જેનું શાસન છત્રપતિ [[શાહુજી]]એ સંભાળ્યું હતું.<ref>{{cite web
|url=https://www.manase.org/maharashtra.php?mid=68&smid=22&did=10&dsid=4
|title=पुणे जिल्हा ऐतिहासिक महत्त्वाचे
|work=https://www.manase.org/maharashtra.php?mid=68
|publisher=[[Maharashtra Navnirman Sena]]
|access-date=2009-10-24
|archive-date=2014-05-15
|archive-url=https://web.archive.org/web/20140515205013/https://www.manase.org/maharashtra.php?mid=68&smid=22&did=10&dsid=4
|url-status=dead
}}</ref> [[1730]] સુધીમાં [[શનિવારવાડા]]નો મહેલ મુથા નદીના કિનારે બાંધવામાં આવ્યો હતો જેનાથી શહેર પર પેશ્વાના આધિપત્યની શરૂઆત થઇ હતી. પેશ્વાની દેખરેખ હેઠળ શહેરમાં ઘણા મંદિરો અને પૂલોનું નિર્માણ થયું હતું જેમાં લકડીપૂલ, પાર્વતી મંદિર અને સદાશિવ, નારાયણ રસ્તા અને નાના પીઠનો સમાવેશ થાય છે. [[1761]]માં [[પાણીપતની ત્રીજી લડાઇ]]માં પરાજય મળ્યા બાદ પેશ્વાઓના પતનની શરૂઆત થઇ હતી. [[1802]]માં [[પુનાની લડાઇ]]માં [[યશવંતરાવ હોલ્કર]] દ્વારા પેશ્વાઓ પાસેથી પુણે છીનવી લેવાયું હતું જેના કારણે તુરંત [[1803]]-[[05]]નું [[બીજું એંગ્લો-મરાઠા યુદ્ધ]] થયું હતું.નવી પીઠ, ગંજ પીઠ અને મહાત્મા ફુલે પીઠ બ્રિટીશ રાજ વખતે પુણેમાં બની હોવાનું માનવામાં આવે છે.
=== બ્રિટીશ રાજ ===
[[1817]]માં મરાઠા અને [[બ્રિટીશ]] વચ્ચે [[ત્રીજું એંગ્લો-મરાઠા]] યુદ્ધ ફાટી નીકળ્યું હતું. [[ખડકીની લડાઇ]] (ત્યારે ''કીર્કી'' તરીકે નોંધાયું)માં પેશ્વાને પુણે પાસે 5 નવેમ્બર, 1817ના રોજ પરાજય આપવામાં આવ્યો હતો અને શહેર પર કબ્જો કરાયો હતો.<ref>{{cite web
|url=http://cms.unipune.ernet.in/~sukratu/welcomekhadki.html
|title=Battle of Khadki
|publisher=Centre for Modeling and Simulation ([[University of Pune]])
|access-date=2008-11-10
|archive-date=2009-04-01
|archive-url=https://web.archive.org/web/20090401224252/http://cms.unipune.ernet.in/~sukratu/welcomekhadki.html
|url-status=dead
}}</ref> તેને [[બોમ્બે પ્રેસિડન્સી]]ના વહીવટ હેઠળ મૂકવામાં આવ્યું હતું અને અંગ્રેજોએ શહેરના પૂર્વમાં એક વિશાળ લશ્કરી [[કેન્ટોનમેન્ટ]] બાંધ્યું હતું. (હવે જેનો ઉપયોગ [[ભારતીય સેના]] કરે છે) પુણે મ્યુનિસિપાલિટીની રચના [[1858]]માં કરવામાં આવી હતી. પુણે એક સમયે બોમ્બે પ્રેસિડન્સીનું "મોન્સુન કેપિટલ" હતું.
છેલ્લા પેશ્વા [[બાજીરાવ બીજા]]ના દત્તક પુત્ર [[નાના સાહેબ પેશ્વા]]એ [[1857]]માં બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સામે [[ભારતીય વિપ્લવ]]ના ભાગરૂપે વિદ્રોહ કર્યો હતો. [[ઝાંસી]]ની [[રાણી લક્ષ્મીબાઇ]] અને [[તાત્યા ટોપે]]એ તેમની મદદ કરી હતી. સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધ બાદ મરાઠા સામ્રાજ્યનો બાકી રહેલો હિસ્સો પણ બ્રિટીશ ભારત સાથે જોડી દેવાયો હતો.
19મી સદીના અંતમાં પુણે સામાજિક અને ધાર્મિક સુધારણા ચળવળ માટે એક મહત્વનું કેન્દ્ર હતું. [[બાલ ગંગાધર તિલક]] એટલે કે લોકમાન્ય તિલક, મહર્ષી [[વિઠ્ઠલ રામજી શિંદે]] અને [[જ્યોતિરાવ ફુલે]] સહિત ઘણા અગ્રણી સામાજિક સુધારાવાદી અને સ્વાતંત્ર્ય સેનાની ત્યાં વસવાટ કરતા હતા.
1996ના ઉત્તરાર્ધમાં પુણેમાં [[બ્યુબોનિક પ્લેગ]] (ગાંઠિયો તાવ) ફાટી નીકળ્યો હતો. ફેબ્રુઆરી 1897ના અંત સુધીમાં રોગચાળો વકર્યો હતો અને મૃત્યુઆંક સામાન્ય કરતા બમણો થયો હતો અને અડધા ભાગ કરતા વધુ વસતી શહેર છોડી ગઇ હતી. [[ઇન્ડિયન સિવિલ સર્વિસિસ]]ના એક અધિકારી ડબલ્યુ સી રેન્ડના અધ્યક્ષપદ હેઠળ એક સ્પેશિયલ પ્લેગ કમિટીની નિમણૂક કરવામાં આવી હતી અને કટોકટીનો સામનો કરવા માટે સૈનિકો બોલાવાયા હતા. મેના અંત સુધીમાં રોગચાળો નિયંત્રણમાં આવી ગયો હતો. 22 જુન 1897ના રોજ [[રાણી વિક્ટોરિયા]]ના રાજ્યાભિષેકની ડાયમંડ જ્યુબિલી વખતે સ્પેશિયલ પ્લેગ કમિટીના અધ્યક્ષ રેન્ડ અને તેમના લશ્કરી એસ્કોર્ટ લેફ્ટનન્ટ એયર્સ્ટ ગવર્નમેન્ટ હાઉસથી પરત આવતા હતા ત્યારે તેમના પર ગોળીબાર થયો હતો. બંને માર્યા ગયા હતા. એયર્સ્ટનું મોત ઘટના સ્થળે જ થયું હતું જ્યારે રેન્ડનું મોત તેમની ઇજાના કારણે 3 જૂન, 1897ના રોજ નીપજ્યું હતું. [[ચાપેકર બંધુ]] અને તેમના બે સાથીદારો પર તેમની વિવિધ ભૂમિકા તથા બે બાતમીદારો પર ગોળીબાર કરવાના પ્રયાસ અને એક પોલીસ ઓફિસરને ગોળી મારવા બદલ આરોપ લગાવાયા હતા. ત્રણેય ભાઈને દોષી જાહેર કરીને ફાંસી આપવામાં આવી હતી. તેમના સાથીદારને પણ આવી જ સથા કરવામાં આવી હતી જ્યારે એક શાળાના વિદ્યાર્થીને 10 વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી હતી.
=== સ્વતંત્રતા પછી ===
ભારતની સ્વતંત્રતા પછી પુણેમાં ઘણો વિકાસ થયો હતો જેમ કે [[ખડકવાસલા]] ખાતે [[નેશનલ ડિફેન્સ એકેડેમી]], [[પાસાણ]] ખાતે [[નેશનલ કેમિકલ લેબોરેટરી]]ની સ્થાપના વગેરે. પુણે [[ભારતીય સેના]]ના સધર્ન કમાન્ડનું હેડક્વાર્ટર પણ છે.<ref>{{Cite web|url=http://www.globalsecurity.org/military/world/india/southcom.htm|title=Southern Command in India|access-date=$ january 2010}}</ref> [[હડપસર]], [[ભોસરી]], [[પિંપરી]] અને [[પાર્વતી]] ખાતે 1950-60ના દાયકામાં ઓદ્યોગિક વિકાસની શરૂઆત થઇ હતી.<ref name="nic">{{Cite web|url=http://pune.gov.in/history/mevents3.htm|title=Historical Events in Pune|work=http://pune.gov.in|publisher=NIC - District-Pune|access-date=2009-10-29|archive-date=2008-12-02|archive-url=https://web.archive.org/web/20081202072725/http://pune.gov.in/history/mevents3.htm|url-status=dead}}</ref> ટેલ્કો (હવે [[ટાટા મોટર્સ]])એ 1961માં કામગીરી શરૂ કરી હતી જેનાથી ઓટોમોબાઇલ સેક્ટરને ભારે પ્રોત્સાહન મળ્યું હતું. પુણેને તે સમયે – પેન્શનર્સના સ્વર્ગ—તરીકે એળખવામાં આવતું હતું કારણ કે ત્યાં ઘણા સરકારી અધિકારી, સિવિલ એન્જિનિયર્સ અને આર્મીના અધિકારી [[નિવૃત્તિ]] પછી પુણેમાં વસવાટ કરવાનું પસંદ કરતા હતા.
[[ચિત્ર:Pune_ShaniwarWada_DelhiGate.jpg|thumb|left|200px|શનિવાર વાડા]]
જુલાઇ 1961માં [[પાંસેટ]] ડેમ તૂટી જતા તેના પાણી શહેરમાં ભરાઇ ગયા હતા અને જૂના વિસ્તારોમાં ભારે વિનાશ ફેલાયો હતો તેથી આધુનિક ટાઉન પ્લાનિંગના વિચારોને અમલમાં મૂકવાની તક મળી હતી. કમનસીબ ઘટનાના કારણે શહેરના રચનાત્મક વિકાસની શરૂઆત થઇ હતી અને [[નિર્માણ]] તથા ઉત્પાદન સેક્ટરમાં શહેરના અર્થતંત્રમાં તેજી જોવા મળી હતી. 1966 સુધીમાં સિટીએ દરેક દિશામાં વિસ્તાર ફેલાવો કર્યો હતો.<ref name="nic"/>
1970 પછી પુણે દેશના અગ્રણી એન્જિનિયરિંગ શહેર તરીકે ઉભરી આવ્યું હતું જેમાં [[ટેલ્કો]], [[બજાજ]], [[કાઇનેટિક]], [[ભારત ફોર્જ]], [[આલ્ફા લાવલ]], [[એટલાસ કોપકો]], [[સેન્ડવિક]] અને [[થર્મેક્સ]] જેવી કંપનીઓએ તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિસ્તરણ કર્યું હતું. આ સમય દરમિયાન શહેરે મોટી સંખ્યામાં શૈક્ષણિક સંસ્થાઓના કારણે 'પૂર્વના ઓક્સફર્ડ' તરીકે નામના મેળવી હતી. 1989માં દેહુ રોડ-કાતરાજ બાયપાસ (વેસ્ટર્ન બાયપાસ) પૂર્ણ થયો હતો જેનાથી શહેરના અંદરના ભાગમાં ટ્રાફિકમાં ઘટાડો નોંધાયો હતો. 1990માં પુણેએ વિદેશી મૂડી આકર્ષવાનું શરૂ કર્યું ખાસ કરીને [[ઇન્ફોર્મેશન ટેકનોલોજી]] અને [[એન્જિનિયરિંગ]] ઉદ્યોગમાં તેજી આવી હતી. શહેરમાં અને આસપાસના વિસ્તારમાં [[ફ્લોરિકલ્ચર]] અને ફૂડ પ્રોસેસિંગ જેવા નવા બિઝનેસ સ્થપાવા લાગ્યા હતા. 1998માં મુંબઇ-પુણે વચ્ચે છ લેનના [[મુંબઇ-પુણે એક્સપ્રેસવે]]નું નિર્માણ શરૂ થયું હતું. જે દેશ માટે બહુ મોટી સિદ્ધિ હતી. એક્સપ્રેસવે 2001માં પૂર્ણ કરવામાં આવ્યું હતું.<ref>{{Cite web|url=http://www.financialexpress.com/old/fe/daily/20000730/fec30031.html|title=The Mumbai-Pune expressway|work=The Financial Express|access-date=2009-10-29|archive-date=2013-05-15|archive-url=https://web.archive.org/web/20130515012445/http://www.financialexpress.com/old/fe/daily/20000730/fec30031.html|url-status=dead}}</ref> 2000 અગાઉના ત્રણ વર્ષમાં પુણેમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરમાં ભારે રોકાણ થયું હતું તથા [[અનુધ]], [[હિંજેવાડી]] અને નગર રોડ પર આઇટી પાર્કની રચના થઇ હતી. 2005 સુધીમાં [[આઇટી]]માં પુણે મુંબઇ અને ચેન્નાઇ કરતા પણ આગળ નીકળી ગયું અને ત્યાં 2 [[લાખ]] (200,000)થી વધુ આઇટી પ્રોફેશનલ્સ હતા.2006માં પીએમસીએ બીઆરટી (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) પ્રોજેક્ટ શરૂ કર્યો હતો જે ભારતીય શહેરોમાં પ્રથમ પ્રોજેક્ટ હતો પરંતુ શહેરના સાંકડા રસ્તાઓના કારણે તે યોગ્ય રીતે કારગર થયો ન હતો. જોકે, પીએમસી આ પ્રોજેક્ટના અવરોધો પર કામ કરી રહ્યું છે અને બીઆરટીની નજીક સ્કાયવોક બાંધે છે તથા અન્ય ફેરફાર થાય છે. 2008ના વર્ષમાં [[ચકન]] અને [[તાલેગાંવ]] વિસ્તારમાં ભારે વિકાસ થયો હતો જ્યા [[બહુરાષ્ટ્રીય કંપનીઓ]] (MNC) જેવી કે [[જનરલ મોટર્સ]], [[ફોક્સવાગન]] અને [[ફિયાટ]]એ પુણે પાસે પોતાના પ્લાન્ટ નાખ્યા છે. આ ઉપરાંત 2008માં [[કોમનવેલ્થ યુથ ગેમ્સ]] પુણેમાં યોજાઇ હતી તેથી ઉત્તર-પૂર્વ વિસ્તારમાં વિકાસને પ્રોત્સાહન મળ્યું હતું અને પુણેના રોડ પર કેટલાક [[કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ]] (CNG) આધારિત બસની સંખ્યા વધી હતી.<ref>{{Cite web |url=http://punekar.in/site/2008/09/17/pune-to-get-piped-compressed-natural-gas-before-cyg/|title=Pune to get piped compressed natural gas before CYG|work=The Punekar|access-date=2009-10-29}}</ref> પુણે મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (PMRDA)એ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે પ્રોત્સાહન આપવા પહેલ કરી છે જેમાં [[મેટ્રો]] (રેપિડ ટ્રાન્ઝિટ રેલ) અને બસના વિકાસની સિસ્ટમ તથા પાણી અને કચરાના ટ્રીટમેન્ટની અસરકારક સુવિધાનો સમાવેશ થાય છે.
== ભૂગોળ ==
[[ચિત્ર:Pune India.jpg|thumb|left|મધ્ય પુણેની એક શેરી અપ્પા બલવંત ચોક, પેઠ વિસ્તારનું દ્રશ્ય]][[ચિત્ર:Pashan Lake.jpg|thumb|right|200px|પાષાણ તળાવ માનવ સર્જિત તળાવ છે.]]
પુણે [[ડેક્કન ઉચ્ચ પ્રદેશ]]ના પશ્ચિમી માર્જિન પર સમુદ્રની સપાટીથી ઉપર આવેલું છે.{{convert|560|m|ft|abbr=on}} તે [[સહ્યાદ્રી]] પર્વતમાળાની (''પશ્ચિમ ઘાટ'' ) નીચેની બાજુએ આવેલું છે જે તેને [[અરેબિયન સમુદ્ર]]થી અલગ કરે છે. તે પ્રમાણમાં હિલ પર આવેલું શહેર છે જ્યાં સૌથી ઊંચી હિલ [[વેતાલ હિલ]] છે જે સમુદ્રની સપાટીથી વધારે ઊંચી છે.{{convert|800|m|ft|abbr=on}} શહેરની બહાર જ 1300 મીટરની ઊંચાઇએ [[સિંહગઢ]] કિલ્લો આવેલો છે.
મધ્ય પુણે [[મુલા]] અને [[મુથા નદી]]ના સંગમસ્થાને આવેલું છે. [[ભીમા નદી]]માં સમાઇ જતી [[પવન]] અને [[ઇન્દ્રાયણી]] નદીઓ મેટ્રોપોલિટન પુણેની બહાર ઉત્તરપૂર્વમાંથી પસાર થાય છે.
પુણે [[કોયના ડેમ]], જે શહેરથી 100 કિમી દક્ષિણમાં આવેલું છે, તેની આસપાસ સિસ્મેટિક સક્રિય ઝોનની બહુ નજીક આવેલું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા તેને [[ઝોન 4]]માં મૂકવામાં આવ્યું છે. (2થી 5ના સ્કેલમાં 5નો સ્કેલ ભૂકંપની સૌથી વધુ શક્યતા દર્શાવે છે.) ભૂતકાળમાં પુણેએ કેટલાક મધ્યમ તીવ્રતાના અને ઘણા બધા ઓછી તીવ્રતાના ભૂકંપનો અનુભવ કર્યો છે. પુણેમાં કોઇ મોટો ભૂકંપ આવ્યો નથી, પરંતુ 17 મે, 2004ના રોજ કતરાજ વિસ્તાર નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.<ref>{{cite web |url=http://asc-india.org/lib/20040517-pune.htm |title=M3.2 Katraj-Pune Earthquake, 2004 |access-date=2008-04-15}}</ref> 2008માં 30 જુલાઇ 2008ની રાતે ઓછી તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો જેની તીવ્રતા 4.2 હતી એમ રાતે 12.41ના સમાચારમાં જણાવાયું હતું. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કોયના ડેમ ફિલ્ડ હોવાનું જાણવા મળ્યું હતું.<ref>{{cite web |url=http://asc-india.org/lib/20080729-koyna.htm |title=M4.3 Gokul-Waghini Earthquake, 2008 |access-date=2009-11-28}}</ref>
== આબોહવા ==
{{climate chart
|Pune
|11.4|30.3|0
|12.7|32.8|1
|16.5|36.0|5
|20.7|38.1|17
|22.5|37.2|41
|22.9|32.1|116
|22.0|28.3|187
|21.4|27.5|122
|20.7|29.3|120
|18.8|31.8|78
|14.7|30.5|30
|12.0|29.6|5
|source=[http://www.worldweather.org/066/c00535.htm World Weather Information Service]
|float=right
|clear=right
}}
પુણેમાં [[ઉષ્ણકટિબંધીય ભીનું અને સૂકું હવામાન]] રહે છે જ્યાં તાપમાન 20 °C થી 28 °C વચ્ચે નોંધાય છે.
પુણેમાં ત્રણ વિશેષ ઋતુનો અનુભવ થાય છેઃ [[ઉનાળો]], [[ચોમાસુ]] અને [[શિયાળો]]. માર્ચથી મે સુધી ઉષ્ણ કટિબંધીય મહિના હોય છે જ્યારે મહત્તમ તાપમાન હોય છે.{{convert|30|to|38|C|F}} પુણેમાં સૌથી ગરમ મહિનો એપ્રિલ છે જોકે ઉનાળો મે મહિના સુધી ચાલે છે, શહેરમાં ઘણી વખત મે માસમાં [[ગાજવીજ સાથે વરસાદ]] પડે છે. (ભેજનું પ્રમાણ જોકે ઘણું ઊંચું રહે છે.) સૌથી ગરમ મહિનાઓમાં પણ પુણેની ઊંચાઇના કારણે રાતે સામાન્ય રીતે ઠંડી રહે છે. પુણેમાં સૌથી ઊંચું તાપમાન{{convert|43.3|°C|°F|abbr=on}} 30 એપ્રિલ, 1897ના રોજ નોંધાયું હતું.<ref>{{cite news |title=City sweats as mercury hits season's high |url=http://timesofindia.indiatimes.com/articleshow/43607013.cms |work=[[The Times of India]] |date=2003-04-17 |access-date=2008-05-10 }}</ref>
ચોમાસુ જૂનથી ઓક્ટોબર સુધી ચાલે છે જેમાં સામાન્ય વરસાદ અને તાપમાન રહે છે.{{convert|10|to|28|C|F}} શહેરના વાર્ષિક 722 મિમિ વરસાદમાંથી મોટા ભાગનો વરસાદ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે પડે છે અને જુલાઇ એ વર્ષમાં સૌથી વધુ વરસાદ લાવતો મહિનો છે. પુણેમાં એક વખત સતત 29 દિવસ સુધી વરસાદ પડ્યો હતો.{{Citation needed|date=April 2008}}
શિયાળાની શરૂઆત નવેમ્બરમાં થાય છે, નવેમ્બરને ખાસ કરીને રોઝી કોલ્ડ (શબ્દાનુસાર ભાષાંતર) ઉલ્લેખ કરવામાં આવે છે.{{lang-mr|गुलाबी थंडी}} દિવસ દરમિયાન તાપમાન આશરે{{convert|28|°C|°F|abbr=on}} રહે છે જ્યારે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં રાતે તાપમાન {{convert|10|°C|°F|abbr=on}}થી નીચું રહે છે અને ઘણી વખત ઘટીને સુધી પહોંચે છે.{{convert|5|to|6|C|F}} 17 જાન્યુઆરી, 1935ના રોજ સૌથી નીચું તાપમાન 1.7 °C નોંધાયું હતું.<ref>{{cite news |title=Brrr... it's almost March, and Pune's shivering! |url=http://timesofindia.indiatimes.com/articleshow/1029115.cms |work=[[The Times of India]] |date=2005-02-23 |access-date=2008-05-10 }}</ref>
== પરિવહન ==
{{Cleanup-rewrite|date=June 2009}}
=== માર્ગો ===
{{Main|Roads of Pune}}
[[ચિત્ર:Pune BRTS.jpg|thumb|પુણે બીઆરટીએસ ભારતની સૌ પ્રથમ બસ રેપિડ ટ્રાન્ઝિસ સિસ્ટમ છે.]]
પુણેમાં જાહેર અને પ્રાઇવેટ પરિવહન બંને લોકપ્રિય છે.
[[પુણે મહાનગર પરિવહન મહામંડળ લિમિટેડ]] (PMPML) દ્વારા શહેર અને પરાના વિસ્તારોમાં જાહેર બસો દોડાવાય છે. [[પુણે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ]]ની દરખાસ્ત કરવામાં આવી છે જેમાં બસ શહેરમાં ઝડપથી પ્રવાસ કરી શકે તે માટે ખાસ બસ લેન બનશે. [[મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન]] દ્વારા ઇન્ટરસિટી બસ દોડાવવામાં આવે છે. પ્રાઇવેટ કંપનીઓ પણ ભારતના મોટા શહેરો માટે બસો દોડાવે છે.
પુણે અન્ય શહેરો સાથે પણ [[ભારતીય હાઇવે]] અને સ્ટેટ હાઇવે દ્વારા સારી રીતે જોડાયેલું છે. [[નેશનલ હાઇવે 4]] (NH 4) તેને [[મુંબઇ]] અને [[બેંગલોર]] સાથે જોડે છે, [[NH 9]] દ્વારા [[સોલાપુર]] અને [[હૈદરાબાદ]] સાથે જોડાય છે, અને [[NH 50]]થી [[નાસિક]] સાથે જોડાય છે. સ્ટેટ હાઇવેથી તે [[અહમદનગર]], [[ઔરંગાબાદ]] અને [[અલાંડી]] સાથે જોડાય છે.
2002થી પુણે [[મુંબઇ-પુણે એક્સપ્રેસવે]]થી મુંબઇ સાથે જોડાયેલું છે, જે ભારતનો પ્રથમ છ લેનનો હાઇ સ્પીડ એક્સપ્રેસવે છે. ટ્રાફિક ઓછો કરવા માટે એક [[રિંગ રોડ]] બનાવવાની યોજના છે.
[[ચિત્ર:MumbaiPuneExpressway.jpg|thumb|ખંડાલામાંથી મુંબઈ-પુણે એક્સપ્રેસવેનું દ્રશ્ય]]
પુણેમાં બે ઇન્ટ્રા સિટી હાઇવે આવેલા છેઃ
# [[જૂનો પુણે-મુંબઈ હાઇવે]] મુખ્ય ધમનીરૂપ રોડ છે જે પુણે મેટ્રોપોલિટન એરિયાને સેવા આપે છે. હાઇવે શહેરના કેન્દ્ર શિવાજી નગરથી શરૂ થાય છે અને [[દેહુ રોડ]] સુધી પહોંચે છે. હાઇવેના મોટા ભાગના સેક્શનમાં 8 લેન છે. તેમાં શ્રેણીબદ્ધ ફ્લાયઓવર અને અંડરપાસ છે જેનાથી કેટલાક ટ્રાફિક સેક્સન સિગ્નલ મુક્ત બન્યા છે.
# [[કટરાજ-દેહુ રોડ બાયપાસઃ]] આ રોડ [[નેશનલ હાઇવે 4]]નો હિસ્સો છે અને શહેરનો મેટ્રોપોલિટન બાયપાસ રચે છે જે પશ્ચિમી સરહદ પાસેથી પસાર થાય છે. તે વેસ્ટર્ન બાયપાસ તરીકે ઓળખાય છે. તે ઉત્તરમાં [[દેહુ રોડ]]થી દક્ષિણમાં કટરાજ સુધી જાય છે. આ હાઇવેમાં 4 લેન અને કેટલાક ફ્લાયઓવર/ગ્રેડ સેપરેટર્સ આવેલા છે. પશ્ચિમ તરફના પુણેના તમામ રોડ આ હાઇવેને છેદે છે.
# નાસિક શહેર-પુણે હાઇવે [[NH 50]] આ હાઇવે 4 લેન ધરાવે છે અને તેમાં કેટલીક ટનલ અને બાયપાસ આવેલા છે.સંગામર બાયપાસ હજુ નિર્માણ હેઠળ છે. તે ગોલ્ડન ટ્રાયેન્ગલ (નાસિક-પુણે-મુંબઈ)નો હિસ્સો બનશે.
=== રેલ ===
{{See|Pune Railway Station|Pune Metro}}
પુણે માટે એક [[રેપિડ ટ્રાન્ઝિટ]] સિસ્ટમની દરખાસ્ત છેલ્લા 5 વર્ષથી કરવામાં આવી છે જે 2010માં તેનું કામ શરૂ કરશે.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/Cities/Pune/Three_routes_for_metro_rail_in_city_identified/articleshow/2412974.cms|title=Three routes for metro rail in city identified|access-date=2008-04-24|date=2007-09-27}}</ref> [[દિલ્હી મેટ્રો]]નું બાંધકામ કરનાર અને તેના સંચાલક [[દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ]] સાથે સહયોગથી તેનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં તેના માટે ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.
* વારજે-ચિંચવાડ વાયા કારવે રોડ, જંગલી મહારાજ રોડ, [[શિવાજીનગર]] અને પુણે-મુંબઈ રોડ (22 કિમી, એલિવેટેડ)
* [[શિવાજીનગર]]-કલ્યાણીનગર વાયા રાજા બહાદુર મિલ રોડ અને પુણે-અહમદનગર રોડ (13 કિમી, એલિવેટેડ)
* એગ્રીકલ્ચર કોલેજ-સ્વારગેટ, વાયા શિવાજી રોડ (10 કિમી, અંડરગ્રાઉન્ડ)
શહેરમાં બે રેલવે સ્ટેશન છે, એક શહેરમાં છે અને બીજું શિવાજીનગરમાં છે. બંને સ્ટેશનનું સંચાલન [[મધ્ય રેલવે]]ના પુણે ડિવિઝન દ્વારા કરવામાં આવે છે જે લોનાવાલા (જેનું સંચાલન મુંબઈ સીએસટીએમ ડિવિઝન દ્વારા થાય છે.) પછીના સ્ટેશનથી દૌંડ (જે સોલાપુર ડિવિઝન હેઠળ આવે છે) પહેલાથી બારામતી અને ત્યાંથી [[હુબલી]] (વાયા [[મિરાજ]]) સુધી જાય છે.{{Citation needed|date=August 2008}} પુણે સુધીની તમામ રેલવે લાઇન [[બ્રોડ ગેજ]] છે જેમાં લોનાવાલા સુધી ડબલ ઇલેક્ટ્રિફાઇડ લાઇન (1500 વોલ્ટ ડીસી ટ્રેક્શન), દૌંડ સુધી ડબલ નોન ઇલેક્ટ્રિફાઇડ લાઇન અને [[કોલ્હાપુર]] વાયા [[મિરાજ]] અને બારામતી વાયા દૌંડ નોન ઇલેક્ટ્રિફાઇડ લાઇન્સ છે.
શહેરમાં પુણે-[[મિરાજ]]-[[હુબલી]]-[[બેંગલોર]] રેલ ટ્રેક છે જે મહારાષ્ટ્રમાં સૌથી મહત્વના ટ્રેક પૈકી એક છે.
લોકલ ટ્રેનો ([[EMUs]])પુણેને ઔદ્યોગિક શહેર [[પિંપરી-ચિંચવાડ]] સાથે અને [[લોનાવાલા]] હિલ સ્ટેશન સાથે જોડે છે જ્યારે દૈનિક એક્સપ્રેસ ટ્રેન પુણેને મુંબઈ, હાવરા, દિલ્હી, જમ્મુતાવી, ચેન્નાઇ, હૈદરાબાદ, બેંગલોર, જમશેદપુર (ટાટાનગર) વગેરે સાથે જોડે છે.
નાસિક અને પુણેને સાંકળતી ટ્રેન પણ છે.
પુણેમાં ડીઝલ લોકોમોટિવ શેડ (ડીએલએસ) અને ઇલેક્ટ્રિક ટ્રિપ શેડ (ઇટીએસ) આવેલું છે.
=== હવાઇ માર્ગ ===
{{See|Pune International Airport}}
[[પુણે ઇન્ટરનેશનલ એરપોર્ટ]] [[લોહેગાંવ]] ખાતેનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે જેનું સંચાલન [[એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા]] મારફત થાય છે. તેના રનવેમાં પડોશમાં આવેલા [[ઇન્ડિયન એરફોર્સ]]ના બેઝની હિસ્સેદારી છે અને વિશ્વમાં આ પ્રકારનો એકમાત્ર રનવે છે.<ref>{{cite web|url=http://pune.steci.org/about-pune-parish/pune-city/|title=Pune City|publisher=St. Thomas Evangelical Church of India|access-date=2010-06-16|archive-date=2011-08-25|archive-url=https://web.archive.org/web/20110825091211/http://pune.steci.org/about-pune-parish/pune-city/|url-status=dead}}</ref> તમામ મોટા ભારતીય શહેરોમાં સ્થાનિક ફ્લાઇટ ઉપરાંત આ એરપોર્ટ બે આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટ ફ્લાઇટનું સંચાલન પણ કરે છે જેમાંથી એક [[દુબઇ]] ([[એર ઇન્ડિયા એક્સપ્રેસ]] દ્વારા સંચાલિત) અને બીજી [[ફ્રેન્કફર્ટ]] (એક્સક્લુઝિવ બિઝનેસ ક્લાસ જેટ મારફત [[લુફ્થાન્સા]] દ્વારા સંચાલિત) ફ્લાઇટ છે. ચકન ખાતે ટૂંક સમયમાં નવું એરપોર્ટ શરૂ થશે.
[[મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન]] નવા [[પુણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ]]ની ડિઝાઇન અને નિર્માણ માટે જવાબદાર છે. ચકન અને રાજગુરુનગર વચ્ચેનો વિસ્તાર, ચાંડુસ અને શિરોલી આસપાસના ગામડાં, હાલમાં કન્સ્ટ્રક્શન સાઇટ ગણવામાં આવે છે. જો અહીં નિર્માણ થશે તો તે મધ્ય પુણેથી 40 કિમી દૂર પુણે-નાસિક નેશનલ હાઇવે (NH-50) પર હશે અને એશિયામાં તે સૌથી મોટું હશે. સ્થાનિક એરલાઇન્સ પુણેને [[મુંબઈ]], [[દિલ્હી]], [[કોલકાતા]], [[ચેન્નાઇ]], [[બેંગલોર]], [[હૈદરાબાદ]], [[અમદાવાદ]], [[નાગપુર]], [[ગોવા]], [[ઇન્દોર]], [[રાયપુર]] અને [[શિરડી]]ને જોડે છે.
== નગર વહીવટ ==
[[ચિત્ર:2064 aryabhata-crp.jpg|thumb|IUCAA, પુણેના મેદાન પર આર્યભટ્ટનું પૂતળુ.આ દેખાવ અંગે કોઈ માહિતી નહિ હોવાના કારણે આર્યભટ્ટની કોઈ પણ છબિ કલાકારની પોતાની કલ્પનામાંથી ઉદભવેલ છે.]]
પુણે શહેરનો વહીવટ [[પુણે મ્યુનિસિપાલ કોર્પોરેશન]] (પીએમસી) દ્વારા થાય છે. કોર્પોરેશનમાં 149 [[સીધા ચૂંટાયેલા]] કાઉન્સિલર છે<ref name="PMCAboutUs">{{cite web |url=http://www.punecorporation.org/pmcwebn/about_us.aspx |title=About the Pune Municipal Corporation |access-date=2008-04-21 |archive-date=2008-04-12 |archive-url=https://web.archive.org/web/20080412040719/http://www.punecorporation.org/pmcwebn/about_us.aspx |url-status=dead }}</ref> જેમનું નેતૃત્વ પુણેના મેયર કરે છે જે એક કહેવા પૂરતો હોદ્દો છે અને શહેરના રાજદૂત અથવા પ્રતિનિધિ સમાન ગણાય છે. વાસ્તવિક એક્ઝિક્યુટિવ સત્તા [[મ્યુનિસિપલ કમિશનર]]ના હાથમાં રહેલી છે જે [[ભારતીય સનદી સેવા]]ના અધિકારી હોય છે અને [[મહારાષ્ટ્ર સરકાર]] દ્વારા તેમની નિમણૂક થાય છે.
પીએમસી ઉપરાંત [[પુણે મેટ્રોપોલિટન એરિયા]]માં ચાર અન્ય વહીવટી સંસ્થાઓ સક્રિય છે.
* [[પિંપરી-ચિંચવાડ]] મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી)<ref name="PCMCPortal">{{cite web |url=http://www.pcmcindia.in/index.asp |title=Pimpri-Chinchwad Municipal Corporation Web Portal |access-date=2008-08-22 |work= |publisher= |date= |archive-date=2008-10-04 |archive-url=https://web.archive.org/web/20081004153645/http://www.pcmcindia.in/index.asp |url-status=dead }}</ref> જે [[પિંપરી-ચિંચવાડ]] અને તેની આસપાસના વિસ્તાર માટે જવાબદાર છે.
* [[ખડકી]] કેન્ટોનમેન્ટ બોર્ડ (કેસીબી)<ref name="KirkeeCBProfile">{{cite web|url=http://www.cbkirkee.org.in:8080/kirkee/|title=Kirkee Cantonment Board: A Brief Profile|access-date=2008-08-22|archive-date=2009-01-06|archive-url=https://web.archive.org/web/20090106131434/http://www.cbkirkee.org.in:8080/kirkee|url-status=dead}}</ref> જે [[ખડકી]] માટે જવાબદાર છે.
* [[પુણે કેન્ટોનમેન્ટ બોર્ડ]] (પીસીબી)<ref name="PuneCBOverview">{{cite web|url=http://punecantonmentboard.com/Html/Overvies.htm|title=Pune Cantonment Board: Overview|access-date=2008-08-22|archive-date=2009-04-01|archive-url=https://web.archive.org/web/20090401231752/http://punecantonmentboard.com/Html/Overvies.htm|url-status=dead}}</ref> જે [[પુણે કેન્ટોનમેન્ટ]] માટે જવાબદાર છે અને
* [[દેહુ રોડ]] કેન્ટોનમેન્ટ બોર્ડ જે [[દેહુ રોડ]] એરિયા માટે જવાબદાર છે.
સિંગલ પુણે મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએમઆરડીએ) સ્થાપવાની યોજના, જેમાં સંયુક્ત મ્યુનિસિપલ કાઉન્સિલ, કોર્પોરેશન અને પુણેની અન્ય સ્થાનિક સરકારો, પિંપરી-ચિંચવાડ, [[લોનાવાલા]], [[તાલેગાંવ]], [[ભોર]], શિરુર, સાસ્વદ અને ત્રણ કેન્ટોનમેન્ટ તથા શહેરની આસપાસના સેંકડો ગામો સામેલ હશે, તેના પર 1997થી વિચારણા ચાલે છે જે ચાલુ વર્ષમાં શક્ય બને તેમ લાગે છે.<ref name="PMRDANotFarOff">{{cite news | url=http://www.expressindia.com/latest-news/Just-hold-on-PMRDA-not-far-off/257707/ | date=2008-01-05 | access-date=2008-09-03 | title=Just hold on, PMRDA not far off | work=ExpressIndia.com | archive-date=2008-01-06 | archive-url=https://web.archive.org/web/20080106052534/http://www.expressindia.com/latest-news/Just-hold-on-PMRDA-not-far-off/257707/ | url-status=dead }}</ref> આ સંસ્થા ત્યાર બાદ એક્ઝિક્યુટિંગ ઓથોરિટી બનશે જે પુણે મેટ્રોપોલિટન એરિયા માટે જમીન ખરીદીને વિકસાવશે.
[[પુણે પોલિસ]]નું નેતૃત્વ [[પુણેના પોલિસ કમિશનર]] કરે છે જેઓ [[ભારતીય પોલિસ સર્વિસ]]ના અધિકારી હોય છે. [[પુણે પોલિસ]] રાજ્ય સરકાર હસ્તક કામ કરે છે.
== લશ્કરી મથકો ==
[[ચિત્ર:AB132 - National War Memorial.JPG|thumb|right|180px|પુણે કન્ટોનમેન્ટમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, ઘોર પદી, મહારાષ્ટ્ર]]
પુણે 1800ની શરૂઆતથી અગ્રણી [[કેન્ટોનમેન્ટ]] રહ્યું છે. પુણેમાં અને તેની આસપાસ કેટલીક મહત્વની લડાઇઓ થઇ છે જેમાં [[ખડકીની લડાઇ]] (1817) અને [[કોરેગાંવની લડાઇ]] (1818) સામેલ છે. ત્યાં ઘણા લશ્કરી મથકો સ્થાપવામાં આવ્યા છે જેમાં સામેલ છે,
* [[ઇન્ડિયન આર્મી]]ના [[સધર્ન કમાન્ડ]]નું હેડક્વાર્ટર<ref>{{cite web|url=http://indianarmy.nic.in/rti/listof_pio.htm|title=Indian Army: List of PIOs & Appelate Auths|access-date=2008-05-10}}{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* [[કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ]] જ્યાં ભારતીય સેનાના એન્જિનિયર [[સેપર્સ]]ને તાલીમ આપવામાં આવે છે.
* [[બોમ્બે એન્જિનિયરિંગ ગ્રૂપ]] અથવા જેને સામાન્ય રીતે બોમ્બે સેપર્સ તરીકે ઓળખવામાં આવે છે તેનું કેન્દ્ર 1837થી પુણેમાં છે અને 1869થી તે ખડકીમાં હાલના સ્થળે છે.
* [[ખડકવાસલા]] ખાતે [[નેશનલ ડિફેન્સ એકેડેમી]] (એનડીએ) છે જે જોઇન્ટ સર્વિસ એકેડેમી છે જ્યાં આર્મી, નેવી અને એરફોર્સના કેડેટ્સ સાથે તાલીમ મેળવે છે ત્યાર બાદ તેઓ પોતપોતાની એકેડેમીમાં પ્રિ-કમિશન એકેડેમીમાં જાય છે.
* [[આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ]]માં ત્રણ સર્વિસ માટે ડોક્ટર્સ અને નર્સને તાલીમ અપાય છે.
* [[ડિફેન્સ એકેડેમી ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી]] (અગાઉ ઇન્સ્ટિટયુટ ઓફ આર્મામેન્ટ ટેકનોલોજી)
* [[હાઇ એનર્જી મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરી]] (HEMRL)
* [[આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ]] (ARDE)
* ક્વોલિટી એસ્યોરન્સ ઓફ મિલિટરી વ્હીકલ્સ દેહુ રોડ (CQASV)
* રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇસ્ટ. ફોર એન્જિનિયર્સ (R&DE)
* ઓર્ડનન્સ ફેક્ટરીઓઃ એમ્યુનિશન ફેક્ટરી દેહુ રોડ (OFDR) [[દેહુ રોડ]] ખાતે
* આર્મી ઇન્સ્ટિટયુટ ઓફ ફિઝિકલ ટ્રેનિંગ (AIPT) અને આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટયુટ
* ઓર્ડનન્સ ફેક્ટરી –એમ્યુનિશન ફેક્ટરી (AFK) અને [[ખડકી]] ખાતે હાઇ એક્સપ્લોઝિવ ફેક્ટરી (HEF)
* આર્મી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટયુટ, પુણે (ASI)ઘોરપડીમાં આવેલી છે જે આર્મીના જવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તાલીમ આપે છે અને તૈયાર કરે છે.
* [[આર્મી ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી]], પુણે (AIT) એક એન્જિનિયરિંગ કોલેજ છે જે ભારતીય સેનાના સૈનિકો (સેવા આપતા અથવા નિવૃત) માટે છે જે પુણે, [[મહારાષ્ટ્ર]], [[ભારત]]માં ડિગી હિલ્સમાં આવેલી છે અને પુણે યુનિવર્સિટી સાથે જોડાયેલ છે.
[[મહાન લડાઇ]]માં પુણેમાંથી જેમણે યુદ્ધમાં ભાગ લીધો હતો તેમની યાદમાં એક જૂનું યુદ્ધ મેમોરિયલ [[સાસૂન હોસ્પિટલ]]ની સામે આવેલું છે. નવું કહી શકાય તેવું મેમોરિયલ [[નેશનલ વોર મેમોરિયલ સધર્ન કમાન્ડ]] [[પુણે કેન્ટોનમેન્ટ]]માં ધોરપડી નજીક આવેલું છે. આ મેમોરિયલ ભારતીય સશસ્ત્ર દળોના એવા મહારાષ્ટ્રીયન સૈનિકોના બલિદાનને સન્માનિત કરે છે જેમણે સ્વતંત્ર ભારતની લડાઇઓમાં પોતાના પ્રાણોની આહૂતિ આપી હતી.
== વસતી-વિષયક માહિતી ==
{{IndiaCensusPop
|title= Pune growth
|1921= 133227
|1951= 488419
|1961= 606777
|1971= 856105
|1981= 1203351
|1991= 1566651
|2001= 2540069
|estimate=
|estyear=
|estref=
|footnote= Source: [[Census of India]]<ref name="REVISED ACTION PLAN FOR CONTROL OF AIR POLLUTION IN Pune">{{cite web|url=http://www.mpcb.gov.in/images/pdf/actionplanpune11.pdf|title=REVISED ACTION PLAN FOR CONTROL OF AIR POLLUTION IN Pune|work=Census of India, Government of India (2001)|format=PDF|publisher=Maharashtra Pollution Control Board|access-date=2008-12-29|archive-date=2009-02-26|archive-url=https://web.archive.org/web/20090226073552/http://www.mpcb.gov.in/images/pdf/actionplanpune11.pdf|url-status=dead}}</ref>
}}
2001ની [[ભારતની વસતી ગણતરી]] પ્રમાણે પુણેના શહેરી ભાગોમાં કુલ વસતી 3,329,000 હતી.<ref name="Census data">{{cite web|url=http://mospi.gov.in/comenv2000tab7.2.11.htm|title=TABLE 7.2.11|publisher=mospi.gov.in|access-date=2008-06-23|archive-date=2008-08-13|archive-url=https://web.archive.org/web/20080813081037/http://mospi.gov.in/comenv2000tab7.2.11.htm|url-status=dead}}</ref> તેમાં [[ખડકી]], [[પિંપરી-ચિંચવાડ]] અને [[દેહુ]] નગરની વસતી સામેલ છે. સોફ્ટવેર અને શિક્ષણ ક્ષેત્રમાં વૃદ્ધિના કારણે ભારતભરમાંથી અહીં કૌશલ્યબદ્ધ કામદારોનું આગમન થાય છે. 2005માં શહેરના કુલ વિસ્તારમાં વસતી 4,485,000 હોવાનો અંદાજ છે.<ref name="punepages.com">{{Cite web |url=http://www.punepages.com/demographics-of-pune |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-06-16 |archive-date=2011-07-15 |archive-url=https://web.archive.org/web/20110715132101/http://www.punepages.com/demographics-of-pune |url-status=dead }}</ref> સ્થળાંતર કરીને આવેલા લોકોની વસતી 2001માં 43,900થી વધીને 2005માં 88,200 થઇ હતી.<ref>{{cite web
|url =http://cities.expressindia.com/fullstory.php?newsid=194461
|title =Pune’s GDP at Rs 46,000 is 50 pc higher than India’s
|publisher =[[Indian Express]]
|access-date =2007-03-24
|date=2006-07-28
}}</ref> પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા પ્રમાણે 2001માં 38.9 ટકા લોકો [[ઝૂંપડપટ્ટી]]માં રહેતા હતા.<ref>{{cite web|url=http://www.iipsenvis.nic.in/paper/fp_anjalir.pdf|format=PDF|title=Health Status of Slum Dwellers in Pune|publisher=Anjali Radkar|access-date=2009-06-21|archive-date=2009-03-27|archive-url=https://web.archive.org/web/20090327070025/http://www.iipsenvis.nic.in/paper/fp_anjalir.pdf|url-status=dead}}</ref>
1991-2001ના દાયકામાં તીવ્ર વધારો થવા માટે 38 છુટાછવાયા ગામોને શહેર સાથે જોડી દેવાનું પગલું કારણભૂત છે.<ref name="REVISED ACTION PLAN FOR CONTROL OF AIR POLLUTION IN Pune"/> સાક્ષરતા દર 81% ટકા છે જે રાષ્ટ્રીય એવરેજ કરતા 1% વધુ છે.<ref>[http://www.livemint.com/2008/10/30125639/Pune-to-become-7th-metro-city.html પુણે ભારતનું સાતમું મેટ્રો સિટી બનશે: એસોચેમ - ઇકોનોમો એન્ડ પોલિટિક્સ - livemint.com]</ref>
[[મરાઠી]] એ સત્તાવાર અને સૌથી વધુ બોલવામાં આવતી ભાષા છે જ્યારે હિંદી અને અંગ્રેજી સમજવામાં આવે છે અને બહોળા પ્રમાણમાં બોલાય છે. પુણેમાં મરાઠીભાષીના ઉચ્ચારને ભાષાના "ધોરણ" સમાન ગણવામાં આવે છે.<ref>{{cite web |url=http://www.britannica.com/eb/article-9050747/Marathi-language |title=Marathi language |access-date=2008-06-09 |publisher=[[Encyclopædia Britannica]]}}</ref> પુણેમાં શિક્ષણ, સંશોધન અને તાલીમ સંસ્થાઓ શહેરભરમાં આવેલી હોવાથી અહીં [[વ્હાઇટ-કોલર]] વ્યવસાયિકોની મોટી સંખ્યા છે.
પુણેમાં [[બ્રાહ્મણ]] અને [[મરાઠા]]ની નોંધપાત્ર વસતી છે. પુણેમાં [[મુસ્લિમ]]ની પણ વિશાળ વસતી છે જેમાંથી અડધા [[મરાઠી]] બોલે છે જ્યારે બાકીના [[હિંદી]] અથવા [[ઉર્દૂ]] બોલે છે. પુણેમાં [[ખ્રિસ્તી]] અને [[યહુદી]]ઓની વસતી પણ મોટી છે. [[દાઉદી વોહરા]] સમુદાયના લોકો શહેરમાં મળી આવે છે. પુણેમાં મોટી સંખ્યામાં [[પારસી]] રહે છે જેઓ કેમ્પ, પુણે સ્ટેશન, કોરેગાંવ પાર્ક અને નગર રોડ વિસ્તારમાં રહે છે. પુણે કેમ્પ, ગણેશ પીઠ, લુલ્લા નગર અને [[દેહુ રોડ]] વિસ્તારમાં [[શીખ]]ની વસતી પણ સારી એવી છે. પુણેમાં [[બૌદ્ધ]] લોકો મુખ્યત્વે યેરાવાડા અને [[પાર્વતી]] વિસ્તારમાં રહે છે. પુણેના બહુમતી લોકો [[મરાઠી]] છે.
== અર્થતંત્ર ==
[[ચિત્ર:India Technology.jpg|thumb|right|પુણેમાં ઇન્ફોસિસનું કાર્યાલય]]
ભારતમાં સૌથી મોટા શહેર પૈકી એક હોવાના નાતે અને અનેક કોલેજો અને યુનિવર્સિટીઓ હોવાથી પુણે [[આઇટી]] અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે વિસ્તરણના એક મહત્વના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. પુણેમાં છઠ્ઠા ક્રમનું સૌથી મોટું મેટ્રોપોલિટન અર્થતંત્ર છે અને દેશમાં સૌથી ઊંચી માથાદીઠ આવક ધરાવે છે.<ref name="punepages.com"/>
=== ઓટોમોટિવ ===
પુણેમાં ઓટોમોટિવ સેક્ટર ખાસ વિકસ્યો છે. અહીં ઓટોમોટિવ રિસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયા આવેલું છે જે ભારતમાં ઉપલબ્ધ તમામ વાહનોનું [[હોમોલોગેશન]] કરે છે. ઓટોમોટિવ ઉદ્યોગના તમામ સેક્ટરનું અહીં પ્રતિનિધિત્વ છે જેમાં [[ટુ-વ્હીલર]] અને [[ઓટો રિક્ષા]] ([[બજાજ ઓટો]], [[કાઇનેટિક મોટર કંપની]])થી લઇને કાર ([[ફોક્સવાગન ગ્રૂપ]], [[જનરલ મોટર્સ]], [[ટાટા મોટર્સ]], [[મર્સિડીઝ બેન્ઝ]], [[ફિયાટ]], [[પ્યુજો]]), [[ટ્રેક્ટર્સ]] ([[જોન ડેરી]]), [[ટેમ્પો]], એક્સકેવેટર્સ (જેસીબી મેન્યુ. કંપની લિ.) અને ટ્રક ([[ફોર્સ મોટર્સ]]) સામેલ છે. કેટલાક ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ જેવા કે ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિ, [[રોબર્ટ બોસ્ક જીએમબીએચ]], વિસ્ટેઓન, કોન્ટીનેન્ટલ કોર્પોરેશન, ITW, સ્ક્ફ, મેગના વગેરે અહીં આવેલ છે. અન્ય ઓટોમોટિવ કંપની જેમ કે [[જનરલ મોટર્સ]], [[ફોક્સવાગન]] અને [[ફિયાટ]]એ પુણે પાસે ગ્રીનફિલ્ડ ફેસિલીટી સ્થાપી છે તેથી ''[[ધ ઇન્ડિપેન્ડન્ટ]]'' એ પુણેને ભારતનું "મોટર સિટી" ગણાવ્યું છે.<ref>{{cite news |url=http://www.independent.co.uk/news/business/analysis-and-features/the-boom-is-over-in-detroit-but-now-india-has-its-own-motor-city-812050.html |title=The boom is over in Detroit. But now India has its own motor city |access-date=2008-04-22 |date=2008-04-20 |archive-date=2021-03-16 |archive-url=https://web.archive.org/web/20210316083343/https://www.independent.co.uk/news/business/analysis-and-features/the-boom-is-over-in-detroit-but-now-india-has-its-own-motor-city-812050.html |url-status=dead }}</ref>
=== અન્ય ઉત્પાદકો ===
પુણેમાં બનતા એન્જિનિયરિંગ ગુડ્સમાં ફોર્જસ ([[ભારત ફોર્જ]]), ટ્રક ટ્રાન્સમિશન્સ સિસ્ટમ્સ, ક્લચ અને હાઇડ્રોલિક કમ્પોનન્ટ્સ [[ઇટોન કોર્પોરેશન]] અને એન્જિન (કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ, [[ક્યુમિન્સ]]) સામેલ છે. અન્ય અગ્રણી ઉત્પાદકોમાં સામેલ છે [[આલ્ફા લાવાલ]], [[થાઇસિન ક્રૂપ]] અને [[બ્લેક એન્ડ વીચ]], સેઇન્ટ ગોબેઇન સિકુરીટ (ઓટોમોટિવ સેફ્ટી ગ્લાસ).
ભારતનું સૌથી મોટું એન્જિનિયરિંગ જૂથ<ref>{{cite web|url=http://www.expressindia.com/latest-news/kk-swamy-appointed-md-and-vice-president-of-volkswagen-india/315964/|title=K. K. Swamy appointed MD of Volkswagen India|publisher=ExpressIndia.com|access-date=2009-12-14}}</ref> [[કિર્લોસ્કર ગ્રૂપ]] પુણે સ્થિત છે અને તે પુણેમાં સૌથી પહેલા ઉત્પાદન સુવિધા સ્થાપવામાં અગ્રણી હતું. [[કિર્લોસ્કર બ્રધર્સ લિ.]] (ભારતમાં પંપનું સૌથી મોટું ઉત્પાદક અને નિકાસકાર અને એશિયામાં સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પંપિંગ પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટર)<ref>{{cite web|url=http://www.moneycontrol.com/news/business/kirloskar-brothers-restructure-group-dilute-cross-holdings_428696.html|title=Kirloskar Brothers restructure group|publisher=CNBC-TV18|access-date=2009-12-14}}</ref>, કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ (ભારતની સૌથી મોટી [[ડિઝલ એન્જિન]] કંપની)<ref>{{cite web|url=http://www.accessmylibrary.com/coms2/summary_0286-14612146_ITM|title=Kirloskar Oil Engines|publisher=India Business Insight|access-date=2009-12-14}}</ref>, કિર્લોસ્કર ન્યુમેટિક્સ કંપની લિ. અને અન્ય [[કિર્લોસ્કર]] કંપનીઓ પુણેમાં આવેલી છે.
આ વિસ્તારમાં અન્ય ચીજોનું ઉત્પાદન પણ થાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ જેવી કે [[વ્હર્લપૂલ કોર્પોરેશન]] અને [[એલજી ગ્રૂપ]] દ્વારા ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો બનાવાય છે. [[ફ્રિટો લે]] અને [[કોકા કોલા]]જેવી ફૂડ કંપનીઓ અહીં ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ ધરાવે છે જ્યારે [[ટેસ્ટી બાઇટ્સ]] જેવી નવી કંપનીઓ નજીકમાં ફાર્મ ધરાવે છે. ઘણી નાની અને મધ્યમ કદની કંપનીઓ પણ સક્રિય છે જેઓ મોટી કંપનીઓ માટે કમ્પોનન્ટનુ ઉત્પાદન કરે છે અને ભારતીય માર્કેટ માટે વિશેષ કમ્પોનન્ટ બનાવે છે.
=== સોફ્ટવેર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ===
[[ચિત્ર:HSBC GLT PUNE.jpg|thumb|right|કલ્યાણી નગર ખાતે આવેલી HSBC ગ્લોબલ ટેકનોલોજી સેન્ટર સમગ્ર HSBC ગ્રૂપ માટે સોફ્ટવેર વિકસાવે છે.<ref>[96]</ref>]]
MIDCએ પુણેમાં આઇટી સેક્ટરને ઉત્તેજન આપવા માટે હિંજેવાડી આઇટી પાર્ક (સત્તાવાર રીતે જે રાજીવ ગાંધી આઇટી પાર્ક તરીકે ઓળખાય છે) શરૂ કર્યો છે. હિંજેવાડી આઇટી પાર્ક પૂરો થશે ત્યારે તે 2800 એકરના વિસ્તારમાં પથરાયેલું હશે. આ પ્રોજેક્ટમાં રોકાણ થનારી અંદાજિત રકમ છે રૂ. 600 કરોડ<ref>{{cite web|url=http://www.megapolis.co.in/hinjewadi-it-park.html|title=Hinjewadi IT park|work=The MegaPolis|access-date=2009-11-13|archive-date=2009-03-18|archive-url=https://web.archive.org/web/20090318015457/http://www.megapolis.co.in/hinjewadi-it-park.html|url-status=dead}}</ref> આર્થિક વૃદ્ધિને ઉત્તેજન આપવા માટે સરકારે તેની આઇટી અને આઇટીઇએસ પોલિસી 2003માં ઉદારવાદી સુધારા કર્યા હતા અને MIDCની જમીન પર પ્રોપર્ટી લીઝ પર આપી હતી.<ref name="hinjewadiet">{{cite web|url=http://economictimes.indiatimes.com/articleshow/2604416.cms|title=Hinjewadi, the land of opportunity|work=The Economic times|date=2007-12-07|access-date=2009-11-13}}</ref>
પુણેના તેજીમય આઇટી સેક્ટરમાં 70,000થી વધુ લોકો કામ કરે છે. પુણેમાં સક્રિય મોટી આઇટી કંપનીઓમાં [[ઇન્ફોસિસ]], [[વિપ્રો]], [[સત્યમ]], [[ટીસીએસ]], [[કોગ્નિઝન્ટ]], [[ટેક મહિન્દ્રા]] અને [[આઇબીએમ ગ્લોબલ]] સામેલ છે. મહાકાય સોફ્ટવેર કંપની [[માઇક્રોસોફ્ટ]] [[હિંજેવાડી]]માં રૂ. 700 કરોડ (રૂ. 7 અબજ)નો પ્રોજેક્ટ સ્થાપવા માંગે છે.<ref name="hinjewadiet"/>
=== ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ===
પુણે ફૂડ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ<ref>{{cite web |url=http://www.punefoodhub.com/about |title=PuneFoodHub.com - Food Cluster Pune |access-date=2009-10-15 |archive-date=2009-09-04 |archive-url=https://web.archive.org/web/20090904140153/http://www.punefoodhub.com/about |url-status=dead }}</ref> જે વિશ્વ બેન્ક દ્વારા ભંડોળ મેળવતું એક સાહસ છે અને SIDBIની મદદથી શરૂ કરવામાં આવ્યું છે, ક્લસ્ટર ક્રાફ્ટ<ref>{{cite web |url=http://www.punefoodhub.com/partners |title=PuneFoodHub.com - Project Partners |access-date=2009-10-15 |archive-date=2009-09-05 |archive-url=https://web.archive.org/web/20090905173144/http://www.punefoodhub.com/partners |url-status=dead }}</ref> પુણેમાં અને તેની આસપાસ ફળ અને શાકભાજી પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે છે.
== શિક્ષણ અને સંશોધન ==
{{Main|Education in Pune}}
[[ચિત્ર:FergussonCollegeMainBuilding.jpg|thumb|right|ફર્ગ્યુસન કોલેજ ભારતની સૌથી જૂની કોલેજો પૈકીની એક છે]]
[[ચિત્ર:Pune university small.jpg|thumb|પુણે યુનિવર્સિટી]]
[[ચિત્ર:ncl-pune.jpg|thumb|નેશલન કેમિકલ લેબોરેટરી]]
પુણેમાં એકસોથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને નવ યુનિવર્સિટીઓ છે,<ref name="Pune100Educational9Universities"/> જેણે 'પૂર્વના ઓક્સફર્ડ' તરીકે ખ્યાતિ મેળવી છે જ્યાં દુનિયાભરના વિદ્યાર્થીઓ [[પુણે યુનિવર્સિટી]]માં અભ્યાસ કરવા આવે છે. વિશ્વના કોઇ પણ શહેરની તુલનાએ પુણેમાં વધુ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ છે.{{Citation needed|date= December 2009}}.
=== પાયાનું અને વિશેષ શિક્ષણ ===
{{Main|Schools in Pune}}
સરકારી શાળાઓ (જે ''મ્યુનિસિપાલિટી સ્કૂલ'' તરીકે ઓળખાય છે)નું સંચાલન [[પીએમસી]] કરે છે અને તેઓ [[MSBSHSE]] સાથે જોડાયેલી હોય છે. ખાનગી શાળાઓ શૈક્ષણિક ટ્રસ્ટ અને વ્યક્તિગત રીતે ચલાવાય છે. તેઓ સામાન્ય રીતે [[રાજ્યના બોર્ડ]] અથવા રાષ્ટ્રીય શિક્ષણ બોર્ડ જેમ કે [[આઇસીએસઇ (ICSE)]], [[સીબીએસઇ (CBSE)]] અથવા [[એનઆઇઓએસ (NIOS)]] બોર્ડ સાથે જોડાયેલ હોય છે.
પુણે ભારતમાં જાપાનીઝ શીખવા માટે સૌથી મોટું કેન્દ્ર છે.<ref>http://cities.expressindia.com/fullstory.php?newsid=191801</ref> [[JLPT]] પરીક્ષા દર વર્ષે ડિસેમ્બરમાં લેવામાં આવે છે. જાપાનીઝમાં શિક્ષણ પુણે યુનિવર્સિટી સહિત અનેક શિક્ષણસંસ્થાઓ દ્વારા અપાય છે. અન્ય ભાષાઓમાં જર્મન (મેક્સ મુલર ભવન ખાતે શીખવાય છે) અને ફ્રેન્ચ (આલિયાન્સ ફ્રેન્કાઇઝ ડી પુના ખાતે) પણ શહેરમાં લોકપ્રિય છે.
[[ચિત્ર:Coep.jpg|thumb|એન્જિનિયરિંગ કોલેજ, પુણે]]
=== યુનિવર્સિટી શિક્ષણ ===
{{Main|List of colleges and universities in Pune}}
પુણેમાં મોટા ભાગની કોલેજો [[1948]]માં સ્થપાયેલી [[પુણે યુનિવર્સિટી]] સાથે જોડાયેલી છે. સાત અન્ય ડીમ્ડ યુનિવર્સિટી પણ શહેરમાં સ્થાપવામાં આવી છે.<ref name="DeemedUniversitiesInPune">{{cite web |url=http://education.nic.in/HigherEdu/list-deemeduniv.asp |title=List of Deemed Universities |access-date=2008-07-22 |work= |publisher=Department of Higher Education, Government of India |date= |archive-date=2012-02-17 |archive-url=https://web.archive.org/web/20120217055405/http://www.education.nic.in/HigherEdu/list-deemeduniv.asp |url-status=dead }}</ref>
1854માં સ્થપાયેલી [[કોલેજ ઓફ એન્જિનિયરિંગ, પુણે]] એશિયાની ત્રીજી સૌથી જૂની એન્જિનિયરિંગ કોલેજ છે. [[ડેક્કન એજ્યુકેશન સોસાયટી]]ની સ્થાપના સામાજિક અને રાજકીય ચળવળકાર [[બાલ ગંગાધર તિલક]]<ref name="DESFounding">{{cite web |url=http://www.despune.org/history.htm |title=History |access-date=2008-07-22 |work= |publisher=[[Deccan Education Society]] |date= |archive-date=2008-06-07 |archive-url=https://web.archive.org/web/20080607095109/http://despune.org/history.htm |url-status=dead }}</ref> સહિત કેટલાક સ્થાનિક લોકોએ [[1884]]માં કરી હતી જે [[1885]]માં [[ફર્ગ્યુસન કોલેજ]]ની સ્થાપના માટે જવાબદાર હતી. આ સોસાયટી હાલમાં પુણેમાં 32 સંસ્થાઓનો વહીવટ કરે છે અને ચલાવે છે.
[[ભારતની સ્વતંત્રતા]] પછી [[પુણે યુનિવર્સિટી]], [[નેશનલ ડિફેન્સ એકેડેમી]], [[ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા]], [[નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ]], [[આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ]] અને [[નેશનલ કેમિકલ લેબોરેટરી]]ની સ્થાપના કરવામાં આવી હતી.
[[સિમ્બાયોસિસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી]], જે પુણેમાં 33 વિવિધ કોલેજ અને સંસ્થાઓનું સંચાલન કરે છે, તે ભારતની સૌથી મોટી ખાનગી યુનિવર્સિટીઓ પૈકી એક છે.<ref>{{cite web|url=http://www.flonnet.com/stories/20091218262511400.htm|title=One city, many faces|publisher=Frontline}}{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> [[સિમ્બાયોસિસ ઇન્સ્ટિટયુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ]] (SIBM)ની ગણના દેશની ટોચની મેનેજમેન્ટ ઇન્સ્ટિટયુટ્સમાં થાય છે.<ref>[http://businesstoday.intoday.in/index.php?option=com_content&task=view&issueid=68&id=12986&Itemid=1&sectionid=4) ભારતની શ્રેષ્ઠ બિઝનેસ-સ્કૂલ્સ - બિઝનેસ ટૂડે]</ref>
ઇન્ડિયન લો સોસાયટી દ્વારા સ્થાપવામાં આવેલી [[ILS લો કોલેજ]] ભારતની ટોચની દશ લો સ્કૂલ પૈકી એક છે. પ્રસ્થાપિત મેડિકલ સ્કૂલ જેમ કે [[આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ]] અને [[બાઇરામજી જીજેભોય મેડિકલ કોલેજ]] સમગ્ર મહારાષ્ટ્ર અને ભારતમાંથી આવેલા વિદ્યાર્થીઓને તાલીમ આપે છે અને તે ભારતની ટોચની મેડિકલ કોલેજો પૈકી એક છે. AFMCની ગણના સાતત્યસભર રીતે ભારતની ટોચની પાંચ મેડિકલ કોલેજોમાં થાય છે.<ref>{{cite web|url=http://mod.nic.in/Samachar/jan01-04/html/ch3.htm|title=Chap|publisher=''Sainik Samachar''}}</ref>.
=== સંશોધન સંસ્થાઓ ===
પુણે યુનિવર્સિટી ઉપરાંત પુણેમાં રાષ્ટ્રીય મહત્વની કેટલીક સંશોધન સંસ્થાઓ આવેલી છે. પુણે યુનિવર્સિટી ઉપરાંત પુણેમાં રાષ્ટ્રીય મહત્વની કેટલીક રિસર્ચ સંસ્થાઓ આવેલી છે. યુનિવર્સિટીની બિલકુલ નજીક [[નેશનલ કેમિકલ લેબોરેટરી]], [[ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સિસ એજ્યુકેશન એન્ડ રિસર્ચ]] (IISER) પૈકીની એક અને [[સેન્ટર ફોર મટિરીયલ્સ ફોર ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી]] (C-MET) આવેલી છે જ્યારે યુનિવર્સિટી કેમ્પસમાં [[સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ]] (C-DAC), [[ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ]], [[નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ]] અને [[નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સિસ]] આવેલી છે.
[[કેમ હોસ્પિટલ રિસર્ચ સેન્ટર]], [[સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન]] (CW & PRS), [[નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ બેન્ક મેનેજમેન્ટ]] (NIBM), NIC (નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર), [[ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી]], અગરકર રિસર્ચ ઇન્સ્ટિટયુટ અને [[ઓટોમોટિવ રિસર્ચ એસોસિયેશન ઓફ ઇન્ડિયા]] (ARAI), યુનિટ ફોર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન પ્રોડક્ટ્સ (URDIP)અને [[નેશનલ એઇડ્સ રિસર્ચ ઇન્સ્ટિટયુટ]] વગેરે પુણેમાં અથવા તેની આસપાસ આવેલા છે.
પુણેમાં રાજભવનની બાજુમાં એડમિનિસ્ટ્રેટિવ ટ્રેનિંગ ઇન્સ્ટિટયુટ ઓફ મહારાષ્ટ્ર, YASHADA આવેલી છે.
[[ભંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયુટ]]ની સ્થાપના 1917માં થઇ હતી અને તે [[સંસ્કૃત]] તથા [[પ્રાકૃત]] ભાષાઓમાં રિસર્ચ અને અભ્યાસ માટેની વિશ્વપ્રસિદ્ધ ઇન્સ્ટિટયુટ છે જ્યાં 20,000થી વઘુ હસ્તપ્રત રાખવામાં આવી છે. [[નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ વાઇરોલોજી]] અને [[નેશનલ ઇન્શ્યોરન્સ એકેડેમી]] પુણેમાં આવેલી છે. પુણેમાં [[ટાટા રિસર્ચ ડેવલપમેન્ટ અને ડિઝાઇન સેન્ટર]] આવેલું છે જે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનું રિસર્ચ એકમ છે અને કમ્પ્યુટર સાયન્સ અને મટિરીયલ પ્રોસેસિંગ માટે મોડેલિંગ/સિમ્યુલેશનના ક્ષેત્રમાં કામ કરે છે.
કેટલીક લશ્કરી અને શસ્રો પર સંશોધન કરતી સંસ્થાઓ પણ પુણેમાં આવેલી છે (લેખમાં ''[[લશ્કરી મથકો]]'' સેક્સનમાં જુઓ)
== સંસ્કૃતિ ==
{{Main|Culture of Pune}}
મરાઠીભાષી લોકોની વધારે વસતી હોય તેવા સૌથી મોટા શહેર તરીકે પુણે [[મરાઠી]] કળા, સંસ્કૃતિ, નાટક અને ધાર્મિક માન્યતાઓથી નજીકથી સંકળાયેલું છે. ઘણા મરાઠી લેખકો, કવિ, અભિનેતા, ગાયકો અને અન્ય સેલિબ્રિટી પુણેમાં વસવાટ કરે છે. તાજેતરના વર્ષોમાં સિનેમા, ડિસ્કો ક્લબ પણ ખૂલી જ્યાં યુવાન અને પશ્ચિમીઢબે જીવતા વિદ્યાર્થીઓ અને યુવા પ્રોફેશનલ્સ તેમની હાજરી વર્તાવે છે. પુણેમાં ફૂડ કલ્ચર પણ છે જેમાં શેરીઓમાં અનેક પ્રકારના ખાણીપીણી જેમ કે વડાપાઉં, પાણી પૂરી, રગડા પાવ, કચ્છી દાબેલી, સેવ પુરી, દહી પૂરી, પાવ ભાજી, એગ ભુરજી, ચણાચુર, ગુંદી કે બોલ અને ગોલા વગેરે.<ref>હમસિની રવી [http://nazaronline.net/religion_culture/2009/06/a-day-in-the-life-of-a-daabeliwala/ દાબેલીવાલાના જીવનમાં ડોકીયું] {{Webarchive|url=https://web.archive.org/web/20100619132722/http://nazaronline.net/religion_culture/2009/06/a-day-in-the-life-of-a-daabeliwala/ |date=2010-06-19 }} 25 જૂન 2009નઝર</ref>
પુણેમાં [[અન્ય ભારતીય]] રાજ્યોમાંથી આવીને લોકોની પણ મોટી વસતી છે. સપ્ટેમ્બર 2009માં શહેરમાં આશરે ચાર લાખ [[મલયાલી]]એ થિરૂ ઓનમની ઉજવણી કરી હતી જે [[કેરળ]]નો સૌથી મોટો અને સૌથી વધુ મહત્વનો તહેવાર છે.<ref>http://timesofindia.indiatimes.com/news/city/pune/City-to-celebrate-Onam-today/articleshow/4961237.cms</ref> તેવી જ રીતે શહેરમાં આશરે ત્રણ લાખ [[બંગાળી]] છે જેઓ દર વર્ષે [[દુર્ગા પૂજા]]ની ઉજવણી કરે છે.<ref>http://timesofindia.indiatimes.com/news/city/pune/Bengalis-in-city-set-to-celebrate-Durga-Puja/articleshow/5044386.cms</ref>
=== ખોરાક ===
{{Refimprove|section|date=November 2009}}
પુણેના સ્થાનિક ભોજનમાં નાળિયેર અને લસણનો ખાસ સ્વાદ છે જેમાં મોટા પ્રમાણમાં મરચા વપરાય છે. [[જુવાર]] અને [[બાજરા]]નો ઉપયોગ પુણેના પરંપરાગત ભોજનમાં મુખ્ય સામગ્રી તરીકે થાય છે.
પુણેના વિશિષ્ટ ભોજનમાં પોળી, [[ભાખરી]] (જુવારની ચપટી પેનકેક જેવા આકારની) સાથે [[પીઠલા]] (લોટ આધારિત કઢી), [[વડા પાંવ]], [[ભેળપૂરી]], [[પાણી પૂરી]], મિસલ અને [[કચ્છી દાબેલી{{0}, પાંવ ભાજીનો સમાવેશ થાય છે.|કચ્છી દાબેલી{{0}, [[પાંવ ભાજી]]નો સમાવેશ થાય છે.<ref>{{cite web|url=http://www.pune.org.uk/culture/cuisine.html|title=Pune Cuisines - Pune India Food|access-date=2008-04-04 Pune's Timeline|archive-date=2021-03-16|archive-url=https://web.archive.org/web/20210316082256/http://www.pune.org.uk/culture/cuisine.html|url-status=dead}}</ref>]] [[સૂકા મેવા]]થી ભરપૂર ઘટ્ટ મિલ્કશેક [[મસ્તાની]] આ શહેરની વિશેષતા છે. તેનું નામ 17મી સદીમાં થઇ ગયેલા પેશ્વા [[બાજીરાવ પ્રથમ]]ની વિવાદાસ્પદ રખાત [[મસ્તાની]]ના નામ પરથી પડ્યું છે.{{Citation needed|date=October 2009}}
કોઇ પણ કોસ્મોપોલિટન શહેરની જેમ શહેરની રેસ્ટોરાંઓમાં દુનિયાભરનું ખાણું ઉપલબ્ધ છે. મોટી સંખ્યામાં [[ઉડુપી]], [[કોલ્હાપુરી]] અને [[મહારાષ્ટ્રીયન]] રેસ્ટોરાં પણ મળી આવે છે જે ઉપરાંત વિદ્યાર્થીઓ અને ઓફિસે જતા લોકો માટે મોટી સંખ્યામાં સસ્તા દરના ડાઇનિંગ હોલ પણ છે.
== સાહિત્ય અને રંગભૂમિ ==
પુણેમાં જે ઢબની [[મરાઠી]] બોલવામાં આવે છે તે આ ભાષા માટે ધોરણ ગણાય છે.<ref>[http://www.britannica.com/eb/article-9050747/Marathi-language મરાઠીનું પ્રમાણભૂત સ્વરૂપ]</ref>
[[ઇસ્ટર્ન મિશિગન યુનિવર્સિટી]]<ref>{{cite web
| last = Lisa
| first = Klopfer
| authorlink =
| coauthors =
| title = Specialism
| work =
| publisher =
| date = 2007-07-31
| url = http://people.emich.edu/lklopfer/
| format =
| doi =
| access-date = 2008-07-19
| archive-date = 2008-05-03
| archive-url = https://web.archive.org/web/20080503102231/http://people.emich.edu/lklopfer/
| url-status = dead
}}</ref>ના લાઇબ્રેરિયન લિસા ક્લોપફરે શહેરના મેટ્રોપોલિટન વિસ્તારમાં જિલ્લા લાઇબ્રેરી પર નિરીક્ષણમાં જણાવ્યું હતું કે "અહીં 50 લાખથી વધુની વસતી હોવા છતાં તેણે પોતાના જૂના રહેણાક વિસ્તાર જાળવી રાખ્યા છે અને અહીં બૌદ્ધિક કેન્દ્રની છાંટ જોવા મળે છે."<ref>{{citation|url=http://www.librijournal.org/pdf/2004-2pp104-112.pdf|format=PDF|title=Commercial Libraries in an Indian City: an Ethnographic Sketch|year=2004|author=Klopfer, Lisa|publisher=Saur|access-date=2009-06-21|archivedate=2009-03-27|archiveurl=https://web.archive.org/web/20090327070024/http://www.librijournal.org/pdf/2004-2pp104-112.pdf}}</ref> તાજેતરના દાયકાઓમાં એગ્રો-ફાર્માસ્યુટિકલ બિઝનેસ ઘટ્યો છે તેથી ભૂતપૂર્વ આદિવાસી લોકોનું સ્થળાંતર હવે વસતી વધારામાં 70 ટકા હિસ્સો ધરાવે છે. અન્ય ઔદ્યોગિક વિસ્તારોના સાપેક્ષમાં હજુ શૈક્ષણિક અભ્યાસક્રમ વ્યવસ્થિત કરી શકાયો નથી.<ref>{{Citation
| last1 = Pordié
| first1 = Laurent
| last2 = Lalitha
| first2 = N.
| contribution =
| title = Research Update: Transversal Themes of Indian Society and Medicines
| publisher = Department of Social Sciences, The French Institute of Pondicherry
| date = 2006-05-24
| contribution-url = http://www.ifpindia.org/ecrire/upload/ss_societies_and_medicines_presentation.pdf
| access-date = 2010-06-16
| archivedate = 2008-07-20
| archiveurl = https://web.archive.org/web/20080720072412/http://www.ifpindia.org/ecrire/upload/ss_societies_and_medicines_presentation.pdf
}}</ref><ref>{{PDF|[http://www.millenniumassessment.org/documents_sga/Indian%20Urban%20SA%2030%20pager.pdf Indian Urban Resource Millennium Assessment by Naturalists]|183 KB}}</ref>
તેના કારણે એવું વિશિષ્ટ વાતાવરણ સર્જાયું છે જેમાં સરકાર શૈક્ષણિક માળખાનું વિસ્તરણ કરી શકે છે મરાઠી [[સાહિત્ય]]ને એવા ઘણા ક્ષેત્રમાં ગ્રાન્ટ મળી રહી છે જેની અગાઉ અવગણના કરવામાં આવી હતી. મરાઠી થિયેટર (મરાઠીમાં नाटक અથવા रंगभूमी) એ મરાઠી સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે. મરાઠી સમુદાય તરફથી પ્રાયોગિક ((प्रायोगिक रंगभूमी)અને વ્યવસાયિક રંગમંચને ભારે પ્રોત્સાહન મળે છે. તિલક સ્મારક મંદિર, બાલ ગાંધર્વ રંગમંદિર, ભારત નાટ્ય મંદિર, યશવંતરાવ ચવાણ નાટ્યગૃહ અને [[સુદર્શન રંગમંચ]] વગેરે શહેરમાં અગ્રણી થિયેટર છે. નવા થિયેટરમાં સ્વર્ગેત ગણેશ કલા ક્રિડા રંગમંચ એસી અને ડોલ્બી સરાઉન્ડ સિસ્ટમ ધરાવતું એશિયાનું સૌથી મોટું થિયેટર છે જ્યાં 3000 લોકો બેસી શકે છે.
કોમિક પ્રતિભા [[સ્પાઇક મિલિગન]] (અહમદનગરમાં 1918માં જન્મ) બાળપણમાં 1922થી 1930 વચ્ચે પુણેમાં ક્લિમો રોડ પર સિવિલ લાઇન્સમાં રહેતા હતા. શહેરે તેમના પર નોંધપાત્ર અને લાંબાગાળાનો પ્રભાવ પાડ્યો હતો. તેમણે પોતાના બાકી જીવનમાં ભારત વિશે લખ્યું હતું અને તેમની કલ્પનામાં પુણેના દ્શ્યો, અવાજ અને પ્રવૃત્તિની અસર છવાયેલી રહી હતી. તેઓ પોતાની આયા પાસે ઉર્દૂ શીખ્યા હતા અને 2002માં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેમાં વાક્ય રચના કરતા હતા.
પુણેમાં વસવાટ કરતા હતા વિખ્યાત દેવગાંધર્વ પંડિત ભાસ્કરબુઆ બખાલે તેમણે 1911માં પુણે ભારત જ્ઞાન સમાજની સ્થાપના કરી હતી. તેઓ બાલગાંધર્વ અને માસ્ટર ક્રિષ્નારાવના ગુરુ છે.
દર વર્ષે ડિસેમ્બરમાં પુણેમાં ત્રણ દિવસ સુધી [[સવાઇ ગાંધર્વ સંગીત ઉત્સવ]] મનાવવામાં આવે છે. તે [[હિંદુસ્તાની]] અને [[કાર્નેટિક]] શાસ્ત્રીય સંગીતનું પ્રતિનિધિત્વ કરે છે. દિવાળીના તહેવાર દરમિયાન ''પહત દિવાલી'' નામે સંગીત કાર્યક્રમ યોજાય છે જે વહેલી સવારે શરૂ થાય છે. પુણેમાં વસંતોત્સવ સંગીત ઉત્સવ પણ યોજાય છે.
પુણેએ પરંપરાગત ભારતીય સંગીત વિશ્વને ઘણા વિખ્યાત કલાકારો આપ્યા છે.
તેમાં મહાન ગાયક પંડિત [[ભીમસેન જોશી]] અને વિખ્યાત સિતારવાદક [[પંડિત ચંદ્રકાંત સરદેશમુખ]] જેવી શરૂઆતની પેઢીના નામ જાણીતા છે.
[[પંડિત ભીમસેન જોશી]]ની ઇચ્છા પ્રમાણે [[પંડિત ચંદ્રકાંત સરદેશમુખ]]એ [[પુણે યુનિવર્સિટી]]ના કેમ્પસમાં એક વિદ્યાર્થી સ્થાપક તરીકે 1980માં અંડર ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિક ડાન્સ અને ડ્રામાની રચના કરી હતી. તેને લલિત કલા કેન્દ્ર નામ અપાયું હતું અને 1987માં વિધિવત રીતે શરૂ થયું હતું જેમાં [[પંડિત ચંદ્રકાંત સરદેશમુખ]] પ્રથમ જોઇન્ટ કોઓર્ડિનેટર હતા. આ વિભાગનું અધ્યક્ષપદ અત્યારે પ્રોફેસર સતીશ આલેકર સંભાળે છે. આ વિભાગમાં ગુરુકુળ અને વિધિવત શિક્ષણ વ્યવસ્થાનો સમન્વય છે. જાણીતા મહાન ગાયક [[પંડિત ભીમસેન જોશી]], પ્રસિદ્ધ કથક નૃત્યાંગના [[રોહીણી ભાટે]] અને [[મનીષા સાઠે]], વિખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગના [[સુચેતા ભીંડે ચાપેકર]], વિખ્યાત વાયોલિન વાદક [[અતુલ ઉપાધ્યાય]] અને બીજા ઘણા કલાકારો યુનિવર્સિટી શિક્ષક અને પરંપરાગત ગુરુ તરીકે શીખવવા આવે છે.
== ધર્મ ==
[[ચિત્ર:Chaturshringi-TempleGates.jpg|thumb|ચતુરશ્રૃંગી મંદિર]]
[[ચિત્ર:Dagdushet Halwai Ganpati 2005.jpg|thumb|દગડુશેઠ હવેલી ગણપતિ મંદિર]]
[[ચિત્ર:Osho International Meditation Resort.jpg|thumb|વર્ષે 200,000 મુલાકાતી સાથે ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટક, પુણે વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક સેન્ટર્સ પૈકી એક છે.]]
પુણેમાં [[હિંદુ]] એ સૌથી વધુ લોકો દ્વારા અનુસરવામાં આવતો ધર્મ છે, જોકે અહીં શહેરભરમાં ઘણી મસ્જિદ, ગુરુદ્વારા, જૈન મંદિર અને અન્ય ધાર્મિક સ્થળો પણ આવેલા છે.{{Citation needed|date=July 2008}} પુણેમાં સૌથી જાણીતું હિંદુ મંદિર [[પાર્વતી મંદિર]] છે જે પાર્વતી હિલ પર આવેલું છે અને મોટા ભાગના આંતરિક વિસ્તારોમાંથી જોઇ શકાય છે. સૌથી લોકપ્રિય મંદિર કદાચ [[ચતશ્રૃંગી મંદિર]] છે જે શહેરની ઉત્તરપશ્ચિમે આવેલા ઢોળાવ પર આવેલું છે. [[નવરાત્રી]] (જે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં આવે છે) દરમિયાન આ મંદિરે મોટું સરઘસ લઇ જવાય છે અને દેશભરના શ્રદ્ધાળુઓ અહીં પ્રાર્થના કરવા આવે છે.પુણે શહેરના મુખ્ય દેવતા [[કસ્બા ગણપતિ]] છે જેમનું મંદિર મધ્ય પુણેમાં [[કસ્બા પીઠ]]માં આવેલું છે.
[[1984]]થી પુણેમાં [[ગણેશ ચતુર્થી]] દશ દિવસ લાંબા તહેવાર તરીકે ઉજવાય છે જેમાં મોટા ભાગના વિસ્તારોમાં ''પંડાલ'' (તંબુ)માં ગણેશની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે જેને ધાર્મિક રીતે રજૂ કરાય છે, લાઇટ દ્વારા શણગારાય છે અને ઉત્સવનું સંગીત વગાડાય છે. ઉત્સવના અંતે શહેરમાંથી ગણેશની મૂર્તિ સાથે એક પરેડ નીકળે છે જે સ્થાનિક નદી સુધી જાય છે જ્યાં મૂર્તિનું વિસર્જન (''ગણેશ વિસર્જન'' ) થાય છે. શહેરના મુખ્ય દેવતા તરીકે કસ્બા ગણપતિ આ પ્રદર્શનમાં સૌથી આગળ રહે છે. જાહેર ઉત્સવનો વિચાર સૌથી પહેલા [[લોકમાન્ય તિળક]]એ પુણેમાં રજૂ કર્યો હતો અને ત્યારથી તે ઘણા શહેરોમાં, ખાસ કરીને [[મુંબઈ]]માં ફેલાયો છે જ્યાં દર વર્ષે મોટું પ્રદર્શન યોજાય છે.
અગ્રણી ધાર્મિક આગેવાનો [[સંત જ્ઞાનેશ્વર]] (13મી સદીમાં [[અલાંદી]]માં જન્મ) અને કવિ [[સંત તુકારામ]] (17મી સદીમાં [[દેહુ]]માં જન્મ)પુણેમાં જનમ્યા હતા. શહેર સાથે તેમના જોડાણ રૂપે 300 કિમી દૂર આવેલા [[પંઢરપુર]]ની વાર્ષિક યાત્રા યોજાય છે જેમાં બંને વ્યક્તિની ''[[પાલખી]]'' કાઢીને હિંદુ દેવતા [[વિઠોબા]]ના [[મુખ્ય મંદિર]] લઇ જવામાં આવે છે. આ યાત્રા અષાઢી એકાદશીના પવિત્ર દિવસે સમાપ્ત થાય છે. આ યાત્રા ''અષાઢી એકાદશી'' ના પવિત્ર દિવસે સમાપ્ત થાય છે.
અહમદનગર રોડ પાસે ફુલગાંવ ગામ નજીક [[સૃષ્ટિસાગર આશ્રમ]] ખાતે [[વેદાંત રિસર્ચ સેન્ટર]] અને ભગવાન [[દક્ષિણામૂર્તિ]]નું મંદીર આવેલું છે જે ભીમા, ભામા અને ઇન્દ્રયાણી નદીના સંગમસ્થાન નજીક સ્થિત છે. તેની સ્થાપના 1989માં સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવી હતી. અહીં મરાઠી અને અંગ્રેજીમાં ''[[શ્રુતિ]]'' અને ''[[સ્મૃતિ]]'' ની વિગતવાર સમજૂતિ મળી શકે છે. ([[વેદ]], [[ભગવદ ગીતા]], [[ઉપનીષદ]] અને [[પુરાણ]] સહિત)
પુણે કેટલાક મહત્વના આધ્યાત્મિક ગુરુઓ સાથે પણ સંકળાયેલું છે. [[ઓશો]] (અગાઉ ભગવાન શ્રી રજનીશ તરીકે ઓળખાતા) 1970 અને 1980ના દાયકામાં પુણેમાં રહેતા અને શીખવતા હતા. [[ઓશો ઇન્ટરનેશનલ મેડિટેશન રિસોર્ટ]] વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્રો પૈકી એક છે જે કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલું છે. ત્યાં એકસોથી વધુ દેશોમાંથી મુલાકાતી આવે છે.<ref name="OshoInternationalMeditationResort">{{cite web |url=http://www.osho.com/Main.cfm?Area=medresort&Sub1Menu=faqmedresort&Sub2Menu=faqmedresort |title=Osho Meditation Resort |access-date=2008-07-24 |work= |publisher=Osho International Foundation |date= }}</ref> પુણે આધ્યાત્મિક ગુરુ [[મેહેર બાબા]]નું જન્મસ્થળ છે જોકે, યાત્રાળુઓ સામાન્ય રીતે [[મેહેરાબાદ]] જાય છે.
પોતાના સમયના પાંચ [[પરફેક્ટ માસ્ર્ટર્સ]] પૈકીના એક મેહેર બાબાના કહેવા પ્રમાણે [[હઝરત બાબાજાન]] તેમના જીવનના છેલ્લા 25 વર્ષ પુણેમાં રહ્યા હતા. તેમણે સૌથી પહેલા રાસ્તા પીઠમાં બુખારી શાહની મસ્જિદ પાસે એક [[લીમડા]]ના ઝાડ નીચે અંતિમ રહેઠાણ બનાવ્યું હતું. ત્યારબાદ પુણેથી અલગ વિસ્તાર ચાર બાવડીમાં અન્ય લીમડાના ઝાડ નીચે વસવાટ કર્યો હતો જ્યાં તેમણે બાકીનું જીવન ગાળ્યું હતું. પુણેમાં તેમના નામે એક લીમડાના ઝાડ નીચે મઝાર છે જેની નીચે તેમણે શેરીનું અંતિમ ઘર બનાવ્યું હતું.<ref>{{Cite web |url=http://www.trustmeher.com/files/five/babajan.htm |title=પુણે સ્થિત બાબાજાનની સમાધી કબર યાત્રાધામનો ફોટો |access-date=2010-06-16 |archive-date=2011-07-17 |archive-url=https://web.archive.org/web/20110717105643/http://www.trustmeher.com/files/five/babajan.htm |url-status=dead }}</ref>
[[ઇસ્કોન]] ચળવળ પણ શ્રી રાધા કુંજબિહારી મંદિર દ્વારા શહેરમાં હાજરી ધરાવે છે.
[[બી કે એસ આયંગર]] આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત [[યોગ]] ગુરુએ પુણેમાં [[1975]] [[રામમણી આયંગર મેમોરિયલ યોગા ઇન્સ્ટિટયુટ]]ની સ્થાપના કરી હતી. જ્યાં ''[[આયંગર યોગા સિસ્ટમ]]'' ના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે.
== મ્યુઝિયમ, બગીચા અને પ્રાણી સંગ્રહાલયો ==
[[ચિત્ર:LandscapePuLaUdyan2.JPG|thumb|પુ.લા. દેશપાંડે ગાર્ડન]]
પુણેમાં પ્રસિદ્ધ મ્યુઝિયમમાં [[રાજા દિનકર કેલકર મ્યુઝિયમ]], [[મહાત્મા ફુલે મ્યુઝિયમ]], [[બાબાસાહેબ આંબેડકર મ્યુઝિયમ]], [[પુણે ટ્રાઇબલ મ્યુઝિયમ]] અને [[નેશનલ વોર મ્યુઝિયમ]] સામેલ છે.
પુણેમાં મોટી સંખ્યામાં જાહેર બગીચા જેવા કે [[કમલા નહેરુ પાર્ક]], [[સાંભાજી પાર્ક]], [[શાહુ ઉદ્યાન]], [[પેશ્વા પાર્ક]], [[સારસ બાગ]], એમ્પ્રેસ ગાર્ડન અને બુંદ ગાર્ડન આવેલા છે. [[પુણે-ઓકાયામા ફ્રેન્ડશિપ ગાર્ડન]], જેને હવે [[પુ લા દેશપાંડે ઉદ્યાન]] નામ આપવામાં આવ્યું છે તે જાપાનના [[ઓકાયામા]] સ્થિત [[કોરાકુઆન ગાર્ડન]]ની પ્રતિકૃતિ છે.<ref name="PuneOkayamaGarden">{{cite news |first= |last= |authorlink= |coauthors= |title=A Japanese paradise in Pune |url=http://timesofindia.indiatimes.com/articleshow/836816.cms |work=[[The Times of India]] |publisher= |access-date=2008-07-24|date=2004-09-04}}</ref>
[[રાજીવ ગાંધી પ્રાણી સંગ્રહાલય, પુના|રાજીવ ગાંધી ઝુલોજિકલ પાર્ક]] શહેરની નજીક કતરાજમાં આવેલું છે.<ref name="RajivGandhiZoologicalPark">{{cite news| title=By July, bigger enclosures, battery-operated vehicles for Katraj zoo| url=http://cities.expressindia.com/fullstory.php?newsid=229057| work=[[Pune Newsline]]| publisher=[[Indian Express]]| access-date=2008-07-24| date=2007-03-29}}</ref> પેશ્વા પાર્ક ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયને 1999માં કતરાજના રેપ્ટાઇલ પાર્ક સાથે ભેળવી દેવાયું હતું.
કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગ ખાતે એક નાનકડું રેલ મ્યુઝિયમ આવેલું છે જે કોર્પ્સ ઇક્વિપમેન્ટ મ્યુઝિયમનો હિસ્સો છે. મુંબઈ રેલવે લાઇન પર શહેરથી 60 કિમી દૂર [[લોનાવાલા]] ખાતે એક મોટું રેલવે મ્યુઝિયમ બની રહ્યું છે.
== રાત્રી જીવન ==
શહેરમાં પબ ડિસ્કોથેક, બાર, હોટેલ અને બીજા ઘણા સ્થળ બન્યા છે જ્યાં નાગરિકોની રાતની જરૂરિયાતો સંતોષાય છે. તેઓ મોટા ભાગે શહેરના ઉત્તર ભાગમાં આવેલા છે ખાસ કરીને કોરેગાંવ પાર્કમાં જેમ કે ગાઇયા, સોલ, સ્ટોન વોટર ગ્રીલ, પોલારિસ, કિવા-ધ લાઉન્જ, નોર્થ મેઇન, કેસાબેલા. જાન્યુઆરી 2009માં કોરેગાંવ પાર્કમાં ચોથું [[હાર્ડ રોક કાફે]] ઓફ ઇન્ડિયા ખુલ્યું હતું.<ref>{{Cite web |url=http://www.hardrock.com/locations/cafes3/cafe.aspx?LocationID=512&MIBenumID=3 |title=આર્કાઇવ ક .પિ |access-date=2025-12-10 |archive-date=2014-01-29 |archive-url=https://web.archive.org/web/20140129025710/http://www.hardrock.com/locations/cafes3/cafe.aspx?LocationID=512&MIBenumID=3 |url-status=dead }}</ref> અન્યમાં સામેલ છે લશ લાઉન્જ એન્ડ ગ્રીલ, સ્ક્રીમ, ઝોહો, ફાયર એન આઇસ, 262 ધ લાઉન્જ, એરિયા 51 વગેરે જે શહેરના ઉત્તરના પરા વિસ્તારોમાં આવેલા છે.<ref>http://www.citipals.com/t_cg:night-life_sc:discos-dance-clubs_ct:pune|other {{Webarchive|url=https://web.archive.org/web/20110927105038/http://www.citipals.com/t_cg:night-life_sc:discos-dance-clubs_ct:pune%7Cother |date=2011-09-27 }} nightlife venues</ref>
== પડોશનો વિસ્તાર ==
{{Main|Pune Neighborhoods}}
પુણે શહેરને નીચે મુજબના ઝોનમા વિભાજિત કરી શકાયઃ
* [[મધ્ય પુણે]] : લગભગ સત્તર પીઠ અથવા લત્તાનો સમાવેશ થાય છે. મરાઠા અને પેશ્વા શાસન દરમિયાન તે સ્થાપિત કરીને વિકસાવાયા હતા અને તેને જૂના શહેર તરીકે ઓળખવામાં આવે છે.
* પશ્ચિમ બાજુનું પુણે (આંતરિક): મુખ્યત્વે ડેક્કન જિમખાના, પશ્ચિમમાં ઇરેન્ડવાને અને શિવાજીનગર, પૂર્વમાં કેમ્પ, ધોલે પાટિલ રોડ અને કોરેંગાવ પાર્ક, અને દક્ષિણમાં [[સ્વારગેટ]], પાર્વતી, સહાકરનગર, મુકુંદનગર, મહર્ષિનગર, ગુલટેકડી અને સાલિસબરી પાર્ક. ઉત્તરમાં [[મુલા-મુથા]] નદી શહેરની સરહદ બાંધે છે.
* પૂર્વબાજુનું પુણે (બાહ્ય): તેમાં ઉત્તર પશ્ચિમમાં નવા વિકસિત વિસ્તાર જેમ કે ખડકી, ઔંધ અને ગણેશખિંડ, પશ્ચિમમાં કોથરુડ અને પૌડ રોડ, દક્ષિણ પશ્ચિમમાં દત્તાવાડી, સહકારનગર અને ધાનકાવાડી, દક્ષિણ પૂર્વમાં બિબવેવાડી, લુલ્લાનગર અને અપર કોંઢવા, ઉત્તર પૂર્વમાં યેરવડા (કલ્યાણી નગર અને શાસ્ત્રી નગર સહિત), ઉત્તરમાં વિશ્રાંતવાડી અને પૂર્વમાં ઘોરપડી, ફાતિમનગર, વોનેવરી અને હડપસર સાઉથ.
* પરા વિસ્તારઃ તેમાં સામેલ છે ઉત્તરપશ્ચિમમાં બાનેર અને પાશાણ, પશ્ચિમમાં [[બાવધાન]] અને [[વારજે]], દક્ષિણપશ્ચિમમાં વડગાંવ, ધાયારી અને આંબેગાંવ, દક્ષિણ પૂર્વમાં કટરાજ, લોઅર કોંઢવા, ઉંદરી અને મોહમ્મદવાડી, પૂર્વમાં હડપસર, નોર્થ, મુંધવા અને મંજરી, ઉત્તરપૂર્વમાં વડગાંવ શેરી અને ખરાડી અને ઉત્તરમાં ધાનોરી અને કલાસ.
પુણે મેટ્રોપોલિટન એરિયામાં નીચેના વિસ્તાર સામેલ છે જે પુણે શહેરના ઉત્તરપશ્ચિમમાં આવેલા છે. તેનું સંચાલન [[પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન]] દ્વારા કરવામાં આવે છે.
* પિંપરી અને તેની આસપાસના વિસ્તારઃ ચિખલી, કાલેવાડી, કેસરવાડી, ફુગેવાડી અને પિંપલ સૌદાગર.
* ચિંચવાડ અને તેની આસપાસના વિસ્તારઃ થેરગાંવ, તથાવાડે અને તલાવડે.
* સાંગવી અને તેની આસપાસના વિસ્તારઃ દાપોડી, વાકાડ, હિંજેવાડી, પિંપલ નિકાખ અને પિંપલ ગુરવ.
* ભોસરી અને તેની આસપાસના વિસ્તારઃ મોશી, દિઘી, દુદુલગાંવ અને ચારહોલી બુદરુક.
* નીગડી-અકુરડી અને તેની આસપાસના વિસ્તારઃ રાવેત, દેહુ રોડ અને સોમાતને.
== મિડીયા અને કમ્યુનિકેશન ==
મરાઠી ભાષાના અખબાર જેમ કે ''[[સકાલ]]'' , ''[[લોકસત્તા]]'' , ''[[લોકમત]]'' , ''[[કેસરી]]'' , ''મહારાષ્ટ્ર ટાઇમ્સ'' અને ''[[પુંઢરી]] '' લોકપ્રિય છે. મોટા અંગ્રેજી દૈનિકોમાં ''[[ટાઇમ્સ ઓફ ઇન્ડિયા]]'' , ''[[ઇન્ડિયન એક્સપ્રેસ]]'' , ''[[પુણે મિરર]]'' , ''[[મિડડે]]'' . ''ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલિસિસ (DNA)'' ''[[સાકાલ ટાઇમ્સ]]'' (અગાઉનું [[મહારાષ્ટ્ર હેરાલ્ડ]]) પુણેથી આવૃત્તિ પ્રકાશિત કરે છે જેમાં વધારાની સ્થાનિક પૂર્તિ હોય છે.
સ્ટાર માઝા, [[ઝી મરાઠી]], દૂરદર્શન સહ્યાદ્રી અને ઇટીવી મરાઠી, મી મરાઠી વગેરે લોકપ્રિય ટીવી ચેનલ છે. મોટી અંગ્રેજી અને મનોરંજન અને ન્યૂઝ ચેનલો પણ જોવામાં આવે છે.
પુણેમાં છેલ્લા કેટલાક વર્ષોથી એફએમ રેડિયો સર્વિસ પણ સારી રીતે ચાલે છે. લોકપ્રિયતાના રેટિંગમાં [[રેડિયો મિર્ચી]] (98.3 MHz) ટોચ પર છે, (શહેરમાં શરૂ કરવામાં આવેલી તે પ્રથમ ખાનગી એફએમ ચેનલ હતી.) [[એર]] એફએમ (101.MHz), [[રેડિયો સિટી]], (91.10) [[રેડિયો વન]] (94.30), [[રેડ એફએમ]] (93.5) અને વિદ્યાવાણી (પુણે યુનિવર્સિટીની પોતાની એફએમ ચેનલ) પણ પોતાની હાજરી ધરાવે છે.
પુણેને ભારતનું પ્રથમ વાયરલેસ શહેર બનાવવાની યોજના છે. [[ઇન્ટેલ કોર્પોરેશન]], [[પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન]] (PMC)અને [[માઇક્રોસેન્સ]]એ શહેરમાં 802.16d [[વાઇમેક્સ]] નેટવર્કનો પ્રથમ તબક્કો વ્યાપારી ધોરણે શરૂ કરવા માટે જોડાણ કર્યું છે. અનવાયર પુણે પ્રોજેક્ટ ડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં 25 km<sup>2</sup> વિસ્તારમાં વાયરલેસ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. લગભગ ચાર મહિનામાં પ્રથમ તબક્કો પૂર્ણ થયા પછી પુણે મ્યુનિસિપલ કોર્પ નાગરિકોને કોમર્શિયલ ધોરણે સર્વિસ ઓફર કરશે જેમાં 256 kbit/sની ઝડપ હશે.<ref>{{Cite web |url=http://www.tech2.com/india/news/internet/pune-to-go-wireless/4979/0 |title=Tech2.com India > પુણે વાયરલેસ બનશે> ન્યૂઝ ઓન ઇન્ટરનેટ એન્ડ સોફ્ટવેર |access-date=2010-06-16 |archive-date=2008-07-09 |archive-url=https://web.archive.org/web/20080709024919/http://www.tech2.com/india/news/internet/pune-to-go-wireless/4979/0 |url-status=dead }}</ref>
== રમતગમત અને મનોરંજન ==
પુણેમાં લોકપ્રિય રમતોમાં [[એથલેટિક્સ]], [[ક્રિકેટ]], [[બાસ્કેટબોલ]], [[બેડમિંટન]], [[ફિલ્ડ હોકી]], [[સોકર]], [[ટેનિસ]], [[કબડ્ડી]], [[ખો-ખો]], [[રોઇંગ]] અને [[ચેસ]] સામેલ છે. [[પુણે ઇન્ટરનેશનલ મેરેથોન]] એક વાર્ષિક [[મેરેથોન]] છે જે પુણેમાં યોજાય છે. 2008 [[કોમનવેલ્થ યુથ ગેમ્સ]]નું આયોજન પુણેમાં કરવામાં આવ્યું હતું.
=== ક્રિકેટ ===
[[મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન]] (એમસીએ), જે સ્થાનિક ક્રિકેટ ટીમ ([[મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમ]])નું સંચાલન કરે છે. તેની સાથે જોડાયેલી ક્લબ વચ્ચે ક્રિકેટ યોજાય છે. આ ટીમ, [[મહારાષ્ટ્ર]] રાજ્યમાં સ્થિત ત્રણ ટીમ પૈકી એક છે, ઇન્ટરસ્ટેટ મેચ અને લીગ જેવી કે [[રણજી ટ્રોફી]]માં સ્પર્ધા કરે છે.
=== ફૂટબોલ ===
{{see also|Pune FC}}
[[પુણે ફુટબોલ ક્લબ]] પુણે એફસી તરીકે પણ ઓળખાય છે જે તાજેતરમાં રચાયેલી ફુટબોલ ક્લબ છે જે [[ઇન્ડિયન ફુટબોલ લીગ]]માં રમે છે. તેની સ્થાપના ઓગસ્ટ 2007માં કરવામાં આવી હતી.
=== બાસ્કેટબોલ ===
પુણેમાં [[ડેક્કન જીમખાના]] ક્લબ અને [[ફર્ગ્યુસન કોલેજ]] ખાતે બાસ્કેટબોલ છે.<ref>{{cite web|url=http://open.salon.com/blog/jdbasketball/2009/09/09/pune_basketball|title=Pune Basketball|publisher=Open Salon|access-date=2010-06-16|archive-date=2013-10-25|archive-url=https://web.archive.org/web/20131025022828/http://open.salon.com/blog/jdbasketball/2009/09/09/pune_basketball|url-status=dead}}</ref>. અમેરિકન ફુટબોલ કોચ [[જે ડી વોલ્સ]]એ પુણેમાં તેનો પ્રથમ ''જે ડી બાસ્કેટબોલ'' ઇન્ડિયા કેમ્પ યોજ્યો હતો.<ref>{{cite web|url=http://www.pressreleasepoint.com/jd-walsh-and-extentia-get-together-exclusive-morning|title=J D Walsh - Press release point|access-date=2010-06-16|archive-date=2011-12-12|archive-url=https://web.archive.org/web/20111212151219/http://pressreleasepoint.com/jd-walsh-and-extentia-get-together-exclusive-morning|url-status=dead}}</ref>
=== રમતગમત સંસ્થાઓ ===
{{see|Shree Shiv Chhatrapati Sports Complex}}
પુણેમાં અગ્રણી રમતગમત સંસ્થાઓમાં [[નેહરુ સ્ટેડિયમ]], ડેક્કન જિમખાના, પીવાયસી હિંદુ જિમખાના અને [[બાલેવાડી]] ખાતે શ્રી છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો સમાવેશ થાય છે. નેહરુ સ્ટેડિયમ એ મહારાષ્ટ્ર ક્રિકેટ ટીમનું હોમ ગ્રાઉન્ડ છે અને ત્યાં ઘણી પ્રતિષ્ઠિત ક્રિકેટ સ્પર્ધાઓ યોજાય છે જેમાંથી એક મેચ [[1996 ક્રિકેટ વર્લ્ડ કપ]] દરમિયાન યોજાઇ હતી. [[ડેક્કન જિમખાના]] ખાતે કેટલીક વખત [[ડેવિસ કપ]]ની મેચ યોજાઇ છે. બાલેવાડી ખાતેની સુવિધામાં 1994માં [[નેશનલ ગેમ્સ]] યોજાઇ હતી તેવી જ રીતે [[2008માં કોમનવેલ્થ યુથ ગેમ્સ]] યોજાઇ હતી. [[રોયલ કોનોટ બોટ ક્લબ]] એ મુલા-મુથા નદી પર આવેલી બોટિંગ ક્લબ પૈકી એક છે. મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મહાલુંગા ગામ પાસે એક નવું ક્રિકેટ સ્ટેડિયમ, [[પુણે ઇન્ટરનેશનલ ક્રિકેટ સેન્ટર]] 2010 સુધીમાં બાંધવામાં આવશે.
પુણેમાં તૈયાર થયેલા પ્રતિષ્ઠિત ખેલાડીઓમાં ક્રિકેટર [[ડી બી દેવધર]], પિતા-પુત્રની ક્રિકેટર જોડી [[હેમંત]] અને [[ઋષિકેશ કાનિટકર]], ટેનિસ ખેલાડી રાધિકા તુલપુડે, [[ગૌરવ નાટેકર]] અને નિતીન કિર્તાને અને ટેબલ ટેનિસ ખેલાડી અનિકેત કોપારકર. [[અભિજિત કુંતે]] અને પ્રવિણ થિપ્સે ચેસ [[ગ્રાન્ડ માસ્ટર્સ]] અને રાષ્ટ્રીય ચેમ્પિયન છે. ભારતીય રાષ્ટ્રીય ફિલ્ડ હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન [[ધનરાજ પિલ્લે]]. સ્થાનિક એમપી [[સુરેશ કલમાડી]] [[ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન]]ના પ્રમુખ છે.
નેશનલ એજ્યુકેશન ફાઉન્ડેશન (NEF) પુણેમાં [[એન્ડ્યુરો 3]]નું આયોજન કરે છે જે ક્રોસ કન્ટ્રી એડવેન્ચર રેસ છે. તે 2-3 દિવસની સ્પર્ધા છે જેમાં સાઇકલિંગ, ટ્રેકિંગ, રિવર-ક્રોસિંગ અને રાઇફલ શૂટિંગનો સમાવેશ થાય છે.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/city/pune-times/Pump-up-the-adrenaline/articleshow/35255209.cms|title=Pump up the adrenaline - Pune Times|publisher=Times of India}}</ref> શહેરમાં 2009માં [[FIVB મેન્સ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપ]] યોજવામાં આવી હતી.
=== ઘોડાદોડ ===
{{See|Pune Race course}}
[[પુણે રેસ કોર્સ]], જે [[પુણે કેન્ટોનમેન્ટ]], [[મહારાષ્ટ્ર]], [[ભારત]]માં આવેલું છે, તે 1830માં 118.5 એકર જગ્યામાં બાંધવામાં આવ્યું હતું. આ જમીન પર [[ભારતીય સેના]]નું નિયંત્રણ છે. રેસિંગ સિઝન દર વર્ષે જુલાઇથી ઓક્ટોબર વચ્ચે યોજાય છે. ''[[રોયલ વેસ્ટર્ન ઇન્ડિયા ટર્ફ ક્લબ]]'' આ રેસ કોર્સનું સંચાલન કરે છે. કોર્સમાં બે ટ્રેનિંગ ટ્રેક્સ અને બે રેસિંગ સરફેસ આવેલા છે. મોટી રેસિંગ સ્પર્ધાઓમાં ''પુણે ડર્બી'' , ''RWITC ઇન્વિટેશનલ'' , ''ઇન્ડિપેન્ડન્સ કપ'' અને ''સધર્ન કમાન્ડ કપ'' નો સમાવેશ થાય છે.<ref>{{cite web|url=http://www.rwitc.com/code/rwarticle.aspx?sta=y&pid=61|title=RWITC - The Pune Race Course|access-date=2010-06-16|archive-date=2010-02-23|archive-url=https://web.archive.org/web/20100223011101/http://rwitc.com/code/rwarticle.aspx?sta=y&pid=61|url-status=dead}}</ref>
=== બેડમિંટન ===
બેડમિંટનની શરૂઆત 19મી સદીના મધ્યના પુણેમાં (ત્યારે પુના તરીકે જાણીતું હતું) ઉલ્લેખ ધરાવે છે. એક પાર્ટી દરમિયાન કેટલાક મહેમાનોએ શેમ્પેનના કોર્ક સાથે પીંછા બાંધ્યા હતા અને બોટલનો ઉપયોગ બેટ તરીકે કર્યો હતો. તેમણે આ રમતને ''પુનાઇ'' નામ આપ્યું હતું.<ref>{{cite web|url=http://www.answerbag.com/q_view/13722|title=Origin of Badminton|access-date=2010-01-04|date=2006-09-21}}</ref> રમતના સૌથી પહેલા નિયમો બ્રિટીશએ 1873માં પુણેમાં ઘડ્યા હતા.<ref>{{cite web|url=http://www.badders.com/news/item/518/badminton-from-where-did-it-originate.html |title=Badminton - From Where did it originate? |access-date=2008-05-19 |work=Badders.com: The Independent Voice of Badminton| date=2002-05-07| last=Phillips| first=Rachel }}</ref>
== ભગીની શહેરો ==
{| class="wikitable" border="1" style="font-size:100%;background:#FFFFEF;float:center"
|-
! style="background:#811541"| <span style="color:white">ભગીની શહેરો</span>
! style="background:#811541"| <span style="color:white">દેશ</span>
|-
| [[સાન જોસ]]
| rowspan="2"| {{Flagicon|USA}}[[યુનાઇડેટ સ્ટેટ્સ]]
|-
| [[ફેરબેન્ક્સ]]
|-
| [[બ્રેમેન]]
| {{Flagicon|Germany}}[[જર્મની]]
|-
| [[ટ્રોમ્સો]]
| {{Flagicon|Norway}}[[નોર્વે]]
|-
| [[ટોયોટા]]
| {{Flagicon|Japan}}[[જાપાન]]
|}
== પ્રવાસીઓના રસના સ્થળો ==
* [[પુના_(મહારાષ્ટ્ર)નાં_પર્યટન_સ્થળો#શનિવાર વાડા|શનિવારવાડા પેલેસ]]
* [[પુના_(મહારાષ્ટ્ર)નાં_પર્યટન_સ્થળો#આગાખાન મહેલ|આગાખાન પેલેસ]]
* [[પટેલેશ્વક કેવ મંદિર]]
* [[ચતુશ્રૃંગી મંદિર]]
* [[શિંદે છટારી]]
* [[સારસ બાગ]]
* [[રાજીવ ગાંધી પ્રાણી સંગ્રહાલય, પુના|રાજીવ ગાંધી ઝૂલોજિકલ પાર્ક]]
* [[પુના_(મહારાષ્ટ્ર)નાં_પર્યટન_સ્થળો#રાજા_દિનકર_કેલકર_સંગ્રહાલય|રાજા દિનકર કેલકર મ્યુઝિયમ]]
* [[નેશનલ વોર મેમોરિયલ સધર્ન કમાન્ડ]]
* [[પુ લા દેશપાંડે ગાર્ડન]]
* [[દાદા સાહેબ ગણપતી મંદિર]]
* [[પેશ્વા પાર્ક]]
* [[સિંહગઢ કિલ્લો]]
== સંદર્ભો ==
{{Reflist|colwidth=30em}}
== બાહ્ય લિંક્સ ==
{{Commons category|Pune}}
{{wikivoyage|Pune}}
* [http://www.pune.gov.in/ પુણે શહેર અને જિલ્લા માટે ભારત સરકારની વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20120509195232/http://www.pune.gov.in/ |date=2012-05-09 }}
* [http://punecorporation.org/ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20161122081231/http://punecorporation.org/ |date=2016-11-22 }}
* [http://www.rtopune.info RTO પુણેની વેબસાઇટ]
* [http://www.wikimapia.org/#y=18529747&x=73839798&z=11&l=0&m=a&v=2 વિકીપીડિયા પર પુણે]
* {{dmoz|Regional/Asia/India/Maharashtra/Localities/Pune/}}
* [http://www.pmtpune.org/ PMPML (પુણે મહાનગર પરિવહન મહામંડળ લિ.)] {{Webarchive|url=https://web.archive.org/web/20070418075358/http://www.pmtpune.org/ |date=2007-04-18 }}
* [http://www.punenews.net/ પુણે શહેર માટે ન્યૂઝ સાઇટ] {{Webarchive|url=https://web.archive.org/web/20100417015922/http://www.punenews.net/ |date=2010-04-17 }}
{{-}}
{{Pune topics}}
{{Maharashtra}}
{{Million-plus cities in India}}
[[શ્રેણી:પુણે]]
[[શ્રેણી:પુણે રેલવે સ્ટેશન]]
[[શ્રેણી:લોનાવાલા-દૌંડ રેલ લાઇન]]
[[શ્રેણી:પુણે-મિરાજ રેલ લાઇન]]
[[શ્રેણી:મહારાષ્ટ્ર]]
[[શ્રેણી:ઈન્ડિયન રેલવેનું ડિવિઝન]]
iacobp65x63j6udscrj1oz65xsjjbyn
નિસર્ગોપચાર
0
25127
901533
899675
2026-06-16T13:08:33Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
901533
wikitext
text/x-wiki
'''નિસર્ગોપચાર''' ('''કુદરતી ચિકિત્સા''' કે '''પ્રાકૃતિક ચિકિત્સા''' તરીકે પણ જાણીતી સારવારની પદ્ધતિ) એક [[વૈકલ્પિક સારવાર વ્યવસ્થા]] છે જે શરીરની તંદુરસ્તી જાળવવા કુદરતી ઉપચારો અને [[શરીરને ટકાવી રાખવા જરૂરી અસરકારક ક્ષમતા]] પર કેન્દ્રીત છે. નિસર્ગોપાચર ફિલસૂફી [[સાકલ્યવાદી]] અભિગમની અને [[શસ્ત્રક્રિયા]] અને [[દવાઓ]]ના લઘુમત ઉપયોગની તરફેણ કરે છે. નિસર્ગોપચારમાં વિવિધ પ્રકારની અનેક સારવાર પદ્ધતિ સામેલ છે, જેનો [[મેડિકલ ]]સમૂહ દ્વારા વધતો-ઓછો સ્વીકાર થયો છે, પાચન અને જીવનશૈલી વિશેની સલાહ મોટા ભાગે એલોપેથી ડોક્ટરો જેવી જ હોય છે. કેટલાંક કેસમાં [[એક્યુપંકચર]]થી દબાણમાં ઘટાડો કરવામાં મદદ મળી છે જ્યારે [[હોમિઓપેથી]]ને વારંવાર [[છહ્મવિજ્ઞાન]] કે [[ઊંટવૈદ્યુ]] તરીકે ઓળખવામાં આવે છે.<ref name="Gale_Frey"></ref><ref name="cnme-handbook"></ref><ref name="Barrett-Naturopathy"></ref><ref name="atwood2004"></ref><ref name="ACS"></ref> નિસર્ગોપચારનો વૈજ્ઞાનિક આધાર નિશ્ચિત કરવા માટે યોગ્ય પદ્ધતિ તરીકે [[પુરાવા આધારિત મેડિસિન]] (ઇબીએમ)ની હિમાયત કરવામાં આવે છે.<ref name="Naturo2006"></ref> નિસર્પોચારકો આ વ્યવસાયને આકાર આપનાર પૂર્વજો કે ફિલસૂફીઓના આધારે [[રસીકરણ]]નો વિરોધ કરે છે.<ref name="Ernst-2001"></ref>
નિસર્ગોપચારના મૂળિયા યુરોપની કુદરતી સારવાર માટેના આંદોલનમાં રહ્યાં છે.<ref name="pmid1139856">{{cite journal |pmc=1139856 |title=Nineteenth-century American health reformers and the early nature cure movement in Britain |author=Brown PS |journal=Medical History |volume=32 |pages=174–194 |pmid=3287059 |issue=2 |date= April 1, 1988 }}</ref><ref name="N-UK-hist">{{citation|author=Langley, Stephen|chapter=History of Naturopathy|title=Excerpt from The Naturopathy Workbook|publisher=College of Natural Medicine (CNM)|location=UK|url=http://www.naturopathy-uk.com/blog/2007/11/28/history-of-naturopathy/|year=2007|access-date=2010-07-15|archivedate=2012-08-29|archiveurl=https://web.archive.org/web/20120829125721/http://www.naturopathy-uk.com/blog/2007/11/28/history-of-naturopathy/}}</ref> આ શબ્દોનો પહેલોવહેલો ઉપયોગ જોહન સ્કીલે 1895માં કર્યો હતો અને "અમેરિકન નિસર્ગોપચારના જનક" ગણાતા [[બેનેડિક્ટ લસ્ટ]]એ, <ref name="ama_1997"></ref> તેને લોકપ્રિય બનાવ્યો છે.<ref name="Baer2001"></ref> 1970ના દાયકાની શરૂઆતમાં [[સાકલ્યવાદી સ્વાસ્થ્ય]] જાગૃતિ સાથે અમેરિકા અને કેનેડામાં એકસાથે નિસર્ગોપચારમાં રસ ફરી જાગ્રત થયો હતો.<ref name="Gale_Frey"></ref><ref name="Baer2001"></ref>
જગતના અનેક દેશોમાં, ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં, નિસર્ગોપચારનો ઉપયોગ થાય છે તથા દરેક દેશમાં તેના માનકોના ધારાધોરણો જુદાં જુદાં છે અને સ્વીકાર્યતાનું સ્તર અલગ-અલગ છે. કુદરતી ચિકિત્સા કે સારવાર કે દવા, નિસર્ગોપચાર ક્ષેત્રનું આધુનિક સ્વરૂપ છે, જેને 19મી સદીની સ્વાસ્થ્ય જનજાગૃતિ અભિયાનમાં "તંદુરસ્તી જાળવવાની કુદરતી પ્રક્રિયા" ગણાવવામાં આવી હતી. હવે નિસર્ગોપચાર તબીબોને અનેક દેશોમાં પ્રાથમિક ઉપચારક તરીકે પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેઓ પરંપરાગત અને કુદરતી દવા એમ બંને ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરવાની કુશળતા ધરાવે છે. પૂર્વ-નિસર્ગોપચારિક શિક્ષણ તાલીમ જુદી જુદી સંસ્થાઓના આધારે અલગ-અલગ હોય છે. તે પછી નિસર્ગોપચારિક ચિકિત્સાશાસ્ત્રનું શિક્ષણ ઓછામાં ઓછું ચાર વર્ષ લેવું પડે છે, જેમાં આંશિક શસ્ત્રક્રિયા અને ઔષધશાસ્ત્રનો સમાવેશ થાય છે. અમેરિકા અને કેનેડામાં માન્યતાપ્રાપ્ત [[નેચરોપેથિક મેડિકલ સ્કૂલ]]માં ચાર વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી નિસર્ગોપચાર તબીબ (એનડી-નેચરોપેથિક ડોક્ટર) કે નિસર્ગોપચારિક ઉપચારક (એનએમડી-નેચરોપેથિક મેડિકલ ડોક્ટર)ની ઉપાધિ આપવામાં આવે છે, જેમાં મૂળભૂત ઔષધિ વિજ્ઞાનની સાથેસાથે કુદરતી સારવારો અને તબીબી સંભાળના અભ્યાસનો સમાવેશ થાય છે.<ref name="CNME-handbook"></ref><ref>{{cite web |title=Academic Curriculum |year=2008 |url=http://www.aanmc.org/education/academic-curriculum.php |publisher=Association of Accredited Naturopathic Medical Colleges |access-date=2010-07-15 |archive-date=2012-02-22 |archive-url=https://web.archive.org/web/20120222210216/http://www.aanmc.org/education/academic-curriculum.php |url-status=dead }} (પ્રાથમિક સ્ત્રોત)</ref>{{POV-statement|date=January 2010}} તેની પ્રેકિટ્સની તક વિવિધ અધિકારક્ષેત્રમાં જુદી જુદી હોય છે અને અનિયંત્રિત અધિકારક્ષેત્રોમાં નિસર્ગોપચરાકો નિસર્ગોપચારિક તબીબની ઉપાધિનો ઉપાયગ શિક્ષણના સ્તરને ધ્યાનમાં લીધા કરી શકે છે.<ref name="IA_med"></ref>
==ઇતિહાસ==
[[File:SKneipp.jpg|thumb|મોન્સિગ્નોર સેબાસ્ટિયન નીપ, 1821-1897]]
[[File:BenedictLust.jpg|thumb|ડો. બેનેડિક્ટ લસ્ટ 1872 - 1945]]
કેટલાક લોકો પ્રાચીન ગ્રીસમાં "વૈદકશાસ્ત્રના પિતા" ગણાતા [[હિપ્પોક્રેટસ]]ને નિસર્ગોપાચર શબ્દ અસ્તિત્વમાં આવ્યો તે અગાઉ તેની સારવાર અને દવાના પહેલા હિમાયતી ગણે છે.<ref>{{cite web |url=http://www.naturopathy-uk.com/home/home-what-is-naturopathy/ |title=What is Naturopathy? |year=1998 |access-date= |doi= |pmid= |archive-date=2010-09-18 |archive-url=https://web.archive.org/web/20100918040756/http://www.naturopathy-uk.com/home/home-what-is-naturopathy/ |url-status=dead }}</ref><ref name="NCAHF_np">{{cite web|url=http://www.ncahf.org/articles/j-n/naturo.html |title=NCAHF Fact Sheet on Naturopathy |access-date=2009-04-17 |date=2001-07-30 |publisher=[[National Council Against Health Fraud]] }}</ref> નિસર્ગોપાચરની આધુનિક પ્રેક્ટિસના મૂળિયા યુરોપની નેચર ક્યોર મૂવમેન્ટ (કુદરતી સારવાર ચળવળ)માં રહ્યાં છે.<ref name="pmid1139856"></ref><ref name="N-UK-hist"></ref> સ્કોટલેન્ડમાં [[થોમસ એલિનસન]]એ 1880ના દાયકામાં તેની "હાઇજેનિક મેડિસિન"(સ્વાસ્થ્યસંબંધી જંતુમુક્ત વૈદકશાસ્ત્ર)ની વકીલાત કરવાનું શરૂ કર્યું હતું. તેમણે તમાકુ અને વધુ પડતા કામનો બાજ ટાળવાની સલાહ આપી હતી અને કુદરતી આહાર અને કસરતને પ્રોત્સાહન આપ્યું હતું.<ref>{{cite web|url=http://www.allinsonflour.co.uk/history/|title=How it all began|access-date=|doi=|pmid=|archive-date=2010-08-13|archive-url=https://web.archive.org/web/20100813230535/http://www.allinsonflour.co.uk/history/|url-status=dead}}</ref><ref>{{Cite journal|url=http://www.bmj.com/cgi/content/extract/336/7651/1023-a |journal=British Medical Journal |title=Views & Reviews Medical Classics A System of Hygienic Medicine (1886) and The Advantages of Wholemeal Bread (1889) |author=John A S Beard |issue=336 |page=1023 |date=3 May 2008 |doi=10.1136/bmj.39562.446528.59 |volume=336 }}</ref> નિસર્ગોપાચર માટે કેટલીક વખત ''સેનિપ્રેક્ટર'' શબ્દનો ઉપયોગ થાય છે, ખાસ કરીને અમેરિકાના પેસિફિક ઉત્તરપશ્ચિમી પ્રદેશમાં.<ref name="Baer2001"></ref>
''નેચરોપથી'' (નિસર્ગોપાચર) શબ્દનો ઉપયોગ પહેલી વખત જોહ્ન શીલ, <ref name="ama_1997"></ref>એ 1895માં કર્યો હતો અને તેને "અમેરિકન નેચરોપેથીના પિતા"ના ગણાતા [[બેનેડિક્ટ લસ્ટ]]એ પ્રચલિત કર્યો હતો.<ref name="Baer2001">{{Cite journal | last = Baer |first = H.A | year = 2001 | title = The sociopolitical status of US naturopathy at the dawn of the 21st century | journal = Medical Anthropology Quarterly | volume = 15 | issue = 3 | pages = 329–346| doi = 10.1525/maq.2001.15.3.329 }}</ref> લસ્ટે [[જર્મની]]માં ફાધર [[સેબેસ્ટિઅન નેઇપ]] પાસે [[હાઇડ્રોથેરપી]] અને અન્ય કુદરતી સ્વાસ્થ્ય ઉપચારની પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો; ત્યારબાદ નેઇપએ તેમની દવા વિનાની પદ્ધતિઓને પ્રચાર કરવા લસ્ટને [[અમેરિકા ]]મોકલ્યાં હતાં.<ref name="Barrett-Naturopathy"></ref> લસ્ટએ ''નિસર્ગોપચાર'' ને એક ખાસ પદ્ધતિને બદલે ઉપચારની વ્યાપક શાખા તરીકે વ્યાખ્યાયિત કરી હતી અને તેમાં [[હાઇડ્રોથેરપી]], [[હર્બલ મેડિસિન]] અને [[હોમીયોપેથી]] જેવી પદ્ધતિ સામેલ છે તેમજ વધુ પડતા ભોજન, ચા, કોફી અને આલ્કોહોલના સેવનને ટાળવાનું સામેલ કર્યું.<ref name="Gale_Frey"></ref> તેમણે શરીરને [[આધ્યાત્મિક]] અને [[જીવનશક્તિ]]નું રૂપ ગણાવ્યું, જે સંપૂર્ણપણે મનુષ્યની પ્રકૃત્તિના વૈશ્વિક બળો પર આધારિત છે.<ref name="Whorton_2002">બેનેડિક્ટ લસ્ટ, માં જણાવ્યા મુજબ: {{cite book |author=Whorton, James C. |title=Nature cures: the history of alternative medicine in America |publisher=Oxford University Press|location=Oxford [Oxfordshire] |year=2002 |page=224 |isbn=0-19-517162-4 |oclc= |doi=|access-date=}}</ref>
1901માં લસ્ટએ [[ન્યુયોર્ક]]માં અમેરિકન સ્કૂલ ઓફ નેચરોપેથીની સ્થાપના કરી હતી. 1902માં મૂળ નોર્થ અમેરિકન નેઇપ સોસાયટીસ બંધ થઈ ગઈ અને "નેચરોપેથિક" સોસાયટીસનું નવું નામ ધારણ કર્યું. સપ્ટેમ્બર, 1919માં નેચરોપેથિક સોસાયટી ઓફ અમેરિકા વિખેરાઈ ગઈ અને ડો. બેનેડિક્ટ લસ્ટએ "અમેરિકન નેચરોપેથિક એસોસિએશન"ની સ્થાપના કરી હતી.<ref name="Baer2001"></ref><ref>ડીસી ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ, કોર્પોરેટ ડિવિઝન. (1909થી રચના)</ref><ref name="Beyerstein_NW">{{cite web|url=http://www.naturowatch.org/general/beyerstein.html |title=Naturopathy: a critical analysis |access-date=2009-03-21 |last=Beyersteine |first=Barry L. |coauthors=Susan Downie }}</ref><ref name="Beyerstein_NW"></ref> વીસમી સદીના પહેલા ત્રણ દાયકામાં 25 રાજ્યોમાં નિસર્ગોપચારકને નેચરોપેથિક કે ડ્રગલેસ પ્રેક્ટિશર્સ કાયદાઓ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી.<ref name="Baer2001"></ref> નિસર્ગોપચારને અનેક [[શિરોપ્રેક્ટર્સ]] દ્વારા અપનાવવામાં આવી હતી અને કેટલીક સંસ્થાઓ ડોક્ટર ઓફ નેચરોપેથી (એનડી) અને ડોક્ટર ઓફ શિરોપ્રેક્ટિક (ડીસી) ડીગ્રી ઓફર કરે છે.<ref name="Baer2001"></ref> આ સમયગાળામાં અમેરિકામાં ચાલતી નિસર્ગોપચારક સંસ્થાઓની સંખ્યા અંદાજે એકથી બે ડઝન છે.<ref name="ACS"></ref><ref name="ama_1997">{{cite web | url = http://www.ama-assn.org/ama/no-index/about-ama/13638.shtml | title = Report 12 of the Council on Scientific Affairs (A-97) | year = 1997 | publisher = [[American Medical Association]] | access-date = | doi = | pmid = | archive-date = 2009-06-14 | archive-url = https://web.archive.org/web/20090614085504/http://www.ama-assn.org/ama/no-index/about-ama/13638.shtml | url-status = dead }}</ref><ref name="Baer2001"></ref>
તીવ્ર વૃદ્ધિના ગાળા પછી નિસર્ગોપચારનું 1930ના દાયકા પછી થોડા દાયકા પતન થયું. 1910માં [[કાર્નેગી ફાઉન્ડેશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ ટીચિંગ]]એ [[ફ્લેક્સનર રીપોર્ટ]] પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં તબીબી શિક્ષણના અનેક પાસાંની ટીકા કરી હતી, ખાસ કરીને ગુણવત્તા અને વૈજ્ઞાનિક નિયમોની ઊણપ. [[પેનિસિલિન]] અને અન્ય ચમત્કારિક દવાઓની શોધ અને તે પછી આધુનિક તબીબીશાસ્ત્રની લોકપ્રિયતામાં વધારો થતાં નિસર્ગોપચારનું પતન ઝડપથી થયું હતું. 1940 અને 1950ના દાયકામાં પ્રેક્ટિસ કરવાના નિયમોનો વ્યાપ વધતા અનેક શિરોપ્રેક્ટિક સંસ્થાઓએ તેમના એનડી ડીગ્રી કાર્યક્રમ પડતા મૂક્યાં. જોકે અનેક શિરોપ્રેક્ટર્સએ નિસર્ગોપચારની પ્રેક્ટિસ કરવાનું ચાલું રાખ્યું. 1940થી 1963 સુધી [[અમેરિકન મેડિકલ એસોસિએશન]]એ હીટરોડોક્સ મેડિકલ સીસ્ટમ્સ વિરૂદ્ધ અભિયાન છેડ્યું હતું. 1958 સુધીમાં નિસર્ગોપચારકની સારવારને માત્ર પાંચ રાજ્યમાં જ મંજૂરી હતી.<ref name="Baer2001"></ref> 1968માં [[યુનાઇટેડ સ્ટેટ્સ ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ, એજ્યુકેશન એન્ડ વેલ્ફેર]]એ નિસર્ગોપચાર પર એક રીપોર્ટ પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં તારણ કાઢ્યું હતું કે તબીબી વિજ્ઞાનમાં નિસર્ગોપચારનો કોઈ આધાર નથી અને સારવાર પૂરી પાડવા અને યોગ્ય નિદાન કરવા સ્નાતકો તૈયાર કરવા માટે નિસર્ગોપચારનું શિક્ષણ જરૂરી નથી. આ રીપોર્ટે [[મેડિકેર]] કવરેજના વિસ્તરણ સામે ભલામણ કરી હતી, જેમાં નિસર્ગોપાચરક સારવારો સામેલ હતી.<ref name="ACS"></ref><ref name="HEW1968">{{cite book | last = Cohen | first = Wilbur J | authorlink = | coauthors = | title = Independent Practitioners Under Medicare: a report to the Congress | publisher = [[United States Department of Health, Education, and Welfare]] | date = 1968-12 | location = | pages = | url=http://www.quackwatch.org/01QuackeryRelatedTopics/Naturopathy/hew.html | doi = | id = | isbn =}}</ref> 1977માં ઓસ્ટ્રેલિયાની એક તપાસ સમિતિ આ જ પ્રકારના તારણ પર પહોંચી હતી, તેણે નિસર્પોચારકોને લાઇસન્સ આપવાની ભલામણ કરી નહોતી.<ref name="Aust1977">{{cite book |author=Webb, Edwin C|title=Report of the Committee of Inquiry into Chiropractic, Osteopathy, Homoeopathy and Naturopathy |publisher=Australian Government Publishing Service |location=Canberra |year=1977 |pages=|isbn=064292287X |oclc= |doi= |url=http://www.naturowatch.org/hx/australia.html}}</ref> વર્ષ 2009 સુધી અમેરિકાના 50 લાઇસન્સ નિસર્ગોપચારકો <ref>{{cite web |url=http://www.naturopathic.org/content.asp?contentid=57 |title=Licensed States & Licensing Authorities |publisher=American Association of Naturopathic Physicians |date=2 July 2009 |access-date=15 જુલાઈ 2010 |archive-date=30 નવેમ્બર 2009 |archive-url=https://web.archive.org/web/20091130234327/http://naturopathic.org/content.asp?contentid=57 |url-status=dead }}</ref>માંથી 15 અને બે રાજ્ય (ડબલ્યુએ, વીટી)એ નિસર્ગોપચરાકો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે વળતર ઓફર કરવા વીમા કંપનીઓની જરૂર પડી છે.<ref name="fammed.washington.edu">{{cite web |title=Naturopathic medicine |url=http://www.fammed.washington.edu/predoctoral/CAM/images/naturopathy.pdf |format=PDF |date=21 October 2004 |access-date=15 જુલાઈ 2010 |archive-date=4 માર્ચ 2005 |archive-url=https://web.archive.org/web/20050304073806/http://www.fammed.washington.edu/predoctoral/CAM/images/naturopathy.pdf |url-status=dead }}</ref>
નિસર્ગોપચારની પ્રેક્ટિસ ક્યારેય સંપૂર્ણપણે બંધ થઈ નથી. 1970ના દાયકાની શરૂઆતમાં [[સાકલ્યવાદી સ્વાસ્થ્ય]] ચળવળ સાથે અમેરિકા અને કેનેડામાં આ પ્રકારની ઉપચાર પદ્ધતિમાં રસ જાગ્યો હતો.<ref name="Gale_Frey">{{cite encyclopedia |last=Frey |first=Rebecca J |authorlink= |coauthors= |editor= |encyclopedia=Gale Encyclopedia of Medicine |title=Naturopathic Medicine |url=http://findarticles.com/p/articles/mi_g2601/is_0009/ai_2601000954 |access-date=2009-03-21 |edition= |year=2009 |month=March |publisher=[[Gale (Cengage)]] |volume= |location= |id= |doi= |pages= |quote= |isbn= |oclc= |archive-date=2013-08-27 |archive-url=https://web.archive.org/web/20130827000141/http://findarticles.com/p/articles/mi_g2601/is_0009/ai_2601000954 |url-status=dead }}</ref><ref name="Baer2001"></ref>
અત્યારે પરંપરાગત નિસર્ગોપાચરની નવ સંસ્થાઓ છે, જે અમેરિકન નેચરોપેથિક મેડિકલ એક્રીડેશન બોર્ડ <ref>{{Cite web |url=http://www.anmab.org/members.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-07-15 |archive-date=2011-07-23 |archive-url=https://web.archive.org/web/20110723052523/http://www.anmab.org/members.html |url-status=dead }}</ref>દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રોગ્રામ્સની ઉપાધિ કે પ્રમાણપત્ર આપે છે. અત્યારે એએનએના ધ નેશનલ બોર્ડ ઓફ નેચરોપેથિક એક્ઝામિનર્સએ બે સ્કૂલને માન્યતા આપી છે, જે ડોક્ટર ઓફ નેચરોપથી ડીગ્રી પ્રોગ્રામ્સ ઓફર કરે છે.<ref>નેશનલ બોર્ડ ઓફ નેચરોપેથિક એક્ઝામિનર્સ ઓફ ધ એએનએ, માન્ય કાર્યક્રમોની યાદી, અમેરિકન નેચરોપેથિક એસોસિયેસન, વોશિંગ્ટન ડીસી</ref>
ઉત્તર અમેરિકામાં નિસર્ગોપચારક વૈદકશાસ્ત્ર છ માન્યતાપ્રાપ્ત શાળાઓ [[માન્યતાપ્રાપ્ત નિસર્ગોપાચરક મેડિકલ શાળાઓ]]નું અને માન્યતા માટે એક ઉમેદવારનું પ્રતિનિધિત્વ કરે છે [[વેસ્ટર્ન સ્ટેટ્સ શિરોપ્રેક્ટિક કોલેજ]]એ તેનો એનડી પ્રોગ્રામ પડતો મૂકવાની યોજના બનાવી તેના પ્રતિસાદમાં 1956માં ચાર્લ્સ સ્ટોન, ફ્રેન્ક સ્પાઉલ્ડિંગ અને ડબલ્યુ. માર્ટિન બ્લીથિંગએ [[ઓરેગોન, પોર્ટેલેન્ડ]]માં [[નેશનલ કોલેજ ઓફ નેચરલ મેડિસિન]] (એનસીએનએમ)ની સ્થાપના કરી હતી. 1978માં શેઇલા ક્વિન, જોસેફ પિઝાર્નો, વિલિમય મિશેલ અને લેસ ગ્રિફિથએ [[સીટલ, વોશિંગ્ટન]]માં જોહ્ન બેસ્ટાયર કોલેજ ઓફ નેચરોપેથિક મેડિસિન (હવે [[બેસ્ટાયર યુનિવર્સિટી]])ની સ્થાપના કરી હતી. તે જ વર્ષે કેનેડાના ટોરોન્ટોમાં [[કેનેડિયન કોલેજ ઓફ નેચરોપેથિક મેડિસન]]ની સ્થાપના થઈ હતી. તાજેતરમાં સ્થપાયેલી શૈક્ષણિક સંસ્થાઓમાં 1992માં સ્થપાયેલી [[સાઉથવેસ્ટ કોલેજ ઓફ નેચરોપેથિક મેડિસિન]] અને તે જ વર્ષે સ્થપાયેલી [[બોશર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથિક મેડિસિન]] સામેલ છે. કનેક્ટિકટમાં [[યુનિવર્સિટી ઓફ બ્રિજપોર્ટ]]એ નેચરોપેથિક કોલેજ મારફતે એનડી ડીગ્રીની મંજૂરી આપી છે અને ઇલિનોઇસમાં [[નેશનલ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સીસ]]એ તાજેતરમાં નેચરોપેથિક પ્રોગ્રામ વિકસાવ્યો છે અને અત્યારે માન્યતા માટે ઉમેદવાર છે.
==સિદ્ધાંતો==
નિસર્ગોપચારક સિદ્ધાંત મુખ્યત્વે પ્રાકૃતિક ઘટનાઓ અને અલ્પ આક્રમક પદ્ધતિઓ પર આધારિત છે અને તેનો વિશ્વાસ "કુદરતની સ્વસ્થ કરવાની ક્ષમતા" પર છે.<ref name="ACS"></ref> બનાવટી દવાઓ, કિરણોત્સર્ગ અને મોટી શસ્ત્રક્રિયા જેવી સારવાર ટાળવામાં આવે છે અને શરીર અને કુદરતનની અંતઃસ્ફુરણાની વિભાવનાની તરફેણમાં શરીર ચિકિત્સા અને આધુનિક વિજ્ઞાનને નકારી કાઢવામાં આવે છે.<ref name="ACS"></ref><ref name="Beyerstein_NW"></ref> તણાવમાં ઘટાડો કરીને અને તંદુરસ્ત ભોજન મારફતે રોગનિવારણ કરવામાં આવે છે અને જીવનશૈલી પર ભાર મૂકવામાં આવે છે. નિસર્ગોપચાર પ્રેક્ટિસની ફિલસૂફી છ મુખ્ય મૂ્લ્ય દ્વારા સ્વપરિભાષિત છે.<ref name="ECHP">{{Cite book|url=http://books.google.co.uk/books?id=cwYnA1qunUwC&pg=PA58&dq=modalities+naturopathy&lr=&sig=ACfU3U3Z418Eg_P2yDetYOMmsclZ9mJGpg#PPA57,M1 |title=Encyclopedia of Complementary Health Practice |first=Carolyn Chambers |last=Clark |pages=57–58 |year=1999 |isbn=9780826112392 |publisher=Springer |location=New York }}</ref> નિસર્ગોપચારકની પ્રતિજ્ઞાના એકથી વધારે વૃતાંત ઉપલબ્ધ છે,<ref name="oath">{{cite web|title=Naturopathic Doctor's Oath|url=http://www.naturopathic.org/viewbulletin.php?id=62|access-date=2010-07-15|archive-date=2009-12-10|archive-url=https://web.archive.org/web/20091210220924/http://naturopathic.org/viewbulletin.php?id=62|url-status=dead}}</ref> તેની નિષ્ઠા કે સેવાભાવના વિવિધ કથનો સ્કૂલ્સ<ref name="ccnm-principles">{{cite web |title=Principles of Naturopathic Medicine |url=http://www.ccnm.edu/?q=about_ccnm/principles_naturopathic_medicine |access-date= |doi= |pmid= |archive-date=2014-01-15 |archive-url=https://web.archive.org/web/20140115190722/http://www.ccnm.edu/?q=about_ccnm%2Fprinciples_naturopathic_medicine |url-status=dead }}</ref> કે વ્યાવસાયિક સંગઠનો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે અને નિયમન સંસ્થાઓ દ્વારા પ્રસિદ્ધ નીતિ માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છેઃ<ref name="BDDTN">{{cite web|title=Guide to the Ethical Conduct of Naturopathic Doctors|url=http://www.boardofnaturopathicmedicine.on.ca/pdf/guide_ethical_conduct.pdf|format=PDF|access-date=2010-07-15|archive-date=2005-04-10|archive-url=https://web.archive.org/web/20050410075935/http://www.boardofnaturopathicmedicine.on.ca/pdf/guide_ethical_conduct.pdf|url-status=dead}}</ref>
#પહેલું, નુકસાન ન કરો; હંમેશા દર્દીઓને ઓછામાં ઓછા જોખમ સાથે ઉપલબ્ધ સૌથી વધુ અસરકારક સ્વાસ્થ્ય સેવા પૂરી પાડો ([[પ્રિમમ નોન નોસીર]]).
#દરેક વ્યક્તિમાં તંદુરસ્તી જાળવવા અને સ્વાસ્થ્ય સંવર્ધન માટે ઉપલબ્ધ સ્વાભાવિક અને કુદરતી ઊર્જાને માન્યતા આપો, સન્માન કરો અને પ્રોત્સાહન આપો. ([[વિસ મેડિકેટ્રિક્સ નેચુરે]], [[જીવનશક્તિવાદ]]નું એક સ્વરૂપ).<ref name="Di Stefano 2006">{{cite book|author=Vincent Di Stefano |title=Holism and Complementary Medicine: Origins and Principles|publisher=Allen & Unwin Academic |location= |year=2006 |page=107 |isbn=1741148464 |oclc= |doi=|access-date=}}</ref>
#રોગના લક્ષણો દબાવવા કે દૂર કરવાને બદલે તેના કારણોને ઓળકી દૂર કરો (''ટોલે કાઉસમ'' ).
#સ્વાસ્થ્ય માટેની જાણકારી મેળવો, તાર્કિક આશાને પ્રેરણા આપો અને સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપો (''ડોક્ટર એક શિક્ષક તરીકે'' ).
#દરેક વ્યક્તિના તમામ સ્વાસ્થ્ય પરિબળો અને અસરોને ધ્યાનમાં રાખીને સારવાર કરો. (''સંપૂર્ણ વ્યક્તિની સારવાર કરો'' ).
#સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા આરોગ્ય જાળવવા ભાર મૂકો અને વ્યક્તિગત, દરેક સમૂહ અને આપણ દુનિયા માટે રોગોને અટકાવો. (''સ્વાસ્થ્યમાં સુધારો, શ્રેષ્ઠ ઉપચાર'' ).
==પ્રેક્ટિસ==
નિસર્ગોપચારનું કેન્દ્ર તેની નિસર્ગ તંદુરસ્તીની ફિલસૂફી પર છે, નહીં કે રોગ આધારિત ચોક્કસ પદ્ધતિ પર. નિસર્ગોપચારકો વિવિધ સારવાર પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.<ref name="Gale_Frey"></ref><ref name="Skepdic_naturopathy">{{cite web|url=http://skepdic.com/natpathy.html |title=Naturopathy |access-date=2009-04-17 |last=Carroll |first=Robert Todd |work=Skeptic's Dictionary }}</ref> કેટલીક પદ્ધતિઓ અમૂર્ત "[[જીવનશક્તિ ઊર્જા ક્ષેત્રો]]" પર આધારિત છે, જેનું અસ્તિત્વ ક્યારેય પુરવાર થઈ શકતું નથી અને ચિંતા છે કે નિસર્ગોપચાર સામાન્ય વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિઓથી દૂર થઈ રહી છે, <ref name="NCAHF_np"></ref><ref name="Herbert1994">{{cite book |author=Herbert Victor, Barrett Stephen |title=The vitamin pushers: how the "health food" industry is selling America a bill of goods |publisher=Prometheus Books |location=Buffalo, New York |year=1994 |pages= |isbn=0-87975-909-7 |oclc= |doi= |access-date=}}</ref><ref name="isbn0-87975-761-2">{{cite book |author=Barrett, Stephen; Raso, Jack |title=Mystical diets: paranormal, spiritual, and occult nutrition practices |publisher=Prometheus Books |location=Buffalo, New York |year=1993 |pages= |isbn=0-87975-761-2 |oclc= |doi= |access-date=}}</ref>છતાં બાસ્ટીર, એનસીએનએમ (NCNM) અને સીસીએનએમ (CCNM)એ અત્યારે સંશોધન કાર્યક્રમો જાળવી રાખ્યાં છે.<ref>{{cite web |http://bastyr.edu/research/default.asp |title=Bastyr University Research Institute |publisher=Bastyr University |access-date=2010-01-27}} (પ્રાથમિક સ્ત્રોત)</ref><ref>{{cite web |url=http://helfgott.org/ |title=Helfgott Research Institute |publisher=Helfgott |date= |access-date=2009-09-22 |archive-date=2009-03-01 |archive-url=https://web.archive.org/web/20090301061251/http://helfgott.org/ |url-status=dead }}</ref><ref>{{cite web |url=http://www.ccnm.edu/?q=research_0 |title=Research |publisher=The Canadian College of Naturopathic Medicine |date= |access-date=2009-09-22 |archive-date=2010-05-24 |archive-url=https://web.archive.org/web/20100524091350/http://www.ccnm.edu/?q=research_0 |url-status=dead }}</ref> બાસ્ટીર પણ સંશોધન માટે એનઆઇએચ (NIH) પાસેથી ભંડોળ મેળવે છે. આ સંબંધની શરૂઆત 1984થી થઈ હતી. ત્યારે બાસ્ટીર એનઆઇએચ (NIH) પાસેથી સંશોધન ગ્રાન્ટ મેળવનાર પહેલી નિસર્ગોપચારક શૈક્ષણિક સંસ્થા બની હતી.<ref>{{cite web |url=http://www.bastyr.edu/news/news.asp?NewsID=1607 |title=Students and Graduates Receive CAM Research Training Under NIH Grant |publisher=Bastyr University |date=2008-11-05 |access-date=2009-09-22 |archive-date=2010-10-29 |archive-url=https://web.archive.org/web/20101029222647/http://bastyr.edu/news/news.asp?NewsId=1607 |url-status=dead }}</ref> નિસર્ગોપચારની અસરકારકતાનું વ્યવસ્થિત અને પ્રમાણિત મૂલ્યાંકન ન થઈ શકે અને વ્યક્તિગત પદ્ધતિઓની અસરકારકતા જુદી જુદી હોય છે.<ref name="ACS"></ref><ref name="ToT_Ernst">{{cite book |author2=Ernst E|author2-link=Edzard Ernst|author1=Singh S |title=Trick or treatment : the undeniable facts about alternative medicine |publisher=W. W. Norton |location=New York |year=2008 |pages= |isbn=0393066614 |oclc=181139440}}</ref>
નિસર્ગોપચારકોની સલાહની શરૂઆત દર્દીના લાંબી મુલાકાત સાથે શરૂ થાય છે, જેમાં દર્દીની જીવનશૈલી, રોગના ઇતિહાસ, લાગણીની માત્રા અને શારીરિક લક્ષણો અને શારીરિક તપાસ સામેલ છે.<ref name="Gale_Frey"></ref> પરંપરાગત નિસર્ગોપચાર અને નિસર્ગોપચારકો જીવનશૈલીમાં થતાં પરિવર્તન પર ભાર મૂકે છે અને શરીરની સ્વાભાવિક ક્ષમતાને ઉત્તેજન આપવાનો પ્રયાસ કરે છે. પરંપરાગત નિસર્ગોપચારક રોગનું નિદાન કે સારવાર કરતાં નથી પણ શરીરની સંપૂર્ણ તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને શરીરને સંપૂર્ણ સાજું કરવા પ્રયાસ કરે છે. પરંપરાગત નિસર્ગોપચારકો દવા, સીરમ (લોહી ગંઠાય ત્યારે તેને છૂટું પાડવાનું પ્રવાહી દવા), પ્રવાહી દવા, શસ્ત્રક્રિયા કે નિશ્ચિત રોગની ચોક્કસ સારવારો હાથ ધરતાં નથી કે પ્રીસ્ક્રાઇબ કરતાં નથી અન્યથા રૂઢિચુસ્ત તબીબીશાસ્ત્રનો ઉપયોગ કરે છે.<ref name="nccam.nih.gov">http://nccam.nih.gov/health/naturopathy/</ref> નિસર્ગોપચારકો પોતાને પ્રાથમિક સારવાર પ્રદાનકર્તા તરીકે જાળવી રાખે છે અને તેમની પ્રેક્ટિસમાં વિવિધ જાણીતી દવાઓ પ્રીસ્ક્રાઇબ કરવાની, આંશિક શસ્ત્રક્રિયા હાથ ધરવાની અને અન્ય પરંપરાગત તબીબી ઉપચારો સામેલ કરી શકે છે. નિસર્ગોપચારકો [[રસીકરણ]] અને [[એન્ટિબોયોટિક]]સની ભલામણ કરે તે જરૂરી નથી અને [[પુરાવા આધારિત તબીબીશાસ્ત્ર]] અસરકારક હોય તેવા કેસમાં પણ પુરાવા આધારિત કદાચ અયોગ્ય વૈકલ્પિક ઉપચાર કરે તેવું બની શકે.<ref name="Downey2009"></ref><ref name="LiveSci2004"></ref> નિસર્ગોપચારના તમામ સ્વરૂપ મૂળભૂત વિજ્ઞાન સાથે વિસંગત છે અને તે પ્રેક્ટિશનરને યોગ્ય નિદાન કરવા તૈયાર કરે તે જરૂરી નથી.<ref name="ToT_Ernst"></ref><ref name="LiveSci2004"></ref><ref name="MassMed2005"></ref>
50 ટકા કરતાં ઓછા નિસર્ગોપચરાકોનું કહેવું છે કે તેઓ બે અઠવાડિયાના નવજાત બાળકને [[તાવ]]નું નિદાન કરશે, પરિણામે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે કે સાચું નિદાન થઈ શકશે નહીં અને બાળકને નુકસાન થઈ શકે છે.<ref>{{cite journal |author=Yussman SM, Ryan SA, Auinger P, Weitzman M |title=Visits to complementary and alternative medicine providers by children and adolescents in the United States |journal=Ambul Pediatr |volume=4 |issue=5 |pages=429–35 |year=2004 |pmid=15369404 |doi=10.1367/A03-091R1.1 |url=}}</ref>
===પદ્ધતિઓ===
વ્યક્તિ નિસર્ગોપચારક તેને પ્રાપ્ત થયેલી તાલીમ અને પ્રેક્ટિસની મર્યાદાના આધારે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તેમના દ્વારા દેખાડવામાં આવતી અસરકારકતા અને વૈજ્ઞાનિક તાર્કિકતામાં પણ ફરક હોય છે. તેમાં સામેલ છેઃ [[એક્યુપંક્ચર]], [[એપ્લાઇડ કાઇનેસિઓલોજી]],<ref name="PoaP"></ref> [[બોટનિકલ મેડિસિન]], [[બ્રેઇનવેવ એન્ટ્રાઇન્મેન્ટ]], એથેરસ્ક્લેરોસિસ માટે [[ચેલેશન થેરપી]],<ref name="atwood2004"></ref> [[કોલોનિક ઇનેમાસ]],<ref name="Barrett-Naturopathy"></ref> [[કલર થેરપી]], <ref name="PoaP">{{Cite book |url=http://www.pewscholars.com/pdf_files/Naturo2.pdf |format=PDF |title=Profile of a profession: naturopathic practice |author=Holly J. Hough, Catherine Dower, Edward H. O’Neil |publisher=Center for the Health Professions, University of California |month=September |year=2001 |page=54 |doi= |access-date= |archive-date=2008-10-02 |archive-url=https://web.archive.org/web/20081002072928/http://www.pewscholars.com/pdf_files/Naturo2.pdf |url-status=dead }}</ref> [[ક્રાનિયલ ઓસ્ટીઓપેથી]]<ref name="LiveSci2004"></ref>, [[હેર એનાલીસિસ]],<ref name="LiveSci2004">{{cite news | first=Andrew A. | last=Skolnick | coauthors= |authorlink= | title=Voice of Reason: Licensing Naturopaths May Be Hazardous to Your Health | date=2004-11-18 | publisher= | url =http://www.livescience.com/health/naturopathy_license_041118.html | work =Live Science | pages = | access-date = 2009-04-17 | language = }}</ref> [[હોમીઓપેથી]],<ref name="Boon HS"></ref> [[ઇરિડોલોજી]], <ref name="PoaP"></ref> [[લાઇવ બ્લડ એનાલીસિસ]], ''નેચર ક્યોર'' . કુદરતી તત્વો પર આધારિત અનેક થેરપી જેમ કે [[સૂર્યસ્નાન]], [[તાજી હવા]], ગરમી, કે ઠંડી, [[પોષક તત્વો ]](ઉદાહરણ જેમાં [[શાકાહારી]] અને [[હોલફૂડ]] ડાયટ, [[ઉપવાસ]] અને [[આલ્કોહોલ]] અને [[ખાંડ]]માંથી છૂટકારો,<ref name="dummy">{{Cite book |title=Complementary Medicine for Dummies |author=Jacqueline Young |chapters=8, 13 |isbn=9780470026250|year=2007|publisher=Wiley |location=Chichester, England |oclc=174043853}}</ref> [[ઓઝોન થેરપી]]<ref name="ACS"></ref>, [[ફિઝિકલ મેડિસિન]] (જેમાં નેચરોપેથિક, ઓસ્સેયર અને સોફ્ટ ટિશ્યૂ [[મેનિપુલેટિવ થેરપી]], [[સ્પોર્ટ્સ મેડિસિન]], [[એક્સરસાઇઝ]] અને [[હાઇડ્રોથેરેપી]]), [[સાયકોલોજીકલ કાઉન્સેલિંગ]] (મનોવિજ્ઞાની ઉપચાર) (ઉદાહરણો જેમાં [[મેડિટેશન]], [[રીલેક્શેસન]], અને [[સ્ટ્રેસ મેનેજમેન્ટ]] (ચિંતા ઘટાડવાની પદ્ધતિ)ની અન્ય પદ્ધતિઓ), <ref name="dummy"></ref>[[જાહેર સ્વાસ્થ્ય]]ના પગલાં અને [[હાઇજીન્સ]], <ref name="ECHP"></ref>[[રીફ્લેક્સોલોજી]],<ref name="PoaP"></ref> [[રોલ્ફિંગ]],<ref name="Beyerstein_NW"></ref> અને [[પરંપરાગત ચાઇનીઝ દવા]].
વર્ષ 2004માં થયેલો સરવેમાં એવું નિરાકરણ આવ્યું હતું કે વોશિંગ્ટન સ્ટેટ અને કનેક્ટિક્ટમાં નિસર્ગોપચારિક સારવારમાં સૌથી વધુ બોટનિકલ મેડિસિન્સ (વાનસ્પતિક દવાઓ), વિટામિન્સ, મિનરલ્સ, હોમીઓપેથી અને એલર્જી સારવાર પ્રીસ્ક્રાઇબ થાય છે.<ref name="Boon HS">{{cite journal |journal=BMC Complement Altern Med |year=2004 |volume=20 |issue=4 |pages=14 |title=Practice patterns of naturopathic physicians: results from a random survey of licensed practitioners in two US States|author= Boon HS, Cherkin DC, Erro J, Sherman KJ, Milliman B, Booker J, Cramer EH, Smith MJ, Deyo RA, Eisenberg DM |url=http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC529271/?tool=pubmed |doi= |pmid=15496231}}</ref>
==પ્રેક્ટિશનર્સ==
નિસર્ગોપચારકોને બે જૂથમાં વહેંચી શકાય છે.<ref name="nccam.nih.gov"></ref><ref>ગોલ્ડન જ્યુબિલી કોંગ્રેસ દ્વારા રચાયેલો અમેરિકન નેચરોપેથિક એસોસિયેસનનો મંચ જુલાઈ 27 – 2 ઓગસ્ટ, 1947</ref><ref>{{Cite web |url=http://www.health.state.mn.us/divs/hpsc/hop/nawg/summary092308.pdf |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-07-15 |archive-date=2011-07-26 |archive-url=https://web.archive.org/web/20110726104027/http://www.health.state.mn.us/divs/hpsc/hop/nawg/summary092308.pdf |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://medicalboard.iowa.gov/Naturopathy.html |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-07-15 |archive-date=2010-01-07 |archive-url=https://web.archive.org/web/20100107110956/http://medicalboard.iowa.gov/Naturopathy.html |url-status=dead }}</ref><ref>http://careers.stateuniversity.com/pages/7827/Naturopath.html</ref>{{Verify source|date=February 2010}}
1. અમેરિકામાં 'પરંપરાગત' નિસર્ગોપચારકોનું પ્રતિનિધિત્વ બે રાષ્ટ્રીય સંગઠનો કરે છે. એક, ધ [[અમેરિકન નેચરોપેથિક એસોસિએશન]] (એએનએ), જેની સ્થાપના બેનેડિક્ટ લસ્ટે 1919માં કરી હતી,<ref>અમેરિકન નેચરોપેથિક એસોસિયેસન ઓફ ઇનકોર્પોરેશન એન્ડ સ્ટેન્ડિંગ, ડીસી ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ, કોર્પોરેટ ડિવિઝન દ્વારા જારી કરાયેલું</ref> અને તે 5,000 પ્રમાણિત પ્રેક્ટિશનર્સનું પ્રતિનિધિત્વ કરે છે.<ref>ધ એનસાયક્લોપેડિયા ઓફ એસોસિયેસન્સ: 40મી આવૃત્તિ પાનું 1594</ref>{{Verify source|date=February 2010}}[[File:ANACertificate.jpg|thumb|એએનએ ઇનકોર્પોરેશન સર્ટિફિકેટ ઓફ સ્ટેન્ડિંગ]] બીજું સંગઠન [[અમેરિકન નેચરોપેથિક મેડિકલ એસોસિએશન ]](એએનએમએ) છે, જેની સ્થાપના 1981માં થઈ હતી અને પ્રમાણપત્રના કેટલાક સ્તરો સાથે 4,500 પ્રેક્ટિશનર્સનું પ્રતિનિધિત્વ કરે છે.<ref>http://anma.org/</ref> એએનએમએ (ANMA) એમડીએસ (MDs), ડીઓએસ (DOs) અને અન્ય પરંપરાગત ચિકિત્સકિય વ્યાવસાયિકોને માન્યતા પણ પ્રદાન કરે છે, જેઓ તેમની પ્રેકિટસમાં નિસર્ગોપચારને સંકલિત કરે છે.<ref name="ACS"></ref>
અમેરિકામાં પરંપરાગત નિસર્ગોપચારકો વચ્ચે નિસર્ગોપચારની તાલીમ જુદી જુદી હોય છે. પરંપરાગત નિસર્ગોપચારકો નોન-ડિગ્રી સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ કે અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ્સ પૂર્ણ કરી શકે છે અને અમેરિકન નેચરોપેથિક મેડિકલ સર્ટિફિકેશન બોર્ડ (એએનએમસીબી) સાથે પ્રેક્ટિશનર સ્તર પર પ્રમાણિત કરી શકે છે.<ref>{{cite web |url=http://www.anmcb.org |title=American Naturopathic Medical Certification Board |publisher==American Naturopathic Medical Certification Board |access-date=March 12, 2010}}</ref> પરંપરાગત નિસર્ગોપચરાકો માટે પોસ્ટ ગ્રેજ્યુએટ (અનુસ્નાતક) ડિગ્રી પણ છે. એએનએમસીએબી (ANMCAB) માન્યતાપ્રાપ્ત સ્કૂલમાંથી ડોક્ટર ઓફ નેચરોપેથી (એનડી) ડિગ્રી મેળવનાર એએનએમસીએબી (ANMCAB) સાથે બોર્ડ સર્ટિફાઇડ નેચરોપેથિક ડોક્ટર બની શકે છે<ref>આઇબિડ</ref> જ્યારે પરંપરાગત નિસર્ગોપચારકો નેશનલ બોર્ડ ઓફ નેચરોપેથિક એક્ઝામિનર્સ ઓફ એએનએ (એનબીએનઈ) માન્યતાપ્રાપ્ત સ્કૂલમાંથી ડૉક્ટર ઓફ નેચરોપેથી (એનડી) ડિગ્રી અભ્યાસક્રમ પૂર્ણ કરી પ્રમાણતા મેળવી શકે છે અને એએનએની પ્રતિનિધિ બની શકે છે.<ref>{{cite book |author=Paul Wendel |title=Standardized Naturopathy |year=1951 |location=Brooklyn |publisher=Wendel |oclc=6617124}}</ref> નિસર્ગોપચારકમાં પૂરવણીરૂપ તાલીમ સાથે મેડિકલ ડૉક્ટર્સ (એમડી) અથવા ડૉક્ટર્સ ઓફ ઓસ્ટીઓપેથી (ડીઓ) એએનએમસીએબી મારફતે નેશનલ બોર્ડ સર્ટિફાઇડ નેચરોપેથિક ફિઝિશ્યન્સ બની શકે છે.<ref name="anmcb.org">http://www.anmcb.org/</ref>
વીસમી સદી<ref>પ્રકરણ 352 @ 1326, 5.3936, પબ્લિક નંબર 831 [45 એસટી 1339 તરીકે પણ જોવા મળે છે] તારીખ ફેબ્રુઆરી 27, 1929 અને તેના સ્પષ્ટતા કરતા સુધારા એચ. આર. 12169 મે 5, 1930 અને જાન્યુઆરી 28, 1931 અને સંબંધિત હાઉસ રિપોર્ટ #2432 જાન્યુઆરી 30, 1930.</ref>માં અમેરિકન કોંગ્રેસ અને વ્યવસાય દ્વારા પરિભાષિત પરંપરાગત નિસર્ગોપચારને લાઇસન્સની જરૂર નથી.<ref>લોટન વી. સ્ટીલ, 152 યુએસ 133 (1894)</ref> સામાન્ય રીતે લાઇસન્સ હેઠળની ચિકિત્સકિય પ્રવૃત્તિઓ નિસર્ગોપચાર ચિકિત્સાએ શરૂ કરી હોવાથી આ વ્યવસાયનું નિયમન કરતાં 15 રાજ્યોમાં જ તેની પ્રેક્ટિસની કાયેદસર લીલી ઝંડી આપવામાં આવી છે.જોકે નિસર્ગોપચારકો સમગ્ર અમેરિકામાં પરંપરાગત નિસર્ગોપચારની પ્રેક્ટિસ કરી શકે છે.{{Citation needed|date=February 2010}}
2. અમેરિકામાં નિસર્ગોપાચર ચિકિત્સાનું પ્રતિનિધિત્વ અમેરિકન એસોસિએસન ઓફ નેચરોપેથિક ફીઝિશ્યન્સ (એએનએનપી) કરે છે, જેની સ્થાપના 1985માં થઈ હતી અને તેનું પ્રતિનિધિત્વ 2,000 વિદ્યાર્થીઓ, ફીઝિશ્યન્સ કરે છે અને તેને કોર્પોરેટ સભ્યો તેને સમર્થન આપે છે.<ref name="ACS"></ref><ref>{{Cite web |url=http://www.naturopathic.org/content.asp?pl=9&contentid=9 |title=આર્કાઇવ ક .પિ |access-date=2021-07-10 |archive-date=2018-01-01 |archive-url=https://web.archive.org/web/20180101221830/http://www.naturopathic.org/content.asp?pl=9&contentid=9 |url-status=dead }}</ref>
===નિસર્ગોપચારકો===
{{Main|Doctor of Naturopathic Medicine}}
{{Globalize|date=January 2010}}
અમેરિકાના ઓછામાં ઓછા 15 રાજ્યો, કોલંબિયા ડિસ્ટ્રિક્ટ, પ્યુર્ટો રિકોની અમેરિકન વિસ્તાર અને અમેરિકાનો વિર્જિન આયલેન્ડ્સ તથા કેનેડાના પાંચ પ્રાંતમાં [[નેચરોપેથિક ડોક્ટર]] (એનડી કે એનએમડી કે નિસર્ગોપચરાકો) અથવા આ જ પ્રકારની ઉપાધિ તાલીમ જરૂરિયાતો અને લાઇસન્સિંગના કેટલાંક સ્વરૂપ સાથે સુરક્ષિત પદ છે.<ref name="autogenerated1">{{cite web |url=http://www.naturopathic.org/viewbulletin.php?id=118 |title=American Association of Naturopathic Physicians |publisher= |access-date= |archive-date=2010-04-15 |archive-url=https://web.archive.org/web/20100415231513/http://www.naturopathic.org/viewbulletin.php?id=118 |url-status=dead }}</ref><ref>{{cite web |url=http://www.cand.ca |publisher=Canadian Association of Naturopathic Doctors |title=Welcome |access-date= }}</ref> આ ક્ષેત્રોમાં નિસર્ગોપચારકોએ [[કાઉન્સિલ ઓન નેચરોપેથિક મેડિકલ એજ્યુકેશન]](સીએનએમઈ) <ref>{{cite web |url=http://www.nabne.org |title=NABNE |publisher=North American Board of Naturopathic Examiners |access-date= }}</ref>દ્વારા પ્રમાણિત કોલેજમાં અભ્યાસ અને તબીબી તાલીમ પૂર્ણ થયા પછી [[નોર્થ અમેરિકન બોર્ડ ઓફ નેચરોપેથિક એક્ઝામિનર્સ]] (એનએબીએનઈ) દ્વારા નિર્ધારિત બોર્ડ પરીક્ષા પાસ કરવી જરૂરી છે.<ref>{{cite web |url=http://www.cnme.org |title=Council on Naturopathic Medical Education |publisher= |doi= |pmid= |access-date= }}</ref> સીએનએમઈ (CNME)ને અમેરિકન શિક્ષણ મંત્રાલય દ્વારા નિસર્ગોપચાર કાર્યક્રમો માટે માન્યતા આપનારી સંસ્થા તરીકે માન્ય કરવામાં આવી છે.<ref>{{cite web |url=http://www.ed.gov/admins/finaid/accred/accreditation_pg8.html |title=College Accreditation in the United States |page=8 |publisher=[[U.S. Secretary of Education]] |date=2009-09-09 |access-date=2009-09-22 |archive-date=2009-05-08 |archive-url=https://web.archive.org/web/20090508122029/http://www.ed.gov/admins/finaid/accred/accreditation_pg8.html |url-status=dead }}</ref> બાસ્ટાયર યુનિવર્સિટી, <ref>{{cite web |url=http://www.bastyr.edu/education/naturopath/degree/training.asp |title=Degree : Naturopathic Medicine |publisher=[[Bastyr University]] |date=2009-05-28 |access-date=2009-09-22 |archive-date=2010-08-15 |archive-url=https://web.archive.org/web/20100815043410/http://www.bastyr.edu/education/naturopath/degree/training.asp |url-status=dead }}</ref>એનસીએનએમ (NCNM),<ref>{{cite web |url=http://www.ncnm.edu/naturopathic-medicine-residency-program.php |publisher=National College of Natural Medicine |title=Naturopathic Medicine Residency Program |date=2009-01-26 |access-date=2009-09-22 |archive-date=2010-10-06 |archive-url=https://web.archive.org/web/20101006063216/http://www.ncnm.edu/naturopathic-medicine-residency-program.php |url-status=dead }}</ref> એસસીએનએમ (SCNM),<ref>{{cite web |url=http://www.ccnm.edu/?q=clinical_resident |title=Clinical Residency at The Canadian College of Naturopathic Medicine |publisher=Ccnm.edu |date=2008-02-04 |access-date=2009-09-22 }}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> સીસીએનએમ (CCNM) અને બ્રિજપોર્ટ યુનિવર્સિટી નિવાસી કાર્યક્રમો ઓફર કરે છે.<ref>{{cite web |url=https://www.bridgeport.edu/pages/2657.asp |title=Residency Programs at Bridgeport |publisher=[[University of Bridgeport]] |date= |access-date=2009-09-22 |archive-date=2010-05-27 |archive-url=https://web.archive.org/web/20100527194055/https://www.bridgeport.edu/pages/2657.asp |url-status=dead }}</ref> નિસર્ગોપચારકોને નિવાસી તાલીમમાં જોડાવાની જરૂર નથી.<ref name="ACS"></ref> અનેક નિસર્ગોપચારકો પોતાને [[પ્રાઇમરી કેર પ્રોવાઇડર્સ ]](પ્રાથમિક સારવાર પ્રદાનકર્તા) તરીકે રજૂ કરે છે.<ref name="Gale_Frey"></ref><ref name="CNME-handbook">{{cite web |url=http://www.cnme.org/resources/2007_hoa.pdf |title=Handbook of Accreditation for Naturopathic Medicine Programs |format=PDF |page=45 |publisher=Council on Naturopathic Medical Education |access-date= |archive-date=2017-02-09 |archive-url=https://web.archive.org/web/20170209083708/http://www.cnme.org/resources/2007_hoa.pdf |url-status=dead }}</ref><ref name="atwood2003"></ref> નિસર્ગોપચારકની તાલીમમાં [[મેડિકલ ઇમેજિંગ]], માઇનર સર્જરી અને [[બ્લડ ટેસ્ટ]] જેવી પ્રક્રિયાઓ જેવી મૂળભૂત તબીબી નિદાન પરીક્ષણો અને પ્રક્રિયાઓ સામેલ છે. સીએનએમઈ આંશિક [[શસ્ત્રક્રિયા]], [[કુદરતી પ્રસૂતી ]]અને [[ઇન્ટ્રાવીનસ થેરપી]] સહિત વિવિધ વૈકલ્પિક પદ્ધિતઓને પણ સામેલ કરે છે, છતાં સામાન્ય રીતે તેમને આ કામગીરી બજાવવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ પદ્ધતિઓમાં વધારે તાલીમની જરૂર છે અને તમામ ક્ષેત્રાધિકારોમાં પ્રેક્ટિસ કરવાની મર્યાદામાં સામેલ નથી. [[એમડીસ]] (ડોક્ટર ઓફ મેડિસિન્સ)ને આપવામાં આવતી તાલીમ કરતાં આ તાલીમ જુદી છે, કારણ કે મેડિકલ સ્કૂલ ખાતે જરૂરી ન હોય તેવી વિવિધ થેરપીની જરૂર હોય છે, જેમ કે બોટનિકલ મેડિસિન, ક્લિનિકલ ન્યુટ્રિશન, નેચરોપેથિક મેનિપુલેશન અને હોમીયોપેથી.<ref>{{cite web |url=http://www.aanmc.org/education/academic-curriculum.php |title=Academic Curriculum - Association of Accredited Naturopathic Medical Colleges |publisher=Aanmc.org |date= |access-date=2009-09-22 |archive-date=2012-02-22 |archive-url=https://web.archive.org/web/20120222210216/http://www.aanmc.org/education/academic-curriculum.php |url-status=dead }}</ref> નિસર્ગોપચારક સંસ્થા પણ જીવનસંચારવાદ પણ શીખવે છે,<ref name="Gale_Frey"></ref> જેને આધુનિક વિજ્ઞાન અને તબીબીશાસ્ત્રમાં અસંગત ગણાય છે.<ref name="Gale_Frey"></ref><ref name="Barrett-Naturopathy"></ref><ref name="atwood2004"></ref><ref name="atwood2003"></ref><ref name="McKnight2009"></ref> હોમીઓપેથી અત્યંત વિવાદાસ્પદ છે અને અવારનવાર "[[ક્વેકરી]]" કે "[[શ્યૂડોસાયન્સ]]" તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.<ref name="Gale_Frey"></ref><ref name="atwood2004"></ref><ref name="ACS"></ref>
2005માં [[મેસેચ્યુસેટ્ટસ મેડિકલ સોસાયટી]]એ રાષ્ટ્રસમૂહમાં લાઇસન્સરનો વિરોધ એ આધારે કર્યો હતો કે નિસર્ગોપાચરકોને રેસિડેન્સીમાં ભાગ લેવાની જરૂર નથી અને અયોગ્ય કે નુકસાનકારક સારવાર પણ ગણાવી હતી.<ref name="MassMed2005">{{cite news | first=Richard P. | last=Gulla | coauthors= |authorlink= | title=Massachusetts Medical Society Testifies in Opposition to Licensing Naturopaths | date=May 11, 2005 | publisher=[[Massachusetts Medical Society]] | url =http://www.massmed.org/AM/PrinterTemplate.cfm?Section=Home&CONTENTID=12458&TEMPLATE=/CM/ContentDisplay.cfm | work = | pages = | access-date = 2009-04-17 | language = }}</ref> પૂરક અને વૈકલ્પિક મેડિકલ પ્રેક્ટિશનર્સ પર મેસેચ્યુસેટ્સ વિશેષ પંચે તેમની ચિંતાઓ ફગાવી દીધી હતી અને લાઇસન્સરને ભલામણ કરી હતી.<ref name="MassCtte">{{cite web |url=http://www.quackwatch.com/01QuackeryRelatedTopics/Naturopathy/majority.pdf |format=PDF |title=Majority Report of the Special Commission on Complementary and Alternative Medical Practitioners: A Report to the Legislature |month=January | year=2002}}</ref>
[[કાઉન્સિલ ઓન નેચરોપેથિક મેડિકલ એજ્યુકેશન]] દ્વારા હસ્તક્ષેપોનો મુખ્ય સેટ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો અને ઉત્તર અમેરિકામાં તમામ છ માન્યતાપ્રાપ્ત સંસ્થાઓમાં શીખવામાં આવતી હતી, જેમાં સામેલ છેઃ<ref name="cnme-handbook">{{cite web |url=http://www.cnme.org/resources/2007_hoa.pdf |format=PDF |title=Handbook of accreditation for Naturopathic Programs |year=2008 |page=51 |publisher=Council on Naturopathic Medical Education |doi= |pmid= |access-date= |archive-date=2017-02-09 |archive-url=https://web.archive.org/web/20170209083708/http://www.cnme.org/resources/2007_hoa.pdf |url-status=dead }}</ref> [[એક્યુપંક્ચર]] અને [[પરંપરાગત ચાઇનીઝ તબીબીશાસ્ત્ર]], [[બોટનિકલ મેડિસિન]], [[હોમીઓપેથી]], ''નેચર ક્યોર'' (કુદરતી તત્વોના ઉપયોગ પર આધારિત વિવિધ થેરપી), [[ન્યુટ્રિશન]], [[ફિઝિકલ મેડિસિન]] અને [[સાયકોલોજિકલ કાઉન્સેલિંગ]].
વોશિંગ્ટન સ્ટેટમાં નિસર્ગોપચારકોને પ્રાથમિક સારવાર કરતાં ફિઝિશ્યનસને સમકક્ષ લાઇસન્સ આપવામાં આવે છે.<ref>{{cite web|url=http://apps.leg.wa.gov/RCW/default.aspx?cite=18.36A&full=true |title=Chapter 18.36A RCW: Naturopathy |publisher=Apps.leg.wa.gov |date= |access-date=2009-09-22}}</ref> અહીં અનેક નિસર્ગોપચારકો વીમાકવચનો સ્વીકાર કરે છે. કેટલીક વીમાયોજના નિસર્ગોપચારકને પ્રાથમિક સારવાર પ્રદાનકર્તા તરીકે માન્યતા આપતાં વિકલ્પો રજૂ કરે છે.<ref name="fammed.washington.edu"></ref> કનેક્ટિક્ટ અને વોશિંગ્ટનમાં રાજ્ય સરકારના કાયદામાં નિસર્ગોપચારક સેવાઓના કેટલીક રીતે આવરી લેવા માટે વીમા પ્રદાનકર્તાની જરૂર છે જ્યારે મહત્વપૂર્ણ સંખ્યામાં નિસર્ગોપચારક ધરાવતા અન્ય રાજ્ય ઓરેગોનમાં તેની જરૂર નથી.<ref name="fammed.washington.edu"></ref>
===અન્ય હેલ્થકેર વ્યાવસાયિકો===
1998ના ટાસ્કફોર્સના અહેવાલ મુજબ, કેટલાંક ફિઝિશ્યનસ તેમની પ્રેક્ટિસમાં નિસર્ગોપચારક પદ્ધતિઓને સામેલ કરવાનું પસંદ કરે છે <ref>{{cite web |url=http://www.futurehealth.ucsf.edu/pdf_files/RTF.PDF |format=PDF |author=Finocchio LJ, Dower CM, Blick NT, Gragnola CM and the Taskforce on Health Care Workforce Regulation |title=Strengthening Consumer Protection: Priorities for Health Care Workforce Regulation |publisher=Pew Health Professions Commission |location=San Francisco |year=1998 |month=October |access-date=2009-04-01 |archive-date=2011-07-20 |archive-url=https://web.archive.org/web/20110720045035/http://www.futurehealth.ucsf.edu/pdf_files/RTF.PDF |url-status=dead }}</ref>અને ટેક્સાસ જેવા રાજ્યોએ પોતાની પ્રેક્ટિસમાં પૂરક મેડિસિન અને વૈકલ્પિક સંકલન સાધવા માગતા એમડીસ માટે પ્રેક્ટિસ માર્ગદર્શિકા રચવાની શરૂઆત પણ કરી દીધી છે.<ref>ટેક્સાસ એડમિનિસ્ટ્રેટિવ કોડ ટાઇટલ 22, ભાગ 9 § 200.3, 1998</ref> હેલ્થકેર વ્યાવસાયિકો માટે નિસર્ગોપચાર પદ્ધતિઓમાં શિક્ષણ મેળવવાની પ્રક્રિયામાં મોટો ફરક હોય છે પણ અનેક વ્યાવાસિયકો માટે વિવિધ ઓફર સામેલ છે, જેમાં [[ફિઝિશ્યન]]સ, [[ફિઝિકલ થેરાપિસ્ટ્સ]], [[શિરોપ્રેક્ટર]], [[એક્યુપંક્ચ્યુરિસ્ટ]], [[ડેન્ટિસ્ટ]], [[સંશોધકો]], [[વેટરિનિરયન]], [[ફિઝિશ્યન આસિસ્ટન્ટ]] અને [[નર્સીસ]] સામેલ છે.<ref>{{cite web |url=http://www.futurehealth.ucsf.edu/pdf_files/Naturo2.pdf |format=PDF |author=Hough HJ, Dower C, O’Neil EH |title=Profile of a profession: naturopathic practice |publisher=Center for the Health Professions, University of California, San Francisco |location=San Francisco |year=2001 |month=September |doi= |pmid= |access-date=2009-04-21 |archive-date=2016-01-12 |archive-url=https://web.archive.org/web/20160112043423/http://www.futurehealth.ucsf.edu/pdf_files/Naturo2.pdf |url-status=dead }}</ref> સામાન્ય રીતે આ વ્યાવસાયિકો તેમની પદવી જાળવી રાખે છે, પણ તેમની પ્રેક્ટિસને વર્ણવવા 'સાકલ્યવાદી', 'કુદરતી' અથવા 'સંકલિત'શબ્દોનો ઉપયોગ કરે છે. ધ અમેરિકન નેચરોપેથિક મેડિકલ એસોસિએશન (એએનએમએ) અને અમેરિકન નેચરોપેથિક મેડિકલ સર્ટિફિકેશન (એએનએમસીએબી)એ મેડિકલ ડોક્ટર્સ (એમડી) અને ડોક્ટર્સ ઓફ ઓસ્ટીઓપેથી (ડીઓ) માટેના કાર્યક્રમોને પ્રમાણિત કરે છે અને માન્યતા આપે છે, જેમણે તેમનું શિક્ષણ નિસર્ગોપચારના અભ્યાસ સાથે લીધું હોય છે અને તેમની પ્રેક્ટિસમાં નિસર્ગોપચારને સંકલિત કરી છે.<ref name="anmcb.org"></ref>
==નિયમન==
===ઓસ્ટ્રેલિયા===
[[ઓસ્ટ્રેલિયા]]માં આ વ્યવસાય પર નિયંત્રણ રાખી શકે તેવી કોઈ સરકારી [[લાઇસન્સર ]](એજન્સી) નથી, પણ આ ઉદ્યોગ સ્વનિયંત્રિત છે. અહીં નિસર્ગોપચારક તરીકે કામ કરવા કોઈ ઉપાધિની જરૂર નથી એટલે કે તેની પ્રેક્ટિસ કોઈ પણ કરી શકે છે અને ટેકનિકલ રીતે કોઈ લાઇસન્સની જરૂર નથી. વ્યાવાસયિક [[જોખમ નિવારવા]] સંરક્ષણ મેળવવા કે જાહેર જવાબદારીનો સ્વીકાર કરવા [[વીમાકવચ]] મેળવવાનો એક માત્ર માર્ગ [[વ્યાવસાયિક સંગઠન]]ના સભ્ય થવાનો છે, જે [[માન્યતાપ્રાપ્ત]] અભ્યાસક્રમ પૂર્ણ કરીને અને [[વ્યાવસાયિક પ્રમાણપત્ર]] મેળવીને હાંસલ થઈ છે. અત્યારે ઓસ્ટ્રેલિયામાં કુદરતી ચિકિત્સાની એકમાત્ર રજિસ્ટજર્ડ પદ્ધતિ ચાઇનીઝ ચિકિત્સા છે અને તે પણ એકમાત્ર રાજ્ય [[વિક્ટોરિયા]]માં.<ref>{{cite web |publisher=The Royal Australian College of General Practitioners |url=http://www.racgp.org.au/racgpaimajwp |title=Joint RACGP/AIMA Working Party Terms of Reference |doi= |pmid= |access-date= |archive-date=2011-03-05 |archive-url=https://web.archive.org/web/20110305062144/http://www.racgp.org.au/racgpaimajwp |url-status=dead }}</ref>
વર્ષ 1977માં ઓસ્ટ્રેલિયામાં એક સમિતિએ નેચરોપેથીની તમામ કોલેજની સમીક્ષા કરી હતી. તેમાં જાણકારી મળી હતી કે અનેક કોલેજના અભ્યાક્રમમાં પેપર પર મૂળભૂત શરીરચિકિત્સા વિજ્ઞાન સાથે સંબંધિત વિવિધ વિષયને વાજબી રીતે આવરી લેવાયા છે છતાં વિદ્યાર્થીઓને ખરેખર જે શિક્ષણ અને માહિતી આપવામાં આવે છે તેનો દસ્તાવેજી અભ્યાસક્રમ સાથે બહુ ઓછો સંબંધ છે. અહીં એક પણ કેસમાં કોઈ પણ પરિણામ મેળવવા કોઈ પ્રાયોગિક કામગીરી હાથ ધરાઈ હોય તેવી બાબતો ઉપલબ્ધ નથી. સમિતિના સભ્યોએ આ કોલેજોમાં કેટલાંક લેક્ચર્સમાં પણ હાજરી આપીને તેનો અભ્યાસ કર્યો હતો. તેમાં તેમને જાણવા મળ્યું હતું કે, જુદી જુદી કોલેજમાં અભ્યાસક્રમમાં સમાનતા નથી અને તેમાં પાઠ્યપુસ્તકો કે અભ્યાસક્રમ બેઠો ભણાવવામાં આવતો નથી, પણ તેનાથી થોડી જુદી માહિતી પણ આપવામાં આવે છે. ઉપરાંત અભ્યાસક્રમ ધીમે ધીમે પણ વાજબી રીત પદ્ધતિસર ચાલે છે તેમજ તેમાં શબ્દકોષની વ્યાખ્યાઓના સ્તરે ચિકિત્સા વિજ્ઞાનની પારિભાષિક શબ્દાવલીઓનું સ્પષ્ટ વિવરણ આપવામાં આવે છે. જોકે તેમાં ઊંડાણપૂર્વક સમજણનો લાભ કે પદ્ધતિની સમજણ કે વિભાવનાના વ્યાપક મહત્ત્વનેસ સમજવાનો ફાયદો થતો નથી. નિસર્ગોપચારક જે વિવિધ ઉપચારક પદ્ધતિઓની તરફેણ કરે છે તેને શિક્ષણ કે અભ્યાસક્રમમાં બહુ મહત્ત્વ હોય તેવું સમિતિને જણાવ્યું નહોતું. જે વ્યક્તિઓને હોમિઓપેથી, બેકના વનસ્પતિ ઉપચારો કે ખનીજ મીઠાના સારવાર પદ્ધતિઓમાં રસ હતો તેમણે આ કોલેજોની મુલાકાત લીધી હતી, પણ આ માટે કોઈ વ્યવસ્થિત અભ્યાસક્રમ નહોતો અને વિવિધ કોલેજોમાં આ ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો હતો. સમિતિ પર એવી છાપ પડી હતી કે ચિકિત્સા પદ્ધતિની પસંદગીનો આધાર નિસર્ગોપચારકના રસ પર હતો અને વિવિધ પાઠ્યપુસ્તકો અને પદ્ધતિઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી હોવાથી અને પરસ્પર વ્યા હોવાથી કોઈ ચોક્કસ સૂચનો નથી કે કોઈ ચોક્કસ રીત શીખવાડી શકાય એમ નથી.<ref name="Aust1977"></ref>
===ભારત===
ભારતમાં સાડા પાંચ વર્ષનો ડિગ્રી અભ્યાસ છે, જે બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સીસ (બીએનવાયએસ)ની ડિગ્રી ઓફર કરે છે. [[ભારત]]માં કુલ 11 કોલેજ છે, જેમાંથી ચાર કોલેજ [[તમિળનાડુ]]માં છે.<ref>{{cite web |url=http://www.findnd.com/naturopathic-education/indian-colleges/113-naturopathic-colleges-in-india.html |title=Naturopathic Colleges in India |publisher=Findnd.com |date= |access-date=2009-09-22 |archive-date=2010-08-19 |archive-url=https://web.archive.org/web/20100819023221/http://www.findnd.com/naturopathic-education/indian-colleges/113-naturopathic-colleges-in-india.html |url-status=dead }}</ref>
ભારતીય ચિકિત્સા વ્યવસ્થા તરીકે નિસર્ગોપચાર અને યોગ પદ્ધતિઓ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્યરત આયુષ વિભાગમાં આવે છે.<ref name="AYUSH">[http://www.indianmedicine.nic.in/ ડિપાર્ટમેન્ટ ઓફ આયુર્વેદ, યોગ એન્ડ નેચરોપથી, ઉનાની, સિદ્ધ એન્ડ હોમિયોપેથી (આયુષ)]</ref>
ભારત સરકારે 1969માં ‘‘સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન આયુર્વેદ, યોગ એન્ડ નેચરોપેથી, ઉનાની, સિદ્ધ એન્ડ હોમિઓપેથી’’ની સ્થાપના કરી છે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ ચાલતું સ્વાયત્ત સંગઠન છે. આ સંગઠન વર્ષ 1978થી વૈકલ્પિક ચિકિત્સાની તે શાખાઓમાં વૈજ્ઞાનિક સંશોધન કરવાની જવાબદારી અદા કરે છે. આ સમયગાળા દરમિયાન નિસર્ગોપચારના વિકાસની જવાબદારી સીધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની હતી. માર્ચ, 1978માં આ કાઉન્સિલને વિખેરી નાંખવામાં આવી હતી અને તેના સ્થાને ચાર સ્વતંત્ર રીસર્ચ કાઉન્સિલ (સંશોધન પરિષદ)ની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં આયુર્વેદ અને સિદ્ધ, ઉનાની, હોમિઓપેથી અને યોગ તથા નેચરોપેથી માટે એકએક કાઉન્સિલ હતી.<ref>{{cite web |url=http://www.findnd.com/regulation/67-india/112-central-council-for-research-in-yoga-and-naturopathy-.html |title=Central Council for Research in Yoga and Naturopathy |publisher=Findnd.com |date= |access-date=2009-09-22 |archive-date=2011-07-11 |archive-url=https://web.archive.org/web/20110711002614/http://www.findnd.com/regulation/67-india/112-central-council-for-research-in-yoga-and-naturopathy-.html |url-status=dead }}</ref>
[[પૂણે]]માં 22 ડીસેમ્બર, 1986ના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથીની સ્થાપના કરવામાં આવી હતી. તેનાથી આ ચિકિત્સા પદ્ધતિની માહિતી કે જ્ઞાનના માપદંડો અને પ્રચાર માટેની સુવિધાને પ્રોત્સાહન મળ્યું છે અને સમગ્ર ભારતમાં નિસર્ગોપચારમાં સંશોધનનો ફેલાવો સમગ્ર ભારતમાં થયો છે. આ ઇન્સ્ટિટ્યૂટ સરકારી સંસ્થાન છે, જેના પ્રમુખ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હોય છે.<ref>{{Cite web |url=http://www.punenin.org/ |title=નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપથી, પૂણે |access-date=2010-07-15 |archive-date=2010-08-23 |archive-url=https://web.archive.org/web/20100823043946/http://www.punenin.org/ |url-status=dead }}</ref>
===ઉત્તર અમેરિકા===
ઉત્તર અમેરિકામાં [[નિસર્ગોપચાર ચિકિત્સાની માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થા]]માં તાલીમ પામેલા [[નિસર્ગોપચરાકો]]ને પાંચ કેનેડિયન પ્રાંત, અમેરિકાના ૧૫ રાજ્યો અને [[કોલંબિયા ડિસ્ટ્રિક્ટ]]માં એનડી એ એનએમડીની ઉપાધિનો ઉપયોગ કરવાનો અધિકાર છે. બીજે ઠેકાણે ‘‘નેચરોપેથ’’, ‘‘નેચરોપેથિક ડોક્ટર’’ અને ‘‘ડોક્ટર ઓફ નેચરલ મેડિસિન’’ની ઉપાધિનો ઉપયોગ કરવા પર કોઈ પ્રતિબંધ નથી અથવા આ ઉપાધિઓ અસુરક્ષિત છે એમ કહી શકાય.<ref name="IA_med">{{cite web |url=http://medicalboard.iowa.gov/Naturopathy.html |title=A Policy Statement on Naturopathy |publisher= |doi= |pmid= |access-date= |archive-date=2010-01-07 |archive-url=https://web.archive.org/web/20100107110956/http://medicalboard.iowa.gov/Naturopathy.html |url-status=dead }}</ref>
ઉત્તર અમેરિકામાં નિસર્ગોપચારનું નિયમન કરતાં દરેક અધિકારક્ષેત્રમાં નિસર્ગોપચારક માટે પ્રેક્ટિસનું સ્થાનિક ક્ષેત્ર વ્યાખ્યાયિત કરે છે અને તે જુદું જુદું હોઈ શકે છે. કેટલાંક વિસ્તારોમાં આંશિક શસ્ત્રક્રિયા કરવાની, પ્રીસ્ક્રિપ્શન દવાઓની ભલામણ કરવાની, કરોડમાં તોડફોડ કરવાની, સુવાવડો અને ગાયનેકોલોજી સાથે જોડાયેલી સારવાર કરવાની મંજૂરી આપે છે અને અન્ય વિસ્તારોમાં આ બાબતોને નિસર્ગોપચારની પ્રેક્ટિસમાંથી બાકાત રાખવામાં આવી છે.<ref name="Sunrise-2008">{{cite web|url=http://www.dora.state.co.us/OPR/archive/2008NaturopathicPhysiciansSunrise.pdf |format=PDF |year=2008 |title=Sunrise Review: Naturopathic Physicians |page=19 |publisher=State of Colorado |access-date= |pmid= |doi= }}</ref>
====કેનેડા====
કેનેડાના પાંચ પ્રાંતે નિસર્ગોપચારકોને સારવાર કરવાની મંજૂરી આપી છેઃ [[બ્રિટિશ કોલંબિયા]], [[મેનિટોબા]], [[નોવા સ્કોટિયા]], [[ઓન્ટારિયો]] અને [[સાસ્કાત્શેવન]].<ref>[http://www.cand.ca/index.php?40 કેનેડિયન એસોસિયેસન ઓફ નેચરોપેથિક ડોક્ટર્સ]</ref> બ્રિટિશ કોલંબિયામાં 1936થી નિસર્ગોપચાર દવાનું નિયમન થાય છે અને તે કેનેડાનું એકમાત્ર રાજ્ય છે જેણે નિસર્ગોપાચરકોને ફાર્માસ્યુટિકલ્સ પ્રીસ્ક્રાઇબ કરવાની અને આંશિક શસ્ત્રક્રિયાઓ કરવાની મંજૂરી આપી છે.<ref>{{Cite web |url=http://www.cbc.ca/health/story/2009/04/10/bc-naturopaths.html |title=સીબીસી ન્યૂઝ - બી. સી.એ નિસર્ગોપાચરકોને દવા લખી આપવાનો અધિકાર આપ્યો |access-date=2009-04-13 |archive-date=2009-04-13 |archive-url=https://web.archive.org/web/20090413204920/http://www.cbc.ca/health/story/2009/04/10/bc-naturopaths.html |url-status=live }}</ref>
====અમેરિકા====
*અત્યારે નિસર્ગોપચારને લાઇસન્સ આપતા કે નિયંત્રણ કરતાં અમેરિકાના ન્યાયિક ક્ષેત્રોઃ [[અલાસ્કા]], [[એરિઝોના]], [[કેલિફોર્નિયા]], [[કનેક્ટિકટ]], [[કોલંબિયા ડિસ્ટ્રિક્ટ]], [[હવાઈ]], [[આઇડહો]], [[કેન્સાસ]], [[માઇન]], [[મિનેસોટા]], [[મોન્ટાના]], [[ન્યૂ હેમ્પશાયર]], [[ઓરેગોન]], [[પ્યુર્ટો રિકો]], <ref>{{cite web |url=http://www.oslpr.org/download/ES/1997/208s0783.pdf |format=PDF |title=Ley para Reglamentar el Ejercicio de la Medicina Naturopática en Puerto Rico [Law to Regulate the Practice of Naturopathic Medicine in Puerto Rico] |language=Spanish |date=30 December 1997 |access-date=15 જુલાઈ 2010 |archive-date=2 ઑક્ટોબર 2008 |archive-url=https://web.archive.org/web/20081002072926/http://www.oslpr.org/download/ES/1997/208s0783.pdf |url-status=dead }}</ref> [[યુએસ વિર્જિન આઇલેન્ડ્સ]], [[ઉતાહ]], [[વર્મોન્ટ]] અને [[વોશિંગ્ટન]].<ref name="autogenerated1"></ref> ઉપરાંત [[ફ્લોરિડા]] અને [[વિર્જિનિયા]]એ નિસર્ગોપચારને [[ગ્રાન્ડફાધર જોગવાઈ]] હેઠળ પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી છે.<ref name="AMA_report_2006">{{cite news | first= | last= | coauthors= | authorlink= | title=Reports to the Board of Trustees | date=2006-11 | publisher=[[American Medical Association]] | url=http://www.ama-assn.org/ama1/pub/upload/mm/38/i-06bot.pdf | format=PDF | work= | pages= | access-date=2009-03-19 | language= | archive-date=2008-11-19 | archive-url=https://web.archive.org/web/20081119233832/http://www.ama-assn.org/ama1/pub/upload/mm/38/i-06bot.pdf | url-status=dead }}</ref>
:
:*પ્રીસ્ક્રીપ્શન દવાઓ સુધી પહોંચની મંજૂરી આપતાં અમેરિકાના ન્યાયિક ક્ષેત્રોઃ [[એરિઝોના]], [[કેલિફોર્નિયા]], [[કોલંબિયા ડિસ્ટ્રિક્ટ]], [[હવાઈ]], [[આઇડહો]], [[કેન્સાસ]], [[માઇન]], [[મોન્ટાના]], [[ન્યૂ હેમ્પશાયર]], [[ઓરેગોન]], [[ઉતાહ]], [[વર્મોન્ટ]] અને [[વોશિંગ્ટન]].
:*આંશિક શસ્ત્રક્રિયાને મંજૂરી આપતા અમેરિકાના ન્યાયિક ક્ષેત્રોઃ [[એરિઝોના]], [[કોલંબિયા ડિસ્ટ્રિક્ટ]], [[આઇડહો]], [[કેન્સાસ]], [[માઇન]], [[મોન્ટાના]], [[ઓરેગોન]], [[ઉતાહ]], [[વર્મોન્ટ]] અને [[વોશિંગ્ટન]].
*નિસર્ગોપચારની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકનાર અમેરિકાના રાજ્યોઃ [[સાઉથ કેરોલિના]]<ref name="AMA_report_2006"></ref><ref>{{cite web|url=http://www.scstatehouse.net/code/t40c031.htm|title=South Carolina Code of Laws Section 40-31-10|access-date=2010-07-15|archive-date=2008-10-15|archive-url=https://web.archive.org/web/20081015195851/http://www.scstatehouse.net/CODE/t40c031.htm|url-status=dead}}</ref> અને [[ટેનેસ્સી]].<ref name="AMA_report_2006"></ref><ref>{{cite web |url=http://www.michie.com/tennessee/lpext.dll/tncode/257b9/25b48/25b6e/25ba9?f=templates&fn=document-frame.htm&2.0#JD_63-6-205 |title=Tennessee Code 63-6-205 |publisher=Tennessee State Legislature |date= |access-date= |doi= |archive-date=2011-09-29 |archive-url=https://web.archive.org/web/20110929004205/http://www.michie.com/tennessee/lpext.dll/tncode/257b9/25b48/25b6e/25ba9?f=templates&fn=document-frame.htm&2.0#JD_63-6-205 |url-status=dead }}</ref>
ઉતાહ રાજ્ય સિવાય અન્ય કોઈ પણ રાજ્યમાં [[નિસર્ગોપચાકરકો]] માટે સ્નાતક શિક્ષણ અને પ્રેક્ટિસ,<ref name="ACS"></ref> શરૂ કરવા વચ્ચેના સમય દરમિયાન [[રેસિડન્સી ]]હેઠળ પસાર થવું ફરજિયાત નથી.<ref>{{cite web
|url=http://www.dopl.utah.gov/licensing/forms/applications/072_naturopathic_phys.pdf
|format=PDF
|title=Application for licensure : naturopathic physician
|publisher=State of Utah Division of Occupational and Professional Licensing
|access-date=2010-07-15
|archive-date=2010-06-29
|archive-url=https://web.archive.org/web/20100629150914/http://dopl.utah.gov/licensing/forms/applications/072_naturopathic_phys.pdf
|url-status=dead
}}</ref>
===બ્રિટન (યુનાઇટેડ કિંગ્ડમ)===
[[બ્રિટન]]માં નિસર્ગોપચાર વ્યવસાય પર સરકારનું કોઈ નિયમન ન હોવાથી નિસર્ગોપચારકો અનિયંત્રિત છે. અહીં સૌથી મોટી નોંધાયેલી સંસ્થા ધ જનરલ કાઉન્સિલ એન્ડ રજિસ્ટર ઓફ નેચરોપેથ્સ છે, જે બ્રિટનમાં ત્રણ અભ્યાસક્રમને માન્યતા આપે છે અને ઓસ્ટીઓપેથિક સ્કૂલ્સમાં તેમાંથી બેનો અભ્યાસ કરાવવામાં આવે છેઃ [[બ્રિટિશ કોલેજ ઓફ ઓસ્ટીઓપેથિક મેડિસિન]]; [[કોલેજ ઓફ ઓસ્ટીઓપેથ્સ એજ્યુકેશનલ ટ્ર્સ્ટ]]; અને એક [[વેસ્ટમિનસ્ટર યુનિવર્સિટી]]માં બીએસસી હેલ્થ સાયન્સ (નેચરોપેથી)ના આશ્રય હેઠળ સ્કૂલ ઓફ ઇન્ટેગ્રેટેડ હેલ્થનો અભ્યાસક્રમ ચાલે છે.{{Citation needed|date=July 2008}}
અહીં ''એસોસિએશન ઓફ નેચરોપેથિક પ્રેક્ટિશનર્સ'' અને ''ધ બ્રિટિશ નેચરોપેથિક એસોસિએશન'' પણ છે.
==પુરાવા આધારિત ==
[[પુરાવા આધારિત તબીબીશાસ્ત્ર]] (ઇબીએમ)ને નિસર્ગોપચાર જેવા નિસર્ગ તબીબીશાસ્ત્રની તપાસ કરવા માટે એક યોગ્ય પદ્ધતિ ગણવામાં આવે છે. નિસર્ગોપચારકને પૂરતાં વૈજ્ઞાનિક આધાર વિનાની પદ્ધતિ ગણવામાં આવે છે.<ref name="Naturo2006"></ref> ઓસ્ટ્રેલિયામાં પરંપરાગત નિસર્ગોપચારકોમાં ઇબીએમને તેમના સાકલ્યવાદી સિદ્ધાંતો અને જીવનશક્તિમાં માન્યતા પર આદર્શવાદી હુમલો ગણે છે.<ref name="Naturo2006"></ref> તેઓ નિસર્ગોપચાર પ્રેક્ટિસના સંકલનની હિમાયત કરે છે.<ref name="Naturo2006"></ref> ઓસ્ટ્રેલિયામાં પરંપરાગત નિસર્ગોપચારકોમાં થયેલા સરવેમાં જાણવા મળ્યું હતું કે તેમને ઇબીએમની વિભાવના લાગૂ કરવામાં અને સમજવામાં સમસ્યા પડશે.<ref name="Naturo2006">{{cite journal |journal= J Altern Complement Med |year=2006 |volume=12 |issue=3 |pages=323–8 |title=Evidence-based medicine and naturopathy |author=Jagtenberg T, Evans S, Grant A, Howden I, Lewis M, Singer J |doi= |pmid=16646733}}</ref> સામાન્ય લોકોમાં નિસર્ગોપચારની લોકપ્રિયતા અને સ્વીકાર્યતા વધી રહી હોવા છતાં તેની પદ્ધતિઓ અને માન્યતાનો તબીબીશાસ્ત્રના સભ્યો અસ્વીકાર કરે છે અથવા તેની ટીકા કરે છે.<ref name="Beck T"></ref> નિસર્ગોપચારની મોટી વિજ્ઞાની માહિતીની સાથે વધુ સારી થેરોપેટિક સફળતા મેળવી શકાય છે, જેના પગલે થેરપી મોડલ્સમાં સુધારો થઈ શકે છે અને [[હેલ્થ કેર]] સીસ્ટમ માટે આર્થિક ફાયદો પણ થઈ શકે છે.<ref name="Beck T">{{cite journal |journal=Forsch Komplementarmed Klass Naturheilkd |year=2001 |volume=8 |issue=1 |pages=24–32 |title=[On the general basis of naturopathy and complementary medicine]|author=Beck T |doi= |pmid=11340311}}</ref> નિસર્ગોપચારકોએ તેમના વ્યવસાયને વિકસાવવા અને વિશ્વસનિયતા-કાયદેસરતા મળે તે માટે સંશોધનમાં પ્રદાન આપવાનું અને તબીબી સારવારમાં આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્વીકારવાનું શરૂ કર્યું છે.<ref>{{cite journal |journal=Med Clin North Am |year=2002 |volume=86 |issue=1 |pages=173–84 |title=Naturopathy|author=Smith MJ, Logan AC |doi= |pmid=11795088}}</ref> વ્યાપક સામાન્ય બિમારીઓના વ્યવસ્થાપનમાં અને તેને અટકાવવામાં નિસર્ગોપાચરની સુરક્ષા અને અસરકારકતાના મૂલ્યાંકન કરવા તેમજ નિસર્ગોપચારની સેવાઓની પહોંચ વધવાથી દર્દીના સ્વાસ્થ્યમાં [[અસરકારક ખર્ચ]] સાથે સુધારો થઈ શકે છે કે નહીં તેનો નિર્ણય લેવા [[મેડિકલ ડોક્ટર]] અને નિસર્ગોપચારકો વચ્ચે સુમેળ સાધવાના પ્રયાસ વધી રહ્યાં છે.<ref>{{cite journal |journal=J Fam Pract |year=2005 |volume=54 |issue=12 |pages=1067–72 |title=Naturopathic medicine: what can patients expect?|author=Dunne N, Benda W, Kim L, Mittman P, Barrett R, Snider P, Pizzorno J |url=http://www.jfponline.com/Pages.asp?AID=3698 |doi= |pmid=16321345}}</ref> જર્મનીમાં નિસર્ગોપચારકની અનેક વૈકલ્પિક પદ્ધતિઓ [[રીફ્લક્સોલોજી]]ની જેમ વિશ્વનિસય વિજ્ઞાન ગણાવવામાં આવે છે. જોકે રીફ્લેક્સોલોજી એક અપરંપરાગત પદ્ધતિ છે જેમાં ગંભીર નિસર્ગોપચારક સારવાર સાથે કોઈ સામ્યતા નથી અને રીફ્લેક્સોલોજીનો કોઈ વિજ્ઞાની આધાર નથી.<ref name="Heide"></ref> રીફ્લેક્સોલોજીથી વિપરીત વૈજ્ઞાનિક રીતે યોગ્ય નિસર્ગોપચારક પદ્ધતિઓ વૈકલ્પિકલ સારવાર રીતો નથી, પણ [[આધુનિક તબીબીશાસ્ત્ર]]ની પૂરક પદ્ધતિઓ છે.<ref name="Heide">{{cite journal |journal=Versicherungsmedizin|year=2009 |volume=61 |issue=3 |pages=129–35 |title=[Reflexology--nothing in common with scientific naturopathic treatments]|author=Heide M, Heide MH |doi= |pmid=19860172}}</ref>
=== વિવેચન ===
નિસર્ગોપચારક તબીબીશાસ્ત્રની અવારનવાર અપ્રમાણિત, સાબિતી વિનાની અને અન્ય વિવાદાસ્પદ [[વૈકલ્પિક તબીબી]] સારવારોના પર નિર્ભરતા અને [[જીવનશક્તિ]] પર આધાર રાખવા બદલ ટીકા થાય છે.<ref name="McKnight2009">{{cite news
|first=P
|last=McKnight
|coauthors=
|authorlink=
|title=Naturopathy's main article of faith cannot be validated: Reliance on vital forces leaves its practises based on beliefs without scientific backing
|date=2009-03-07
|url=http://www.vancouversun.com/story_print.html?id=1364389
|work=[[Vancouver Sun]]
|pages=
|access-date=2009-03-21
}}{{Dead link|date=ઑગસ્ટ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> કોઈ પણ વૈકલ્પિક સારવાર સાથે ખોટું નિદાન થવાનું જોખમ હોય છે. કોઈ પણ તબીબને તાલીમ કેવી મળે છે કે તાલીમના સ્તર પર જોખમ ઓછું-વધતું હોય છે.<ref name="Gale_Frey"></ref><ref name="atwood2004"></ref> અહીં એવું પણ જોખમ છે કે પોતાના નિસર્ગોપચારકે તૈયાર કરેલા કાર્યક્રમો મુજબ દર્દી સારવાર લેવાનો પ્રયાસ કરે છે ત્યારે શક્ય છે કે નિસર્ગોપારકો દ્વારા નિદાન ન થયેલા રોગની સારવાર રહી જાય છે. હોમીઓપેથી અને ઇરિડોલોજી જેવી કેટલીક વિવિધ નિસર્ગોપચારક સારવાર [[શ્યૂડોસાયન્સ]] (આભાસી વિજ્ઞાન) કે [[ક્વેકરી]] ગણાય છે.<ref name="NSBattitudes">{{cite web
|author=National Science Board
|month=April
|year=2002
|title=Science and engineering indicators
|chapter=7
|chapter_title=Science and technology: public attitudes and public understanding
|url=http://www.nsf.gov/statistics/seind02/c7/c7s5.htm
|section_title=Science Fiction and Pseudoscience
|location=Arlington, Virginia
|publisher=National Science Foundation Directorate for Social, Behavioral and Economic Sciences
|access-date=2010-07-15
|archive-date=2013-07-25
|archive-url=https://www.webcitation.org/6INOs8ygy?url=http://www.nsf.gov/statistics/seind02/c7/c7s5.htm
|url-status=dead
}}</ref><ref name="WahlbergQuack">
{{cite journal
|author=Wahlberg A
|year=2007
|doi=10.1016/j.socscimed.2007.07.024
|title=A quackery with a difference—new medical pluralism and the problem of 'dangerous practitioners' in the United Kingdom
|journal=Social Science & Medicine
|volume=65
|issue=11
|pages=2307–2316
|pmid=17719708
}}</ref><ref>
{{cite web
|url=http://www.quackwatch.com/01QuackeryRelatedTopics/iridology.html
|title=Iridology is nonsense
|access-date=
}}, વધુ સંદર્ભો સાથેનું વેબ પેજ</ref> ''નિસર્ગ'' પદ્ધતિઓ અને રાસાયણિક પદાર્થો ''કૃત્રિમ'' અથવા ''બનાવટી '' દવાઓ કરતાં સુરક્ષિત કે વધારે અસરકારક હોય તે જરૂરી નથી. કોઈ પણ સારવારમાં નુકસાનકારક આડઅસરો હોઈ શકે છે.<ref name="Barrett-Naturopathy"></ref><ref name="ACS">{{cite news
|first=
|last=
|coauthors=
|authorlink=
|title=Naturopathic medicine
|date=2007-03-26
|publisher=[[American Cancer Society]]
|url=http://www.cancer.org/docroot/ETO/content/ETO_5_3X_Naturopathic_Medicine.asp
|work=
|pages=
|access-date=2009-03-21
|archive-date=2010-06-27
|archive-url=https://web.archive.org/web/20100627111334/http://www.cancer.org/docroot/ETO/content/ETO_5_3X_Naturopathic_Medicine.asp
|url-status=dead
}}</ref><ref name="SkepDic_natural">
{{cite web
|url=http://skepdic.com/natural.html
|title=Natural
|access-date=2009-03-21
|last=Carroll
|first=Robert
|work=[[The Skeptic's Dictionary]]
}}</ref><ref name="NCAHF_herb">{{cite web|url=http://www.ncahf.org/pp/herbal.html |title=NCAHF Position Paper on Over the Counter Herbal Remedies (1995) |access-date=2009-04-17 |year=1995 |publisher=[[National Council Against Health Fraud]] }}</ref>
"નિસર્ગોપચારકો સહિત અવૈજ્ઞાનિક હેલ્થ કેર વ્યાવસાયિકો વિજ્ઞાન પર આધારિત ન હોય તેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને લોકોની છેતરપિંડી કરે છે, જેમની પાસે ઊંડાણપૂર્વકનું તબીબીજ્ઞાન નથી. તેમને તો સારવાર પ્રદાનકર્તાની ખાતરી પર જ આધારિત રાખવો પડે છે.<ref name="Jarvis WT"></ref> ક્વેકરી ફક્ત લોકોને નુકસાન કરતી નથી, પણ સાથેસાથે તે વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરવાની ક્ષમતાને નુકસાન કરે છે અને વિજ્ઞાનીઓએ તેનો વિરોધ કરવો જોઈએ," તેવું વિલિમય ટી જાર્વિસનું કહેવું છે.<ref name="Jarvis WT">{{cite journal |pmid=1643742 |year=1992 |month=August |last1=Jarvis |first1=WT |title=Quackery: a national scandal |volume=38 |issue=8B Pt 2 |pages=1574–86 |issn=0009-9147 |journal=Clinical chemistry}}</ref>
[[ક્વેકવોચ]]ના [[સ્ટીફન બેરેટ્ટ]] અને [[નેશનલ કાઉન્સિલ અગેન્સ્ટ હેલ્થ ફ્રોડ]] જણાવે છે કે "નિસર્ગોપચારની ફિલસૂફી સરળ છે અને ક્વેકરી સાથે તેની પ્રેક્ટિસમાં અનેક ખામીઓ છે."<ref name="Barrett-Naturopathy">
{{cite web
|url=http://www.quackwatch.org/01QuackeryRelatedTopics/Naturopathy/naturopathy.html
|author=Barrett S
|title=A close look at naturopathy
|date= |access-date=
|pmid=
}}</ref>
કે સી એટવૂડે ''મેડસ્કેપ જનરલ મેડિસિન'' જર્નલમાં લખ્યું છે કે "નિસર્ગોપચારકો હવે "પરંપરાગત" અને "નિસર્ગોપચાર" એમ બંને પ્રેક્ટિસમાં પ્રાથમિક સારવાર કરતાં ફિઝિશ્યન્સ (ડોક્ટર) તજજ્ઞ હોવાનો દાવો કરે છે. જોકે પ્રાથમિક સારવાર કરતાં મેડિકલ ડોક્ટર્સની મળતી તાલીમની સરખામણીમાં તેમની તાલીમ અત્યંત ઓછી હોય છે. ઉપરાંત તેમના સાહિત્યની ચકાસણી કરીએ તો જાણવા મળે છે કે તે શ્યૂડોસાયન્ટિફિક, બિનઅસરકારક, અસૈદ્ધાંતિક અને જોખમકારક પ્રેક્ટિસથી ભરપૂર છે."<ref name="atwood2003">
{{cite journal
|author=Atwood KC
|year=2003
|doi=
|title=Naturopathy: a critical appraisal
|volume=5
|issue=4
|page=39
|pmid=14745386
}}</ref> એક અન્ય લેખમાં એટવૂડે લખ્યું છે કે "નિસર્ગોપચારકો ગણાતા ફિઝિશ્યનસ પોતાના સાથીદારોમાં આધુનિક તબીબીશાસ્ત્રની મૂળભૂત સૈદ્ધાંતિક વિભાવનાના એક વિરોધી તરીકે ગણાય છે. નિસર્ગોપચારકોને "અવૈજ્ઞાનિક પ્રેક્ટિશનર્સ" ગણવામાં ન આવે તો આ શબ્દનો કોઈ અર્થ નથી. ઉપરાંત ક્વેકરીને ઉઘાડાં કરતાં ફિઝિશ્યનનો એક લેખ તેના લેખકને "પૂર્વગ્રહયુક્ત" જાહેર કરતો નથી, પણ એક ફિઝિશ્યન તરીકેની તેમની સૈદ્ધાંતિક ફરજોમાંની એક પૂરી કરી હોવાનું માનવામાં આવે છે."<ref name="atwood2004">{{cite journal|author=Atwood KC |date= March 26, 2004 |title=Naturopathy, pseudoscience, and medicine: myths and fallacies vs truth |work=Medscape Gen Med |volume=6 |issue=1 |page=33 |pmid=15208545|pmc=1140750}}</ref>
[[આર્નોલ્ડ એસ રેલ્માન]]ના જણાવ્યા મુજબ, ''ટેક્સ્ટબુક ઓફ નેચરલ મેડિસિન'' શિક્ષણના સાધન તરીકે બિનજરૂરી છે, કારણ કે તેમાં અનેક સામાન્ય બિમારીઓની વિસ્તૃત સારવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેમજ જે પદ્ધતિઓ અસરકારક હોવાની શક્યતા નથી તેવી હર્બલ મેડિસિન પદ્ધતિઓ પર ખોટો ભાર મૂકે છે અને સાથેસાથે ફાર્માસ્યુટિકલ્સના ભોગે તેને પ્રોત્સાહન આપે છે. તેઓ નિષ્કર્ષ કરતાં કહે છે કે "સરેરાશ નિસર્ગોપચારક પાસે સારવાર લેતાં અનેક દર્દીઓ કોઈ પણ સંભવિત ફાયદા ન મેળવી શકે તેવું જોખમ રહેલું છે."<ref name="Relman_text">{{cite web |url=http://www.quackwatch.org/01QuackeryRelatedTopics/Naturopathy/relman1.html |title=Textbook of Natural Medicine |access-date=2009-04-17 |last=Relman |first=Arnold S. |date=2001-01-09 |publisher=Quackwatch }}</ref>
=== રસીકરણ ===
નિસર્ગોપચાર, [[હોમિઓપેથી]] અને [[કિરોપ્રેક્ટિક]](કરોડપદ્ધતિ) સહિત [[વૈકલ્પિક ચિકિત્સા]]ના અનેક સ્વરૂપો [[રસીકરણ]]ના વિરોધ પર આધારિત છે. તેના તબીબો પણ રસીકરણ વિરોધી મત ધરાવે છે. તેમાં બિનચિકિત્સકિય તાલીમ પામેલા નિસર્ગોપચારકો સામેલ છે. રસીકરણ પ્રત્યે નકારાત્મક અભિગમ માટેના કારણો વિચિત્ર અને જટિલ છે, બાકી આ વ્યવસાયને આકાર આપનાર અગાઉની ફિલસૂફીઓ પણ જવાબદાર છે.<ref name="Ernst-2001">{{cite journal |journal=Vaccine |year=2001 |volume=20 |issue= Suppl 1 |pages=S89–93 |title=Rise in popularity of complementary and alternative medicine: reasons and consequences for vaccination |author=Ernst E |doi=10.1016/S0264-410X(01)00290-0 |pmid=11587822}}</ref> કેનેડામાં અગ્રણી પૂરક અને વૈકલ્પિક ચિકિત્સિકય કોલેજના વિદ્યાર્થીઓએ એક સરવે હાથ ધર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ અભ્યાસક્રમના નવા વિદ્યાર્થીઓની સરખામણીમાં જૂનાં વિદ્યાર્થીઓએ રસીકરણનો વધારે મજબૂત રીતે વિરોધ કર્યો હતો.<ref>{{cite journal |journal=Vaccine |year=2008 |volume=26 |issue=49 |pages=6237–42 |title=Attitudes towards vaccination among chiropractic and naturopathic students |author= Busse JW, Wilson K, Campbell JB |doi=10.1016/j.vaccine.2008.07.020 |pmid=18674581}}</ref>
[[વોશિંગ્ટન યુનિવર્સિટી]]એ એકથી બે વર્ષના બાળકો અને એકથી 17 વર્ષ સુધીની વય ધરાવતા લોકોના જૂથમાં એક અભ્યાસ કર્યો હતો અને તેમાં અટકાવી શકાય તેવા રોગોની સામે લડવા રસીકરણ સંબંધે વૈકલ્પિક ચિકિત્સાના ઉપયોગ માટે વીમાના કેટલાં દાવા કરવામાં આવ્યાં છે તેનું સંશોધન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બંને જૂથના સભ્યો જો નિસર્ગોપચારને મળ્યાં હોત તો તેમણે રસી બહુ ઓછી વખત મૂકાવી હોત. આ અભ્યાસમાં બાળકોને અટકાવી શકાય તેવા રોગોની રસી મૂકવવાની ઓછી સંખ્યા અને નિસર્ગોપચારની મુલાકાત વચ્ચે મહત્વપૂર્ણ સંબંધ પણ જાણવા મળ્યો હતો.<ref name="Downey2009">{{cite journal |journal=Matern Child Health J |year=2009 |volume= |pages= |title=Pediatric vaccination and vaccine-preventable disease acquisition: associations with care by complementary and alternative medicine providers |author=Downey L, Tyree PT, Huebner CE, Lafferty WE |pmid=19760163 |url=http://www.springerlink.com/content/2mpl5g3480466684/ |doi=10.1007/s10995-009-0519-5 }}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==આ પણ જુઓ==
*[[આર્નોલ્ડ અહ્રેટ]]
*[[જરૂરી પોષકતત્વો]]
*[[જળચિકિત્સા]]
*[[મલ્ટિવિટામિન]]
==સંદર્ભો==
{{Ibid|date=March 2010}}
{{reflist|colwidth=30em}}
==બાહ્ય લિંક્સ==
*[http://www.anma.org અમેરિકન નેચરોપેથિક મેડિકલ એસોસિએશન]
*[http://www.naturopathic.org અમેરિકન એસોસિએશન ઓફ નેચરોપેથિક ફીઝિશ્યન્સ]
*[http://www.futurehealth.ucsf.edu/pdf_files/Naturo2.pdf વ્યાવસાયની વિગતોઃ નેચરોપેથિક પ્રેક્ટિસ પીડીએફ] {{Webarchive|url=https://web.archive.org/web/20160112043423/http://www.futurehealth.ucsf.edu/pdf_files/Naturo2.pdf |date=2016-01-12 }} (312 કેબી), યુસીએસએફ સેન્ટર ફોર ધ હેલ્થ પ્રોફેશન્સ પર ઉપલબ્ધ
*[http://www.cnme.org કાઉન્સિલ ઓન નેચરોપેથિક મેડિકલ એજ્યુકેશન ]
*[http://www.naturopathicassoc.ca Canadian Association of Naturopathic Physicians ] {{Webarchive|url=https://web.archive.org/web/20140209071928/http://www.naturopathicassoc.ca/ |date=2014-02-09 }}
[[Category:નિસર્ગોપચાર દવા]]
fww90tc18gkfu4oysz8oypwuj589xi6
નાયર
0
26138
901532
901102
2026-06-16T12:46:47Z
InternetArchiveBot
63183
Rescuing 1 sources and tagging 0 as dead.) #IABot (v2.0.9.5
901532
wikitext
text/x-wiki
'''નાયર''' (મલયાલમ: നായര്, , જે '''[[નૈયર]]''' <ref>http://books.google.co.in/books?id=9mR2QXrVEJIC માલાબર મેન્યૂઅલ બાય વિલિયમ લોગન</ref> કે '''[[મલયાલા ક્ષત્રિય]]''' <ref>http://books.google.co.in/books?id=AXN1Mq2WuYsC પેજ 5, લાઈન 25</ref><ref>http://books.google.co.in/books?id=NBG2AAAAIAAJ&pg=PA40 પેજ 40, લાઈન 16</ref> તરીકે જાણીતા છે), તે ભારતના રાજ્ય [[કેરળ]]ની હિંદુની એક અગ્ર જાતિનું નામ છે. 1792માં બ્રિટિશ દ્વારા જીત્યા પહેલા, કેરળ રાજ્યમાં તે નાનું, સામંતી રાજ્ય તરીકે જોડાયેલું હતું, જેમાંથી પ્રત્યેક શાહી અને કુલીન વંશમાં, નાગરિક સેના, અને સૌથી વધુ ભૂમિ સંચાલકો માટે નાયર અને સંબંધિત જાતિઓથી જોડાયેલા લોકોને પસંદ કરવામાં આવતા હતા.<ref>"નાયર." વિશ્વકોશ બ્રિટાનિકા. 2008. વિશ્વકોશ બ્રિટાનિકા ઓનલાઇન . 5 જૂન 2004</ref> રાજકારણ, સરકારી સેવા, ચિકિત્સા, શિક્ષણ, અને કાયદામાં નાયરો આગળ પડતા હતા.<ref>વિશ્વકોશ બ્રિટાનિકા </ref> નાયરો કેરળના શાસકો, યોદ્ધાઓ, અને મધ્ય વર્ગના જમીનદારો તરીકે સંસ્થાપિત હતા (ભારતની આઝાદીના પહેલા).
નાયરો પરંપરાગતરીતે [[માતૃવંશીય]] હતા, એટલે કે તેઓના પરિવારના મૂળને પરિવારની મહિલાઓના માધ્યમથી શોધી શકાતા હતા. બાળકોને તેમની માતાની સંપત્તિ વારસામાં મળતી. તેમના કૌટુંબિક એકમમાં, જે સભ્યો સંયુક્ત રૂપે સંપત્તિ મેળવી હોય, જેમાં ભાઈઓ અને બહેનો, તેમના બાળકો, અને તેમની દીકરીઓના બાળકોનો સમાવેશ થતો હતો. સૌથી વુદ્ધ માણસ સમૂહનો કાનૂની વડા હતો અને તેના પરિવારજનો તેને કર્નવાર કે [[તરવાડુ]]ના રૂપમાં સન્માન આપતા હતા. દરેક રાજ્યો વચ્ચે લગ્ન અને નિવાસસ્થાનોના નિયમો અલગ અલગ હતા.<ref>"નાયર." વિશ્વકોશ બ્રિટાનિકા. અલ્ટીમેટ રેફેરન્સે સુટ. શિકાગો: વિશ્વકોશ બ્રિટાનિકા, 2008.</ref>
નાયરો પોતાના લડાયક ઇતિહાસ માટે જાણીતા છે, જેમાં [[કલરીપયટ્ટુ]]માં તેમની ભાગીદારી અને [[મામનકમ]] કર્મકાંડમાં નાયર યોદ્ધાઓની ભૂમિકા સમાવિષ્ટ છે. નાયરોને બ્રિટિશ સરકાર દ્વારા લડાયક જાતિ<ref>{{cite book | title = Asia: Asian Quarterly of Culture and Synthesis | author = American Asiatic Association | publisher = Asia Magazine | year = 1942 | page = 22}}</ref><ref>{{cite book | title = The Mass Media and Village Life: An Indian Study | author = Paul Hartmann, B. R. Patil, Anita Dighe | publisher = Sage Publications | year = 1989 | page = 224}}</ref><ref>{{cite book | title = Many Worlds: An Autobiography | author = Kumara Padmanabha Sivasankara Menon | publisher = Oxford University Press | year = 1965 | page = 2}}</ref><ref>{{cite book | title = Imprint | author = Hugh Gantzer | publisher = Business Press | date = April 1975-March 1976 | page = 80}}</ref> તરીતે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા, અને [[બ્રિટિશ]] લશ્કરમાં મોટા ભાગના લોકો નાયરો હતા, બ્રિટિશ સત્તા તરફથી તેમને ધણા પુરસ્કારો પણ મળ્યા હતા, પણ વેલુ થમ્પી દલવાના નેતૃત્વ હેઠળ બ્રિટિશરો વિરુદ્ધ બળવો પોકાર્યા બાદ તેમને બ્રિટિશ ભારતીય લશ્કરમાં ઓછી સંખ્યામાં મૂકવામાં આવ્યા.<ref name="keralapolicehistory.com">[http://www.keralapolicehistory.com/trvpol1.html http://www.keralapolicehistory.com/trvpol1.html]</ref> 1935 સુધી, [[તિરુવિતમકૂર]] [[નાયર પટ્ટાલમ]] (ત્રાવણકોર રાજ્ય નાયર લશ્કર)માં ખાલી નાયરોને જ ભરતી કરવામાં આવતા હતા, જેમાં પછીથી નાયર ના હોય તેવા લોકને પણ તેમાં જોડાવામાં આવ્યા.<ref name="keralapolicehistory.com"></ref> આ રાજ્ય બળને (જેને નાયર બ્રિગેડ તરીકે પણ ઓળખાતું હતું), આઝાદી પછી [[ભારતીય સેના]]માં સમાવવામાં આવ્યું અને તે ભારતીય સેનાની સૌથી જૂની બટાલિયન, 9મી બટાલિયન મદ્રાસ રેજિમેન્ટ બની ગઇ.
સામંત ક્ષત્રિય [[કોલતીરી]] અને [[ત્રાવણકોર]] રાજ્યોમાં<ref name="autogenerated1">[http://www.everyculture.com/South-Asia/Nayar-History-and-Cultural-Relations.html નાયરનો ઇતિહાસ અને સંસ્કૃતિક સંબંધો]</ref> નાયર વારસો<ref>પૂર્વીય માનવ વિજ્ઞાની, એથ્રોનોગ્રાફિકલ અને લોક-સંસ્કૃતિ સમાજ (ઉત્તર પ્રદેશ, ભારત), લખનઉ વિદ્યાપીઠ માનવ વિજ્ઞાન પ્રયોગશાળા, 1958, p108</ref> છે. [[ઝમોરિન]] રાજા એક સામન્તન નાયર<ref name="autogenerated1"></ref> હતા અને [[કન્નૂર]]ના [[અરક્કાલ]] રાજ્યમાં પણ, જે કેરળ ક્ષેત્રનું એકમાત્ર [[મુસ્લિમ]] રાજ્ય હતું, તેના પણ રાજાના મૂળ નાયર હતા.<ref>{{cite book | title = A Survey of Kerala History | author = A. Sreedhara Menon | publisher = Sahitya Pravarthaka Co-operative Society | year = 1967 | page = 204}}</ref><ref>{{cite book | title = Lakshadweep| author = N. S. Mannadiar | publisher = Administration of the Union Territory of Lakshadweep | year = 1977 | page = 52}}</ref><ref>{{cite book | title = Reminiscences| author = Ke. Si. Māmmanmāppiḷa | publisher = Malayala Manorama Pub. House | year = 1980 | page = 75}}</ref> [[ત્રાવણકોર]]ના [[એટ્ટુવેટિલ પિલ્લમાર]] અને [[કોચીન]]ના [[પલિયાત અચન]] જેવા નાયર સામંતી પરિવાર ભૂતકાળમાં અત્યંત પ્રભાવશાળી અને સત્તારૂઢ દળો પર ખુબ જ અસર કરનારા હતા.
==વ્યુત્પત્તિશાસ્ત્ર==
''નાયર'' શબ્દની વ્યુત્પત્તિશાસ્ત્રમાં બે વ્યાખ્યાઓ છે. પહેલી વ્યાખ્યા મુજબ ''નાયર'' શબ્દ [[સંસ્કૃત]] શબ્દ ''નાયક'' ની વ્યુત્પન્ન છે, જેનો અર્થ નેતા થાય છે. સંસ્કૃત શબ્દ ''નાયક'' દક્ષિણ ભારતમાં અલગ અલગ રીતે દેખવામાં આવે છે (તમિલનાડુમાં ''[[નાયકન]]/[[નાઇકર]]'' , કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ''નાયક'' , આંધ્ર પ્રદેશમાં ''[[નાયુડૂ]]'' ) અને મલયાલમમાં ''નાયર'' શબ્દ નાયક શબ્દનો ભ્રષ્ટ સ્વરૂપ હોઇ શકે તેવું પણ સૂચન છે.<ref>{{cite book | title = Matrilineal System in Malabar| author = P. V. Balakrishnan | year = 1981 | page = 27}}</ref><ref>{{cite book | title = Manual of the Administration of the Madras Presidency | author = Madras (Presidency) | year = 1885 | page = 100}}</ref><ref>ધ સાઇક્લોપીડીયા ઓફ ઇન્ડિયન એન્ડ ઓફ વેસ્ટર્ન એન્ડ સધન એશિયા, એડવર્ડ વેલ્ફોર, 1885, p249</ref> બીજી વ્યાખ્યા એ છે કે નાયર શબ્દ નાગર (નાગ લોકો)નું ભ્રષ્ટ સ્વરૂપ હોય.
==ઉત્પત્તિના સિદ્ધાંતો==
[[File:LakshmiPillaiKochama.jpg|thumb|નાયર સ્ત્રી (ત્રાવનકોરના મહારાજા વિસખમ થ્રીરુનલ શ્રી રામ વર્માના પત્ની અરુમના આમ્માચી પનપોલ્લી અમ્મા શ્રીમતી લક્ષ્મી પીલઇ કોચ્ચમ્મા)]]
[[File:Ettuveedan.jpg|thumb|ઇટ્ટુવેટીલ પીલ્લામરના નાયર સામંત વડા]]
નાયરોના વિષયમાં પ્રારંભિક વર્ણનોના ઉલ્લેખ મુજબ નાયર (નાગર) [[નાગા રાજ્ય]] દ્વારા [[મહાભારત]]ના સમયમાં [[કુરુક્ષેત્ર]] યુદ્ઘમાં ભાગ લેવા માટે મોકલવામાં આવેલ [[સર્પ]] જાતિના યોદ્ધાઓના વંશજ છે (સ્ત્રોતોની સૂચિમાં કુલ આઠ નાગોને ગણવામાં આવે છે - [[વાસુકી]], [[અનંત]], [[તક્ષક]], સંગપાલ, ગુલિકા, [[મહાપદ્મ]], સરકોટા, અને [[કર્કોટકા]]. નાયરો માટે [[શ્રી પદ્મનાભસ્વામી મંદિર]]નું વિશેષ મહત્વ છે. કારણકે તેને અનંત નો નિવાસસ્થાન માનવામાં આવે છે અને નાયરોનો દાવો છે કે આ મંદિરમાં વિશેષ શક્તિઓ છે<ref>એમપ્રિરલ ગેઝટેરર ઓફ ઇન્ડિયા: પ્રોવીનીકલ સીરીઝ, વોલ્યુમ 18 p.436</ref><ref>ટેમ્પલ ઓફ કેરેલા બાય એસ. જયશંકર, ઇન્ડિયા. ટેમ્પલ ઓફ કેરેલા બાય એસ. જયશંકર, ઇન્ડિયા. પ.322</ref>). યુદ્ધ પછી, તેમનો સામનો [[પરશુરામ]]થી થયો હતો, જેને નાગોનો વિનાશ કરવાની શપથ લીધી હતી, કારણ કે તે [[ક્ષત્રિય]] હતા. નાગોએ તેમની જાતને [[માનવ]] સ્વરૂપમાં બદલી લીધી, તેમના પવિત્ર દોરાઓને કાપી નાખ્યા, અને યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયા.
ઈ.સ.પૂ બીજી સદીમાં જ્યારે શક કે ઇન્ડો-સીદીયા લોકોએ ભારત પર હુમલો કર્યો, ત્યારે ઉત્તરી ભારતમાં કેટલાક નાગા [[સીદીયા]]માં મળી ગયા. તેમણે માતૃપ્રધાન સમાજવ્યવસ્થા, બહુપતિત્વ અને અન્ય સીદીયા પરંપરાઓને અપનાવી લીધી.<ref>કેરેલાનો સામાજિક ઇતિહાસ: એલ. એ. ક્રિષ્ના ઐયર દ્વારા ડ્રવિડીયન </ref> [[ઉત્તર પ્રદેશ]]ના [[નૈનીતાલ]]ની નજીક [[અહિછત્ર]]માં નાગા-સીદીયા જનજાતિને 345 એડી (AD)માં [[કદંબ]] રાજવંશના રાજા [[મયૂરવર્મા]]એ તેમના અન્ય [[બ્રાહ્મણ]] પૂજારીઓની સાથે ઉત્તરી [[કર્ણાટક]]ના [[શિમોગ]]માં વસવા માટે આમંત્રિત કર્યા.<ref>પનીકાન્તા મિશ્રા દ્વારા કદમ્બા પ.14</ref><ref>એન.કે. સિંગ દ્વારા ભારતનો વિશ્વકોષ, જથ્થો 7 પ.2715</ref><ref>ધ ન્યૂ લાઇટ થ્રોન ઓન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા: ધ હિસ્ટ્રોરીકલ નાગા કિંગ ઓફ ઇન્ડિયા બાય નારાયન ગોપાલ તવકર</ref>
તેઓએ દક્ષિણ તરફ સ્થળાંતર કર્યું અને મલબાર પહોંચ્યા, જ્યાં તેઓએ [[વિલ્લવરો]]ની સાથે યુદ્ધ કરીને તેમને હરાવ્યા. ત્યારબાદ તેમણે મલબાર અને [[તુલુ નાડુ]]<ref>ડૉ. ડી.ડી. કોસમ્બી ઇન એન ઇન્ટ્રોડકશન ટુ ધ સ્ટડી ઓફ ઇન્યન હિસ્ટ્રી, (બોમ્બે, 1956), પ.113 - નાયર: 1959: 11</ref>માં [[પોતાનું રાજ્ય]] સ્થાપ્યું છેલ્લે નાગા [[ત્રાવણકોર]] આવ્યા, જે ભારતનો દક્ષિણનો મોટો ભાગ છે.
અત્યારે પણ મન્નારસાલા (ત્રાવણકોર)માં પવિત્ર ''[[સર્પકાવુ]]'' (સાપનું ઉપવન) આવેલું છે, જે એક નાયર પરિવારની માલિકીનું છે, જેમના પૂર્વજોની વિષે તેવી માન્યતા છે કે તે એજ નાગા સાપ છે જેને ભગવાન [[કૃષ્ણ]] અને [[અર્જુન]] દ્વારા [[ખાંડવ વન]] (હાલ [[પંજાબ]]માં)ના દહનના સમયે છોડવામાં આવ્યો હતો.<ref>સોસયલ હિસ્ટ્રી ઓફ કેરલા: ધ ડ્રવીડિયન્સ બાય એલ.એ. ક્રિષ્ના ઐયર પ.003</ref>
પૌરાણિક કથાઓ સિવાય, નાયરોને [[નાગવંશી]] [[ક્ષત્રિયો]]ના વંશજ માનવામાં આવે છે, જેમણે આગળ ઉત્તરથી [[કેરળ]]ની બાજુએ સ્થનાંતર કર્યું હતું.<ref>કિશોરી લાલ ફૌઝદાર: '' ઉત્તરપ્રદેશ કે મધ્યકાલીન ઝાટવંશ ઔર રાજ્ય'' , જાટ સમાજ, માસિક સામાયિક, આગ્રા, સપ્ટેમ્બર-ઓક્ટોબર 1999</ref> ડૉ. કે. કે. પિલ્લઇના મત મુજબ, નાયરોના વિષયમાં પહેલો સંદર્ભ, 9મી સદી ના એક શિલાલેખમાં મળી આવે છે.<ref>{{cite book | title = In Quest of Kerala | author = K. Balachandran Nair | publisher = Accent Publications | year = 1974| page = 117}}</ref>
નાયરોને આ રીતે વર્ણવામાં આવ્યા હતા:
{{cquote|A race caste who do not owe their origin to function, although, by force of example, their organization is almost equally rigid, and they are generally identified with particular trades or occupations. These race caste communities were originally tribes, but on entering the fold of Hinduism, they imitated the Hindu social organization, and have thus gradually hardened to castes.<ref>{{cite book | title = Encyclopedia of Religion and Ethics Part 5 | author = James Hastings | publisher = Kessinger Publishing | year = 2003 | page = 231}}</ref>}}
અનેક સમાજશાસ્ત્રીઓના મતે નાયર [[કેરળ]]ના મૂળ વતની નથી, કારણ કે તેઓના અનેક રિવાજો અને પરંપરાઓ અન્ય કેરળવાસીઓ કરતા અલગ છે. પૌરાણિક કથાઓના આધાર પ્રમાણેની એક પરિકલ્પના છે કે નાયર લોકો નાગ છે, જે નાગ રાજવંશ (નાગવંશ)થી<ref>ડાઉનફોલ ઓફ હિન્દુ ઇન્ડિયન, ચિન્તામન વિનાયક વૈદ્ય 1986, પ 278</ref><ref>{{cite book | title = The Modern Review | author = Ramananda Chatterjee | publisher = Prabasi Press Private, Ltd. | year = 1922| page = 675}}</ref> જોડાયેલા ''[[ક્ષત્રિય]]'' છે, જેમણે પોતાના પવિત્ર દોરાઓને નીકાળી દઇ અને પ્રતિશોધી [[પરશુરામ]]ના ક્રોધથી બચવા માટે દક્ષિણની બાજુએ પલાયન કર્યું હતું. [[રોહિલખંડ]]માં નાગાના મૂળ એક વિચાર તરફ સૂચન કરે છે.<ref>જેર્વોસે એથેલ્સટવ બાઇનેસ (1893), જનરલ રિપોર્ટ ઓન ધ સેન્સુસ ઓફ ઇન્ડિયા, 1891, લંડન, હર મેજેસ્ટી સ્ટેશનરી ઓફિસ, પી. 184</ref> નાગની પૂજાના સંબંધમાં નાયર સમુદાયનો લગાવ, યૌદ્ધા હોવાનો તેમનો ભૂતકાળ, અને પવિત્ર દારોઓની અનઉપસ્થિતિ આ સિદ્ધાંતને સમર્થન પૂરું પાડે છે. તે સિવાય, [[ત્રાવણકોર]] રાજ્યની પરિચય પુસ્તિકામાં ઉલ્લેખ છે કે કેરળમાં નાગની પૂજા કરવાવાળા નાગા જરૂરથી હયાત હતા જેમણે સહમતિ થવા સુધી નમ્બૂથીરીસની સાથે લડાઇ કરી. નાયરોની ઇન્ડો-સીદીયા ([[શક]]) મૂળના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે અને સાથે જ નાગોની સાથે પણ તેમને જોડવામાં આવે છે.<ref>{{cite book | title = The Modern Review | author = Ramananda Chatterjee | publisher = Prabasi Press Private, Ltd | year = 1907 | page = 695}}</ref><ref>રમન મેનન, કે. "ધ સીથીઅન ઓરીજીન ઓફ ધ નાયર્સ", માલાબાર ક્વોટર્લી રીવ્યૂ, વોલ્યુમ I, નો. 2, જુન 1902</ref><ref>{{cite book | title = The Travancore State Manual | author = V. Nagam Aiya | publisher = Princely State of Travancore | year = 1906 | page = 348}}</ref>
તમિલ ગ્રંથોની વ્યાખ્યા કરનાર [[ચટ્ટામ્પી સ્વામીકલ]]ના મત મુજબ, નાયરો નાકા (નાગ કે સાપ)સ્વામી હતા, જેમણે [[ચેરા]] (ચેરા= સાપ) રાજ્યના સામંતી શાસકોના રૂપે શાસન કર્યું. માટે આ સિદ્ધાંત રજૂ કરે છે કે નાયરો કેરળના બ્રાહ્મણ-પૂર્વો શાસકો અને લશ્કરી કુલીનોના વંશજ છે. પણ સૌથી વ્યાપક રીતે સ્વીકૃત સિદ્ધાંત તે છે કે તે જાતીય સમૂહ કેરળના મૂળ નિવાસી નથી અને કેરળના નાયરો અને તેવી રીતના માતૃવંશીય તુલુ નાડુ કે બંટ ક્ષત્રિયોના વંશજ છે, જે બ્રાહ્મણોની સાથે દક્ષિણ પાંચલના અહિછત્ર/અહિક્ષેત્રથી ક્રમશ: કેરળ અને તુલુ નાડુ આવ્યા હતા.<ref>http://nairsofkerala.blog.co.uk/2008/03/12/theories-of-origin-3860390/ {{Webarchive|url=https://web.archive.org/web/20080612060531/http://nairsofkerala.blog.co.uk/2008/03/12/theories-of-origin-3860390 |date=2008-06-12 }} થયરી ઓફ ઓરીજીન</ref> દ્વિતીય ચેરા રાજવંશના રાજા વર્મા [[કુલશેખર]]ના (1020–1102) શાસનકાળમાં નાયરોની વિષે ઉલ્લેખ મળે છે. જ્યારે ચોલા દ્વારા ચેરા રાજ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. નાયર ચડાઇ કરનાર લશ્કરની સામે આત્મધાતી ટુકડી (ચાવેર)ની રચના કરીને લડાઇ લડી હતી.{{Citation needed|date=August 2009}} જો કે તે સ્પષ્ટ નથી કે ચેરો પણ નાયર હતા કે નહીં, કે પછી ચેરોએ નાયરોને યૌદ્ધા વર્ગની રીતે નિયુક્ત કર્યા હતા.<ref name="ZachariasThundy">[http://www.shelterbelt.com/KJ/khnairs.html ધ નાયર હેરીટેજ ઓફ કેરલા: પીપલ એન્ડ કલચર] {{Webarchive|url=https://web.archive.org/web/20100521043819/http://www.shelterbelt.com/KJ/khnairs.html |date=2010-05-21 }}, ''keralaonlinetourism.com''</ref>
==તુલુ નાડુના બંટો સાથીનું જોડાણ==
17મી સદીના બ્રાહ્મણ - [[મલયાલી]] બ્રાહ્મણોથી પ્રેરાઇને કેરલોલપતિ અને [[તુલુ]] બ્રાહ્મણોએ ગ્રામ પધતીમાં, કેરળના નાયરો અને એવી જ રીતે તુલુ નાડુના માતૃવંશીય [[બંટો]]ના ક્ષત્રિયોના વંશજોની રીતે વર્ણન કર્યું. જે ક્રમશ ઉત્તરી [[પાંચાલ]] કે અહીછત્ર/અહીક્ષેત્રના બ્રાહ્મણોની સાથે કેરળ અને તુલુ નાડુ પહોચ્યાં હતા.<ref>http://books.google.com/books?id=K0RHOwAACAAJ મેકલેન મેન્યુઅલ ઓફ ધ એડમીનીસ્ટ્રેશન ઓફ ધ મદ્રાસ પ્રેસીડન્સી</ref>.આ શહેરના અવશેષ વર્તમાન ભારતીય રાજ્ય [[ઉત્તર પ્રદેશ]]ના [[બરેલી જિલ્લા]]માં [[અઓનલા]] તહસિલમાં વસેલા [[રામનગર]] ગામમાંથી મળી આવ્યા હતા.<ref>લહીરી, બેલા (1972). ''ઇન્ડીજેનીયસ સ્ટેટ ઓફ નોર્થ ઇન્ડિયા (સીસ્કા 200 બી.સી. ટુ 320 એ.ડી.)'' , કલકત્તા: યુનિવર્સિટી ઓફ કલકત્તા, પપ.170-88</ref>
''ધ મૅન્યુઅલ ઓફ મદ્રાસ એડ્મિનિસ્ટ્રેશન ખંડ II'' (1885માં મુદ્રિત કરેલ)ની નોંધ મુજબ [[કુંદગન્નદા]] (કન્નડ ભાષા) બોલવા વાળા નડવા કે નાડા બંટ અને મલયાલમ બોલવા વાળા મલબારના નાયર તથા દક્ષિણ તુલુ બોલનાર બંટ લોકો એક જ છે:<blockquote>
{{cquote|They appear to have entered Malabar from the North rather than the South and to have peopled first the Tulu, and then the Malayalam country. They were probably the off-shoot of some colony in the Konkan or the Deccan. In Malabar and south of Kanara as far as Kasargod, they are called Nayars and their language is Malayalam. From Kasargod to Brahmavar, they are termed as [[Bunt]]s and speak Tulu. To the north of Brahmavar, they are called Nadavars, and they speak Kanarese.}}
</blockquote>
તુલુ નાડુના નાયરોનું અસ્તિત્વ ખોવાઇ ગયું છે પણ મધ્યયુગીન [[બરકુર]]માંથી મળેલા શિલાલેખો અને ગ્રામ પદથીમાં, તુલુ નાડુના બ્રાહ્મણ પરિવારોનો ઇતિહાસ દેખવામાં મળે છે, જેમાં નાયરોની વિષયમાં કેટલાય સંદર્ભો છે. તેવું લાગે છે બ્રાહ્મણોની સાથે તેમનો ધનિષ્ઠ સંબંધ હતો અને તે તેમના સંરક્ષકોના રીતે કાર્ય કરતા હતા, આથી જ 8મી સદીમાં [[કદંબ]] રાજાઓ દ્વારા તેમને તુલુ નાડુ લાવવામાં આવ્યા હતા. કદંબ રાજા [[મયૂરવર્મા]]ને, અહિછત્ર (ઉત્તરમાંથી)માંથી બ્રાહ્મણોને લાવવાનો શ્રેય આપવામાં આવે છે, નાયરોના તુલુ નાડુમાં વસવાટ અને શિલાલેખોમાં તુલુ નાડુમાં નાયરોની ઉપસ્થિતિનો ઉલ્લેખ અલુપા કાળ (14મી સદીના પ્રારંભિક ભાગ)ના પછી આવે છે. કેરળના રાજાઓની રીતે તુલુ નાડુના બંટ રાજાઓના વડવાઓ પણ નાયર વંશના હતા. ઉદાહરણ તરીકે, [[ઉડુપી જિલ્લા]]ના [[કનજર]]ના અંતિમ બંટ શાસકને નાયર હેગ્ગડે કહેવામાં આવતું હતું. તેમનો મહેલ ''કનજર દોડ્ડમને'' જે હાલ જીર્ણ અવસ્થામાં છે, જેનો હાલમાં પુનરુદ્ધાર કરવામાં આવી રહ્યો છે.<ref>{{Cite web |url=http://www.daijiworld.com/news/news_disp.asp?n_id=76466 |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-08-17 |archive-date=2011-07-08 |archive-url=https://web.archive.org/web/20110708220404/http://www.daijiworld.com/news/news_disp.asp?n_id=76466 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.mangalorean.com/news.php?newstype=local&newsid=178348 |title=આર્કાઇવ ક .પિ |access-date=2021-07-10 |archive-date=2016-03-03 |archive-url=https://web.archive.org/web/20160303184919/http://www.mangalorean.com/news.php?newstype=local&newsid=178348 |url-status=dead }}</ref> કોવડોર (કનજરની નજીક)માં બંટોના શાહી ઘરને ''નાયર બેટ્ટુ'' કહેવામાં આવે છે. આ સિવાય બંટોમાં "નાયર" અટક પણ હોય છે. તેવું માનવામાં આવે છે કે તુલુ નાડુના નાયરો પછીથી બંટ સમુદાયમાં સામાજીક સ્તરમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. તે પણ જાણીતું છે કે મલબારના નયારો મૂળ તુલુ નાડુથી સ્થાનાંતરિત થઇને અહીં વસ્યા હતા<sup></sup> ઉલ્લેખનીય છે કે નાયરો અને બંટોની પરંપરાઓ અને સંસ્કૃતિઓમાં ધણી સમાનતા છે. હાલ જો નાયર પોતાના વંશને તુલુ નાડુમાં શોધી શકે છે તે મલબાર ક્ષેત્રમાં કેદ્રિત છે.<ref>{{Cite web |url=http://www.nairs.in/classifications.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-08-17 |archive-date=2010-05-16 |archive-url=https://web.archive.org/web/20100516040843/http://www.nairs.in/classifications.htm |url-status=dead }}</ref>
==ઉપજાતિઓ==
થોડાક દાયકા પહેલા, નાયર કેટલીય ઉપજાતિઓમાં વિભાજીત હતા અને તેમની વચ્ચે આંતર ભોજન અને આંતર વિવાહ નહતો કરતો. અંગ્રેજો દ્વારા કરાયેલ [[1891 ભારતની જનગણના]]માં [[માલાબાર]] ક્ષેત્રમાં કુલ 138, [[ત્રાવણકોર]] ક્ષેત્રમાં 44 અને [[કોચીન]] ક્ષેત્રમાં કુલ 55 નાયર ઉપજાતિઓ સૂચિબદ્ધ હતી.<ref name="jstor.org">http://www.jstor.org/stable/3629883 ધ ઇન્ટનેશનલ સ્ટકચર ઓફ ધ નાયર કાસ્ટ, સી. જે. ફુલેર</ref>
==અટકો==
[[File:Irayimman thampi1.jpg|thumb|right|200px|ઇરાયીમ્મન થમ્પી]]
મોટાભાગના નાયરોના નામોની સાથે તેમના માતૃપક્ષ ''[[તરવાડુ]]'' જોડાયેલો હોય છે. જેની સાથે, વંશની આગળની ઓળખની માટે નામોની સાથે અટક જોડવામાં આવે છે. નાયરોની વચ્ચે કેટલીક અટકો જોવા મળે છે. કેટલીક અટક તેમના વીર કાર્યો અને સેવાઓને માટે રાજા દ્વારા તેમને આપવામાં આવી હતી. કોચીનના રાજાઓએ નાયરોને [[અચન]], [[કર્તા]], [[કઇમાલ]] અને [[મન્નડિયાર]] જેવી પદવીઓ આપી હતી. મલબાર અને કોચીન ક્ષેત્રના નાયરો દ્વારા [[મેનન]] ખિતાબનો પ્રયોગ કરવામાં આવે છે. વેનાડના દક્ષિણ રાજ્યો (પછીથી ત્રાવણકોર તરીકે વિસ્તૃત કરાયું)ના, કાયમાકુલમ, તેક્કુમકુર અને વદક્કુમકુરને પ્રતિષ્ઠિત નાયર પરિવારોને [[પિલ્લઇ]], [[તંપી]], [[ઉન્નિથન]] અને [[વલિઅથન]] જેવા ખિતાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ''કલરી'' જેવી લશ્કરી વિદ્યાલયોના ચલાવનાર નાયરોના ખિતાબ હતા [[પનીક્કર]] અને [[કુરુપ]]. [[નાંબિયાર]], [[નયનાર]], [[કિટવુ]], અને [[મેનોક્કી]] જેવી અટકો કેવળ ઉત્તરી કેરળમાં જોવા મળે છે, જ્યાં "નાયર" અટક આખા કેરળમાં સર્વવ્યાપી છે.
==ઇતિહાસ==
[[File:Urmi-Payattu.jpg|left|thumb|નાયરો દ્વારા કલરીપયટ્ટુનો અભ્યાસ કરવામાં આવતો હતો.]]
મધ્યયુગીન દક્ષિણ ભારતીય ઇતિહાસ, ઇતિહાસકારો, અને વિદેશી યાત્રીઓએ નાયરોનો ઉલ્લેખ પ્રતિષ્ઠિત ખાનદાની લડાયક તરીકે કર્યો હતો. નાયરોની વિષયમાં પ્રારંભિક સંદર્ભ [[ગ્રીક]] રાજદૂત મેગસ્થનીસ પાસેથી મળે છે. પ્રાચીન ભારતમાં તેમના વૃતાન્તોમાં, તેમણે "મલબારના નાયકો" અને "ચેરા રાજ્ય"નો ઉલ્લેખ કર્યો હતો.<ref name="TSM">આઇયા, વી. નગમ: "ટ્રાવનકોર સ્ટેટ મેન્યુઅલ", પાનાઓ 232, 238</ref>.
નાયરોની ઉત્પત્તિની વ્યાખ્યા કરવા વાળા વિભિન્ન સિદ્ધાંતોને ધ્યાનમાં રાખ્યા વિના, એ સ્પષ્ટ છે કે પ્રારંભિક 20મી સદી સુધી, નાયરોએ મધ્યયુગીન કેરળ સમાજમાં સામંતી જમીનદારો તરીકે પોતાનો પ્રભાવ જમાવ્યો હતો અને તેમની પાસે પોતાની અનેક વિશાળ સંપત્તિઓ હતી. મધ્યયુગીન કેરળમાં ખાનદાની લડાયક તરીકે નાયરોની સ્થિતિની તુલના, મધ્યયુગીન જાપાની સમાજના [[સમુરાઇ]]ની સાથે કરવામાં આવી છે.
[[જાપાન]]. કેરળમાં બ્રિટિશ યુગની પહેલા નાયરોનો દીવાની, શાસન અને લશ્કરી શ્રેષ્ઠ વર્ગ પર પ્રભાવ હતો.<ref>{{cite book | title = Mysore and Kerala | author = Indian Department of Tourism | publisher = Indian Department of Tourism | year = 1966| page = 4}}</ref><ref>[http://www.canisius.edu/topos/archives/rajeev6.pdf નાઇધર ન્યૂટન નોર લેબ્નીઝ] {{Webarchive|url=https://web.archive.org/web/20070927010230/http://www.canisius.edu/topos/archives/rajeev6.pdf |date=2007-09-27 }}, ''canisius.edu''</ref><ref>[http://www.veda.harekrsna.cz/encyclopedia/aikido.htm ફ્રોમ વેદીક માર્શલ આર્ટ્સ ટુ ઇકોડો] {{Webarchive|url=https://web.archive.org/web/20110519025458/http://www.veda.harekrsna.cz/encyclopedia/aikido.htm |date=2011-05-19 }}, ''veda.harekrsna.cz''</ref><ref>[http://www.rediff.com/travel/1998/apr/30kala1.htm અ ટ્રાવેલ ફ્યૂચર ઓન ધ ઇનસીયન્ટ કેરલા આર્ટ ઓફ કલરીપયુટ્ટુ], ''rediff.com'' </ref><ref>[http://www.enskalari.org.in/kalari.htm કલરીપયટ્ટુ, ધ ટ્રેડિશનલ માર્શલ આર્ટ] {{Webarchive|url=https://web.archive.org/web/20070812200215/http://www.enskalari.org.in/kalari.htm |date=2007-08-12 }}, ''enskalari.org.in''</ref><ref>{{cite book | title = Into India | author = John Keay | publisher = University of Michigan Press | year = 1999| page = 75 | isbn = 0472086359}}</ref><ref>{{cite book | title = Storm Over Seringapatam: The Incredible Story of Hyder Ali & Tippu Sultan | author = Praxy Fernandes | publisher = Thackers | year = 1969| page = 35}}</ref><ref>{{cite book | title = The Tigers of Mysore: A Biography of Hyder Ali & Tipu Sultan | author = Praxy Fernandes | publisher = Viking | year = 1991| page = 29 | isbn = 0670839876}}</ref>
===નાયરોના પ્રભાવનું પતન===
નાયરોના પ્રભાવનું પતન કેટલાક ભાગોમાં થયું. ઉપનિવેશક સમયમાં, બ્રિટિશોએ માન્યું કે નાયર ક્ષેત્રમાં તેમના નેતૃત્વ માટે સ્વાભાવિક ખતરો છે અને તેથી તેમના દ્વારા હથિયારોને રાખવાનો હકને ગેર કાનૂની જાહેર કરવામાં આવ્યો અને કેરળની સામાજિક કળા [[કલરીપયટ્ટુ]] પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો.<ref name="Findarticles">[http://findarticles.com/p/articles/mi_m0WDP/is_2003_Jan_6/ai_96212029 ઇનસીયન્ટ માર્શલ આર્ટ ફાઇટ ફોર સરવાઇવલ ઇન ઇન્ડિયા] {{Webarchive|url=https://web.archive.org/web/20101119050719/http://findarticles.com/p/articles/mi_m0WDP/is_2003_Jan_6/ai_96212029/ |date=2010-11-19 }}, ''findarticles.com''</ref><ref name="usadojo">[http://www.usadojo.com/styles/about-kalari.htm કલરી] {{Webarchive|url=https://web.archive.org/web/20110107062816/http://www.usadojo.com/styles/about-kalari.htm |date=2011-01-07 }}, ''usadojo.com''</ref> હથિયાર નાયર માનસિકતા અને સત્તાના અભિન્ન અંગ હતા, અને દમનકારી કાનૂનની સાથે સંયુક્ત થવા પર નાયરોની સામાજીક પ્રતિષ્ઠાને નુકશાન પહોચ્યું, જોકે કેટલાક સામાજિક કાયદાઓ નાયરો દ્વારા સૂચવવામાં આવ્યા હતા, જેમ કે કર્નવનના તારવાડએ પોતાના કારભારના કેટલાક (અને પાછળથી તમામ) ફળો પોતાના બાળકોને વારસામાં આપવાની અનુમતી. ઉપનિવેશવાદી વર્ષો પછી, 1950માં [[ભૂમિ સુધાર હુકમ]]ના કારણે નાયર [[સામંત સ્વામીઓ]]ને મોટે પાયે તેમની જમીનો પરની માલિકીને છોડવી પડી અને કેટલાક કુલીન નાયરો રાતો રાત ગરીબ બની ગયા.
===નાયર બ્રિગ્રેડ===
[[File:Tvm legmuseum.jpg|thumb|250px|right|ત્રાવનકોરના નાયર બ્રીગેડનું મુખ્યાલય આ ઇમારત હવે કેરલાના સંગ્રહાલયની ધારાસભા બની ગઇ છે.]]
'''નાયર બ્રિગ્રેડ''' [[ભારત]]ના અગાઉના રાજ્ય [[ત્રાવણકોર]]ની સેના હતી. આ પ્રદેશમાં નાયર યૌદ્ધા સમુદાયના હતા, જે ત્રાવણકોર અને અન્ય સ્થાનીય રાજ્યોની સુરક્ષા માટે જવાબદાર હતા. રાજા [[માર્તાન્ડ વર્મા]] (1706-1758)ના અંગત અંગરક્ષકને 'તિરુવિથમકૂર નાયર પટ્ટલમ' (ત્રાવણકોર નાયર સેના) કહેવામાં આવતું હતું. 1818માં ત્રાવણકોર સેનાને અધિકૃત રીતે ત્રાવણકોર નાયર બ્રિગ્રેડ તરીકે સ્વીકારવામાં આવી.
સ્વતંત્રતા બાદ, [[મદ્રાસ રેજિમેન્ટ]] માટે [[મલબાર]]થી સૌથી મહત્વપૂર્ણ ભરતી ક્ષેત્ર રહ્યો છે અને આ વિસ્તારમાંથી કરવામાં આવેલી ભરતીમાં નાયરો મોટી માત્રમાં જોડાયેલા હતા.<ref>ધ બુક ઓફ ડુર્રેટ બારબોસા: એન અકાઉન્ટ ઓફ ધ કન્ટ્રીઝ બોર્ડીંગ ઓન ધ ... બાય ડુર્રેટ બોર્ડોસા, માન્સેલ લોન્ગવર્થ ડેમ્સ p.38</ref> જોકે ખાલી મલબાર નાયરો જ નહીં, પણ [[ત્રાવણકોર]] અને [[કોચીન]]ના નાયરો પણ મદ્રાસ રેજિમેન્ટનો મહત્વો ભાગ છે. પહેલાની બે ત્રાવણકોર રાજ્ય સેના ભાગો, 1 ત્રાવણકોર નાયર પાયદળ અને 2જી ત્રાવણકોર નાયર પાયદળને આઝાદી પછી મદ્રાસ રેજિમેન્ટ ક્રમશ 9મી અને 16મી બટાલિયનો (લશ્કરી ટુકડીઓ)ના રૂપમાં પરિવર્તિત કરવામાં આવ્યા. કોચીનની નાયર સેનાનો 17મી બટાલિયન (લશ્કરી ટુકડી) તરીકે પુનરુદ્ધાર કરવામાં આવ્યો.<ref>વાલુર એન્ડ સેક્રીફાઇસ: ફેમસ રેજીમેન્ટ ઓફ ધ ઇન્ડીયન આર્મી બાય ગૌતમ શર્મા p.59</ref>
==વસ્તી વિષયક માહિતી==
[[1891ની ભારત જનગણના]] મુજબ, નાયરોની કુલ વસ્તી 980,860 છે (જેમાં મારન અને સામંતન નાયરોની ઉપજાતિઓ સમાવિષ્ટ નથી). આમાંથી 483,725 (49.3%) [[ત્રાવણકોર]]માં, 101,691 (10.4%) [[કોચીન]]માં અને 377,828 (38.5%) [[માલાબાર]]માં વસેલા છે. બાકી મોટાભાગના મદ્રાસ પ્રમુખપદ (15,939) અને બ્રિટિશ ભારતના અન્ય ભાગોમાં (1,677) જોવા મળે છે.<ref>ધ ઇન્ટરનલ સ્ટ્રકચર ઓફ ધ નાયર કાસ્ટ, સી. જે. ફુલર</ref> કેરળ સરકાર દ્વારા કરેલા 1968ના સામાજીક આર્થિક સર્વેક્ષણમાં રાજ્યની કુલ જનસંખ્યામાં 14.41% નાયરો છે, જ્યારે રાજ્યની [[અગ્ર જાતિ]]ની જનસંખ્યા 89% હતી.
==ધર્મ==
[[નમ્બૂતિરી]]ઓ અને [[અમ્બલવાસી]]ઓની સાથે નાયરો કેરળમાં હિન્દુવાદ માટે મુખ્ય આધાર છે. [[આર્યન]] પરંપરાઓના સંપૂર્ણ પ્રભાવ બાદ પણ, [[નાગ]] રિવાજોના થોડાક અંશો હજી પણ નાયરોમાં જોવા મળે છે, ઉદાહરણ તરીકે સાપની પૂજા. પવિત્ર જંગલો, જ્યાં નાગ દેવતાઓ (સાપ દેવો)ની પૂજા ધણા નાયર [[તરવાડો]]માં જોવા મળે છે. આ પવિત્ર જંગલો [[સર્પ કવુ]] નામે જાણીતા છે (એટલે સાપ દેવતાઓનું ઘર). પહેલાના સમયમાં કોઇ પણ સમરુદ્ઘ નાયર તરવાડુની વિશેષતા હતી કવુ અને કુલમ (પાણીના તળાવની સાથે પથ્થરોના પગથિયા અને સરહદ). નાયર વ્યક્તિગત સ્વચ્છતા પર ભાર મૂકતા હતા અને તેથીજ તળાવ તેમના માટે જરૂરી હતા. તેઓ રોજ કાવુની અંદર નાગતારા પર દીવો પેટાવીને પૂજા કરતા હતા. નિલા વિલક્કુ (પવિત્ર દીવા)ની સામે પ્રત્યેક ધાર્મિક નાયર તરવાડુ દર રોજ સાંજે દેવતાઓના સ્ત્રોત-પાઠ કરે છે. નાયરો આદરણીય કારા (ક્ષેત્ર)માં મંદિરોના સંરક્ષકો હતા અને તે દરરોજ મંદિરોમાં પણ પૂજા કરતા હતા. મોટે ભાગે [[મલબાર|<span class="goog-gtc-fnr-highlight">મલબાર</span>]] ક્ષેત્રમાં થયેલા, અસંખ્ય નાયર – [[મુસ્લિમ]] સંધર્ષોના કારણે નાયરો દ્વારા હિંદુ ધર્મનું કટ્ટરતાથી પાલન કરવામાં આવી રહ્યું છે. આ બધામાં ઉલ્લેખનીય છે [[સેરીન્ગપટ્મની નાયરોની કેદ]]<ref>{{cite book
|title=Sarasvati's Children: A History of the Mangalorean Christians
|last=Prabhu
|first=Alan Machado
|year=1999
|publisher=I.J.A. Publications
|page=250
|isbn=9788186778258
|ref=mac}}</ref>, જ્યાં હજારો નાયરોને [[ટીપુ સુલતાન]]ના આધીન મુસલમાનો દ્વારા બલિ ચઢાવવામાં આવ્યા હતા. સેરીન્ગપટ્મમાં નાયરોની પરાજયના પરિણામ સ્વરૂપે દક્ષિણી મૈસૂર ક્ષેત્રમાં [[હિન્દુ ધર્મ]]નો વિનાશ થયો. જોકે, [[ત્રાવણકોર]]ના નાયરો, [[બ્રિટિશ]]ની મદદથી 1972માં [[ત્રીજા એંગ્લો-મૈસૂર યુદ્ધ]]ના સમયે મુસ્લિમ બળો પર વિજળ મેળવવામાં સફળ રહ્યા.<ref>http://books.google.com/books?id=QIyz79F3Nn0C&pg=PA392&dq=Seringapatam&lr=&as_brr=3&client=firefox-a&sig=l_6_DAL_wD-FFzcOXZ8YQ8o4KBs</ref> 1920ની સાલ દરમિયાન [[મોપ્લા તોફાનો]] તરીકે વિખ્યાત તોફાનોમાં, જે બીજો સંધર્ષ થયો, તેમાં મુસલમાનો દ્વારા લગભગ 30,000<ref>{{cite book | title = Encyclopaedia of Political Parties: India, Pakistan, Bangladesh : National, Regional, Local | author = O P Ralhan | publisher = Anmol Publications PVT. LTD. | year = 1996 | page = 297}}</ref> નાયરોની સામૂહિક હત્યા કરાઇ હતી અને [[મલબાર]]માં લગભગ પૂરી રીતે હિંદુઓએ હિજરત કરવી પડી હતી.<ref>{{Cite web |url=http://www.keepmilitarymuseum.org/malabar.php?&dx=1&ob=3 |title=આર્કાઇવ ક .પિ |access-date=2022-02-17 |archive-date=2013-11-10 |archive-url=https://web.archive.org/web/20131110184023/http://www.keepmilitarymuseum.org/malabar.php?&dx=1&ob=3 |url-status=dead }}</ref>
જોકે, પોતાની સંખ્યાત્મક શ્રેષ્ઠતાને કારણે, [[ત્રાવણકોર]]માં [[નાયરો]] હિન્દુ પ્રભુત્વ જમાવી રાખવામાં સક્ષમ રહ્યું. [[ત્રાવણકોર]] સમગ્ર ભારતમાં બહુ જૂજ પ્રદેશોમાંથી એક છે જ્યાં મુસ્લિમ શાસન ક્યારેય સ્થાપિત નહતું થયું. નાયરો દ્વારા ખ્રિસ્તી [[ધર્માન્તર]] ગતિવિધિઓ પર પણ વિરોધના રૂપે [[ત્રાવણકોર]] વિસ્તારમાં [[ઇવાએન્જેલિકલ ખ્રિસ્તી]] સાથે થોડાક ઝધડા થયા હતા. [[ચટ્ટમ્પી સ્વામીકલ]] જેવા નાયર કાર્યકર્તાઓએ [[ખ્રિસ્તી]] મિશનરીની ગતિવિધિઓ પર જોરદાર વિરોધ દર્શાવીને [[ખ્રિસ્તી ધર્મ]]ની આલોચના કરી હતી.<ref>{{cite book
|title=Kristumata Chedanam
|last=Chattambi Swamikal
|first=H.H.Vidhyadhiraja Parama Bhattaraka
|year=1890
|publisher=Open Source Books
|page=Chapter 1–4
|isbn=
|ref=mac}}</ref>
==પોશાક==
નાયર સમુદાયનો પોશાક કેરળના અન્ય અગ્ર જાતિઓથી મળતો આવે છે.
==રાંધણકળા==
સામાન્ય મલયાલિયોની જેમ, નાયરોનું મુખ્ય ભોજન સમાન રીતે ઉકળેલા ભાત છે. ભાતને ચોરૂ (પાણીમાં ઉબાળેલા કે છાણેલા) કે ભાતની ઘેંસ કે ''[[કાંજી]]'' ની રીતે પીરસવામાં આવે છે.{{pron-en|ˈkɒndʒiː}} નાળિયેર, [[જેકફ્રૂટ]], કેળ, કેરી અને અન્ય ફળ અને શાકોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. નાળિયેરના તેલનો પણ વ્યાપક ઉપયોગ થાય છે. ઉત્સવોમાં ''ઘી'' નો ઉપયોગ કરવામાં આવે છે. પહેલાના સમયમાં, કંજી કે ચોરૂના સ્વરૂપમાં ભાત, શાક અને અન્ય વધારાના વ્યંજનોની સાથે ભોજન દિવસમાં બે કે ત્રણવાર પીરસવામાં આવતું હતું. આજકાલ, સવારના નાસ્તામાં દક્ષિણ ભારતીય ભાગના વ્યંજન જેવા કે ઇડલી કે ડોસા, કે પછી ઉત્તર ભારતની રોટલી કે શાક કે યૂરોપીય બ્રેડ ટોસ્ટ પણ નાસ્તા તરીકે લેવાય છે.
પરંપરાગત રીતે, મોટા ભાગના નાયરો, ખાસ કરીને સૌથી મોટા બે પેટા વિભાગો (કિરયતી નાયર અને ઇલ્લતુ નાયર) શાકાહારી નથી, કારણકે તેમનામાં માછલીને ખાવાની છૂટ છે. પણ [[સ્વરૂપતિલ નાયર]], [[મારર]], અકતુ ચર્ના નાયર, પૂરતુ ચર્ન નાયર અને [[પદમંગલમ નાયર]] જેવી ઉપજાતિઓ ચુસ્તપણે શાકાહારી છે.<ref name="jstor.org"></ref> જોકે આજકાલ ઘરમાં [[ચિકન]] અને મટન વ્યંજન પણ તૈયાર કરવામાં આવે છે, પણ પહેલા આની પર નિષેધ હતો. ગાયના માંસ અને [[દારૂ]]ના સેવન પર સખ્ત પ્રતિબંધ હતો અને સ્વતંત્રતાની પહેલાના સમયમાં આમ કરનારને મોટાભાગે હિંસા કે બહિષ્કારનો ભોગ બનવું પડતું હતું. શાકાહારી વ્યંજનોમાં, અવિયલ, તોરન, અને તેયલ ખાસ નાયર વ્યંજનો છે. ધાર્મિક વિધિઓના મહાભોજન વખતે ચુસ્ત પણે શાકાહારી ભોજન લેવામાં આવે છે. ધાર્મિક વિધિ અને ઉત્સવના સમયે પલપાયસમ અને અડા પ્રથમન જેવા મીઠા વ્યંજનો તૈયાર કરવામાં આવે છે. અન્ય વિશેષ વ્યંજનોમાં કોઝુક્કાટ્ટા, ચિવડા, ઇલયપ્પમ (મીઠું), ઓટ્ટાડા, કલિયોડક્કા, વગેરેનો સમાવેશ થાય છે.<ref>ટ્રાન્સકોર સ્ટેટ મેન્યુઅલ 1906 બાય વી નગમ આઇવા, વોલ્યુમ II પેજ 352</ref>.
==જાતિ વ્યવસ્થા ==
કેરળમાં જાતિ પદાનુક્રમમાં નાયરોની [[નમ્બૂથીરી]]ઓથી ઠીક નીચેની શ્રેણી પ્રાપ્ત છે અને ત્રણ કે ચાર પ્રમુખ નાયર ઉપજાતિઓ (જેવી કે [[કિરયતિલ]], [[ઇલક્કાર]] અને સ્વરૂપતિલ) [[કેરળ]]માં લડાયક વંશ તરીકે અધિકૃત છે. કેરળમાં, જેને [[સ્વામી વિવેકાનંદે]] '''"જાતિઓનું પાગલખાના"''' નો સંદર્ભ આપ્યો હતો, ત્યાં [[અસ્પૃશ્યતા]] અને જાતિગત ભેદભાવની પ્રણાલી 20મી સદીના મધ્ય સુધી પ્રચલિત હતી. ભારતમાં 19મી અને 20મી સદી દરમિયાન, [[સ્વામી વિવેકાનંદ]], [[નારાયણ ગુરુ]], [[ચટ્ટમ્બી સ્વામીકલ]] જેવા સમાજ સુધારકો અને આધ્યાતમિક નેતાઓ દ્વારા સમર્થિત સખત જાતિગત બાધાઓનો પાડી નાખવામાં આવી હતી.
:''"'''એક નાયરથી આશા રાખવામાં આવતી કે તે [[તિઅર]], કે [[મુકુઆ]] જાતિના કોઇ વ્યક્તિ જે નાયરને અડીને તેની દૂષિત કરે તેને તરત જ કાપી દે ; તેવો જ વ્યવહાર તે ગુલામોની સાથે કરવામાં આવતો હતો, જે તે રસ્તા પરથી ખસે નહીં, જે રસ્તા પરથી એક નાયર પસાર થતો હોય''' "'' <ref>http://books.google.com/books?id=FnB3k8fx5oEC&pg=PA291 કાસ્ટ એન્ડ ટ્રાઇબ ઓફ સાઉથ ઇન્ડિયા, વોલ્યુમ 7 બાય ઇડર થુર્સ્ટોન, કે. રાન્ગચીરી, પ.251</ref>
કેરળની પરંપરા મુજબ [[દલિતો]]ને બળજબરી પૂર્વક [[નમ્બૂથીરી]]ઓથી 96 ફીટનું અંતર, [[નાયરો]]થી 64 ફીટનું અંતર અને અન્ય ઊંચી જાતિયોથી (જેમ કે મારન અને આર્ય વૈશ્ય)થી 48 ફીટનું અંતર રાખવું પડતું, કારણ કે તેવી માન્યતા હતી કે દલિતો તેમને દૂષિત કરે છે.<ref>http://sih.sagepub.com/cgi/reprint/9/2/187.pdf?ck=nck</ref> અન્ય જાતિઓ જેવી કે નાયડી, કનિસન અને મુક્કુવનના નાયરોથી ક્રમશ: 72 ફીટ, 32 ફીટ અને 24 ફીટનું અંતર રાખવું પડતું હતું.<ref>{{Cite web |url=http://www.nairs.in/acha_a.htm |title=આર્કાઇવ ક .પિ |access-date=2010-08-17 |archive-date=2010-03-16 |archive-url=https://web.archive.org/web/20100316045940/http://www.nairs.in/acha_a.htm |url-status=dead }}</ref>
==સામાજિક – રાજનૈતિક ચળવળો==
[[File:Chattampi Swamikal.jpg|right|thumb|શ્રી ચટ્ટમ્પી સ્વામીકલ]]
1800ના અંતમાં અસંખ્ય સામાજીક-ધાર્મિક સુધાર ચળવળોની શરૂઆત થઇ, જેમાં કેરળના પ્રારંભિક લોકતાંત્રિક જન આંદોલનો પણ હતા. નાયરોને પણ આ પ્રકારના પરિવર્તનો અંગે પ્રતિક્રિયા કરવાની જરૂર જણાઇ. સંપૂર્ણ મધ્યયુગીન સમયમાં અને 19મી સદી સુધી, નાયરોની માત્ર કેરળમાં જ પૂર્વ-શ્રેષ્ઠ ભૂમિકા રહી હતી. 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં, તેમનું પ્રભુત્વ ફીકું પડવા લાગ્યું હતું. સંબંધમ જેવી સંસ્થાઓ અને માતૃવંશીય સંયુક્ત પરિવારની પ્રણાલી, જે પહેલા નાયર સમુદાયની શક્તિને સુનિશ્ચિત કરતી હતી, તે હવે કેરળના બદલાતા સામાજીક-રાજનૈતિક પુષ્ઠભૂમિના કેટલાક ખરાબ ઉત્પાદક બની ગયા હતા. બજાર અર્થવ્યવસ્થાનો પ્રભાવ, પારંપરિક લશ્કરી તાલીમની ગેરહાજરી, શિક્ષાની નવી પ્રણાલીના માધ્યમના નવા મૂલ્યોનું અવશોષણ, નીચી જાતિયોમાં સ્વ-ચેતનાની જાગૃતિ અને સમાનતા જેવા વિશેષઅધિકારોનો તેમની પર પ્રભાવ - આ તમામ કારણોના લીધે નાયર પ્રભુત્વનું પતન થયું. પતનની અનુભૂતિએ સુધારની ચેતનાને પ્રોત્સાહિત કરી જેની અભિવ્યક્તિ ચટ્ટમ્બી સ્વામીકલ જેવા ધાર્મિક વ્યક્તિના કાર્યમાં, સાહિત્ય, પ્રેસ, અને મંચો પર થવા લાગી અને પછીના વિવાહ, વારસા, સંપત્તિના અધિકાર જેવા ઠરાવો કાનૂની બન્યા. છેલ્લે, 1914માં આ આંદોલને [[નાયર સેવા સોસાયટી]]નો પાયો નાખીને તેને નિશ્ચિતરૂપ આવ્યું. વિદ્યાધિરાજ ચટ્ટમ્પી સ્વામીકલે કોલ્લમ જિલ્લામાં પનમન આશ્રમમાં સમાધિ ગ્રહણ કરી [http://www.panmanaashram.com ].
નાયર સેવા સોસાયટી (એનએસએસ(NSS)), નાયર સમૂહોના હિતમાં પ્રતિનિધિત્વ કરવા માટે નિર્માણ પામેલું સંગઠન છે. તેનું મુખ્યાલય ભારતના કેરળ રાજ્યના [[કોટ્ટાયમ]] જિલ્લાના [[ચંગનશેરી]] નગરના [[પેરુન્ના]]માં આવેલું છે. તેની સ્થાપના [[મન્નતુ પદ્મનાભમ]]<ref>[[વી. બાલાકિષ્નન]] & [[આર. લીલા દેવી]], 1982, મન્નુથુ પદમાન્ડઘન : એન્ડ ધ રાઇવલ ઓફ નાયર ઇન કેરલા, વિકાસ પ્લબિશીંગ હાઉસ, ન્યૂ દિલ્હી</ref>ના નેતૃત્વમાં કરવામાં આવી હતી. એનએસએસ (NSS)ના ત્રણ સ્તરીય સંગઠન છે જેનો આધાર સ્તર કરયોગમો સાથે છે, મધ્યવર્તી સ્તર પર તાલુક મંડળો અને અગ્ર સ્તરમાં મુખ્યાલય છે.
સમાજની પોતાની અનેક શિક્ષણ સંસ્થાઓ અને દવાખાનાઓ છે જેનું આયોજન તેના દ્વારા કરવામાં આવે છે. એનએસએસ (NSS)માં હિન્દુ કોલેજ, પંડાલમમાં એનએસએસ (NSS) કોલેજ, તિરુવનંતપુરમમાં મહાત્મા ગાંધી કોલેજ, વઝૂરમાં એસવીઆરવીએનએસએસ (SVRVNSS) કોલેજ, કન્નૂર,મટ્ટનૂરમાં પઝહસી રાજા એનએસએસ (NSS) કોલેજ, અને નિર્માણકાર, તિરુવનન્તપુરમમાં મહિલા કોલેજ. એન.એસ.એસ. (N.S.S) 150થી વધુ શાળાઓ, 18 આર્ટસ્ અને સાયન્સ કોલેજો, 3 ટ્રેનિંગ કોલેજ, 1 એન્જિનિઅરીંગ કોલેજ, 1 હોમિયો મેડિયકલ કોલેજ, કેટલીય નર્સિંગ કોલેજ, પોલિટેકનિક કોલેજ, ટી.ટી.સી. (T.T.C) શાળાઓ, કામકાજી મહિલાઓની હોસ્ટેલ અને તકનીકી સંસ્થાઓ ચાલે છે.
મન્નતુ પદ્મનાભના નેતૃત્વમાં, ભારતના અન્ય રાજ્યો અને વિદેશોમાં વસેલા પ્રવાસી નાયરોને પોતાના રાજ્ય અને દેશોમાં નાયર સેવા સોસાયટીઓનું ગઠન કર્યું છે. ઉદાહરણ તરીકે બેંગલોરમાં 21 કરયોગમોની સાથે કર્ણાટક નાયર સેવા સમાજ, અને કોલકત્તામાં કોલકત્તા નાયર સેવા સમાજ. "નાયર સમાજોનું આંતરાષ્ટ્રીય મહાસંધ"ની છત્ર-છાયામાં વિશ્વભરના તમામ નાયર સમૂહોને લેવાનો પ્રયાસ ચાલુ છે.{{Citation needed|date=November 2009}}
==બાહ્ય લિંક્સ==
* [http://www.nss.org.in ] નાયર સેવા સમાજ – વેબસાઇટ
* [http://www.nairs.in ] {{Webarchive|url=https://web.archive.org/web/20100608102828/http://www.nairs.in/ |date=2010-06-08 }} નાયર સૂચના અને અનુસંધાન વેબસાઇટ
* [http://www.chaf.lib.latrobe.edu.au/dcd/main.htm ] {{Webarchive|url=https://web.archive.org/web/20070901154501/http://www.chaf.lib.latrobe.edu.au/dcd/main.htm |date=2007-09-01 }} આંકડાકીય વસાહતી દસ્તાવેજો (ભારત)
* [http://www.familytreedna.com/public/nair/ નાયર ડીએનએ (DNA) યોજના]
* [http://www.Chennaikarayogam.com ] {{Webarchive|url=https://web.archive.org/web/20110202161921/http://chennaikarayogam.com/ |date=2011-02-02 }} ચેન્નઇ નાયર સેવા સમાજ
* [http://www.anss.org ] અડયાર નાયર સેવા સમાજ
* [http://www.knss.com ] {{Webarchive|url=https://web.archive.org/web/20190510204936/http://knss.com/ |date=2019-05-10 }} કર્ણાટક નાયર સેવા સમાજ
* [http://www.nsscanada.org ] {{Webarchive|url=https://web.archive.org/web/20190417183019/http://www.nsscanada.org/ |date=2019-04-17 }} કન્નડા નાયર સેવા સમાજ
* [http://www.ernakulamkarayogam.com/ ] અર્નાકુલમ કરયોગમ
* [http://nssdelhi.org/ ] દિલ્હી એનએસએસ (NSS) કરયોગમ
* [http://www.abhedashramam.org/99birthday.htm ] {{Webarchive|url=https://web.archive.org/web/20100830193655/http://www.abhedashramam.org/99birthday.htm |date=2010-08-30 }} અભેદાશ્રમમ, તિરુવનન્તપુરમ
==નોંધ અને સંદર્ભો==
{{reflist|2}}
[[શ્રેણી:સમાજશાસ્ત્ર]]
pu2y62fh5w2473h43pnhuy1sr5oeie5
રામપુરા મોટા (તા. ધાનેરા)
0
28647
901535
900607
2026-06-16T15:41:45Z
~2026-35236-37
87859
901535
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = રામપુરા મોટા
| state_name = ગુજરાત
| district = બનાસકાંઠા
| taluk_names = ધાનેરા
| latd = 24.514444
| longd= 72.023385
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''રામપુરા મોટા (તા. ધાનેરા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા [[ ધાનેરા તાલુકો| ધાનેરા તાલુકા]]માં આવેલું એક ગામ છે. અમરબેન સવાજી ઠાકોર રામપુરા મોટા ગામના સરપંચ છે.રામપુરા મોટા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:ધાનેરા તાલુકો]]
khkml32tk8srjmwokzlt71y6ywi17jh
901537
901535
2026-06-16T17:19:34Z
Dsvyas
561
[[Special:Contributions/~2026-35236-37|~2026-35236-37]] ([[User talk:~2026-35236-37|talk]]) દ્વારા કરેલ ફેરફારોને [[User:KartikBot|KartikBot]] દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
900607
wikitext
text/x-wiki
{{Infobox Indian jurisdiction
| type = ગામ
| native_name = રામપુરા મોટા
| state_name = ગુજરાત
| district = બનાસકાંઠા
| taluk_names = ધાનેરા
| latd = 24.514444
| longd= 72.023385
| area_total =
| altitude =
| population_total =
| population_as_of =
| population_density =
| leader_title_1 =
| leader_name_1 =
| leader_title_2 =
| leader_name_2 =
| footnotes =
| blank_title_1 = સગવડો
| blank_value_1 = [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]], દૂધની ડેરી
| blank_title_2 = મુખ્ય વ્યવસાય
| blank_value_2 = [[ખેતી]], [[ખેતમજૂરી]], [[પશુપાલન]]
| blank_title_3 = મુખ્ય ખેતપેદાશ
| blank_value_3 = [[મકાઈ]], [[બાજરી]], [[તુવર]], [[શાકભાજી]]
| blank_title_4 =
| blank_value_4 =
}}
'''રામપુરા મોટા (તા. ધાનેરા)''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[બનાસકાંઠા જિલ્લો|બનાસકાંઠા જિલ્લા]]માં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા [[ ધાનેરા તાલુકો| ધાનેરા તાલુકા]]માં આવેલું એક ગામ છે. રામપુરા મોટા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
{{ગુજરાત ગામ સ્ટબ}}
[[શ્રેણી:ધાનેરા તાલુકો]]
ezqhjdop2zxzyaqcvgrm0p4m52lwo9r
માય ઓપેરા
0
46499
901538
872761
2026-06-17T00:29:56Z
InternetArchiveBot
63183
Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.9.5
901538
wikitext
text/x-wiki
{{ભાષાંતર}} <!--થોડુંએ ભાષાંતર થશે નહિ તો હટાવાશે.-->
{{Infobox Website
| name = My Opera
| logo =
| screenshot =
| caption =
| url = [http://my.opera.com My.Opera.com]
| commercial = No
| type = [[Social networking]], [[email]], [[help desk]]
| registration = No, optional to use every feature
| owner = [[Opera Software ASA]]
| author =
| launch date = August 2001
| current status = Active
}}
'''My Opera''' is the support community for the [[Opera (web browser)|Opera]] web browser. More than 7,500<ref>{{Cite web|url=http://my.opera.com/Tamil/albums/showpic.dml?album=196828&picture=20891221|title=Opera Community Member Statistics|access-date=2009-10-10|format=|work=|archive-url=https://web.archive.org/web/20100109163314/http://my.opera.com/Tamil/albums/showpic.dml?album=196828&picture=20891221|archive-date=2010-01-09|url-status=live}}</ref> new members join per day, and the site has more than 9 million members. In addition to being a support site for the Opera browser, My Opera is a social networking site, featured with blogs, photo albums, and more.<ref>{{Cite news| title = T-Mobile deploys My Opera Community for web'n'walk.| publisher =Europe Intelligence Wire| date =2007-03-15| url =http://www.accessmylibrary.com/coms2/summary_0286-29995760_ITM| access-date = 2008-09-23}}</ref>
==History==
The My Opera Community was launched in August 2001<ref name ="Avencius">{{Cite web|url=http://avencius.nl/content/my-opera-community-ey-whats-catch|title=My Opera Community, ey? What's the catch?|access-date=2008-09-23|format=|work=|archive-date=2012-03-29|archive-url=https://www.webcitation.org/66XF6vBLd?url=http://avencius.nl/content/my-opera-community-ey-whats-catch|url-status=dead}}</ref> as a simple support site for the browser, and the website had its first upgrade a month later on September 11.<ref>[http://www.opera.com/pressreleases/en/2001/09/20010911.dml Opera in Your Community Opera revamps MyOpera community and enhances the Opera Composer]</ref> On December 15, 2003, the website underwent an upgrade that allowed users to access more features.<ref>{{Cite news| last =Jaques| first =Robert| title =Curtain goes up on My Opera redesign| publisher =VNUNET.com| date =2003-12-17| url =http://www.vnunet.com/vnunet/news/2123973/curtain-goes-opera-redesign| access-date =2008-09-23}}{{Dead link|date=જુલાઈ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
In September 2005, the My Opera Community added major improvements. During this upgrade, users were given access to photo albums, improved blogs (formerly journals), the ability to create custom groups, and 300MB<ref name ="Avencius" /> of free storage space. Improvements to blogging included the introduction of "mobile blogging" or blogging from a [[mobile phone]] through [[Multimedia Messaging Service|MMS]].<ref name="eweek">{{Cite news | first = Elizabeth | last = Millard | title = Opera Enables Mobile Bloggin | publisher = eWeek | date = 2005-10-19 | url = http://www.eweek.com/c/a/Messaging-and-Collaboration/Opera-Enables-Mobile-Blogging/ | access-date = 2008-09-23 }}{{Dead link|date=જૂન 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
On March 8, 2007, Opera released a new version of the site.<ref>{{Cite web |url=http://my.opera.com/community/blog/show.dml/805603 |title=Oh Glorious Day!! - My Opera Community Main Page Blog |access-date=2007-03-10 |archive-date=2007-03-10 |archive-url=https://web.archive.org/web/20070310172446/http://my.opera.com/community/blog/show.dml/805603 |url-status=live }}</ref>
The new hardware for the 2006 upgrade was put to use for a [[Development stage|beta test]] website on October 26, 2006. This website was intended to remain up even after the final install of the new hardware on the regular website. There are extensive plans for various subdomains on the My Opera site.<ref>{{Cite web |url=http://my.opera.com/devblog/blog/introducing-opera-community-beta-site |title=Introducing the Opera Community Beta Site |access-date=2006-11-09 |archive-date=2006-11-09 |archive-url=https://web.archive.org/web/20061109182119/http://my.opera.com/devblog/blog/introducing-opera-community-beta-site |url-status=live }}</ref>
On April 7, 2011, Opera released a free [[email]] service for all existing and new-joining My Opera users called My Opera Mail and powered by Opera's [[FastMail.FM]] email platform. <ref>{{Cite web |url=http://my.opera.com/chooseopera/blog/2011/04/07/welcome-to-my-opera-mail-beta |title=Welcome to My Opera Mail beta |access-date=2011-04-09 |archive-date=2011-04-09 |archive-url=https://web.archive.org/web/20110409182642/http://my.opera.com/chooseopera/blog/2011/04/07/welcome-to-my-opera-mail-beta |url-status=live }}</ref>
==Features==
Every My Opera user gets 2 GB of space for [[File system|file storage]].<ref>{{Cite web|url=http://www.w3reports.com/index.php?itemid=1673|title=New My Opera Community site launched|date=08-03-2007|publisher=W3 Reports|language=en|access-date=2008-09-21|archive-date=2007-10-12|archive-url=https://web.archive.org/web/20071012070829/http://www.w3reports.com/index.php?itemid=1673|url-status=dead}}</ref> Users may use this space for their blogs, photo albums, and forum attachments.
Blog support started out with a personal "Journal" service. In September 2005, along with other major improvements the service, "Journal" was changed to a "Blog" service. Opera Software also uses a blog as a way to publish news on its weekly updates through the [https://web.archive.org/web/20080906144202/http://my.opera.com/desktopteam/blog Opera Desktop Team Blog], which is the most popular blog on the community.<ref>{{Cite web |url=http://my.opera.com/community/blogs/index.dml?show=vis |title=My Opera Blogs arranged in order of most visited |access-date=2005-12-13 |archive-date=2005-12-13 |archive-url=https://web.archive.org/web/20051213075452/http://my.opera.com/community/blogs/index.dml?show=vis |url-status=live }}</ref> Users also have the option of listing their blog on a world map.
There is a subsection called "Forums" devoted to Opera-themed [[Internet forums|forums]] or official off-topic forums. There are also separate forums in an individual's Groups (groups that can be created by any user and automatically has its own blog, forums, photo albums and other additional pages such as the description and members list). All forums support standard [[BBCode]]-based features.
===Email===
My Opera Mail offers its users a free [[email]] account. It is currently a beta release, and new features are being added regularly. Features of My Opera Mail are similar to that of a basic e-mail service. Accounts include 1 GB of storage, but this is separate from the My Opera 2 GB storage. It is compatible with [[Post Office Protocol|POP]] and [[Internet Message Access Protocol|IMAP]] email retrieval protocols as well as [[Extensible Messaging and Presence Protocol|XMPP]] [[instant messaging]].
==Opera Link==
[[Opera Link]]'s synchronized bookmarks, notes, and Speed dial can be accessed through a web interface at http://link.opera.com/.<ref>{{Cite news| last =Fowler| first =Dennis| title =Opera 9.5 -- a fine browsing alternative| publisher =Computerworld.com| date =2008-06-18| url =http://www.computerworld.com/action/article.do?command=viewArticleBasic&taxonomyId=18&articleId=9099879&intsrc=hm_topic.| access-date =2008-09-23| archive-date =2007-03-02| archive-url =https://web.archive.org/web/20070302144543/http://www.computerworld.com/action/article.do?command=viewArticleBasic| url-status =dead}}</ref>
==Subdomains==
There are several Opera [[subdomain]] sites that use a My Opera account. These include:
*[http://widgets.opera.com/ Opera Widgets], a site for uploading Widgets for the Opera browser
*[http://dev.opera.com/ Dev.Opera], a site for developers to write articles and share tips and tricks.
*[http://portal.opera.com/ Opera Portal] {{Webarchive|url=https://web.archive.org/web/20140207182837/http://portal.opera.com/ |date=2014-02-07 }}, the default page for the Opera Browser. It includes a [[search engine]] and customizable news feeds.
*[http://link.opera.com/ Opera Link], to administrate the synchronized bookmarks, notes, and the Speed Dial for the Opera Browser on different devices.
*[http://addons.opera.com/ Opera Add-ons], the domain which contains the [[Software extension|extensions]] and themes catalogs.
==References==
{{Reflist|2}}
==External links==
*[https://web.archive.org/web/20031216073543/http://my.opera.com/community/ Official website]
*[https://web.archive.org/web/20061127172008/http://my.opera.com/coxy/blog/show.dml/513693 Project 365]
*[http://dev.opera.com/ Dev.Opera]
*[https://web.archive.org/web/20080727005331/http://my.opera.com/chooseopera/ Choose Opera]
{{OperaBrowser}}
[[Category:Internet forums]]
[[Category:Blog hosting services]]
[[Category:Photo sharing]]
[[Category:Opera Software]]
fomui17y788m3b5ssa1rj2ffc74pbmx
પ્રેમાભાઈ હોલ
0
154533
901536
901222
2026-06-16T16:56:25Z
InternetArchiveBot
63183
Rescuing 0 sources and tagging 1 as dead.) #IABot (v2.0.9.5
901536
wikitext
text/x-wiki
{{Infobox building
| location = [[અમદાવાદ]]
| image = Premabhai Hall.jpg
| completion_date = ૧૯૭૨
| architect = [[બી. વી. દોશી]]
| architectural_style = અનાવૃત કોંક્રીટ શૈલી
| seating_capacity = ૧૦૦૦
| structural_engineer = મહેન્દ્ર રાજ
| owner = [[ગુજરાત વિદ્યા સભા]]
}}
'''પ્રેમાભાઈ હોલ''' ભારતના જૂના [[અમદાવાદ]] શહેરમાં આવેલું એક ત્યજી દેવાયેલું જાહેર નાટ્યગૃહ છે, જેની રચના આર્કિટેક્ટ [[બી. વી. દોશી]] દ્વારા કરવામાં આવી હતી. આ નાટ્યગૃહ ૧૯૭૨માં ખોલવામાં આવ્યું હતું અને ૧૯૯૭માં તેનો ઉપયોગ બંધ થયો હતો. તે ઇમારત અનાવૃત કોંક્રીટ શૈલીનું ઉદાહરણ છે.
== ઇતિહાસ ==
આ હોલનું માટેની જમીન નગરશેઠ પ્રેમાભાઈ ઝવેરીએ દાનમાં આપેલી હતી, તેમના નામ પર આ હોલનું નામ પ્રેમાભાઈ હોલ રાખવામાં આવ્યું હતું.<ref>{{Cite web |title=History - Civil Hospital Ahmedabad |url=https://civilhospitalahd.gujarat.gov.in/history.htm |url-status=live |access-date=2026-05-27 }}{{Dead link|date=જૂન 2026 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
બ્રિટિશ સાશન દરમ્યાન, જૂના શહેરમાં આવેલા આ હોલનો ઉપયોગ નાટ્ય પ્રદર્શન માટે થતો હતો. ૧૯૫૬માં આ હોલની નવી ઇમારતની રચના આર્કિટેક્ટ બી. વી. દોશી દ્વારા કરવામાં આવી હતી. ૧૯૭૨માં, અનાવૃત કોંક્રીટ શૈલીમાં બાંધવામાં આવેલી નવી ઇમારત વપરાશ માટે ખુલ્લી મુકવામાં આવી હતી.<ref name=":2">{{Cite web|last=Valerie|title=Balkrishna Doshi x Premabhai Hall|url=https://www.yinjispace.com/article/Balkrishna-Doshi-Premabhai-Hall.html|access-date=2025-04-25|website=YinjiSpace}}</ref> આ હોલ [[ગુજરાત વિદ્યા સભા|ગુજરાત વિદ્યાસભા]]<nowiki/>ની માલિકીનો છે.<ref>{{Cite web|title=Premabhai Hall to become AMC city civic centre|url=https://www.ahmedabadmirror.com/premabhai-hall-to-become-amc-city-civic-centre/72078121.html|access-date=2023-08-20|website=https://civilhospitalahd.gujarat.gov.in|language=en}}</ref>
૧૯૯૭માં, આગ નિયંત્રણની સમસ્યાઓ અને નાણાકીય સમસ્યાઓને કારણે આ હોલને બંધ કરી દેવામાં આવ્યો હતો. તેને તોડી પાડવાની નિષ્ફળ દરખાસ્ત પછી,આ ઇમારત ત્યજી દેવાઇ હોવા છતાં ઊભી છે.<ref>{{Cite web|date=2025-03-28|title=Ahmedabad fails its iconic theatres|url=https://www.ahmedabadmirror.com/world-theatre-day/81888154.html|access-date=2025-04-25|website=Ahmedabad Mirror|language=en}}</ref>
== વાસ્તુ ==
આ હોલ ''પોસ્ટ-લી કોર્બુઝિયર'' શૈલીમાં (અનાવૃત કોંક્રીટ શૈલી) બાંધવામાં આવ્યો છે, જેમાં સમગ્ર માળખું સળિયા ધરાવતા કોંક્રિટથી બનાવવામાં આવ્યું છે. તેમાં ૧૦૦૦ લોકોની બેઠક ક્ષમતા ધરાવતું એક સભાગૃહ છે. મંચ ૧૦૦ મીટર પહોળો છે. તેમાં વિશાળ આંતરિક કોરિડોર અને વિશાળ જાહેર મેળાવડા માટેની જગ્યાઓ છે. છતમાં વિશાળ ધાબું છે.<ref name=":2" /><ref name=":1">{{Cite web |title=Premabhai hall: AMC offers Rs10 crore, trust wants Rs30 crore|url=https://www.dnaindia.com/ahmedabad/report-premabhai-hall-amc-offers-rs10-crore-trust-wants-rs30-crore-1967099|access-date=2023-08-20|website=DNA India|language=en}}</ref><ref>{{Cite web|title=Premabhai Hall|url=http://www.sosbrutalism.org/sixcms/detail.php?id=16271755|access-date=2023-08-20|website=#SOSBRUTALISM|language=en}}</ref> આ હોલનું વિશાળ માળખું સ્મારક શિલ્પ જેવું લાગે છે.<ref name=":2" />
== આ પણ જુઓ ==
* [[અમદાવાદ ટાઉન હોલ]]
* [[ટાગોર મેમોરિયલ હોલ]]
* [[વીજળી ઘર]]
== સંદર્ભો ==
{{Reflist}}
{{અમદાવાદ શહેર}}
[[શ્રેણી:અમદાવાદ શહેરનાં સ્થાપત્યો]]
kptgo3qs8bk4esz5z3rebuww006o3om