વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.45.0-wmf.7
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
સર્જક:લીરબાઈ
108
121
215869
164216
2025-06-26T12:53:34Z
103.1.103.78
/* પ્રચલિત ભજનો */
215869
wikitext
text/x-wiki
સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી અંતરસુઝ હતી. લગભગ તમામ સંતો નિરક્ષર અને સંસારી હતા. સંસારમાં રહીને ઈશ્વરની ઉપાસના તેમણે કરી છે. મોટા પંથોમાંથી પ્રેરણા મેળવી અને નાના પ્રદેશોમાં પણ સંતોએ પોતાના પંથ ઊભા કર્યા છે. જે તે પંથકે તેને અપનાવ્યા છે. વિવિધ જાતિઓમાંથી એક બનેલા સૌરાષ્ટ્રના લોકજીવનમાં સ્ત્રીનું સ્થાન સહભાગિનીનું, સહકર્મચારિણીનું હતું. તેમાંય ધર્મ અને ભક્તિના ક્ષેત્રે તો પુરૂષ કરતા તેનું સ્થાન વિશેષ હતું. આવા જ એક મેર જ્ઞાતિના સ્ત્રીસંત એટલે લીરબાઈ.<BR>
'''લીરબાઈ'''ની ભજનવાણી એકદમ સરળ અને સમજાય જાય તેવી છે. જે સૌરાષ્ટ્રમાં ખુબજ પ્રખ્યાત છે.
==પ્રચલિત ભજનો==
* [[રમતો જોગી રે કયાંથી આવ્યો]]
* [[આ જુગ જાગો હો જી]]
* [[હા રે ગુરૂજી સતની વેલડીએ]]
* [[હા રે ગુરૂજી આજ મારે આંગણે]]
* [[કાયા કેરી કોટડી એમાં મન વણઝારો]]
* [[જી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો]]
* [[ચેત મન તું શામળા]]
==આ પણ જુઓ==
* [http://gu.wikipedia.org/wiki/લીરબાઈ લીરબાઈ વિકિપીડિયા ગુજરાતી પર]
* [https://www.maheronline.org/sati-shree-lirbai-maa/ Sati Shree Lirbai Maa on www.maheronline.org]
5vum8xg247trbjcguie3df8x1icrifx
215871
215869
2025-06-26T12:56:55Z
103.1.103.78
/* પ્રચલિત ભજનો */
215871
wikitext
text/x-wiki
સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી અંતરસુઝ હતી. લગભગ તમામ સંતો નિરક્ષર અને સંસારી હતા. સંસારમાં રહીને ઈશ્વરની ઉપાસના તેમણે કરી છે. મોટા પંથોમાંથી પ્રેરણા મેળવી અને નાના પ્રદેશોમાં પણ સંતોએ પોતાના પંથ ઊભા કર્યા છે. જે તે પંથકે તેને અપનાવ્યા છે. વિવિધ જાતિઓમાંથી એક બનેલા સૌરાષ્ટ્રના લોકજીવનમાં સ્ત્રીનું સ્થાન સહભાગિનીનું, સહકર્મચારિણીનું હતું. તેમાંય ધર્મ અને ભક્તિના ક્ષેત્રે તો પુરૂષ કરતા તેનું સ્થાન વિશેષ હતું. આવા જ એક મેર જ્ઞાતિના સ્ત્રીસંત એટલે લીરબાઈ.<BR>
'''લીરબાઈ'''ની ભજનવાણી એકદમ સરળ અને સમજાય જાય તેવી છે. જે સૌરાષ્ટ્રમાં ખુબજ પ્રખ્યાત છે.
==પ્રચલિત ભજનો==
* [[રમતો જોગી રે કયાંથી આવ્યો]]
* [[આ જુગ જાગો હો જી]]
* [[હા રે ગુરૂજી સતની વેલડીએ]]
* [[હા રે ગુરૂજી આજ મારે આંગણે]]
* [[કાયા કેરી કોટડી એમાં મન વણઝારો]]
* [[જી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો]]
* [[ચેત મન તું શામળા]]
* [[ગુરુજી ! કહો ભજન કેમ કરીએ]]
==આ પણ જુઓ==
* [http://gu.wikipedia.org/wiki/લીરબાઈ લીરબાઈ વિકિપીડિયા ગુજરાતી પર]
* [https://www.maheronline.org/sati-shree-lirbai-maa/ Sati Shree Lirbai Maa on www.maheronline.org]
h0grmk9jou2ara8a1n89y7quze9c4m6
215892
215871
2025-06-27T02:32:43Z
Meghdhanu
3380
[[Special:Contributions/103.1.103.78|103.1.103.78]] ([[User talk:103.1.103.78|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/215871|215871]] પાછો વાળ્યો
215892
wikitext
text/x-wiki
સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી અંતરસુઝ હતી. લગભગ તમામ સંતો નિરક્ષર અને સંસારી હતા. સંસારમાં રહીને ઈશ્વરની ઉપાસના તેમણે કરી છે. મોટા પંથોમાંથી પ્રેરણા મેળવી અને નાના પ્રદેશોમાં પણ સંતોએ પોતાના પંથ ઊભા કર્યા છે. જે તે પંથકે તેને અપનાવ્યા છે. વિવિધ જાતિઓમાંથી એક બનેલા સૌરાષ્ટ્રના લોકજીવનમાં સ્ત્રીનું સ્થાન સહભાગિનીનું, સહકર્મચારિણીનું હતું. તેમાંય ધર્મ અને ભક્તિના ક્ષેત્રે તો પુરૂષ કરતા તેનું સ્થાન વિશેષ હતું. આવા જ એક મેર જ્ઞાતિના સ્ત્રીસંત એટલે લીરબાઈ.<BR>
'''લીરબાઈ'''ની ભજનવાણી એકદમ સરળ અને સમજાય જાય તેવી છે. જે સૌરાષ્ટ્રમાં ખુબજ પ્રખ્યાત છે.
==પ્રચલિત ભજનો==
* [[રમતો જોગી રે કયાંથી આવ્યો]]
* [[આ જુગ જાગો હો જી]]
* [[હા રે ગુરૂજી સતની વેલડીએ]]
* [[હા રે ગુરૂજી આજ મારે આંગણે]]
* [[કાયા કેરી કોટડી એમાં મન વણઝારો]]
* [[જી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો]]
* [[ચેત મન તું શામળા]]
==આ પણ જુઓ==
* [http://gu.wikipedia.org/wiki/લીરબાઈ લીરબાઈ વિકિપીડિયા ગુજરાતી પર]
* [https://www.maheronline.org/sati-shree-lirbai-maa/ Sati Shree Lirbai Maa on www.maheronline.org]
5vum8xg247trbjcguie3df8x1icrifx
215893
215892
2025-06-27T02:32:54Z
Meghdhanu
3380
[[Special:Contributions/103.1.103.78|103.1.103.78]] ([[User talk:103.1.103.78|talk]])એ કરેલો ફેરફાર [[Special:Diff/215869|215869]] પાછો વાળ્યો
215893
wikitext
text/x-wiki
સૌરાષ્ટ્રનો કોઈ પ્રદેશ સંતો વગરનો ખાલી નથી. જગતની લીલાઓને અને વેદાંતનાં રહસ્યોને લોકબોલીમાં સ્ફુટ કરનાર સંતો પાસે એક આગવી અંતરસુઝ હતી. લગભગ તમામ સંતો નિરક્ષર અને સંસારી હતા. સંસારમાં રહીને ઈશ્વરની ઉપાસના તેમણે કરી છે. મોટા પંથોમાંથી પ્રેરણા મેળવી અને નાના પ્રદેશોમાં પણ સંતોએ પોતાના પંથ ઊભા કર્યા છે. જે તે પંથકે તેને અપનાવ્યા છે. વિવિધ જાતિઓમાંથી એક બનેલા સૌરાષ્ટ્રના લોકજીવનમાં સ્ત્રીનું સ્થાન સહભાગિનીનું, સહકર્મચારિણીનું હતું. તેમાંય ધર્મ અને ભક્તિના ક્ષેત્રે તો પુરૂષ કરતા તેનું સ્થાન વિશેષ હતું. આવા જ એક મેર જ્ઞાતિના સ્ત્રીસંત એટલે લીરબાઈ.<BR>
'''લીરબાઈ'''ની ભજનવાણી એકદમ સરળ અને સમજાય જાય તેવી છે. જે સૌરાષ્ટ્રમાં ખુબજ પ્રખ્યાત છે.
==પ્રચલિત ભજનો==
* [[રમતો જોગી રે કયાંથી આવ્યો]]
* [[આ જુગ જાગો હો જી]]
* [[હા રે ગુરૂજી સતની વેલડીએ]]
* [[હા રે ગુરૂજી આજ મારે આંગણે]]
* [[કાયા કેરી કોટડી એમાં મન વણઝારો]]
* [[જી રે વીરા ઘાટ રે લુહારી તમે હરિજન ઘડજો]]
==આ પણ જુઓ==
* [http://gu.wikipedia.org/wiki/લીરબાઈ લીરબાઈ વિકિપીડિયા ગુજરાતી પર]
* [https://www.maheronline.org/sati-shree-lirbai-maa/ Sati Shree Lirbai Maa on www.maheronline.org]
i163u3lsagqmzhcai4eduede3so9rvs
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૪૯
104
70794
215894
215826
2025-06-27T02:37:06Z
Meghdhanu
3380
/* Validated */
215894
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/>
<br/>
<br/>
<br/>
{{સ-મ| |<big>'''૨૩'''</big><br/> '''રામ–લક્ષ્મણની જોડી''' | }}
{{gap}}પ્રસાદને નવાં વસ્ત્રો પહેરાવી, એના નાનકડા ભાલ પ્રદેશે કુમકુમ ચાંદલો કરી, હાથમાં નાનકડી પાટી આપીને, પોતાની આંગળીએ વળગાડીને મંગળા ફળિયામાંથી જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે પોતાની ઓસરીમાં બેઠેલી સ્ત્રીઓ મંગળા પ્રત્યે અહોભાવથી જોઈ રહી હતી.
{{gap}}છેલ્લા કેટલાય દિવસથી તે ઝવેરને મંગળા કહી રહી હતી ‘કાકી, મારા રામને હવે નિશાળે મૂકવો છે.’ અને પછી પ્રસાદને બોકી દેતાં પૂછતી, ‘કેમ રામ ! તું ભણવા જઈશ ને?’
{{gap}}અને લાડથી પ્રસાદ કહેતો, ‘હું ભણવા જઈશ !’ ને પછી પૂછતો, ‘પણ લક્ષ્મણને ભણવા મોકલીશ ?’
{{gap}}‘ના, લક્ષ્મણ તો હજી ખોળામાંથી હેઠો જ ક્યાં ઉતરે છે?’ પ્રસાદને પોતાના પડખામાં લઈ, એના કુમળા ગાલે પોતાના હોઠના સ્પર્શ કરતાં મંગળા કહેતી ને તેને ઉત્સાહ દેતી હોય એમ બોલતી, ‘એ પણ મોટો થશે એટલે તારી સાથે જ ભણવા આવશે. તમે રામ–લક્ષ્મણ પછી સાથે જ જશો ને?’
{{gap}}ને હૈયાનો ઉમળકો ઠાલવતાં બોલી, ‘મારા રામ લક્ષ્મણની જોડીને નિશાળે જતાં જોઈને મારી આંખો કેવી ઠરશે ?’
{{nop}}<noinclude></noinclude>
b34d3fp2dzcl74t9xdgxps1f2oc98t4
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૫૦
104
70795
215895
215827
2025-06-27T02:39:35Z
Meghdhanu
3380
/* Validated */
215895
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|રામ–લક્ષ્મણની જોડી||૩૪૧}}'''</noinclude>{{gap}}મંગળાએ પ્રસાદનું નામ રામ રાખ્યું હતું. જ્યારથી તેના બાળકનો જન્મ થયો ત્યારથી, તેના મનમાં રામ–લક્ષ્મણની જોડીની કલ્પના જ રમતી હતી. પ્રસાદ રામ બનશે અને પોતાના લક્ષ્મણને તેની છાયામાં જાળવશે એવા ભાવો એના અંતરમાં રમતા હતા.
{{gap}}પ્રસાદને હૈયા સરસો ચાંપીને પુછતી, ‘કેમ રે, મારા રામ, આ લક્ષ્મણને તું જાળવીશને બેટા ?’ અને પ્રસાદ ઉમળકાથી મંગળાને ગળે વળગીને કહેતો, ‘મંગળા ! તું તો કહેતી હતી ને કે રામ–લક્ષ્મણની જોડીને રાક્ષસો પણ તોડી શક્યા ન હતા, ખરું ને ?’
{{gap}}‘હા, મારા રામ !’ પ્રસાદના ઉમળકાથી હર્ષ પુલકિત થયેલી મંગળા કહેતી.
{{gap}}‘તો અમારી જોડીને પછી કોણ તોડી શકવાનું હતું મંગળા ?’ પ્રસાદ પૂછતો અને ગર્વથી ઉછળતો હોય એમ મંગળાના ખોળામાંથી બહાર કૂદી પડતો ને ઘોડિયામાં નિર્દોષ ભાવે હસતા લક્ષ્મણ પાસે જઈને કહેતો. ‘ભાઈ લક્ષ્મણ ! તું જરા પણ ડરતો ના, હોં ! રામ, {{SIC|તારા|તરો}} ભાઈ તારી સાથે જ છે !’
{{gap}}નાનકડા પ્રસાદને મોઢેથી આવા વચન સાંભળતાં મંગળાનું હૈયું નાચી ઊઠતું હતું... નિર્દોષ બાળકો વચ્ચે ભેદભાવની દીવાલ કદી ઊભી થતી નથી. જ્યારે તેઓ મોટા થાય છે ત્યારે સમાજ એમની વચ્ચે ભેદભાવની દીવાલ ઊભી કરે છે; મંગળા એ જાણતી હતી એટલે તો તેણે પોતે જ બાલ માનસમાં એવા ભાવો પેદા કરવા માંડ્યા હતા કે તેઓ રામ–લક્ષ્મણ છે અને રામાયણમાં રામલક્ષ્મણના પરાક્રમો, ભાઈ ભાઈ પ્રત્યેની ભક્તિ વગેરેની વાતો પ્રસાદને સંભળાવતી હતી, એમાં પણ રાવણ સાથેના યુદ્ધમાં ઘવાયેલો લક્ષ્મણ મૂર્છિત બની જાય છે ત્યારે રામ કેવું કલ્પાંત કરે છે અને પોતાના ભાઈ લક્ષ્મણને માટે જડીબુટી લઈ આવવા હનુમાનજીને આદેશ કરે<noinclude></noinclude>
9ub4ucgsyz2qz5p15d4nlpmuhojk2v1
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૫૧
104
70796
215896
215828
2025-06-27T02:41:25Z
Meghdhanu
3380
/* Validated */
215896
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૩૪૨||ખાખનાં પોયણાં}}'''</noinclude>છે, એવા એવા પ્રસંગો તે પ્રસાદને પોતાના ખોળામાં બેસાડીને લાડપૂર્વક કહેતી અને પછી ઉમેરતી, ‘જો પ્રસાદ તું હવે રામ થયો. આ તારો નાનો ભાઈ લક્ષ્મણ કહેવાય !’
{{gap}}પ્રસાદના બાલ માનસને મંગળાની વાતો રૂચી ગઈ હતી. પરિણામે રોજ રાત્રે કોડિયાનો દીવા પ્રગટે કે તરત જ પ્રસાદ મંગળાના ગળે વળગી પડતો ને કહેતો, ‘રામ લક્ષ્મણની વાત કહેને, મંગળા !’
{{gap}}અને મંગળા એની જીજ્ઞાસા પૂરી કરતી.
{{gap}}પ્રસાદ હવે મોટો થયો હતો; દિવસો થયા તે પ્રસાદને શાળાએ મોકલવાના વિચારો કરતી હતી અને પોતાનો દીકરો જ્યારે પાટી પેન લઈને શાળાએ જાય ત્યારે માતાના હૈયામાં કેટલો આનંદ વ્યાપી રહે એવો જ આનંદ મંગળાના હૈયામાં પણ વ્યાપી રહ્યો હતો.
{{gap}}તેણે એક બપોરે ઝવેર સમક્ષ પોતાનું હૈયું ખોલ્યું. તે જાણતી હતી કે ઝવેરનો પોતાના પ્રત્યેનો અનુરાગ વધતો જ જાય છે અને તેમાં પણ નાના લક્ષ્મણ માટે તો ઝવેરની ઝંખના વધી પડી હતી. ટાણે કટાણે ઝવેર મંગળાને ત્યાં આવીને ઘોડિયામાં પોઢેલા લક્ષ્મણને લઈને હેતપૂર્વક રમાડતી હતી. એટલું જ નહિ પણ લક્ષ્મણની માવજત કેમ કરવી તેને વિષે મંગળાને સૂચનાઓ આપતી અને ઘણીવાર તો લક્ષ્મણને માટે તે ચીજવસ્તુ લઈ આવતી ને પોતાના ખોળામાં લઈને તેની માવજત કરતી અને મંગળાને બતાવતી. કહેતી, ‘નાના બાળકને બચપણથી જ જેવી રીતે જાળવીએ તેવી રીતે તેના શરીરનો બાંધો બંધાય !’ ને વાતોમાં ને વાતોમાં તે પોતે સામાન્ય સ્થિતિની હોવા છતાં પણ, પોતાના તુલસીને કેવી રીતે જાળવતી હતી તેનું બ્યાન કરતાં થાકતી ન હતી.
{{gap}}અને ઝવેરની વાતો, મંગળા સ્થિરતાપૂર્વક સાંભળતી હતી. મંગળાએ કહ્યું, ‘કાકી! હવે મારા રામને નિશાળે મૂકવો છે, તે શું કરવું જોઈએ ?’
{{nop}}<noinclude></noinclude>
9x8sk4o78rktyfq1y35istvzafdxvv7
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૫૩
104
70798
215897
215842
2025-06-27T02:45:10Z
Meghdhanu
3380
/* Validated */
215897
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૩૪૪||ખાખનાં પોયણાં}}'''</noinclude>{{gap}}ઝવેરના વચનથી રોષે ભરાયેલી મંગળા કશું જ બોલી નહિ. પણ તત્કાળ તેણે મનમાં નિશ્ચય કર્યો કે રામ શાળામાં જશે ત્યારે આખું ગામ જાણશે કે માસ્તરનો દીકરો શાળાએ જવા માંડ્યો છે અને તેણે એક બપારે શાળાએ જઈને ગોપાળદાસ માસ્તરને પૂછ્યું, ‘માસ્તર સાહેબ મારા પ્રસાદને શાળામાં મૂકવો છે તે શું કરવું જોઈએ ?’
{{gap}}ગોપાળદાસ માસ્તર પહેલાં તો મંગળા સામે જોઈ રહ્યા. તેમણે મંગળા વિષે ઘણું સાંભળ્યું હતું. પંડ્યા માસ્તરના જીવતરને બદનામ કરનાર મંગળા વિષે કેટલીય વાતો તેમના કાને આવી હતી, પણ તેમણે મંગળાને ક્યારેય જોઈ ન હતી. આજે પહેલી જ વાર તેમની નજરે પડી હતી અને મંગળાને જોતાં જ તેમના મનમાં લોકોક્તિએ પેદા કરેલા ભાવો દૂર થયા.
{{gap}}‘પ્રસાદ તે, પંડ્યા માસ્તરનો પૌત્ર જ ને?’ ગોપાળદાસે મંગળાને પૂછ્યું.
{{gap}}‘હા, પણ મારો તો રામ છે.’ મંગળાએ જવાબ દીધો. પંડ્યા માસ્તરનો પ્રસાદ હવે તે પોતાના માટે રામ જ બની ગયો છે, એમ કહેવા પાછળનો મંગળાનો ઉદ્દેશ પ્રસાદ પોતાને માટે પરાયો નથી એમ બતાવવાનો હતો.
{{gap}}‘તે સારું મુહૂર્ત જોવડાવીને તમે એને મૂકી જાવ. અમે તેના પર પૂરતું ધ્યાન આપીશું.’ ગોપાળદાસે કહ્યું.
{{gap}}‘બસ !’ મંગળાને ગોપાળદાસના જવાબથી આશ્ચર્ય થયું. પોતે જે જાણવા માટે અહીં સુધી આવી હતી, એ તો માસ્તરના જવાબમાંથી મળતું ન હતું.
{{gap}}‘તો તમે ઈચ્છો તો છોકરાંઓને પતાસા વહેંચી શકો છો.’ માસ્તરને પણ મંગળાના આશ્ચર્યથી અચંબો થયો અને પોતે પતાસાની<noinclude></noinclude>
a0oif7ttumtkd5uqngle38c9ouqjpue
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૫૫
104
70800
215898
215844
2025-06-27T02:48:07Z
Meghdhanu
3380
/* Validated */
215898
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૩૪૬||ખાખનાં પોયણાં}}'''</noinclude>{{gap}}અને થયું પણ તેમજ. શહેરમાંથી તુલસી પાછો આવ્યો ત્યારે મંગળાના હાથમાં તેણે જે કપડાં મૂક્યાં તેમાં લક્ષ્મણનાં પણ હતાં, એ જોઈને મંગળા વિસ્મય ભાવે તુલસી સામે જોઈ રહી, એક પણ શબ્દ બોલ્યા વિના તેણે એ કપડાં લઈ લીધાં, પણ એના મનમાં તો સંગ્રામ શરૂ થયો હતો; તુલસીનો પિતૃપ્રેમ ઉછાળા મારી રહ્યો છે એને જો અટકાવવામાં નહિ આવે તો ભવિષ્યમાં એ પિતૃપ્રેમ એટલો પ્રબળ બની જશે કે એ પ્રેમના જોરથી તુલસી લક્ષ્મણને પોતાની સાથે જ રાખવાનો પ્રયત્ન કરશે. લક્ષ્મણ તુલસી સાથે હળીમળી જાય એ તેને ગમતું ન હતું. હા ! તુલસી સાથે એના લગ્ન થયા હોત અને લગ્ન જીવનના પરિપાક રૂપે લક્ષ્મણ એના ખોળામાં રમતો હોત તો વાત જુદી હતી. પણ તુલસી લક્ષ્મણનો બાપ હોવા છતાં એને લક્ષ્મણ સાથે કશી જ લેવાદેવા નથી. લક્ષ્મણની માતા અને તેનો બાપ જે ગણો તે પોતે જ છે. લોકદૃષ્ટિએ લક્ષ્મણના બાપ માસ્તર ભલે ગણાતા હોય પણ વાસ્તવિક રીતે તે પોતે જ એનો બાપ હતોને !
{{gap}}મૂંગી રહેલી મંગળાના મનના ભાવો તુલસી વાંચી રહ્યો હતો. અને પોતાના વિષે જ મંગળાના મનમાં શંકાનાં જાળાં જામે નહિ, એ માટે તેણે સ્પષ્ટતા કરવાનું ઉચિત માન્યું.
{{gap}}તેણે કહ્યું, ‘મંગળા ! માની ઈચ્છા હોવાથી લક્ષ્મણ માટે હું કપડાં લાવ્યો છું. માને થયું કે પ્રસાદ પહેરે તો, લક્ષ્મણ શા માટે ન પહેરે ?’ અને મંગળાને સમજાવતો હોય એમ કહેવા લાગ્યો, ‘ગમે તેમ તો પણ માનો જીવ છે ને?’
{{gap}}તુલસીના વચનો મંગળાએ શાંતિથી સાંભળી લીધાં; એટલું જ નહિ પણ માનો જીવ છે ને ? એવા શબ્દો સાંભળીને તે હસી પણ પડી. અને બોલી, ‘તુલસી આ બધા ઠાલા વેવલાવેડા છે. હવે તો<noinclude></noinclude>
ck2wvwt45cpifuams72cevtwjubcn7y
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૫૯
104
70804
215899
215792
2025-06-27T02:54:09Z
Meghdhanu
3380
/* Validated */
215899
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૩૫૦||ખાખનાં પોયણાં}}'''</noinclude>ઘરમાં તેની શાંતિ હણાઈ ગઈ હતી. એની મનોવ્યથા વધી ગઈ હતી, એનું મન પ્રસાદને ઝંખતું હતું. અંતરના ઊંડાણમાંથી સાદ સંભળાતો હતો ‘પ્રસાદ, પ્રસાદ!’
{{gap}}પ્રસાદની સ્મૃતિમાં ખોવાયેલી ઘરમાં આમતેમ ઘૂમતી મંગળાને એનું પણ ભાન ન રહ્યું કે ઝવેર કાકી ક્યારે આવ્યાં ને ઘોડીયામાંથી લક્ષ્મણને લઈને તેઓ ક્યારે રમાડવા લાગ્યા. ઝવેરે જ તેને ભાનમાં આણી.
{{gap}}‘અલી મંગળા ! આ લક્ષ્મણ ક્યારનોય રડે છે, તને સંભળાતું નથી ? એવી તે શા વિચારમાં પડી ગઈ છું ?’ પોતાના હાથમાં રહેલા લક્ષ્મણને રમાડતાં રમાડતાં ઝવેરે પૂછ્યું. ‘એવાં તે શા દુઃખ પડ્યા છે, તે લક્ષ્મણ સામે જોવાની પણ દરકાર કરતી નથી ?’
{{gap}}મંગળાને જાણે કોઈએ બળપૂર્વક ખેંચીને ભાનમાં આણી. બહાવરી બનીને તેણે ઝવેરના ખોળામાં પડેલા લક્ષ્મણને તેણે ઉઠાવ્યો. એની સામે જોયું. રડી રડીને થાકી ગયેલા લક્ષ્મણને તેણે પ્યારથી ભીંજવ્યો અને તેના હાસ્યભર્યા વદન પર ચુંબનોની ઝડીઓ વરસાવતાં પૂછ્યું ‘તું રડતો હતો લક્ષ્મણ ?’ અને વળી પાછો તેને હૈયે વળગાડી દીધો.
{{gap}}ઝવેર કાકી તો, મંગળાના હર્ષ પુલકિત ચહેરા સામે જોઈ જ રહી. અને એનું મન આનંદ વિભોર બની ગયું.
{{gap}}‘શા વિચારમાં પડી ગઇ હતી ?’ ઝવેરે મંગળાને પૂછ્યું અને કહ્યું, ‘હું આવી ત્યારે તો એવું રડતો હતો કે મારો તો જીવ ઉડી ગયો.’
{{gap}}મંગળાએ લક્ષ્મણને પયપાન કરાવ્યું ને પુનઃ ઘોડિયામાં સુવાડી દેતાં કહ્યું, ‘હવે ઊંઘી જા હોં મારા લાલ !’
{{gap}}ને તેણે દોરી પકડીને ઘોડિયાને હિંચકા નાંખવા માંડ્યા, એના મુખમાંથી હાલરડાના શબ્દો સરી પડ્યા:
{{nop}}<noinclude></noinclude>
hk7ln4t0ie4ayry3ucx9ca6jejlaa67
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૬૦
104
70805
215900
215848
2025-06-27T02:56:19Z
Meghdhanu
3380
/* Validated */
215900
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|રામ–લક્ષ્મણની જોડી||૩૫૧}}'''</noinclude>{{gap}}લક્ષ્મણ પુનઃ નિંદ્રાધીન બની ગયો.
{{gap}}‘કાકી! હું આવું, ત્યાં સુધી તમે લક્ષ્મણ પાસે બેસજો હોં, હું હમણાં જ આવું છું !’ એમ બોલતાં મંગળા ઊભી થઈ અને ઝવેર કાકી પ્રશ્ન કરે કે તેની ભાળવણીનો જવાબ દે તે પહેલાં તો તેણે ઘર છોડ્યું અને ઓસરીમાંથી પવન વેગે બહાર પડી, ઝવેરને પોતાને પણ સમજાયું નહિ કે આ મંગળા શું કરવા માંગે છે? ક્યાં દોડી ગઈ?
{{gap}}પ્રસાદના વિરહમાં વ્યાકુળ બનેલી મંગળા જે રીતે, જે ઝડપે શાળા ભણી જતી તે જોઈને ફળિયામાં સૌને આશ્ચર્ય થયું.
{{gap}}પણ મંગળાને લોકોના આશ્ચર્યની ક્યાં પરવા હતી ? કોઈ સાગર ઘેલી સરિતા પોતાના પ્રિયતમ સાગરરાજને મળવા ધસમસતી દોડે વાટમાંના અંતરાયોને આમથી તેમ ફગાવી દે. પથ્થરોમાંથી પણ માર્ગો કરીને ધસમસતી રહે તેમ, મંગળા પણ પોતાના પ્રસાદને નિહાળવા દોડતી હતી. ઉડતી હતી. એક શ્વાસે શાળામાં આવી પહોંચી અને બહાર બારણાના ટેકે ઉભી ઉભી પ્રસાદને નિહાળી રહી, પોતાનો પ્રસાદ હાથમાં પાટી લઈને પોતાના કોઈ સમોવડિયા સાથે રમતમાં પડ્યો હતો.
{{gap}}બારણામાં ઊભેલી મંગળાને ગોપાળદાસ માસ્તરે જોઈ અને હસી પડ્યા. તેમણે મંગળાને આવકાર દેતાં કહ્યું ‘તમારો પ્રસાદ તો મઝા કરે છે! એને અહીં ગોઠી ગયું છે.’
{{gap}}વર્ગમાં પગ મૂકવાની મંગળામાં હિંમત આવી. તે અંદર આવી અને પ્રસાદ સામે આંખો મળી. એના વિરહની વેદના શાંત થઈ. પ્રસાદને તે ધરાઈને જોઈ રહી હતી. કેટલા કલાકથી પ્રસાદ પોતાનાથી દૂર હતો ?
{{gap}}પ્રસાદ મંગળાને જોતાં જ બોલી ઉઠ્યો ‘મંગળા ! મને અહીંં ગમે છે. હું રોજ આવીશ હોં.’
{{nop}}<noinclude></noinclude>
nuryecr0u6kigrwp9frr85sa9dag3pm
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૬૨
104
70807
215901
215850
2025-06-27T02:59:16Z
Meghdhanu
3380
215901
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|રામ–લક્ષ્મણની જોડી||૩૫૩}}'''</noinclude>શાળાની બહાર નીકળતાં જ એની દબાયેલી ઉર્મિઓ એક સામટી ઉછળી પડી. તેણે પ્રસાદને ઉંચકી લીધો અને લોકની પરવા કર્યા વિના જ તેણે પ્રસાદને ચુંબનોથી ભીંજવી દીધો.
{{gap}}જ્યારે તે પ્રસાદને લઈને ઘેર આવી ત્યારે, ઝવેરને સમજાયું કે મંગળા બહાવરી, ખોવાયેલી બની ગઈ હતી, તે પ્રસાદને કારણે અને સ્વગત બબડી, ‘વાહરે મંગળા, વાહ!’
{{gap}}ઘરમાં પેસતાં જ લક્ષ્મણ જાગ્રત અવસ્થામાં ઘોડિયામાં રમતો જણાયો. ને પ્રસાદ દોડ્યો, ઘોડિયા પાસે બેસીને તેણે લક્ષ્મણને રમાડવા માંડ્યો.
{{gap}}‘હં મારો લક્ષ્મણ ! ભાઈલા, હું નિશાળે ગયો હતો ત્યારે તું શું કરતો હતો ? કોની સાથે રમતો હતો ?’ અને લક્ષ્મણને મુખ મલકાવતો જોઈને ઉત્સાહીત બનેલા પ્રસાદે કહ્યું, ‘તું પણ જલ્દી જલ્દી મોટો થઈ જા ! પછી આપણે બન્ને સાથે જ નિશાળે જઇશું. જાણે રામ–લક્ષ્મણ ભણવા ચાલ્યા !’
{{gap}}ને મંગળા સામે જોઈને ગંભીર વદને પૂછવા લાગ્યો ‘કેમ મંગળા ખરું ને ?’
{{gap}}‘હા, ભાઈ !’ મંગળા બોલી ને ઉમેર્યું, ‘જાણે રામ–લક્ષ્મણની જોડી.’
{{gap}}અત્યાર સુધી શાંત બેસી રહેલી ઝવેરના મનમાં પણ સદ્ભાવ ઉછળ્યો. તેણે કહ્યું ‘રામ–લક્ષ્મણની જોડી !’
{{nop}}<noinclude></noinclude>
nux9camdnvk4lc18mg5mynjgfxgyn5o
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૬૪
104
70809
215879
215838
2025-06-27T00:26:28Z
Snehrashmi
2103
/* Validated */
215879
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|અકસ્માત||૩૫૫}}'''</noinclude>કોઈકે સાચું કહ્યું છે કે પાકે તો ખેતી નહિ તો ફજેતી, અને આકાશી જુગાર પર ટકી રહેલી ખેતીને માટે ફજેતીના વર્ષો ખેડુતોના નસીબે લખાયેલાં જ હતાં. હજી બે વર્ષ પહેલાં જ અનાવૃષ્ટિએ હાહાકાર મચાવી દીધો હતો. પશુઓને જીવાડવા લોકો ઘર ગામ છોડીને બહાર નીકળી પડ્યા હતા. ગામે ગામથી પશુધન ઘાસચારાની શોધમાં દૂર દૂર, ગીરના જંગલ સુધી જવાને નીકળ્યું હતું. ખેતરો વેરાન દીસતા હતા. ગરમ પવનની લહેર સતત વરસતી હતી, તૃષાતુર ધરતીના હૈયામાં ચીરાડો પડી હતી, પણ મેઘરાજા ધરતીનો પાલવ પકડીને પ્રેમકેલી રચવા તૈયાર ન હતો. ધરતી સાથે જાણે એણે રૂસણાં લીધાં હતાં, અને ધરતીના માનવો ક્ષુધાથી પીડાતા મૃત્યુને શરણે જતા હતા.
{{gap}}ધરતી પૂછતી પોતાના પ્રિયતમ મેઘને, ભલા વિયોગની લાંબી વાટ તો મેં પ્રેમપૂર્વક તારી પ્રતીક્ષા કરતાં કરતાં પૂરી કરી, જેઠના તોરણો બંધાયા અને હમણાં પિયુ આવશે તે મારા શુષ્ક બનેલા મનને, પ્રેમ ધારાથી તૃપ્ત કરીને મારા મનડાને ડોલાવશે એવી આશાઓમાં દિવસો ગણતી હતી, પણ જેઠના તોરણો સૂકાયાં, અષાઢ આવ્યો. વિરહ ઘેલી વનિતા જેમ પોતાના પરદેશ ગયેલા પિયુની રાહ જોતી આંગણાના ટોડલે હાથ મૂકીને દૂર દૂર સુધી દૃષ્ટિ દોડાવતી ઊભી રહી અને હમણાં પોતાનો પિયુ આવશે ને પોતે તેની વિશાળ ભૂજાઓમાં સમાઈ જશે એવા સ્વપ્નામાં મહાલતી પ્રિયા, વિજોગણ બનીને પોતે વિરહમાં આંસુ સારતી રહે પણ પરદેશ ગયેલો પિયુ પાછો ન ફરે અને વિજોગણ વિરહમાં ઝુરતી આંસુ સારે એમ, હું પણ તારા વિજોગમાં બહાવરી બનીને ભટકું છું.
{{gap}}પણ મેઘ નમેરો થયો હતો. ધરતીનો કંઠ સૂકાતો હતો. એની વિશાળ છાતીમાં મોટી મોટી ચીરાડો પડી ગઈ હતી. એનું જીવન કરમાઈ ગયુ હતું, છતાં મેઘને જાણે તેની પરવા જ ન હોય એમ, એના આગમનના કોઈ એંધાણ જણાતા ન હતા.
{{nop}}<noinclude></noinclude>
tqiuzdozjjzxt4uxl56ezum4d6kqf05
215902
215879
2025-06-27T03:04:04Z
Meghdhanu
3380
/* Validated */
215902
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|અકસ્માત||૩૫૫}}'''</noinclude>કોઈકે સાચું કહ્યું છે કે પાકે તો ખેતી નહિ તો ફજેતી, અને આકાશી જુગાર પર ટકી રહેલી ખેતીને માટે ફજેતીના વર્ષો ખેડુતોના નસીબે લખાયેલાં જ હતાં. હજી બે વર્ષ પહેલાં જ અનાવૃષ્ટિએ હાહાકાર મચાવી દીધો હતો. પશુઓને જીવાડવા લોકો ઘર ગામ છોડીને બહાર નીકળી પડ્યા હતા. ગામે ગામથી પશુધન ઘાસચારાની શોધમાં દૂર દૂર, ગીરના જંગલ સુધી જવાને નીકળ્યું હતું. ખેતરો વેરાન દીસતા હતા. ગરમ પવનની લહેર સતત વરસતી હતી, તૃષાતુર ધરતીના હૈયામાં ચીરાડો પડી હતી, પણ મેઘરાજા ધરતીનો પાલવ પકડીને પ્રેમકેલી રચવા તૈયાર ન હતો. ધરતી સાથે જાણે એણે રૂસણાં લીધાં હતાં, અને ધરતીના માનવો ક્ષુધાથી પીડાતા મૃત્યુને શરણે જતા હતા.
{{gap}}ધરતી પૂછતી પોતાના પ્રિયતમ મેઘને, ભલા વિયોગની લાંબી વાટ તો મેં પ્રેમપૂર્વક તારી પ્રતીક્ષા કરતાં કરતાં પૂરી કરી, જેઠના તોરણો બંધાયા અને હમણાં પિયુ આવશે તે મારા શુષ્ક બનેલા મનને, પ્રેમ ધારાથી તૃપ્ત કરીને મારા મનડાને ડોલાવશે એવી આશાઓમાં દિવસો ગણતી હતી, પણ જેઠના તોરણો સૂકાયાં, અષાઢ આવ્યો. વિરહ ઘેલી વનિતા જેમ પોતાના પરદેશ ગયેલા પિયુની રાહ જોતી આંગણાના ટોડલે હાથ મૂકીને દૂર દૂર સુધી દૃષ્ટિ દોડાવતી ઊભી રહી અને હમણાં પોતાનો પિયુ આવશે ને પોતે તેની વિશાળ ભૂજાઓમાં સમાઈ જશે એવા સ્વપ્નામાં મહાલતી પ્રિયા, વિજોગણ બનીને પોતે વિરહમાં આંસુ સારતી રહે પણ પરદેશ ગયેલો પિયુ પાછો ન ફરે અને વિજોગણ વિરહમાં ઝુરતી આંસુ સારે એમ, હું પણ તારા વિજોગમાં બહાવરી બનીને ભટકું છું.
{{gap}}પણ મેઘ નમેરો થયો હતો. ધરતીનો કંઠ સૂકાતો હતો. એની વિશાળ છાતીમાં મોટી મોટી ચીરાડો પડી ગઈ હતી. એનું જીવન કરમાઈ ગયું હતું, છતાં મેઘને જાણે તેની પરવા જ ન હોય એમ, એના આગમનના કોઈ એંધાણ જણાતા ન હતા.
{{nop}}<noinclude></noinclude>
aa3q1lbwrvlsibv0xj8ma7wyxteb1dr
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૬૫
104
70810
215880
215839
2025-06-27T00:30:03Z
Snehrashmi
2103
/* Validated */
215880
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૩૫૬||ખાખનાં પોયણાં}}'''</noinclude>{{gap}}અનાવૃષ્ટિનો એ કાળ માનવોએ જેમ તેમ પૂરો કર્યો. ફરીને નભો મંડળમાં કાળા વાદળા ઘટાટોપ જામવા માંડ્યા, ધરતીએ ફરીને મેઘરાજા સામે આશાભરી દૃષ્ટિ નાંખી અને આ વર્ષે મેઘરાજા ધરતીની પ્રિતનો પાલવ ભરી રહ્યા, ખેડુતના વેરાન ખેતરો ફરીને હરિયાળા બન્યા ! કરમાયેલી ધરતીની મુખમુદ્રા પુનઃ પ્રફુલ્લિત બની. નિરાશ થયેલા માનવોના જીવનમાં આશાની ઉષ્મા પ્રગટી.
{{gap}}એ વર્ષ સોળ આની પૂરવાર થયું. ધરતી સાથે મેઘરાજા મન ભરીને ખેલતા હતા. ધરતી પણ હરિયાળી સાડી ઓઢીને મલક મલક થતી હતી. ગયા વર્ષનો બદલો આ વર્ષે ખેડૂતને મળી ગયો હતો.
{{gap}}પણ આ વર્ષે પુનઃ મેઘરાજા જાણે રિસાયા હોય એમ પ્રારંભમાં તો હાથતાળી દેતા હતા, વાદળો થતાં થોડીક વીજ પણ ચમકતી. થોડોક ગડગડાટ પણ થતો, થોડાંક છાંટણા પણ કરતો. આમ લોક હૈયે આશા પ્રકટાવતો પણ ફરી પાછો અદૃશ્ય થઈ જતો.
{{gap}}ધરતીને કહેતો હતો ‘આવુ છું, હમણાં આવુ છું’ ને એવો તો સંતાઈ જતો કે ધરતી બિચારી દિવસો થયા તેને ઢૂંઢીને હતાશ થઈ જતી, પણ એની હતાશા લાંબો સમય ટકતી નહિ. ક્યાંયથી પાછા વાદળો આભની અટારીએ જમા થઈ જતાં અને ધરતીના શુષ્ક દેહને થોડાંક અમી છાંટણાં દ્વારા તૃપ્ત કરતા.
{{gap}}આમ ધરતી અને મેઘ સંતાકુકડીની રમત રમતા હતા. ત્યારે ખેતરોમાં વાવેતર કરીને {{SIC|બેઠેલો|બેઠેલા}} ખેડૂતોના હૈયામાં ઘેરી નિરાશા ઉભરાતી હતી. આ વર્ષ પાછું બગડશે કે શું? એવી ચિંંતા ખેડૂતોની આંખમાં વંચાતી હતી, પણ મેઘરાજાની સવારી આવી પહોંચી, ધરતીએ એને વધામણાં દીધા. ખેડૂતોએ હૈયાનો આનંદ વ્યક્ત કર્યો અને ખેતરોમાં પાક લચી રહ્યો. માનવ માત્રના અંતરમાં આનંદ વ્યાપી રહ્યો. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સારા પાકની આશા સૌના મનમાં ઉમંગ પેદા કરતી હતી.
{{nop}}<noinclude></noinclude>
idz0by3psbdmbjpc5eyz9hmtqwau04v
215903
215880
2025-06-27T03:06:52Z
Meghdhanu
3380
/* Validated */
215903
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૩૫૬||ખાખનાં પોયણાં}}'''</noinclude>{{gap}}અનાવૃષ્ટિનો એ કાળ માનવોએ જેમ તેમ પૂરો કર્યો. ફરીને નભો મંડળમાં કાળા વાદળો ઘટાટોપ જામવા માંડ્યા, ધરતીએ ફરીને મેઘરાજા સામે આશાભરી દૃષ્ટિ નાંખી અને આ વર્ષે મેઘરાજા ધરતીની પ્રિતનો પાલવ ભરી રહ્યા, {{SIC|ખેડુતના|ખેડૂતના}} વેરાન ખેતરો ફરીને હરિયાળા બન્યા ! કરમાયેલી ધરતીની મુખમુદ્રા પુનઃ પ્રફુલ્લિત બની. નિરાશ થયેલા માનવોના જીવનમાં આશાની ઉષ્મા પ્રગટી.
{{gap}}એ વર્ષ સોળ આની પૂરવાર થયું. ધરતી સાથે મેઘરાજા મન ભરીને ખેલતા હતા. ધરતી પણ હરિયાળી સાડી ઓઢીને મલક મલક થતી હતી. ગયા વર્ષનો બદલો આ વર્ષે ખેડૂતને મળી ગયો હતો.
{{gap}}પણ આ વર્ષે પુનઃ મેઘરાજા જાણે રિસાયા હોય એમ પ્રારંભમાં તો હાથતાળી દેતા હતા, વાદળો થતાં થોડીક વીજ પણ ચમકતી. થોડોક ગડગડાટ પણ થતો, થોડાંક છાંટણા પણ કરતો. આમ લોક હૈયે આશા પ્રકટાવતો પણ ફરી પાછો અદૃશ્ય થઈ જતો.
{{gap}}ધરતીને કહેતો હતો ‘આવું છું, હમણાં આવું છું’ ને એવો તો સંતાઈ જતો કે ધરતી બિચારી દિવસો થયા તેને ઢૂંઢીને હતાશ થઈ જતી, પણ એની હતાશા લાંબો સમય ટકતી નહિ. ક્યાંયથી પાછા વાદળો આભની અટારીએ જમા થઈ જતાં અને ધરતીના શુષ્ક દેહને થોડાંક અમી છાંટણાં દ્વારા તૃપ્ત કરતા.
{{gap}}આમ ધરતી અને મેઘ સંતાકુકડીની રમત રમતા હતા. ત્યારે ખેતરોમાં વાવેતર કરીને {{SIC|બેઠેલો|બેઠેલા}} ખેડૂતોના હૈયામાં ઘેરી નિરાશા ઉભરાતી હતી. આ વર્ષ પાછું બગડશે કે શું? એવી ચિંંતા ખેડૂતોની આંખમાં વંચાતી હતી, પણ મેઘરાજાની સવારી આવી પહોંચી, ધરતીએ એને વધામણાં દીધા. ખેડૂતોએ હૈયાનો આનંદ વ્યક્ત કર્યો અને ખેતરોમાં પાક લચી રહ્યો. માનવ માત્રના અંતરમાં આનંદ વ્યાપી રહ્યો. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સારા પાકની આશા સૌના મનમાં ઉમંગ પેદા કરતી હતી.
{{nop}}<noinclude></noinclude>
70ukw0gym566afz0j149hq4b71ruz0k
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૬૬
104
70811
215881
215840
2025-06-27T00:32:06Z
Snehrashmi
2103
/* Validated */
215881
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|અકસ્માત||૩૫૭}}'''</noinclude>{{gap}}પણ મેઘરાજા, ધરતી સાથે કેલી કરતાં તૃપ્તિ અનુભવતાં ન હતાં. તેમણે અનરાધાર ધારે ધરતીને ભીંજવી નાંખવા માંડી, દિવસો વિતવા છતાં તેઓ હજી તૃપ્તિ અનુભવતા ન હોય એમ થોભતા ન હતા...
{{gap}}લોકો પ્રાર્થના કરવા લાગ્યા. ટૂચકા કરવા લાગ્યા. ગમે તેમ કરીને મેઘરાજાને હવે શાંત થઈ જવા કરગરવા લાગ્યા, પણ ધરતી સાથે રમણે ચઢેલા મેઘરાજાને એવી વિનંતીઓ, આરજુઓ અને પ્રાર્થનાની પરવા ન હતી, મન મૂકીને વરસતો હતો.
{{gap}}હતાશા પાછી ઘેરી વળી. ગામમાં પાણી ભરાયા, ને કાચા માટીના ઝૂપડાં ધરાશયી થવા માંડ્યાં. ઉપર આભમાંથી વરસતો વરસાદ અને ધરતી પર ભરાયેલા પાણી વચ્ચે ઝૂંપડામાં રહેનારાઓ નિરાધાર થઈ પડ્યા, કોણ કોને સહાય કરે? કાલે કોનું ઝૂંપડું સલામત હશે એ જ નક્કી ન હતું, પાક તો હવે સાફ થઈ ગયો હતો, હવે તો માનવી જીવ પર આવી ગયો હતો. કાચા માટીના ઝૂં૫ડાઓ છોડીને માણસો જ્યાં મળે ત્યાં આશરો લેવા દોડી જતા હતા.
{{gap}}ગામમાં પાણી ઉભરાતા હતા, તળાવો ફાટતાં એના પાણી પણ ગામમાં ધસી આવતાં. મકાનોમાં પાણી ઘૂસી જશે એવો ભય પણ પેદા થવા પામ્યો હતો.
{{gap}}મંગળા એકલી એકલી મૂંઝાતી હતી. પ્રસાદ તો વીજળીના ઝાટકા થતાં જ રાડ પાડીને મંગળાની સોડમાં લપાઈ જતો ને રડતો રડતો કહેતો, ‘મંગળા મને બીક લાગે છે.’ મંગળા એને પોતાની સોડમાં લેતી, ખોળામાં લક્ષ્મણને પણ સાચવી લેતી અને પ્રસાદનો ભય દૂર કરવા તેને કહેતી, ‘એમાં રડે છે શાનો રામ? આ તો વરસાદની ગર્જના છે’ અને પછી તેને ભગવાન રામચંદ્રની વાત કરીને તેનામાં હિંમતનો સંચાર કરવા મથતી.
{{nop}}<noinclude></noinclude>
4vdakd4iqfb03b9eed9jt8oj3isnh00
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૬૭
104
70812
215882
215856
2025-06-27T00:35:05Z
Snehrashmi
2103
/* Validated */
215882
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૩૫૮||ખાખનાં પોયણાં}}'''</noinclude>{{gap}}પોતાના નાનકડા હાથની કોણી ગોઠવી, બે હથેલીમાં માથું નાંખીને પ્રસાદ મંગળાની વાત ધ્યાનપૂર્વક સાંભળતો હતો.
{{gap}}મંગળા કહેતી, ‘ભગવાન રામ તારા જેટલા હતા ને ત્યારે પોતાના બંધુ લક્ષ્મણ સાથે વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરવા માટે વનમાં ગયા હતા. વિશ્વામિત્રના યજ્ઞમાં રાક્ષસો ભંંગાણ પાડતા હતા, ડરાવતા હતા, એટલે વિશ્વામિત્ર રામ લક્ષ્મણને પોતાના યજ્ઞની ચોકી કરવા લઈ ગયા હતા.’
{{gap}}‘તે એટલા નાના છોકરાં આવડા મોટા ઋષિના યજ્ઞની ચોકી શી રીતે કરવાના હતા? રાક્ષસ તો રામ–લક્ષ્મણને એક જ કોળિયે હડપ કરી નાખત.’ પ્રસાદનું બાળમાનસ શંકાશીલ બન્યું હતું. તેણે પૂછ્યું.
{{gap}}‘હં, પણ વિશ્વામિત્રે તેમને ધનુર્વિદ્યા શીખવી હતી, ને એટલે બાણ વિદ્યાથી તે રાક્ષસોને મારી નાંખતા અને યજ્ઞનું કામ ચાલુ રહેતું હતું.’
{{gap}}‘હં પછી શું થયું ?’ પ્રસાદના મનની શંકાનું સમાધાન થતાં તેણે મંગળાને પ્રશ્ન કર્યો.
{{gap}}મંગળાએ તેના માથે હાથ ફેરવતાં કહ્યું, ‘બેટા, નાના હોય કે મોટા હોય, પણ જો તેના મનમાં ભય જેવું કાંઈ જ ન હોય તો, એને કોઈનો ડર લાગતો નથી. રામ અને લક્ષ્મણ પણ એવા નિર્ભય હતા. એટલે વિશ્વામિત્રના યજ્ઞમાં ભંગાણ પડાવવા જ્યારે ભયંકર ગર્જના કરતાં રાક્ષસો આવતા ત્યારે રામ લક્ષ્મણ જરા પણ ભય પામ્યા વિના બાણ છોડતા અને રાક્ષસો વિંંધાઈ જતા હતા એટલે તારે પણ મારા રામ, નિર્ભય થવું જોઈએ. કોઈનાથી પણ ડરવાની શી જરૂર છે? ભગવાન રામ જેમ રાક્ષસો સામે નિર્ભયતાથી લડતા હતા તેમ, તું પણ મોટો થઈશ ત્યારે ઘણા ઘણા રાક્ષસો સામે તારે લડવું પડશે.
{{nop}}<noinclude></noinclude>
5r0avwkutha5sfnlkw4f81z85qx35fi
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૬૮
104
70813
215883
215857
2025-06-27T00:52:25Z
Snehrashmi
2103
/* Validated */
215883
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|અકસ્માત||૩૫૯}}'''</noinclude>{{gap}}‘હું લડીશ મંગળા.’ પ્રસાદ ઉત્સાહીત બનીને બોલી ઊઠ્યો ને મંગળાને પોતે કઈ રીતે લડશે તે બતાવવા માંડ્યો. કહે ‘હું પણ ભગવાન રામની જેમ બાણ વિદ્યા શીખી લઈને પછી આમ રાક્ષસોને મારી નાંખીશ.’ પ્રસાદના વેણ સાંભળી રહેલી મંગળા સ્વગત બબડી ‘બેટા, આજના યુગના રાક્ષસો બાણ વિદ્યાથી ખતમ થતા નથી, એમને ખતમ કરવા માટે તો બીજા શસ્રો વાપરવા જોઈશે.’
{{gap}}‘પછી રામની વાત કહેને મંગળા ?’ પ્રસાદે મંગળાનું ધ્યાનભંગ કરતાં કહ્યું.
{{gap}}ને મંગળાએ ભગવાન રામના પરાક્રમની ગાથા કહેવા માંડી : કહ્યું ‘એક વખત રામ–લક્ષ્મણને મારી નાંખવા માટે તાડકાસુર નામનો જબરો રાક્ષસ ધસી આવ્યો. તેણે વિકરાળ ગર્જનાઓથી ચો દિશા ધ્રુજાવી મૂકી, તેની ત્રાડ પડતાં પશુ પંખી પણ ધ્રુજી ઊઠતાં. આમ ચોદિશા ધ્રુજી ઊઠી હતી, અને તાડકાસુર ભગવાન રામ પર પહાડોનો મોટા મોટા ઝાડોનો વરસાદ વરસાવતો હતો, છતાં એ નજરે પડતો ન હતો. એટલે ભગવાન રામચંદ્ર બાણ ક્યાં મારવું તે જોઈ શકતા ન હતા. અને મૂંઝાતા હતા.
{{gap}}એ વખતે વિશ્વામિત્રે ભગવાન રામને કહ્યું, ‘તમે ડરશો ના ! એ રાક્ષસ સંતાઈને તમારા પર ઘા કરે છે. માટે તમે હવે જરાપણ સમય વિતાવ્યા વિના ચારે દિશામાં બાણવર્ષા કરો, જ્યાં હશે ત્યાંથી તે વિંંધાશે.’
{{gap}}‘હં, હું પણ આમ ચારે બાજુ બાણ મારીને રાક્ષસને વીંધી નાંખીશ હોં, મંંગળા’ વચ્ચે જ પ્રસાદ બોલી ઊઠ્યો.
{{gap}}‘ભલે બેટા !’ મંગળાએ તેને ઉત્તેજન દીધું ને કહ્યું, ‘પછી ભગવાન રામે, વિશ્વામિત્રે કહ્યું હતું તેમ જ ચારે બાજુ મંત્રો ભણીને બાણ છોડવા માંડ્યાં. જેમ જેમ ભગવાન બાણ છોડવા લાગ્યા તેમ<noinclude></noinclude>
3oi9lubb6yosxw739625lqs67u2kymj
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૬૯
104
70814
215884
215860
2025-06-27T00:55:42Z
Snehrashmi
2103
/* Validated */
215884
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૩૬૦||ખાખનાં પોયણાં}}'''</noinclude>તેમ {{SIC|તાડકાસૂર|તાડકાસુર}}ની ગર્જના અને હાકોટા વધવા લાગ્યા. વન આખું ધ્રુજી ઊઠ્યું હતું. પણ રામના હૈયામાં અપાર હિંમત હતી. એટલે તાડકાસુરે રામને છોડીને લક્ષ્મણ પર પહાડોની મોટા મોટા તોતીંગ ઝાડોની વર્ષા શરૂ કરી. લક્ષ્મણે પણ બાણ છોડવા માંડ્યા. પણ લક્ષ્મણ પર આવતા પહાડો અને ઝાડો ભગવાન રામના બાણ ભાંગી નાંખતા હતા.
{{gap}}‘અને છેવટે ભગવાન રામના બાણથી તાડકાસૂર વીંધાયો. જાણે મોટો પહાડ તૂટી પડતાં ધરા ધ્રુજે તેમ, આભમાંથી {{SIC|તાડકાસૂર|તાડકાસુર}} ઘવાયેલી હાલતમાં નીચે તૂટી પડતાં ધરતી ધ્રુજી ઊઠી હતી. ત્યારે પણ ભગવાન રામ તો ડર્યા જ ન હતા, તો મારો રામ, આભમાં વિજળી ગર્જે તેથી શેનો ડરે ?’ તેણે કહ્યું.
{{gap}}‘ના, નહિ જ ડરું !’ મંગળાના શબ્દોથી પ્રોત્સાહન પામીને જાણે પોતાનામાં પણ હિંમતનો સંચાર થતો હોય એમ પ્રસાદ મંગળાનું પડખું છોડીને ઊભો થયો અને પોતાની નાનકડી છાતી ફૂલાવીને કહેવા લાગ્યો, ‘આભની વીજળી ભલેને ત્રાટકે, હું કાંઈ ડરું તેવો નથી તો !’
{{gap}}પ્રસાદના દિલમાંથી ભય ઓછો કરવાનો મંગળા પ્રયત્ન કરતી હતી. પણ એના દિલમાં જ છાનો છાનો ભય વ્યાપી રહ્યો હતો. મુશળધાર વરસતો, નભોમંડળમાં વાદળો અથડાતા ને એના થતા કડાકા, ઝબકતી વીજળીની ગર્જના એના દિલને ડરાવતા હતા, પણ જ્યારે મકાન તૂટી પડવા લાગ્યા ત્યારે તો એ ભયભીત બની ગઈ હતી. પોતાનું મકાન પણ કદાચ રાતમાં જ તૂટી પડે તો ? પોતાના રામ–લક્ષ્મણને શું થાય ? એવા અમંગળ વિચારો એના મનને ઘેરી વળ્યા હતા.
{{gap}}અને જાણે તેના મનના ભયનો જ પડઘો પાડતો હોય એમ તુલસી<noinclude></noinclude>
e6c8c2d1a7k4na91f40328dunkub17o
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૭૦
104
70815
215873
213849
2025-06-26T16:30:31Z
Amvaishnav
156
/* Proofread */
215873
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|અકસ્માત||૩૬૧}}'''</noinclude>એને કહી રહ્યો હતો. માએ કહાવ્યું છે કે, આ વરસાદના દિવસેામાં તું અમારી સાથે આવી ને રહે, વખતે કવખતે તને જરૂર પડે તો અમારી સાથે હોય તો તને ઓથ મળે.'
{{gap}}તુલસી ઝવેરના આગ્રહને ભારપૂર્વક વ્યક્ત કરી રહ્યો હતો. પણ હકીકતમાં તે જ્યારથી ગામમાં પાણી પેઠા અને ઉપરવાસના મકાનો રાતોરાત ધરાશયી થવા માંડ્યા, ત્યારથી તુલસીના મનમાં પણ ભય પેઠો હતો કે કદાચ રાતના વખતે મંગળાનું મકાન પણ આમ જ અચાનક બેસી જાય તો ? અને પછીનો વિચાર તેણે દબાવી દીધો હતો. પણ વિચારને દબાવવાથી કાંઈ મનને શાંતિ મળતી નથી ને ? ઊલ્ટુ દબાયેલો વિચાર પળે પળે ઉછાળા મારવા જોર કરતો હોય છે. તુલસીના મનમાં પણ એ દબાયેલો વિચાર જોર કરતો હતો, ને બીજી બાજુ મંગળા પ્રત્યેનો બીજો ભાવ પણ ઉછાળા મારતો હતો.
{{gap}}તેણે જ અવેરને ઉપરવાસમાં રાતોરાત બેસી ગયેલા મકાનોની હકીકત કહેતાં કહેતાં પૂછી લીધું હતું. 'મંગળાનુ મકાન બેસી જાય તો મા ?’
{{gap}}ને ઝવેરના દિલમાં પણ ધ્રાસ્કો પડ્યો. પોતાના મનમાં આ વાત કેમ ન ઉગી એવું મનોમન આશ્ચર્ય પણ થયું. એને યાદ આવ્યું, થોડાં વર્ષો પહેલાં એનો કરો બેસી જાય તેવો હતો ત્યારે તાપીશંકરે થાગડ-થીગડ કરીને ઊભો રાખ્યો હતો પણ બિમારીથી કૃશ થયેલી કાયા મોટા રોગની પ્રચંડ શક્તિ સામે ક્યાં સુધી ટકી શકે? એમ આ થાગડથીંગડ મારીને ઊભો રાખેલો કરો, વરસાદના આવા પ્રચંડ
તોફાન વચ્ચે કેમ કરીને ટકી રહે ? છતાં અત્યાર સુધી ટકી રહ્યો, એ જ પ્રભુનો પાડ.
{{gap}}તુલસીના પ્રશ્નના જવાબમાં ઝવેર બોલી 'હા તુલસી! મંગળાના મકાનનો એક કરો તો બોદલો જ છે, અને હવે જો વરસાદ ચાલુ જ રહે તા ગમે ત્યારે બેસી જાય...'<noinclude></noinclude>
8i7y195t43w6xputu8n953878g1hjgp
215885
215873
2025-06-27T00:57:58Z
Snehrashmi
2103
/* Validated */
215885
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|અકસ્માત||૩૬૧}}'''</noinclude>એને કહી રહ્યો હતો. માએ કહાવ્યું છે કે, આ વરસાદના દિવસોમાં તું અમારી સાથે આવી ને રહે, વખતે કવખતે તને જરૂર પડે તો અમારી સાથે હોય તો તને ઓથ મળે.’
{{gap}}તુલસી ઝવેરના આગ્રહને ભારપૂર્વક વ્યક્ત કરી રહ્યો હતો. પણ હકીકતમાં તે જ્યારથી ગામમાં પાણી પેઠા અને ઉપરવાસના મકાનો રાતોરાત ધરાશયી થવા માંડ્યા, ત્યારથી તુલસીના મનમાં પણ ભય પેઠો હતો કે કદાચ રાતના વખતે મંગળાનું મકાન પણ આમ જ અચાનક બેસી જાય તો ? અને પછીનો વિચાર તેણે દબાવી દીધો હતો. પણ વિચારને દબાવવાથી કાંઈ મનને શાંતિ મળતી નથી ને ? ઊલ્ટુ દબાયેલો વિચાર પળે પળે ઉછાળા મારવા જોર કરતો હોય છે. તુલસીના મનમાં પણ એ દબાયેલો વિચાર જોર કરતો હતો, ને બીજી બાજુ મંગળા પ્રત્યેનો બીજો ભાવ પણ ઉછાળા મારતો હતો.
{{gap}}તેણે જ ઝવેરને ઉપરવાસમાં રાતોરાત બેસી ગયેલા મકાનોની હકીકત કહેતાં કહેતાં પૂછી લીધું હતું. ‘મંગળાનુ મકાન બેસી જાય તો મા ?’
{{gap}}ને ઝવેરના દિલમાં પણ ધ્રાસ્કો પડ્યો. પોતાના મનમાં આ વાત કેમ ન ઉગી એવું મનોમન આશ્ચર્ય પણ થયું. એને યાદ આવ્યું, થોડાં વર્ષો પહેલાં એનો કરો બેસી જાય તેવો હતો ત્યારે તાપીશંકરે થાગડ–થીગડ કરીને ઊભો રાખ્યો હતો પણ બિમારીથી કૃશ થયેલી કાયા મોટા રોગની પ્રચંડ શક્તિ સામે ક્યાં સુધી ટકી શકે? એમ આ થાગડથીંગડ મારીને ઊભો રાખેલો કરો, વરસાદના આવા પ્રચંડ તોફાન વચ્ચે કેમ કરીને ટકી રહે ? છતાં અત્યાર સુધી ટકી રહ્યો, એ જ પ્રભુનો પાડ.
{{gap}}તુલસીના પ્રશ્નના જવાબમાં ઝવેર બોલી ‘હા તુલસી! મંગળાના મકાનનો એક કરો તો બોદલો જ છે, અને હવે જો વરસાદ ચાલુ જ રહે તા ગમે ત્યારે બેસી જાય...’
{{nop}}<noinclude></noinclude>
jrjmjm8em8av4t38fcp6hyq08b0akar
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૭૧
104
70816
215874
213850
2025-06-26T16:41:10Z
Amvaishnav
156
/* Proofread */
215874
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૩૬૨||ખાખનાં પોયણાં}}'''</noinclude>{{gap}}'ઓ {{SIC|મારે|મા રે}} !' ઝવેરની નજર સમક્ષ ભયંકર સ્વપ્ન ઊપસી આવ્યું! જાણે મંગળાનો કરો તૂટી પડ્યો છે અને ત્રણ જીવો દટાઈ ગયા છે.
{{gap}}'શું થયું મા ?' ઝવેરની ચીસથી તુલસીને પણ નવાઈ લાગી, એવું તો કશું જ પોતાનો વાતમાં ન હતું કે જેથી ઝવેરના દિલને આધાત પહોંચે !
{{gap}}'કાંઈ નહિ બેટા ! ' સ્વસ્થ થતાં ઝવેર બોલી, છતાં એના મુખ પર ચિંતાની વાદળીઓ ઘેરાયેલી હતી, અને તેણે ઉતાવળાં ઉતાવળાં કહ્યું, 'જા તો મંગળાને અહીં જ તેડી લાવ, ભલે થોડા દિવસ આપણા ત્યાં રહેતી, વખત છેને? વખત બે વખત કાંઈ બને તો ?'
{{gap}}તુલસીના મનમાં જે વિચારે આકાર લીધો હતો તે જ વિચાર ઝવેરે વ્યક્ત કરતાં તુલસીના આનંદનો પાર ન રહ્યો, તેણે પળના પણ વિલંબ વિના મંગળાના ઘર તરફે કદમ ઉપાદ્યા ને મંગળા પાસે ઝવેરની વાત મૂકી.
{{gap}}ને તેણે ઉમેર્યું : 'મા કહે છે કે મંગળાના મકાનનો એક કરો તો બોદલો છે જ, એટલે આવા વરસાદમાં અહીં રહેવુ જોખમ ભર્યું ગણાય.'
{{gap}}પ્રત્યુત્તરમાં મંગળાના મોં પર સ્મિત છવાયું. તુલસીની આંખમાં પોતાના પ્રત્યે ઉભરાતો સ્નેહ તે જોઈ શકતી હતી ને મનમાં રાજીપો અનુભવતી વિચારતી હતી, તુલસૌનું કેવું પરિવર્તન થયું છે ? આવો જ તુલસી પહેલાં હોત તો પોતે એને પામીને જીવનનેા આનંદ જરૂર ભોગવી શકત, પણ ત્યારે તો એનામાં શયતાનનો વાસ હતો. નહિ તો તેણે પોતાની સાથે દુર્વ્યવહાર કર્યો જ ન હોત ને ?
{{gap}}અને વિચાર માળાના મણકા ફરતાં ફરતાં શિવ પર આવીને ઊભા, 'શિવ અત્યારે તો મોટી ઘાતમાં છે. ભગવાન એની રક્ષા કરશે.<noinclude></noinclude>
aktwgool6rywc4f0lpt4go0kooj6muq
215886
215874
2025-06-27T01:00:38Z
Snehrashmi
2103
/* Validated */
215886
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૩૬૨||ખાખનાં પોયણાં}}'''</noinclude>{{gap}}‘ઓ {{SIC|મારે|મા રે}} !’ ઝવેરની નજર સમક્ષ ભયંકર સ્વપ્ન ઊપસી આવ્યું! જાણે મંગળાનો કરો તૂટી પડ્યો છે અને ત્રણ જીવો દટાઈ ગયા છે.
{{gap}}‘શું થયું મા ?’ ઝવેરની ચીસથી તુલસીને પણ નવાઈ લાગી, એવું તો કશું જ પોતાની વાતમાં ન હતું કે જેથી ઝવેરના દિલને આઘાત પહોંચે !
{{gap}}‘કાંઈ નહિ બેટા !’ સ્વસ્થ થતાં ઝવેર બોલી, છતાં એના મુખ પર ચિંતાની વાદળીઓ ઘેરાયેલી હતી, અને તેણે ઉતાવળાં ઉતાવળાં કહ્યું, ‘જા તો મંગળાને અહીં જ તેડી લાવ, ભલે થોડા દિવસ આપણા ત્યાં રહેતી, વખત છેને? વખત બે વખત કાંઈ બને તો ?’
{{gap}}તુલસીના મનમાં જે વિચારે આકાર લીધો હતો તે જ વિચાર ઝવેરે વ્યક્ત કરતાં તુલસીના આનંદનો પાર ન રહ્યો, તેણે પળના પણ વિલંબ વિના મંગળાના ઘર તરફે કદમ ઉપાડ્યા ને મંગળા પાસે ઝવેરની વાત મૂકી.
{{gap}}ને તેણે ઉમેર્યું : ‘મા કહે છે કે મંગળાના મકાનનો એક કરો તો બોદલો છે જ, એટલે આવા વરસાદમાં અહીં રહેવુ જોખમ ભર્યું ગણાય.’
{{gap}}પ્રત્યુત્તરમાં મંગળાના મોં પર સ્મિત છવાયું. તુલસીની આંખમાં પોતાના પ્રત્યે ઉભરાતો સ્નેહ તે જોઈ શકતી હતી ને મનમાં રાજીપો અનુભવતી વિચારતી હતી, તુલસીનું કેવું પરિવર્તન થયું છે ? આવો જ તુલસી પહેલાં હોત તો પોતે એને પામીને જીવનનો આનંદ જરૂર ભોગવી શકત, પણ ત્યારે તો એનામાં શયતાનનો વાસ હતો. નહિ તો તેણે પોતાની સાથે દુર્વ્યવહાર કર્યો જ ન હોત ને ?
{{gap}}અને વિચાર માળાના મણકા ફરતાં ફરતાં શિવ પર આવીને ઊભા, ‘શિવ અત્યારે તો મોટી ઘાતમાં છે. ભગવાન એની રક્ષા કરશે.<noinclude></noinclude>
guq4c354sfaxg5ccls1badxvqa7x3va
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૭૨
104
70817
215875
213851
2025-06-26T16:51:03Z
Amvaishnav
156
/* Proofread */
215875
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|અકસ્માત||૩૬૩}}'''</noinclude>પણ છેલ્લી વાર જ્યારે તે બંદીવાન બનીને ઓતાની પાસે આવ્યો ત્યારે કેવો બદલાયેલો લાગતો હતો? તેણે પોતાને મા કહીને બોલાવી હતી. પોતાના પ્રત્યે તેણે જે આચરણ કર્યું હતું એ માટે, એના દિલમાં પસ્તાવો થતો હતો. તુલસીની જેમ જ શિવ પણ બદલાઈ ગયો છે.'
{{gap}}મગળા પાસે જવાબ મેળવવા ઉભો રહેાલો તુલસી, મંગળાને ચિંતાતુર જોઈને કહેવા લાગ્યો 'જ્યારે ને ત્યારે તું વિચારમાં જ કેમ પડી જાય છે મંગળા ? માની વાત શી ખોટી છે કહું તો ? આ ઉઘાડ નીકળે ત્યાં સુધી તુ અમારી સાથે રહે તો તને શો વાંધો છે ?'
{{gap}}ને સલાહ આપવા માંડ્યો 'આ તે કઇ મોટી વાત છે કે તેમાં આટલો લાબોબે વિચાર કરવાનો હોય ?' ને કહ્યું, 'લે ચાલ તું લક્ષ્મણને લઈ લે. હું પ્રસાદને ઉંચકી લઉં છું ને તાળું મારી લઉં છું' એમ કહીને તેણે પ્રસાદને ઉંચક્યો.
{{gap}}હવે મંગળાએ મૌન ખોલ્યું. તેણે તુલસીને કહ્યું: 'અહીં એવો શો ભો છે તુલસી ? અને કંઈ હશે તો, તુ કયાં દૂર છે ? ’ અને પછી પોતાના હૈયાની કોર તુલસીના વર્તનથી કેવી ભીંજાઈ છે તે બતાવતી હોય એમ બોલી 'તારો દેહ ત્યાં હશે પણ તારું દિલ તો અહીં છે એ હું જાણું છું ને તુલસી. '
{{gap}}બોલતાં બોલતાં એ શરમિંદી બની ગઈ.
{{gap}}'પણ માનો આગ્રહ છે તો? ' તુલસીએ ઝવેરને નામે આગ્રહ કરતાં કહ્યું ! ' એનું તો માન રાખ, મગળા ! '
{{gap}}બોલતાં બોલતાં એ દીન બની ગયો; મંગળા વિષે તેના દિલમાં જે ભારોભાર મમતા હતી તેના કારણે જ તે મંગળા સામે દીન બની જતો હતો.
{{gap}}'એ તો હું જાણું છું કે તું માનો મેલ્યો જ આવ્યો હશે ?'<noinclude></noinclude>
fmyeb7b0a6tsihdygrhqryz8eaib2zk
215887
215875
2025-06-27T01:03:31Z
Snehrashmi
2103
/* Validated */
215887
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|અકસ્માત||૩૬૩}}'''</noinclude>પણ છેલ્લી વાર જ્યારે તે બંદીવાન બનીને ઓતાની પાસે આવ્યો ત્યારે કેવો બદલાયેલો લાગતો હતો? તેણે પોતાને મા કહીને બોલાવી હતી. પોતાના પ્રત્યે તેણે જે આચરણ કર્યું હતું એ માટે, એના દિલમાં પસ્તાવો થતો હતો. તુલસીની જેમ જ શિવ પણ બદલાઈ ગયો છે.’
{{gap}}મંગળા પાસે જવાબ મેળવવા ઉભો રહેલો તુલસી, મંગળાને ચિંતાતુર જોઈને કહેવા લાગ્યો ‘જ્યારે ને ત્યારે તું વિચારમાં જ કેમ પડી જાય છે મંગળા ? માની વાત શી ખોટી છે કહું તો ? આ ઉઘાડ નીકળે ત્યાં સુધી તું અમારી સાથે રહે તો તને શો વાંધો છે ?’
{{gap}}ને સલાહ આપવા માંડ્યો ‘આ તે કઈ મોટી વાત છે કે તેમાં આટલો લાંબો વિચાર કરવાનો હોય ?’ ને કહ્યું, ‘લે ચાલ તું લક્ષ્મણને લઈ લે. હું પ્રસાદને ઉંચકી લઉં છું ને તાળું મારી લઉં છું’ એમ કહીને તેણે પ્રસાદને ઉંચક્યો.
{{gap}}હવે મંગળાએ મૌન ખોલ્યું. તેણે તુલસીને કહ્યું: ‘અહીં એવો શો ભો છે તુલસી ? અને કંઈ હશે તો, તું ક્યાં દૂર છે ?’ અને પછી પોતાના હૈયાની કોર તુલસીના વર્તનથી કેવી ભીંજાઈ છે તે બતાવતી હોય એમ બોલી ‘તારો દેહ ત્યાં હશે પણ તારું દિલ તો અહીં છે એ હું જાણું છું ને તુલસી.’
{{gap}}બોલતાં બોલતાં એ શરમિંદી બની ગઈ.
{{gap}}‘પણ માનો આગ્રહ છે તો?’ તુલસીએ ઝવેરને નામે આગ્રહ કરતાં કહ્યું ! ‘એનું તો માન રાખ, મંગળા !’
{{gap}}બોલતાં બોલતાં એ દીન બની ગયો; મંગળા વિષે તેના દિલમાં જે ભારોભાર મમતા હતી તેના કારણે જ તે મંગળા સામે દીન બની જતો હતો.
{{gap}}‘એ તો હું જાણું છું કે તું માનો મોકલ્યો જ આવ્યો હશે ?’
{{nop}}<noinclude></noinclude>
93itmbkcn0yj22i3ubpjj7ydxvwwylw
215888
215887
2025-06-27T01:03:53Z
Snehrashmi
2103
215888
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|અકસ્માત||૩૬૩}}'''</noinclude>પણ છેલ્લી વાર જ્યારે તે બંદીવાન બનીને ઓતાની પાસે આવ્યો ત્યારે કેવો બદલાયેલો લાગતો હતો? તેણે પોતાને મા કહીને બોલાવી હતી. પોતાના પ્રત્યે તેણે જે આચરણ કર્યું હતું એ માટે, એના દિલમાં પસ્તાવો થતો હતો. તુલસીની જેમ જ શિવ પણ બદલાઈ ગયો છે.’
{{gap}}મંગળા પાસે જવાબ મેળવવા ઉભો રહેલો તુલસી, મંગળાને ચિંતાતુર જોઈને કહેવા લાગ્યો ‘જ્યારે ને ત્યારે તું વિચારમાં જ કેમ પડી જાય છે મંગળા ? માની વાત શી ખોટી છે કહું તો ? આ ઉઘાડ નીકળે ત્યાં સુધી તું અમારી સાથે રહે તો તને શો વાંધો છે ?’
{{gap}}ને સલાહ આપવા માંડ્યો ‘આ તે કઈ મોટી વાત છે કે તેમાં આટલો લાંબો વિચાર કરવાનો હોય ?’ ને કહ્યું, ‘લે ચાલ તું લક્ષ્મણને લઈ લે. હું પ્રસાદને ઉંચકી લઉં છું ને તાળું મારી લઉં છું’ એમ કહીને તેણે પ્રસાદને ઉંચક્યો.
{{gap}}હવે મંગળાએ મૌન ખોલ્યું. તેણે તુલસીને કહ્યું: ‘અહીં એવો શો ભો છે તુલસી ? અને કંઈ હશે તો, તું ક્યાં દૂર છે ?’ અને પછી પોતાના હૈયાની કોર તુલસીના વર્તનથી કેવી ભીંજાઈ છે તે બતાવતી હોય એમ બોલી ‘તારો દેહ ત્યાં હશે પણ તારું દિલ તો અહીં છે એ હું જાણું છું ને તુલસી.’
{{gap}}બોલતાં બોલતાં એ શરમિંદી બની ગઈ.
{{gap}}‘પણ માનો આગ્રહ છે તો?’ તુલસીએ ઝવેરને નામે આગ્રહ કરતાં કહ્યું ! ‘એનું તો માન રાખ, મંગળા !’
{{gap}}બોલતાં બોલતાં એ દીન બની ગયો; મંગળા વિષે તેના દિલમાં જે ભારોભાર મમતા હતી તેના કારણે જ તે મંગળા સામે દીન બની જતો હતો.
{{gap}}‘એ તો હું જાણું છું કે તું માનો મોકલ્યો જ આવ્યો હશે ?’<noinclude></noinclude>
m8dt88gbutq61euhucn5rbtc8pn38jp
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૭૩
104
70818
215876
213852
2025-06-26T17:01:15Z
Amvaishnav
156
/* Proofread */
215876
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૩૬૪||ખાખનાં પોયણાં}}'''</noinclude>મગળાએ કહ્યું ને ઉમેર્યું. 'માની મમતા કેટલી છે; એ તો હું જાણું છું ને ? '
{{gap}}ના મંગળા, એમ નથી ! ' પોતે ઝવેરનો મેલ્યો જ આવ્યો છે એ વાત સાચી હોવા છતાં, પોતાના મનમાં પણ એ વાત ઉગી જ હતી અને માના મનમાં પણ પોતે જ એ વાત ઉગાડી એમ તુલસી કહેવા માંગતો હતો.
{{gap}}તેણે કહ્યું 'મારા મનમાં તા જ્યારથી ગામમાં મકાનો બેસવા માંડ્યા, ત્યારથી તારા વિષે ચિંતા રહ્યા કરે છે. પણ તું ક્યાં કોઈની વાત માને તેવી છે?' બોલતાં બોલતાં પોતાને ગુસ્સો આવ્યો છે એમ બતાવતા તેણે કહ્યું ' તારી મરજી મુજબ તું ચાલે છે. બીજાની લાગણીને આદર આપતાં તું ત્યારે શીખી છે?'
{{gap}}ંઅગળા સમજી ગઈ કે તુલસી ક્રોધે ભરાયો છે. એના મનમાં જન્મેલી નિરાશાથી તે અવશ બની ક્રોધ કરી રહ્યો છે.
{{gap}}'તુલસી ! તારે ચિંતા કરવાની હોય જ નહિ, મંગળા બધું સમજી શકે છે એટલે તારા અને કાકીના મારા પ્રત્યેના ભાવને હું ન સમજી તેવી નાની નથી. પણ અહીં શો ભો છે? શાને માટે મારે આ ધર છોડવું એ તો કહે ? જો મોત આવવાનું જ હશે તો, તમે મારી પડખે હશો એથી મોત કાંઈ ડરી જવાનું છે તમારાથી ? ' તે હસી પડી, પછી એકદમ ગંભીર બની ગઈ અને તુલસીને કહેવા લાગી 'જો તુલસી તારી શંકા કદાચ સાચી પડે અને એવું કાંઈક થાય તો.'―
{{gap}}તુલસી એકદમ આવેશમાં આવીને મંગળાના મોં આડે પોતાનો હાથ ધરી દેતાં બોલ્યો 'મારી શંકા ખોટી છે, ખોટી જ પડવાની છે. માત્ર સલામતીને ખાતર જ હું તને કહી રહ્યો છું. '
{{gap}}'હા એમ !' પોતાના મોં આડે તુલસીએ ધરેલો હાથ પોતાના<noinclude></noinclude>
ig9ux0k40zsm3nqttnpaegm54qe34ry
215889
215876
2025-06-27T02:28:55Z
Snehrashmi
2103
/* Validated */
215889
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૩૬૪||ખાખનાં પોયણાં}}'''</noinclude>મંગળાએ કહ્યું ને ઉમેર્યું. ‘માની મમતા કેટલી છે; એ તો હું જાણું છું ને ?’
{{gap}}‘ના મંગળા, એમ નથી !’ પોતે ઝવેરનો મોકલ્યો જ આવ્યો છે એ વાત સાચી હોવા છતાં, પોતાના મનમાં પણ એ વાત ઉગી જ હતી અને માના મનમાં પણ પોતે જ એ વાત ઉગાડી એમ તુલસી કહેવા માંગતો હતો.
{{gap}}તેણે કહ્યું ‘મારા મનમાં તો જ્યારથી ગામમાં મકાનો બેસવા માંડ્યા, ત્યારથી તારા વિષે ચિંતા રહ્યા કરે છે. પણ તું ક્યાં કોઈની વાત માને તેવી છે?’ બોલતાં બોલતાં પોતાને ગુસ્સો આવ્યો છે એમ બતાવતા તેણે કહ્યું ‘તારી મરજી મુજબ તું ચાલે છે. બીજાની લાગણીને આદર આપતાં તું ક્યારે શીખી છે?’
{{gap}}મંગળા સમજી ગઈ કે તુલસી ક્રોધે ભરાયો છે. એના મનમાં જન્મેલી નિરાશાથી તે અવશ બની ક્રોધ કરી રહ્યો છે.
{{gap}}‘તુલસી ! તારે ચિંતા કરવાની હોય જ નહિ, મંગળા બધું સમજી શકે છે એટલે તારા અને કાકીના મારા પ્રત્યેના ભાવને હું ન સમજુ તેવી નાની નથી. પણ અહીં શો ભો છે? શાને માટે મારે આ ઘર છોડવું એ તો કહે ? જો મોત આવવાનું જ હશે તો, તમે મારી પડખે હશો એથી મોત કાંઈ ડરી જવાનું છે તમારાથી ?’ તે હસી પડી, પછી એકદમ ગંભીર બની ગઈ અને તુલસીને કહેવા લાગી ‘જો તુલસી તારી શંકા કદાચ સાચી પડે અને એવું કાંઈક થાય તો.’―
{{gap}}તુલસી એકદમ આવેશમાં આવીને મંગળાના મોં આડે પોતાનો હાથ ધરી દેતાં બોલ્યો ‘મારી શંકા ખોટી છે, ખોટી જ પડવાની છે. માત્ર સલામતીને ખાતર જ હું તને કહી રહ્યો છું.’
{{gap}}‘હા એમ !’ પોતાના મોં આડે તુલસીએ ધરેલો હાથ પોતાના<noinclude></noinclude>
lbia1aphyb2bo0n0c1dpu9ubtrf7e0g
પૃષ્ઠ:Khakh na Poyana Prahlad Brahmabhatt.pdf/૩૭૪
104
70819
215877
213853
2025-06-26T17:11:16Z
Amvaishnav
156
/* Proofread */
215877
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|અકસ્માત||૩૬૫}}'''</noinclude>હાથથી દૂર કરતાં મંગળા બોલી 'એમ છતાં પણ જો અકસ્માત બને તો રામ-લક્ષ્મણને તુ જાળવજે. મને હવે તારા પૂરતો વિશ્વાસ છે.’
{{gap}}ને જાણે પોતાના મનમાં તુલસી પ્રત્યે અત્યારે કેટલો બધો આદરભાવ છે તે વ્યક્ત કરતી હોય એમ, તેની સામે નેત્ર પલ્લવી રચવા માંડી.
{{gap}}'બોલ મારી વાત માનીશને ? ' તેણે પૂછ્યું.
{{gap}}તુલસી આવી અમંગળ વાત સાંભળવા આવ્યો ન હતો, એ મંગળાની અમંગળ વાત પચાવી શક્યો નહિ. એટલે એકદમ દોડતો ઘરની બહાર નીકળી ગયો ને ભીંજાતો ભીંજાતો પોતાના ધર પ્રતિ ચાલતો થયો.
{{gap}}તુલસીના ગયા પછી ક્યાંય સુધી અનિમેષ નજરે મંગળા બારણું પકડીને તુલસીને જોતી ઊભી રહી. તુલસી જતો રહ્યો એથી જાણે એનું દિલ ઘવાઈ ગયું હતુ. એના મનનો તડફડાટ સહસ્ત્રધા વધી ગયો હતો. સમય વીતતાં જેમ તેમ કરીને મનનો તડફડાટ દબાવીને તે કામે વળગી મનને સ્વસ્થ બનાવવા તેણે પ્રસાદ અને લક્ષ્મણ સાથે રમત આદરી ને ચિત્તતંત્રને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો.
{{gap}}બહાર જોર જોરથી પવન ફુંકાતો હતો, અને વરસાદ એના તમામ શસ્ત્રો સાથે તૂટી પડ્યો હતો, અંધકાર છવાયેલો હતો. પાણી છલકાતા હતા અને સર્વત્ર જળ જળાકાર સિવાય ક્યાંય કશું નજરે પડતુ ન હતું. દિવસ ક્યારે આથમ્યો ને રાત્રિ ક્યારે થઈ એની પણ માનવોને કલ્પના આવતી ન હતી.
{{gap}}મંગળાએ કોડીયું પેટાવ્યું, પ્રસાદને ભોજન કરાવ્યું, લક્ષ્મણને પયપાન કરાવીને તેને ઘોડીયામાં સૂવાડ્યો ને મીઠા ગળામાંથી હલકે<noinclude></noinclude>
10diaxbku0d44bhfid6wmg0a2yeq5nk
215878
215877
2025-06-27T00:21:37Z
Snehrashmi
2103
/* Validated */
215878
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|અકસ્માત||૩૬૫}}'''</noinclude>હાથથી દૂર કરતાં મંગળા બોલી ‘એમ છતાં પણ જો અકસ્માત બને તો રામ-લક્ષ્મણને તું જાળવજે. મને હવે તારો પૂરતો વિશ્વાસ છે.’
{{gap}}ને જાણે પોતાના મનમાં તુલસી પ્રત્યે અત્યારે કેટલો બધો આદરભાવ છે તે વ્યક્ત કરતી હોય એમ, તેની સામે નેત્ર પલ્લવી રચવા માંડી.
{{gap}}‘બોલ મારી વાત માનીશને ?’ તેણે પૂછ્યું.
{{gap}}તુલસી આવી અમંગળ વાત સાંભળવા આવ્યો ન હતો, એ મંગળાની અમંગળ વાત પચાવી શક્યો નહિ. એટલે એકદમ દોડતો ઘરની બહાર નીકળી ગયો ને ભીંજાતો ભીંજાતો પોતાના ઘર પ્રતિ ચાલતો થયો.
{{gap}}તુલસીના ગયા પછી ક્યાંય સુધી અનિમેષ નજરે મંગળા બારણું પકડીને તુલસીને જોતી ઊભી રહી. તુલસી જતો રહ્યો એથી જાણે એનું દિલ ઘવાઈ ગયું હતું. એના મનનો તડફડાટ સહસ્ત્રધા વધી ગયો હતો. સમય વીતતાં જેમ તેમ કરીને મનનો તડફડાટ દબાવીને તે કામે વળગી મનને સ્વસ્થ બનાવવા તેણે પ્રસાદ અને લક્ષ્મણ સાથે રમત આદરી ને ચિત્તતંત્રને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો.
{{gap}}બહાર જોર જોરથી પવન ફુંકાતો હતો, અને વરસાદ એના તમામ શસ્ત્રો સાથે તૂટી પડ્યો હતો, અંધકાર છવાયેલો હતો. પાણી છલકાતા હતા અને સર્વત્ર જળ જળાકાર સિવાય ક્યાંય કશું નજરે પડતું ન હતું. દિવસ ક્યારે આથમ્યો ને રાત્રિ ક્યારે થઈ એની પણ માનવોને કલ્પના આવતી ન હતી.
{{gap}}મંગળાએ કોડીયું પેટાવ્યું, પ્રસાદને ભોજન કરાવ્યું, લક્ષ્મણને પયપાન કરાવીને તેને ઘોડીયામાં સૂવાડ્યો ને મીઠા ગળામાંથી હલકે<noinclude></noinclude>
hdwk9iiav9f34u9o91i5y80dixptrov
ચેત મન તું શામળા
0
71822
215868
2025-06-26T12:52:46Z
103.1.103.78
{{header | title = ચેત મન તું શામળા | author = લીરબાઈ | translator = | section = | previous = | next = | notes = }} ચેત મન તું શામળા જીવણ ગુરુ મેં જાણીયા ધણી મારો લેખાં લેશે‚<br> તંઈ ક્યાં જાશો પ્રાણિયા...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
215868
wikitext
text/x-wiki
{{header
| title = ચેત મન તું શામળા
| author = લીરબાઈ
| translator =
| section =
| previous =
| next =
| notes =
}}
ચેત મન તું શામળા જીવણ ગુરુ મેં જાણીયા ધણી મારો લેખાં લેશે‚<br>
તંઈ ક્યાં જાશો પ્રાણિયા…ચેત મન તું…<br>
જશ ગાવા જનમ દીધો‚ માયામાં તું મોહી રયો‚<br>
પૂન્ય કાજે પાઈ ન વાવરી‚ જમડાએ જંઈ ઘેરિયા…ચેત મન તું…<br>
કાળિંગો તો કઠણ આવ્યો‚ કુડિયા નર ભાગિયા‚<br>
અલખ મારો જેદિ આવશે તેદિ લેખાં તારાં માગિયા…ચેત મન તું…<br>
નીલે નેજે ઘણી આવી જીવણને જગાડિયા‚<br>
સાધુ કારણ શામળો ભેળા વેમાન લાવિયા…ચેત મન તું…<br>
સાચમાં જે ચાલે નહીં ખોટ એલો ખાવિયા‚<br>
ગુરુ પ્રતાપે લીરલબાઈ બોલ્યા‚ દેખ દુનિયા જાવૈયા…ચેત મન તું…
'''[[લીરબાઈ]]'''
[[શ્રેણી:લીરબાઈ]]
rdhfsf2pa05iojw90ju8a4jbxhvrfby
215890
215868
2025-06-27T02:31:47Z
Meghdhanu
3380
215890
wikitext
text/x-wiki
{{હટાવો|પુસ્તક કે સ્કેન સપોર્ટેડ ક્રતિ નથી}}
{{header
| title = ચેત મન તું શામળા
| author = લીરબાઈ
| translator =
| section =
| previous =
| next =
| notes =
}}
ચેત મન તું શામળા જીવણ ગુરુ મેં જાણીયા ધણી મારો લેખાં લેશે‚<br>
તંઈ ક્યાં જાશો પ્રાણિયા…ચેત મન તું…<br>
જશ ગાવા જનમ દીધો‚ માયામાં તું મોહી રયો‚<br>
પૂન્ય કાજે પાઈ ન વાવરી‚ જમડાએ જંઈ ઘેરિયા…ચેત મન તું…<br>
કાળિંગો તો કઠણ આવ્યો‚ કુડિયા નર ભાગિયા‚<br>
અલખ મારો જેદિ આવશે તેદિ લેખાં તારાં માગિયા…ચેત મન તું…<br>
નીલે નેજે ઘણી આવી જીવણને જગાડિયા‚<br>
સાધુ કારણ શામળો ભેળા વેમાન લાવિયા…ચેત મન તું…<br>
સાચમાં જે ચાલે નહીં ખોટ એલો ખાવિયા‚<br>
ગુરુ પ્રતાપે લીરલબાઈ બોલ્યા‚ દેખ દુનિયા જાવૈયા…ચેત મન તું…
'''[[લીરબાઈ]]'''
[[શ્રેણી:લીરબાઈ]]
np4virnlzqferyjvm9zd0lkqwv120xn
ગુરુજી ! કહો ભજન કેમ કરીએ
0
71823
215870
2025-06-26T12:56:29Z
103.1.103.78
{{header | title = ગુરુજી ! કહો ભજન કેમ કરીએ | author = લીરબાઈ | translator = | section = | previous = | next = | notes = }} હાં હાં રે ગુરુજી ! કહો ભજન કેમ કરીએ ?<br> અમને મળિયા અંતરજામિ રે હાં… હાં હાં રે...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
215870
wikitext
text/x-wiki
{{header
| title = ગુરુજી ! કહો ભજન કેમ કરીએ
| author = લીરબાઈ
| translator =
| section =
| previous =
| next =
| notes =
}}
હાં હાં રે ગુરુજી ! કહો ભજન કેમ કરીએ ?<br>
અમને મળિયા અંતરજામિ રે હાં… હાં હાં રે ગુરુજી ! કહો…<br>
હાં… લેવાય તો રામનામ લેજો‚ એ જી દેવાય તો તમે ટુકડો દેજો‚<br>
એ… હીરો પડયો મેદાનમાં તમે લેવાય તો રામ લેજો… ગુરુજી ! કહો ભજન…<br>
હાં… મોટા ધણીની ફેરો માળા‚ તમે છોડી દ્યો આ જગતના ચાળા‚<br>
એ… ઝીણા માંયલા ઝીણા છે મારા ગુરુજી પરવાળા… ગુરુજી ! કહો ભજન…<br>
હાં… બાવન છે બજારૂં એમાં વિરલા નર તો કોક જાવે‚<br>
એ… ધ્યાન ધરી લ્યો શૂનમાં તો તો ઝીણાં ઝંતર વાગે… ગુરુજી ! કહો ભજન…<br>
હાં… નિજ નામના પડદા ખોલે‚ ધરતી ને આકાશ ડોલે‚<br>
એ… બોલિયા રે લીરલબાઈ મને સંત મળ્યા મોંઘા મૂલે… ગુરુજી ! કહો ભજન
'''[[લીરબાઈ]]'''
[[શ્રેણી:લીરબાઈ]]
cmwft2qtuf2vvnc5iw53b6s1vw1cbu7
215891
215870
2025-06-27T02:32:13Z
Meghdhanu
3380
215891
wikitext
text/x-wiki
{{હટાવો|પુસ્તક કે સ્કેન સપોર્ટેડ ક્રતિ નથી}}
{{header
| title = ગુરુજી ! કહો ભજન કેમ કરીએ
| author = લીરબાઈ
| translator =
| section =
| previous =
| next =
| notes =
}}
હાં હાં રે ગુરુજી ! કહો ભજન કેમ કરીએ ?<br>
અમને મળિયા અંતરજામિ રે હાં… હાં હાં રે ગુરુજી ! કહો…<br>
હાં… લેવાય તો રામનામ લેજો‚ એ જી દેવાય તો તમે ટુકડો દેજો‚<br>
એ… હીરો પડયો મેદાનમાં તમે લેવાય તો રામ લેજો… ગુરુજી ! કહો ભજન…<br>
હાં… મોટા ધણીની ફેરો માળા‚ તમે છોડી દ્યો આ જગતના ચાળા‚<br>
એ… ઝીણા માંયલા ઝીણા છે મારા ગુરુજી પરવાળા… ગુરુજી ! કહો ભજન…<br>
હાં… બાવન છે બજારૂં એમાં વિરલા નર તો કોક જાવે‚<br>
એ… ધ્યાન ધરી લ્યો શૂનમાં તો તો ઝીણાં ઝંતર વાગે… ગુરુજી ! કહો ભજન…<br>
હાં… નિજ નામના પડદા ખોલે‚ ધરતી ને આકાશ ડોલે‚<br>
એ… બોલિયા રે લીરલબાઈ મને સંત મળ્યા મોંઘા મૂલે… ગુરુજી ! કહો ભજન
'''[[લીરબાઈ]]'''
[[શ્રેણી:લીરબાઈ]]
jsslar8skvjsoz1h6dwjy2egdi69vjk
સભ્યની ચર્ચા:Champaklal M. Bariya
3
71824
215872
2025-06-26T14:33:16Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
215872
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Champaklal M. Bariya}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૦:૦૩, ૨૬ જૂન ૨૦૨૫ (IST)
l9w5c075vwcp6lccura3l0wlucb7tyr
ચર્ચા:ગુરુજી ! કહો ભજન કેમ કરીએ
1
71825
215904
2025-06-27T07:43:40Z
103.1.103.78
/* દૂર કરવા */ નવો વિભાગ
215904
wikitext
text/x-wiki
== દૂર કરવા ==
અગાઉ શું જે સર્જક હેઠળ આ કૃતિઓ મુકાઈ છે તે પુસ્તક કે સ્કેનનાં ભાગરુપે હતી ?
સ્રોત પર આ નવું જોયું !
કોઈએ પ્રથમથી જ ઉપલબ્ધ કૃતિઓને પાશ્ચત્ય અસરથી અન્ય કોઈ અપ્રસિદ્ધ બૂકના ભાગરૂપે બદલી અને હવે એમાં ઉમેરાને 'દૂર કરવા લાયક' એટલે ગણાવાય કે એ જેતે બૂકનો ભાગ નથી ! તો આ કૃતિને ક્યાં નાખવાની ? શું સ્રોત એ માત્ર સ્કેન કરેલ પેજીસને જ સ્વિકારે છે ? કોઈ વિકિસ્રોતની મૂળ વિભાવના અને નિયમોના જાણકાર સભ્ય હોય તો પ્રત્યુત્તર આપવા વિનંતી. [[વિશેષ:પ્રદાન/103.1.103.78|103.1.103.78]] ૧૩:૧૩, ૨૭ જૂન ૨૦૨૫ (IST)
o9oes0edv6x0uv9xcvkxmlr8tpmro8e
215905
215904
2025-06-27T07:53:50Z
103.1.103.78
/* પાનામાં બદલાવ ઇતિહાસ */ નવો વિભાગ
215905
wikitext
text/x-wiki
== દૂર કરવા ==
અગાઉ શું જે સર્જક હેઠળ આ કૃતિઓ મુકાઈ છે તે પુસ્તક કે સ્કેનનાં ભાગરુપે હતી ?
સ્રોત પર આ નવું જોયું !
કોઈએ પ્રથમથી જ ઉપલબ્ધ કૃતિઓને પાશ્ચત્ય અસરથી અન્ય કોઈ અપ્રસિદ્ધ બૂકના ભાગરૂપે બદલી અને હવે એમાં ઉમેરાને 'દૂર કરવા લાયક' એટલે ગણાવાય કે એ જેતે બૂકનો ભાગ નથી ! તો આ કૃતિને ક્યાં નાખવાની ? શું સ્રોત એ માત્ર સ્કેન કરેલ પેજીસને જ સ્વિકારે છે ? કોઈ વિકિસ્રોતની મૂળ વિભાવના અને નિયમોના જાણકાર સભ્ય હોય તો પ્રત્યુત્તર આપવા વિનંતી. [[વિશેષ:પ્રદાન/103.1.103.78|103.1.103.78]] ૧૩:૧૩, ૨૭ જૂન ૨૦૨૫ (IST)
== પાનામાં બદલાવ ઇતિહાસ ==
[https://gu.wikisource.org/w/index.php?diff=206705&oldid=12127&title=%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A4%E0%AB%8B_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%97%E0%AB%80_%E0%AA%B0%E0%AB%87_%E0%AA%95%E0%AA%AF%E0%AA%BE%E0%AA%82%E0%AA%A5%E0%AB%80_%E0%AA%86%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B| આ જુઓ] [[વિશેષ:પ્રદાન/103.1.103.78|103.1.103.78]] ૧૩:૨૩, ૨૭ જૂન ૨૦૨૫ (IST)
if75hbio099ufthauxyqj27ecxjl5we