વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.45.0-wmf.8 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૯ 104 67159 216100 216020 2025-07-03T15:10:30Z Meghdhanu 3380 /* Validated */ 216100 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude> <br/><br/><br/><br/><br/> {{center|<big><big><big>રહસ્ય</big></big></big>}} {{gap}}ઋષિઓ અને સાધુઓ જનસંપર્કથી દૂર જંગલમાં જઈને વસે છે. ભક્તો એમની પાસે પહોંચી ત્યાં વસ્તી કરે છે. ધીમેધીમે ત્યાં બજા૨ જામે છે અને તે સ્થાન યાત્રાળુઓને સુલભ થઈ જાય છે. નિસર્ગપ્રેમી સાધુઓ તે સ્થાન છોડી ફરી આગળ જાય છે અને નવું જંગલ શોધી ત્યાં વાસ કરે છે. જંગલનો પ્રદેશ આવી રીતે ધીમેધીમે માણસને કબજે આવતો જાય છે. {{gap}}જ્ઞાનના ક્ષેત્રનું પણ એમ જ છે. પ્રતિભાવાન, ક્રાન્તદર્શી અથવા અગમબુદ્ધિ જ્ઞાનવીરો, અનુભવના, વિચારના અને કલ્પનાના નવા નવા પ્રદેશો અથવા સાધનો શોધી કાઢે છે અને માનવી બુદ્ધિને દિંગ કરી નાખે છે. ધીમેધીમે એમનો શિષ્યસમુદાય प्रणिपातेन, परिश़्नेन અને सेवया તેમનું જ્ઞાન શીખી લે છે. ધીમેધીમે તેમાં ચીલા પડે છે, તેના વિભાગ થાય છે અને ધીમેધીમે જે વસ્તુ એક કાળે પ્રતિભા અથવા ઈશ્વરી પ્રસાદ મનાતી હતી તેનું સુવ્યવસ્થિત શાસ્ત્ર બની જાય છે. તેની અપૂર્વતા અને અદ્‌ભુતતા નષ્ટ થાય છે, નિયમનું સામ્રાજ્ય તેના પર વિસ્તરે છે અને છેવટે સાર્વત્રિક અધ્યયનનું તે એક આવશ્યક અંગ બને છે. {{gap}}આટલું થયા પછી માણસની વિજ્યલોલુપ પ્રતિભા<noinclude>{{center|५}}</noinclude> fwevk95zp50ap3g8ylpechq2y4ov7ky પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૭ 104 67176 216101 216085 2025-07-03T17:03:38Z Amvaishnav 156 /* Validated */ 216101 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાકથનનો ઉદ્દેશ||૯}}'''</noinclude>વાર્તાનું કથન એક બીજી રીતે પણ ભાષાજ્ઞાનના વિકાસમાં અજબ એવી રીતે મદદગાર બને છે. પ્રત્યેક મનુષ્યના જીવનમાં વારંવાર એવા પ્રસંગો ઊભા થાય છે, એવી એવી લાગણીઓના પ્રવાહો વહે છે ને એવા એવા અવનવા અનુભવો થાય છે કે જે વ્યક્ત કરવા માટે તે ભાષાનું પણ શરણ લેવા દોડે છે. બરાબર આવે વખતે જોઈતી ભાષા તેને મળી જાય તો ભાષાનું જ્ઞાન તેને વિના આયાસે સિદ્ધ થાય છે. આપણો એવો અનુભવ છે કે જ્યારે આપણે કોઈની સાથે વાતચીત કરતા હોઈએ ને વિચાર કે લાગણી પ્રગટ કરવા માગતા હોઈએ, ત્યારે ઘણી વાર આપણે યોગ્ય શબ્દો શોધવા મથીએ છીએ. આવે વખતે જો આપણો સાથી આપણો ભાવ જાણી જઈ આપણને યોગ્ય {{SIC|શબદો|શબ્દો}} આપી દે છે તો આપણે બોલી ઊઠીએ છીએ કે “હા, એમ જ; બરાબર, એમ જ હું કહેવા માગું છું. એ જ મારો આશય છે.” વગેરે. વળી આપણે જોયું છે કે ઘણી વાર નાનું બાળક પોતાને જે કહેવું હોય છે તે શબ્દથી કહી શકતું નથી ત્યારે તે આમતેમ બોલી પોતાનો આશય જણાવવા પ્રયત્ન કરે છે. પણ આપણે તેનો મર્મ સમજી શકતાં નથી હોતાં અને તેથી તેની ઈચ્છાને તૃપ્ત કરવામાં મુશ્કેલી અનુભવીએ છીએ. બાળક કજિયો કરવા લાગે છે; આપણે મૂઢ થઈને તેની સામે જોયા કરીએ છીએ. એટલામાં કોઈ ચતુર વ્યક્તિને સૂઝી જાય છે તો તે કહે છે કે “તને આ જોઈએ છે ને?” બાળક તરત જ નવો શબ્દ પકડી લે છે અને પોતાના નાના કોષમાં તેને સંગ્રહે છે. તેનો કજિયો ઓલાઈ જાય છે અને ઈચ્છાની તૃપ્તિ સાથે બાળક ભાષામાં એક ડગલું આગળ વધે છે. માનસશાસ્ત્રની દૃષ્ટિએ વિલોકન કરનારાઓનો અનુભવ આ બાબતમાં વિશાળ હોઈ શકે. જેમને બાળકોને જોઈતી ભાષા<noinclude></noinclude> nhz9av45evx3wt0xhgrbzqaaidx4bvb પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૮ 104 67177 216102 216096 2025-07-03T17:04:58Z Amvaishnav 156 /* Validated */ 216102 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૧૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>વખતસર આપવાની કળા પ્રાપ્ત થયેલી છે તેઓ તો સમજી શકે છે કે જીવનમાં ભાષાજ્ઞાનની પણ એક ઋતુ આવે છે, ને એ જ ઋતુમાં જો કોઈ કુશળ મનુષ્ય ભાષાના ખાતરને સમયાનુસાર અને આવશ્યકતા પ્રમાણે આપ્યું જાય તો નિઃસંદેહ ભાષાવૃક્ષ ઘણું જ ફાલેફૂલે. સામાન્ય રીતે બધા માણસો બાળકોના ભાષાવિકાસના ક્રમને અનુસરી શકે નહિ; એટલી ફુરસદ, એટલો આગ્રહ, અને એટલી આવડત બધા શિક્ષકોમાં હોય પણ નહિ. વળી કયે વખતે કઈ ભાષા આપવી તેનો વિવેક કરવો એ તો અતિ કઠિન વસ્તુ છે. આવી સ્થિતિમાં વાર્તાકથન ભારે સુંદર કામ કરે છે. જુદી જુદી કક્ષાએ ઊભેલાં જુદી જુદી જાતનાં બાળકોને જુદી જુદી જાતની ભાષાની એટલે નવા નવા ભાષાપ્રયોગો અને શબ્દસામર્થ્યના પરિચયની જરૂર પડે છે. જો વાર્તા યોગ્ય ભાષામાં કહેવામાં આવે તો સાંભળનારાંઓ એમને પોતાને જોઈતી ભાષા તુરત જ પકડી લે. કયું બાળક કયો ભાષાપ્રયોગ પકડે છે એ જ્યાં વાર્તા સમૂહગત થતી હોય ત્યાં જાણી ન શકીએ; પણ જ્યાં વાર્તા વ્યક્તિગત અથવા થોડી વ્યક્તિઓને કહેવાતી હોય ત્યાં તો કહેનારનો અનુભવ ચોખ્ખેચોખ્ખો છે કે વાર્તાની ભાષા બાળકની ભાષા ઘડવામાં મદદગાર થાય છે ને ભાષાની જરૂરતની પુરવણી કરે છે. આ રીતે ભાષાશિક્ષણની દૃષ્ટિએ વાર્તાનું કથન ઉપયોગી છે. {{gap}}વાર્તાકથનનો એક બીજો ઉદ્દેશ પણ જોઈએ. {{gap}}વાર્તાઓ લોકસાહિત્યનું અંગ છે. લોકસાહિત્યમાં હંમેશાં પ્રજાની સંસ્કૃતિ વહે છે. એ પ્રજાની સંસ્કૃતિનો સુપરિચય આપણે ભાવિ પ્રજાને કરાવવો હોય તો વાર્તાકથન-શ્રવણને આપણે ટકાવી રાખવું જોઈએ, ને એનો મહિમા આપણે સમજવો જોઈએ.<noinclude></noinclude> hl5plp6eny4nggl8c5qa3boxgoqsvti પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૦ 104 67178 216104 216097 2025-07-03T17:07:09Z Amvaishnav 156 /* Validated */ 216104 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૧૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>એકભાવમાં માબાપો અને બાળકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાના ગાઢ પરિચયમાં આવે છે, એમની વચ્ચેનું ઉંમરનું અને જ્ઞાનનું મહદ્ અંતર તૂટી જાય છે અને તેઓ એકબીજાનાં બની જતાં વિશ્વાસ, પ્રેમ અને સહાનુભૂતિ એમનામાં આપોઆપ પ્રગટ થાય છે. આ મીઠા સંબંધમાંથી ઘરની કે શાળાની કે સમાજની વ્યવસ્થાના પ્રશ્નો સરળ થઈ જાય છે. સર્વ વાર્તા કહેનાર માબાપો અને શિક્ષકોનો અનુભવ એવો છે કે વાર્તાના કથનમાં રસિયાં બાળકો વ્યવસ્થાના નિયમોને ખૂબ માન આપે છે. વાર્તાનું કથન પોતે જ એમનામાં એક પ્રકારની વ્યવસ્થા ઉત્પન્ન કરે છે. એ વ્યવસ્થાની અસર બીજા બધા યે પ્રસંગે ચાલુ રહેવાનો અનુભવ ઘણાંને છે. શાળાનો ઘોંઘાટ વાર્તાના જાદુની એક લાકડી ઊંચી થતાં જ શાંત પડે છે; તોફાન કરતું કે કજિયા કરતું બાળક વાર્તાની વાત નીકળતાં જ આનંદમગ્ન ચહેરે ટાઢુંટમ જેવું થઈ જાય છે. વાર્તા કહેનાર પોતાના હાથમાં હંમેશાં એક જાતની એવી રામબાણ ઔષધિ લઈને ફરે છે કે જેના વડે બેચેન, બસૂરાં, અવ્યવસ્થિત, ઘોંઘાટિયાં, ચીડિયાં અને રિસાયેલાં બાળકો કે મનુષ્યોને તે તરત જ સુવ્યવસ્થિત કરી શકે છે. વાર્તા કહેનારને આવા અનુભવો અત્યંત સ્વાભાવિક છે, એટલે હું વધુ દૃષ્ટાંત નહિ આપું. માથું ઓળાવવાની આનાકાની કરતું બાળક માનું વાર્તાકથન શરૂ થયું કે માના ખોળામાં નિરાંતે બેસી રહે છે. ન સદે તેવી ચીજને માટે કજિયો કરતું બાળક વાર્તાનો પહેલો શબ્દ કાને પડતાં જ વાર્તારૂપી મીઠાઈને ખાવા દોડે છે. ઉંઘાડવાને માટે હાલરડાં કે વાર્તાકથન ઉત્તમ પ્રયોગ છે. આ બધા વાર્તાના ફાયદાઓ છે. વાર્તા કહેવાના આ ઉદ્દેશો ગૌણ ભાવે હરહંમેશ પ્રવર્તે છે. {{nop}}<noinclude></noinclude> exwzlqe14xi2vdun3kle14s1nijx0bc પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૯ 104 67179 216103 216087 2025-07-03T17:06:07Z Amvaishnav 156 /* Validated */ 216103 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાકથનનો ઉદ્દેશ||૧૧}}'''</noinclude>વાર્તાકથનથી સીધેસીધી રીતે એક મોંએથી બીજે મોંએ, એક વ્યક્તિથી બીજી વ્યક્તિએ, એક સમાજેથી બીજા સમાજે અને એક જમાનેથી બીજે જમાને પ્રજાની સંસ્કૃતિનો સંદેશ જીવંત રહેતો આવ્યો છે. વાર્તાઓમાં મનુષ્યજીવનનું પરિપૂર્ણ ચિત્ર પડે છે. એ પરિપૂર્ણ ચિત્રનો વારંવાર પરિચય કરવામાં આનંદ હોવાથી માણસને વાર્તા સાંભળવી ગમે છે. એ પરિપૂર્ણ ચિત્રના પરિચયમાં સંસ્કૃતિના આત્માનો પરિચય થાય છે. આપણાં જૂનાં ધર્મપુસ્તકો, આપણી એક કાળની સંસ્કૃતિ દાખવે છે; આપણા ઐતિહાસિક ગ્રંથો ભૂતકાળની સંસ્કૃતિનું પ્રતિબિંબ આપણી આંખ આગળ ધરે છે; પણ લોકવાર્તાઓ જીવંત સમાજનો પ્રાણ ક્યાં છે ને કેવો છે તે આપણને બતાવી આપે છે. આપણું લોકસાહિત્ય આજે જે સ્થિતિમાં છે તેથી વધારે ઉત્તમ સ્થિતિમાં આપણી સમાજભાવના, શિષ્ટતા અને ઉચ્ચતા નથી એમ જરાક તપાસીને જોતાં આપણને ખુલ્લેખુલ્લું જણાઈ આવશે. જનતાને આ સંસ્કૃતિનો પરિચય વાર્તાનાકથનથી આપી શકાય છે. {{gap}}ગમે તેમ હોય પણ વાર્તા એક જાદુઈ વસ્તુ છે. જે જે માણસોને ચમત્કાર, નવીનતા, અદ્ભુતતા વશ કરી શકે છે, રમાડી શકે છે, તેને વાર્તાના જાદુની અસર થઈ શકે છે. બાળકો ઉપર તો એની સજ્જડ ચોટ લાગે છે. જેમ કોઈ માંત્રિક કે તાંત્રિકના હાથમાં ભૂતની શિખા મંત્રબળ વડે આવી જાય છે, તેમ જ વાર્તાના મંત્રથી મુગ્ધ બની બાળક વાર્તા કહેનારને અધીન વર્તે છે. આ અધીનતા દીનતાની નથી પણ સમભાવની છે, પ્રેમભાવની છે. વાર્તા કહેનાર પોતાનું દૃષ્ટિબિંદુ સમજે છે અને તેને રજૂ કરે છે એ કલ્પનાથી, સાંભળનાર કહેનારને ભૂલી જઈ, પોતાના જેવો જ એને કલ્પી લઈ, તેની સાથે એકભાવ અનુભવે છે. આ<noinclude></noinclude> gqf0qkhjz6cp87hw34ab3af96vzirff પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૧ 104 67180 216105 216089 2025-07-03T17:08:32Z Amvaishnav 156 /* Validated */ 216105 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાકથનનો ઉદ્દેશ||૧૩}}'''</noinclude>{{gap}}એકબે બીજી દૃષ્ટિએ પણ વાર્તાનું કથન આવકારદાયક છે. જેમ બાળકની કલ્પનાશક્તિ વાર્તાથી ખીલે છે તેમ બાળકની સ્મરણ- શક્તિ પણ વાર્તાથી ખીલે છે. સ્મરણશક્તિનો મૂળ પ્રાણ વિચાર- સંકલનના છે. એક વસ્તુને જોડાયેલી બીજી વસ્તુ સાંભરે, એક અનુભવ સંભારતાં બીજો યાદ આવે, એક પ્રસંગ તાજો કરતાં બીજો પ્રસંગ ડોકિયું કરે, એ સ્મરણશક્તિના વિચારસંકલનાના તત્ત્વને કારણે છે. આપણામાં જેટલા પ્રમાણમાં વિચારસંકલનશક્તિ વધારે તેટલા પ્રમાણમાં આપણી સ્મરણશક્તિ વધારે પ્રબળ. વાર્તાની ગૂંથણી એવા પ્રકારની છે કે એમાં વિચારસંકલના સરળ અને સહજ છે. આ સરળતા અને સાજિકપણાને લીધે વાર્તાનો તંતુ સળંગ ચાલ્યો આવે છે અને સ્મરણશક્તિને પોષક અને સહાયક બને છે. સ્મરણશક્તિ જેવી કોઈ ખાસ માનસિક શક્તિ છે કે કેમ એ પ્રશ્ન અહીં ઊભો નહિ કરીએ; પણ વાર્તાકથનના પરિણામની દૃષ્ટિથી વિચારતાં એમ કહેવું પડે કે વાર્તાકથનથી સ્મરણશક્તિ ખીલે છે. એમ બોલીએ તોપણ ચાલે કે વાર્તા એક એવું સાધન છે જેના વપરાશથી સ્મરણશક્તિને જોઈતી અને નીરોગી કસરત મળે છે. અસંબદ્ધ વાતોને સંગ્રહવાથી સ્મરણશક્તિ કમી થાય છે. પણ સંબદ્ધ અને યથાર્થ વાતોના શ્રવણથી સ્મરણશક્તિને હિતાવહ કસરત મળે છે. વાર્તામાં સંબદ્ધતા અને યથાર્થતાના ગુણો મોટે ભાગે હોય છે. {{gap}}વાર્તાકથનથી બાળકમાં રહેલી નટવૃત્તિને માર્ગ મળે છે એ એક વાર્તાકથનનો બીજો ઉદ્દેશ પણ છે. આ સંબંધે ‘વાર્તા અને નાટ્યપ્રયોગો’ નામના પ્રકરણમાં વિસ્તારથી લખ્યું છે. અહીં આ વિચારને માત્ર સ્પર્શીને જ આગળ ચાલું છું. {{gap}}વાર્તાકથનના એકબે વિશેષ લાભો નોંધીને આ પ્રકરણ પૂરું કરીશ. {{nop}}<noinclude></noinclude> nzle6chy48wrz6dskxuep92cjtfq4a0 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૨ 104 67181 216106 216098 2025-07-03T17:09:59Z Amvaishnav 156 /* Validated */ 216106 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૧૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}વાર્તાકથન એ મારી માન્યતા પ્રમાણે નિબંધલેખનનું પ્રથમ પગથિયું છે, અને હોવું પણ જોઈએ. જે વસ્તુ સાંભળવા મન ખેંચાય છે તે વસ્તુ સિવાયની બીજી કઈ વસ્તુ મનુષ્યને લેખનના વસ્તુ તરીકે આકર્ષે એ પ્રશ્ન છે. નિબંધલેખનમાં જે સુસંકલના જોઈએ છીએ ને જે ક્રમપુરઃસરપણું અને સમતોલપણું તેમાં આવશ્યક છે, તે વાર્તામાં હોવાથી વાર્તા શરૂઆતના દિવસોમાં નિબંધલેખનના કામમાં અવશ્ય સ્વીકારવા યોગ્ય છે. વળી નિબંધલેખનમાં વિચારની ગોઠવણમાં જે મુશ્કેલીઓ વિદ્યાર્થીઓને અનુભવવી પડે છે, તે મુશ્કેલી વાર્તાના નિબંધલેખનમાં અનુભવવી પડતી નથી, કારણકે વાર્તા સ્વયંસુધારક હોવાથી વાર્તાની શૃંખલા તૂટતી નથી, અને તેથી વિચારસંકલના અકબંધ ચાલે છે. વાર્તાઓમાં કહેનારની ભૂલ થાય કે સાંભળીને લખનારની ભૂલ થાય તો તુરત જ તે પકડાઈ જાય છે. સંકલના વિના વાર્તા લખનાર કે કહેનાર આગળ ચાલી જ ન શકે. આ કારણથી વાર્તા સ્વયંશિક્ષણ આપનારી છે, અને એટલા જ માટે વાર્તાકથનથી નિબંધલેખન પર જવું સહેલું છે એ અનુભવને પ્રસિદ્ધ કરવાનું મજબૂત કારણ છે. {{gap}}માણસને અનેક રીતે ઊંચે ચડાવવાનો ઉદ્દેશ વાર્તાકથનનો છે ખરો. એ ઉદ્દેશ ગૌણ છે છતાં મહત્ત્વનો છે. પણ એ ઉદ્દેશ ત્યારે જ સરે છે કે જ્યારે આનંદની વસ્તુ તરીકે એને આગળ કરી ઉપદેશનો ઉદ્દેશ ઢાંકી મૂકવામાં આવે. ધર્મનાં પુસ્તકો પ્રભુની પેઠે આજ્ઞા કરે છે તેથી તેની અસર આપણને થોડી થાય છે; ઈતિહાસગ્રંથો મિત્રની જેમ આપણા કાન ઉઘાડે છે પણ તેને માનવા, નહિ માનવા માટે આપણે હંમેશાં સ્વતંત્ર રહીએ છીએ; પણ વાર્તાઓ પ્રેમાળ સહધર્મચારિણીની પેઠે મનને વશ કરીને<noinclude></noinclude> poksqvjp3y9au181rcxk2ei1cag6n63 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૩ 104 67182 216107 216091 2025-07-03T17:10:50Z Amvaishnav 156 /* Validated */ 216107 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાકથનનો ઉદ્દેશ||૧૫}}'''</noinclude>માનવી સ્વભાવ અને માનવી જીવન વિષે બોધ આપીને આપણને ખબર ન પડે તેમ ઊંચે ચડાવે છે. જે ઉપદેશ {{SIC|ઠસાવવામા|ઠસાવવામાં}} નીતિપાઠો નિષ્ફળ નીવડે છે તે વાર્તાઓ સહેલાઈથી ઠસાવી શકે છે. પ્રાણીઓ ઉપર દયા કરો એમ કહેવા કરતાં એના ઉપર પ્રેમ થાય અથવા એની દીન દશા જોઈને દયા ઉત્પન્ન થાય એવી વાર્તાઓ કહીએ તેની અસર વધારે સારી થાય છે. આ સંબંધે જ શ્રીયુત કાકાસાહેબ કાલેલકરના સુંદર શબ્દોનું એક વધારે અવતરણ આપી આ પ્રકરણ હું અહીં જ પૂરું કરીશ. {{gap}}“બૌદ્ધકાલીન જાતકથાઓ લ્યો, જૈનકાલીન પંચતંત્ર લ્યો, વિષ્ણુશર્માનું હિતોપદેશ વાંચો અથવા મિસર દેશના ઈસારૂની નીતિકથાઓ વાંચો તો જણાશે કે માણસ પરિસ્થિતિ સાથે, તિર્યગ્યોનિઓ સાથે, જીવસૃષ્ટિ સાથે એકરૂપ હતો. રામાયણમાં પણ વાલ્મીકિ પશુ, પક્ષી, મત્સ્ય, વાનર વગેરે સર્વ પ્રાણીઓ સાથે એકરૂપ થઈ શકે છે. આ સમભાવને લીધે આપણે સર્વ પ્રાણીઓ ઉપર પ્રેમ કરી શકતા હતા, એમના સ્વભાવ ઉપરથી ઘણું શીખી શકતા હતા. અને સર્વત્ર એક જ આત્મા છે એ સમજવું સહેલું હતું. વાર્તાઓ એ મનુષ્યજાતિનું જૂનામાં જૂનું અને અત્યંત વ્યાપક એવું જીવનરહસ્ય છે.” {{center|❋}}<noinclude></noinclude> qi08ydux4ksdxvpp7hrm5vcxwuls3ym પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૪ 104 67183 216108 216093 2025-07-03T17:12:10Z Amvaishnav 156 /* Validated */ 216108 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" /></noinclude> <br/><br/><br/> {{center|<big>'''પ્રકરણ બીજું'''</big><br/> <big><big>'''વાર્તાની પસંદગી'''</big></big>}} <br/> {{gap}}બાળકોને કેવી વાર્તાઓ કહેવી એ એક અતિ મહત્ત્વનો પ્રશ્ન છે. જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ થાય નહિ ત્યાં સુધી વાર્તાકથનનું શાસ્ત્ર પાંગળું જ રહે. વાર્તાઓ અનેક જાતની છે. જુદા જુદા દેશોની જુદી જુદી વાતો છે. જુદી જુદી આબોહવામાં રહેનારા અને જુદી જુદી રહેણીકરણીને અનુસરનારા લોકોની વાતો જુદી જુદી છે. ધર્મમાન્યતામાં એકબીજાથી નોખા લોકોમાં નોખી નોખી વાર્તાઓ છે. કેટલાએક દેશો પરીઓની વાતો માટે મગરૂબી ધરાવી શકે છે તો કેટલાએક દેશો ભૂતપ્રેતાદિની વાતોમાં પોતાનો અચળ વિશ્વાસ પ્રગટ કરે છે; કેટલાએક દેશો વિજ્ઞાનની વાતોમાં વધારે રસ લે છે તો કેટલાએક દેશો વહેમ ભરેલી વાર્તાઓને સાચી માને છે; કેટલાએક દેશો ભયંકર વાતોના શોખીન હોય છે તો કેટલાએક દેશોની વાતોમાં અહિંસાનું તત્ત્વ અધિક પ્રમાણમાં હોય છે; કેટલાએક દેશોની વાતો પ્રેમ અને લાગણીથી ભરેલી છે તો કેટલાએક દેશોની વાતો ભક્તિરસથી ભરપૂર છે. વળી વાર્તાઓ પોતે પણ ભિન્ન ભિન્ન પ્રકારની છે.<noinclude></noinclude> 0nh1gvkdji61qequgyn9x4c0e03vai3 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૫ 104 67184 216109 216094 2025-07-03T17:13:33Z Amvaishnav 156 /* Validated */ 216109 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૧૭}}'''</noinclude>વાર્તાઓનો એક પ્રકાર શૂરાતનની વાતોનો છે તો વાર્તાનો બીજો પ્રકાર બુદ્ધિચાતુર્યની વાતોનો છે; કોઈ વાર્તા કરુણરસપ્રધાન હોય છે તો કોઈ વાર્તા બીભત્સરસપ્રધાન હોય છે; કોઈ વાર્તા માર્મિક હોય છે તો વળી કોઈ વાર્તા તાત્ત્વિક હોય છે; કોઈ વાર્તામાં નિસર્ગનો મહિમા હોય છે તો કોઈ વાર્તા એકલી મનુષ્યકૃતિનો મહિમા ગાનારી હોય છે. જેમ વાર્તાના પ્રકાર છે તેમ લોકરુચિના પણ પ્રકાર છે. એક મનુષ્યને વિનોદની વાતો ગમે છે તો બીજા માણસને ગાંભીર્યપૂર્ણ ઉપદેશમય વાર્તા ગમે છે; એકની મરજી દેવદેવીઓની વાતો સાંભળવાની હોય છે ત્યારે બીજાની મરજી મનુષ્યચરિત્રોની વાર્તાઓ સાંભળવાની હોય છે; એકને કલ્પિત વાતોમાં મજા આવે છે તો વળી બીજાને ઐતિહાસિક વાર્તાઓમાં આનંદ આવે છે. {{gap}}આવી રીતે જ્યાં વાર્તાઓ અનેકવિધ છે ને તેને સાંભળનારા અનેક રુચિવાળા છે, ત્યાં કેવી વાર્તાઓ કહેવી અને કેવી વાર્તાઓ ન કહેવી એ પ્રશ્નનો ઉકેલ કરવો આવશ્યક તેમ જ મુશ્કેલ છે. એક વાત તો દીવા જેવી ઉઘાડી છે કે બધી વાર્તાઓ કહેવા યોગ્ય નથી હોતી. જો આપણે પૃથ્વીના પડોને ઉખેડીએ ને તેનો અભ્યાસ કરવા બેસીએ તો આપણને માલૂમ પડે કે પૃથ્વીના ગર્ભમાં અનેકવિધ પડો રહેલાં છે. એ પડો એકબીજાથી નિરાળાં હોય છે એટલું જ નહિ પણ એ પડો ભિન્ન ભિન્ન વખતે, ભિન્ન ભિન્ન સંજોગોમાં, ભિન્ન ભિન્ન વાતાવરણ અને પૃથ્વીની ઉપરના ને અંદરના ફેરફારોને લીધે બંધાયેલાં છે. આવાં પડોને ભૂસ્તરશાસ્ત્રીઓ પહેલા યુગનાં પડો, બીજા યુગનાં પડો, ત્રીજા યુગનાં પડો, એમ કહીને ઓળખે છે. આવાં પડોને એ શાસ્ત્રીઓ જુદી જુદી ઉંમર પણ આપી શકે છે. અત્યારે પ્રચલિત<noinclude></noinclude> 727yx4euh8anezb2fyxpxp12hccyn2e પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૬ 104 67185 216110 216095 2025-07-03T17:15:00Z Amvaishnav 156 /* Validated */ 216110 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૧૮||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>વાર્તાઓના સમૂહોનાં કંઈક આવી જાતનાં પણ જુદી રીતનાં પડો છે. કોઈ પડો અતિ પુરાણાં છે તો કોઈ પડો છેક આધુનિક છે; કોઈ પડો પરદેશી છે તો કોઈ પડો સંપૂર્ણ સ્વદેશી છે; કોઈ પડો સ્વાભાવિક છે તો કોઈ પડો કૃત્રિમ છે; કોઈ પડો નીતિ ભરેલાં છે તો કોઈ પડો અનીતિ પ્રેરક છે; કોઈ પડો ઉચ્ચ વિનોદપ્રધાન છે તો કોઈ પડો ઉપર ગ્રામ્યતાનો પાસ છે; કોઈ પડોમાં બુદ્ધિચાતુર્યનો મહિમા છે તો કોઈ પડો વિજ્ઞાનની વાતો કરે છે. વાર્તાકથન માટે કયાં પડો સંગ્રહવાં અને કયાં પડોનો ત્યાગ કરવો એ વિચારવા જેવું છે. જમાને જમાને તે જમાનાનું કામ કરવા વ્યક્તિઓ ઉત્પન્ન થાય છે, તેમ વાર્તા કે વાર્તાઓના સમૂહો પણ ઉત્પન્ન થાય છે. એક સમાજ બીજા સમાજની વાર્તામાં ભરેલા ડહાપણથી કંટાળે છે અથવા એ ડહાપણથી વધારે ડહાપણનો દાવો કરી શકે છે, ત્યારે એ સમાજની વાર્તાને ધક્કો મારે છે. જેમ જેમ સમાજ નવી રુચિ, નવી કલ્પના, નવા આદર્શો ધારણ કરે છે તેમ તેમ જૂની રુચિ, જૂની કલ્પના ને જૂના આદર્શોને સાપની કાંચળી પેઠે છોડી દે છે. આવી રીતે સમાજે છોડી દીધેલી કાંચળીરૂપી અનેક વાર્તાઓ પણ આપણા વાર્તાના ભંડારમાં પડેલી છે. વળી આપણા વાર્તાના ભંડારમાં એવી વાર્તાઓ પણ છે કે જે સમાજના આદિ કાળથી સમાજે પોતાના અંગ ઉપર જ ધારણ કરીને રાખી હોય, ને હજુ પણ તેને પોતાના અંગ ઉપરથી જરા પણ આઘે ખસેડી ન હોય. એવી પણ વાર્તાઓ છે કે જે સમાજના હૃદયમાં છે પણ સમાજના વેશમાં નથી. એમ જ આ ભંડારમાં એવી પણ વાતો છે કે જે કોઈ વ્યક્તિએ છેક છોડી દીધી છે, કોઈ વ્યક્તિ તેના તરફ આશ્ચર્યથી જોઈ રહેલ છે તો કોઈ વ્યક્તિ હજી તેને જીવની પેઠે સાચવી રહેલ છે. ભિન્ન ભિન્ન<noinclude></noinclude> 636pea80kgo33xocud1xwr7tbrijaja પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૭ 104 67186 216111 216099 2025-07-03T17:15:51Z Amvaishnav 156 /* Validated */ 216111 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૧૯}}'''</noinclude>સમાજોની, ભિન્ન ભિન્ન રુચિઓ અને આવશ્યકતાને લીધે વાર્તાઓના સમૂહો પણ ભિન્ન ભિન્ન બની રહ્યા છે, તેમ જ એક સમાજની ભિન્ન ભિન્ન વ્યક્તિઓની ભિન્ન ભિન્ન રુચિઓને લીધે પણ વાર્તાઓના સમૂહો ભિન્ન ભિન્ન બની રહેલ છે. એક જ સમાજમાં અનેકરંગી માણસો હોય છે. એક જ સમાજમાં માણસની પ્રાથમિક દશાની બુદ્ધિ, શક્તિ ને વૃત્તિ ધરાવવાવાળા મનુષ્યથી માંડીને માણસની ઉચ્ચ દશાની બુદ્ધિ, શક્તિ ને વૃત્તિ ધરાવવાવાળા મનુષ્ય સુધીની વ્યક્તિઓ આપણને મળી આવે છે. એક જ સમાજમાં ક્ષુદ્ર વૃત્તિના માણસથી માંડીને ઉચ્ચ વૃત્તિનો માણસ મળી આવે છે. આથી એક જ વાર્તાના પડમાં કે સમૂહમાં વિવિધતા જોવામાં આવે છે. આ વિવિધતા લોકરુચિનું પ્રતિબિંબ છે; આ વિવિધતામાં સમાજ આખાનું જીવન છે. {{gap}}આ બધી વાર્તાઓમાંથી કઈ વાર્તાઓ લેવી અને કઈ વાર્તાઓ ન લેવી એનો નિર્ણય કરવાનું કામ ઘણી કુશળતાથી કરવાનું છે. અહીં આપણે એક બાબતનો વિચાર કરવાનો છે. આપણે બાળકોને વાર્તાઓ કહેવા માગીએ છીએ પણ તે પ્રથમતઃ શુદ્ધ અને નિર્દોષ આનંદ આપવા માટે જ. બેશક, આપણો ઉદ્દેશ પ્રથમતઃ આટલો જ છે, છતાં વાર્તાઓ બાળકના જીવનને અનેક રીતે ઘડે છે એ વાત આપણા લક્ષ બહાર ન જોઈએ. વાર્તા શુદ્ધ આનંદ આપે છે તેથી જ તેનામાં બાળકના જીવનને ઘડવાની શક્તિ રહેલી છે. જે વસ્તુ સુંદર છે, મધુર છે, પ્રિય છે, તેની અસર આપણા ઉપર સ્વાભાવિક છે. સ્વતઃ સુંદર વાર્તાઓ આ રીતે આપણા ઉપર અનેક જાતની અસર જરૂર કરે છે. આમ છે તેથી જ નિર્દોષ આનંદ આપવાનું સાધન કોઈ રીતે અનિષ્ટ ન હોય તેનો વિચાર આપણે કરવો જ જોઈએ. વાર્તામાત્રથી આનંદ<noinclude></noinclude> 30kpaaxfvqxnwh1rk2ej072vv8wanms પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૮ 104 67187 216112 206091 2025-07-03T17:18:49Z Amvaishnav 156 /* Proofread */ 216112 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૨૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>આપી શકાય; કારણકે વાર્તાનો આનંદવિભાગ કળાનો વિષય છે, અને જ્યાં વાર્તાનો કલાવિભાગ યર્થાથ હોય ત્યાં બાળકને જરૂર આનંદ મળવાનો જ. પણ બધી કલાપૂર્ણ વાર્તાઓ હિતાવહ નથી હોતી એવો આપણો અનુભવ છે. આથી જ આપણે વાર્તાઓની પસંદગીની ખટપટમાં પડવું પડે છે. {{gap}}બાળકો માટે વાર્તાઓની પસંદગીના નિયમો બાંધીએ તે પહેલાં આપણે બાળકને, તેની વૃત્તિને તેમ જ તેની દુનિયાને જાણવી જોઈએ. આપણે આપણી દૃષ્ટિથી બાલજીવનના વ્યવહારનું નિર્માણ કરીએ તો બાળકોનો થોડા જ વખતમાં નાશ થાય. બાળક સંપૂર્ણ મનુષ્ય છે એ વાત ખરી છે, છતાં એ સંપૂષ્કૃતા બીજરૂપે છે. આથી જ વૃક્ષ માટે જે આબોહવા અને ખાતરની જરૂર છે તે આબોહવા અને ખાતર બીજ માટે હંમેશાં આરોગ્યવાહક નથી. બીજમાંથી સંપૂર્ણ વૃક્ષ સુધીની વિકસનની ક્રિયાનો સમય લાંબો છે અને તેમાં અનેક શ્રેણીઓ છે. પ્રત્યેક શ્રેણીએ વૃક્ષની હાજત ધ્યાનમાં રાખીને તેની માવજત કરવાની છે. વાર્તાની પસંદગીની દૃષ્ટિએ વિચાર કરીએ તો બાલ્યાવસ્થાની વાર્તાઓ, કુમારાવસ્થાની વાર્તાઓ, યુવાવસ્થાની વાર્તાઓ, પ્રૌઢાવસ્થાની વાર્તાઓ અને વૃદ્ધાવસ્થાની વાર્તાઓ તેમ જ સ્ત્રીઓને ગમતી વાર્તાઓ અને પુરુષોને ગમતી વાર્તાઓમાં આપણે ભેદ પાડવો જોઈએ; અને એ ભેદને ધ્યાનમાં રાખીને આપણે બાળકોને કહેવાની વાર્તાઓની પસંદગી કરવી જોઈએ. {{gap}}વાર્તાઓની પસંદગી વખતે ત્રીજી દૃષ્ટિ એ રાખવાની છે કે બાળક સમાજના બાલ્યકાળનો પ્રતિનિધિ છે. પ્રાથમિક મનુષ્યના વિકાસની ક્રિયાની સ્થિતિ સાથે બાળકના વિકાસની ક્રિયા ઘણી મળતી આવે છે. વળી આજના સંસ્કૃત સમાજના એક અંગભૂત<noinclude></noinclude> gppj1r110et62k5ezj2z659qozflfl9 216114 216112 2025-07-04T00:19:22Z Snehrashmi 2103 /* Validated */ 216114 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૨૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>આપી શકાય; કારણકે વાર્તાનો આનંદવિભાગ કળાનો વિષય છે, અને જ્યાં વાર્તાનો કલાવિભાગ યર્થાથ હોય ત્યાં બાળકને જરૂર આનંદ મળવાનો જ. પણ બધી કલાપૂર્ણ વાર્તાઓ હિતાવહ નથી હોતી એવો આપણો અનુભવ છે. આથી જ આપણે વાર્તાઓની પસંદગીની ખટપટમાં પડવું પડે છે. {{gap}}બાળકો માટે વાર્તાઓની પસંદગીના નિયમો બાંધીએ તે પહેલાં આપણે બાળકને, તેની વૃત્તિને તેમ જ તેની દુનિયાને જાણવી જોઈએ. આપણે આપણી દૃષ્ટિથી બાલજીવનના વ્યવહારનું નિર્માણ કરીએ તો બાળકોનો થોડા જ વખતમાં નાશ થાય. બાળક સંપૂર્ણ મનુષ્ય છે એ વાત ખરી છે, છતાં એ {{SIC|સંપૂર્ણૃતા|સંપૂર્ણતા}} બીજરૂપે છે. આથી જ વૃક્ષ માટે જે આબોહવા અને ખાતરની જરૂર છે તે આબોહવા અને ખાતર બીજ માટે હંમેશાં આરોગ્યવાહક નથી. બીજમાંથી સંપૂર્ણ વૃક્ષ સુધીની વિકસનની ક્રિયાનો સમય લાંબો છે અને તેમાં અનેક શ્રેણીઓ છે. પ્રત્યેક શ્રેણીએ વૃક્ષની હાજત ધ્યાનમાં રાખીને તેની માવજત કરવાની છે. વાર્તાની પસંદગીની દૃષ્ટિએ વિચાર કરીએ તો બાલ્યાવસ્થાની વાર્તાઓ, કુમારાવસ્થાની વાર્તાઓ, યુવાવસ્થાની વાર્તાઓ, પ્રૌઢાવસ્થાની વાર્તાઓ અને વૃદ્ધાવસ્થાની વાર્તાઓ તેમ જ સ્ત્રીઓને ગમતી વાર્તાઓ અને પુરુષોને ગમતી વાર્તાઓમાં આપણે ભેદ પાડવો જોઈએ; અને એ ભેદને ધ્યાનમાં રાખીને આપણે બાળકોને કહેવાની વાર્તાઓની પસંદગી કરવી જોઈએ. {{gap}}વાર્તાઓની પસંદગી વખતે ત્રીજી દૃષ્ટિ એ રાખવાની છે કે બાળક સમાજના બાલ્યકાળનો પ્રતિનિધિ છે. પ્રાથમિક મનુષ્યના વિકાસની ક્રિયાની સ્થિતિ સાથે બાળકના વિકાસની ક્રિયા ઘણી મળતી આવે છે. વળી આજના સંસ્કૃત સમાજના એક અંગભૂત<noinclude></noinclude> 7yw8ajor5u0u1h1ms0aobhj5dg3042j પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૩૯ 104 67188 216113 206092 2025-07-03T17:23:18Z Amvaishnav 156 /* Proofread */ 216113 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૨૧}}'''</noinclude>થવાને સમાજ જે પ્રાકૃતિક દશામાંથી નીકળી ચૂકયો છે તે દશામાંથી બાળકે નીકળવાનું છે. બાળક સંપૂર્ણ મનુષ્ય છતાં પ્રાથમિક સ્થિતિનું છે, એ વાત સદૈવ ધ્યાનમાં રાખીને આપણે વાર્તાઓની પસંદગી કરવાની છે. પ્રાથમિક માણસ કેવી કેવી વાર્તાઓ પસંદ કરતો હતો તેની આપણે પૂરેપૂરી કલ્પના કરવાની છે. શરૂઆતમાં આવી થોડીએક બાબતો ધ્યાનમાં રાખી બાળકોને માટે કેવી વાર્તાઓ પસંદ કરવી જોઈએ તેનો આપણે નિર્ણય કરીએ. {{gap}}વાર્તાઓના ઢગલામાંથી પહેલવહેલાં આપણે અર્થ વિનાની નાની નાની કવિતાઓને પછીથી જોડકણાંથી ભરપૂર વાર્તાઓ લઈએ. અર્થ વિનાનાં જોડકણાં બાલજીવનમાં કેવી અદ્ભુત ચમત્કૃતિ ઉત્પન્ન કરે છે તેનો ખ્યાલ તો જેમને બાલજીવન અને બાળવાર્તાના કથનનો સીધો અનુભવ છે તેને જ આવી શકે છે. <poem>{{મધ્ય ખંડ|"ચાંદા રે ચાંદા, ઘીગોળ માંડા, દહીં કે દૂધડી, માખણ ફૂદડી, મારી બેનના મોઢામાં હબૂક પોળી.”}}</poem> <poem>{{મધ્ય ખંડ|"આવ રે વરસાદ, ધેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી, ને કારેલાંનું શાક; આવ રે વરસાદ નેવલે પાણી, નઠારી છોકરીને દેડકે તાણી.”}}</poem> {{gap}}આવાં સાદાં જોડકણાં સાંભળવામાંથી બાળક આસ્તે આસ્તે નાની નાની અર્થ વિનાની અને જોડકણાંથી ભરપૂર વાર્તાઓ સાંભળતું થાય છે. આ ક્રમ સ્વાભાવિક છે. આવી વાર્તાઓ આપણને પુષ્કળ મળે છે.<noinclude></noinclude> a3w1wnhc1emj19f4r0vn4ehkzpd12vr 216115 216113 2025-07-04T00:21:20Z Snehrashmi 2103 /* Validated */ 216115 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૨૧}}'''</noinclude>થવાને સમાજ જે પ્રાકૃતિક દશામાંથી નીકળી ચૂક્યો છે તે દશામાંથી બાળકે નીકળવાનું છે. બાળક સંપૂર્ણ મનુષ્ય છતાં પ્રાથમિક સ્થિતિનું છે, એ વાત સદૈવ ધ્યાનમાં રાખીને આપણે વાર્તાઓની પસંદગી કરવાની છે. પ્રાથમિક માણસ કેવી કેવી વાર્તાઓ પસંદ કરતો હતો તેની આપણે પૂરેપૂરી કલ્પના કરવાની છે. શરૂઆતમાં આવી થોડીએક બાબતો ધ્યાનમાં રાખી બાળકોને માટે કેવી વાર્તાઓ પસંદ કરવી જોઈએ તેનો આપણે નિર્ણય કરીએ. {{gap}}વાર્તાઓના ઢગલામાંથી પહેલવહેલાં આપણે અર્થ વિનાની નાની નાની કવિતાઓને પછીથી જોડકણાંથી ભરપૂર વાર્તાઓ લઈએ. અર્થ વિનાનાં જોડકણાં બાલજીવનમાં કેવી અદ્‌ભુત ચમત્કૃતિ ઉત્પન્ન કરે છે તેનો ખ્યાલ તો જેમને બાલજીવન અને બાળવાર્તાના કથનનો સીધો અનુભવ છે તેને જ આવી શકે છે. <poem>{{મધ્ય ખંડ|“ચાંદા રે ચાંદા, ઘીગોળ માંડા, દહીં કે દૂધડી, માખણ ફૂદડી, મારી બેનના મોઢામાં હબૂક પોળી.”}}</poem> <poem>{{મધ્ય ખંડ|“આવ રે વરસાદ, ધેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી, ને કારેલાંનું શાક; આવ રે વરસાદ નેવલે પાણી, નઠારી છોકરીને દેડકે તાણી.”}}</poem> {{gap}}આવાં સાદાં જોડકણાં સાંભળવામાંથી બાળક આસ્તે આસ્તે નાની નાની અર્થ વિનાની અને જોડકણાંથી ભરપૂર વાર્તાઓ સાંભળતું થાય છે. આ ક્રમ સ્વાભાવિક છે. આવી વાર્તાઓ આપણને પુષ્કળ મળે છે. {{nop}}<noinclude></noinclude> 86m5ld0s4vkllf32g1r4fsck3daczcb 216116 216115 2025-07-04T00:21:41Z Snehrashmi 2103 216116 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૨૧}}'''</noinclude>થવાને સમાજ જે પ્રાકૃતિક દશામાંથી નીકળી ચૂક્યો છે તે દશામાંથી બાળકે નીકળવાનું છે. બાળક સંપૂર્ણ મનુષ્ય છતાં પ્રાથમિક સ્થિતિનું છે, એ વાત સદૈવ ધ્યાનમાં રાખીને આપણે વાર્તાઓની પસંદગી કરવાની છે. પ્રાથમિક માણસ કેવી કેવી વાર્તાઓ પસંદ કરતો હતો તેની આપણે પૂરેપૂરી કલ્પના કરવાની છે. શરૂઆતમાં આવી થોડીએક બાબતો ધ્યાનમાં રાખી બાળકોને માટે કેવી વાર્તાઓ પસંદ કરવી જોઈએ તેનો આપણે નિર્ણય કરીએ. {{gap}}વાર્તાઓના ઢગલામાંથી પહેલવહેલાં આપણે અર્થ વિનાની નાની નાની કવિતાઓને પછીથી જોડકણાંથી ભરપૂર વાર્તાઓ લઈએ. અર્થ વિનાનાં જોડકણાં બાલજીવનમાં કેવી અદ્‌ભુત ચમત્કૃતિ ઉત્પન્ન કરે છે તેનો ખ્યાલ તો જેમને બાલજીવન અને બાળવાર્તાના કથનનો સીધો અનુભવ છે તેને જ આવી શકે છે. <poem>{{મધ્ય ખંડ|“ચાંદા રે ચાંદા, ઘીગોળ માંડા, દહીં કે દૂધડી, માખણ ફૂદડી, મારી બેનના મોઢામાં હબૂક પોળી.”}}</poem> <br/> <poem>{{મધ્ય ખંડ|“આવ રે વરસાદ, ધેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી, ને કારેલાંનું શાક; આવ રે વરસાદ નેવલે પાણી, નઠારી છોકરીને દેડકે તાણી.”}}</poem> {{gap}}આવાં સાદાં જોડકણાં સાંભળવામાંથી બાળક આસ્તે આસ્તે નાની નાની અર્થ વિનાની અને જોડકણાંથી ભરપૂર વાર્તાઓ સાંભળતું થાય છે. આ ક્રમ સ્વાભાવિક છે. આવી વાર્તાઓ આપણને પુષ્કળ મળે છે. {{nop}}<noinclude></noinclude> p146vli2e1r58twjyw6y8x60z1adhgc 216117 216116 2025-07-04T00:22:10Z Snehrashmi 2103 216117 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૨૧}}'''</noinclude>થવાને સમાજ જે પ્રાકૃતિક દશામાંથી નીકળી ચૂક્યો છે તે દશામાંથી બાળકે નીકળવાનું છે. બાળક સંપૂર્ણ મનુષ્ય છતાં પ્રાથમિક સ્થિતિનું છે, એ વાત સદૈવ ધ્યાનમાં રાખીને આપણે વાર્તાઓની પસંદગી કરવાની છે. પ્રાથમિક માણસ કેવી કેવી વાર્તાઓ પસંદ કરતો હતો તેની આપણે પૂરેપૂરી કલ્પના કરવાની છે. શરૂઆતમાં આવી થોડીએક બાબતો ધ્યાનમાં રાખી બાળકોને માટે કેવી વાર્તાઓ પસંદ કરવી જોઈએ તેનો આપણે નિર્ણય કરીએ. {{gap}}વાર્તાઓના ઢગલામાંથી પહેલવહેલાં આપણે અર્થ વિનાની નાની નાની કવિતાઓને પછીથી જોડકણાંથી ભરપૂર વાર્તાઓ લઈએ. અર્થ વિનાનાં જોડકણાં બાલજીવનમાં કેવી અદ્‌ભુત ચમત્કૃતિ ઉત્પન્ન કરે છે તેનો ખ્યાલ તો જેમને બાલજીવન અને બાળવાર્તાના કથનનો સીધો અનુભવ છે તેને જ આવી શકે છે. <poem>{{મધ્ય ખંડ|“ચાંદા રે ચાંદા, ઘીગોળ માંડા, દહીં કે દૂધડી, માખણ ફૂદડી, મારી બેનના મોઢામાં હબૂક પોળી.”}}</poem> <poem>{{મધ્ય ખંડ|“આવ રે વરસાદ, ધેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી, ને કારેલાંનું શાક; આવ રે વરસાદ નેવલે પાણી, નઠારી છોકરીને દેડકે તાણી.”}}</poem> {{gap}}આવાં સાદાં જોડકણાં સાંભળવામાંથી બાળક આસ્તે આસ્તે નાની નાની અર્થ વિનાની અને જોડકણાંથી ભરપૂર વાર્તાઓ સાંભળતું થાય છે. આ ક્રમ સ્વાભાવિક છે. આવી વાર્તાઓ આપણને પુષ્કળ મળે છે. {{nop}}<noinclude></noinclude> 86m5ld0s4vkllf32g1r4fsck3daczcb પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૦ 104 67189 216118 206093 2025-07-04T00:25:24Z Snehrashmi 2103 /* Proofread */ 216118 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૨૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude> {{Block center|<poem>“ચકી પડી ખીરમાં ને ચકો બેઠો નિમાણો.” “કૂકડી પડી રંગમાં ને કૂકડો શોકઢંગમાં.” “કહાણી કહું કૈયા ને સાંભળ મારા થૈયા.” “એક વાતની વાત ને સવાયાની સાત.”</poem>}} {{gap}}આ વાર્તાઓ આવા પ્રકારની છે. આ વાર્તાઓ બાલદુનિયાની છે. બાળક તો પોતાની આસપાસની દુનિયા નવી આંખે નિહાળવા લાગે છે તેથી તેને આવા પ્રકારની વાર્તાઓમાં ભારે રસ આવે છે. આકાશ, પૃથ્વી, પવન, સૂર્ય, ચંદ્ર, પક્ષીઓ, પશુઓ અને ફૂલો બાળકને મન નવી નવાઈની ચીજો છે. આ ચીજોની ગૂંથણી જે વાર્તાઓમાં આવે છે તે વાર્તાઓ સાંભળતાં બાળક તલ્લીન બની જાય છે. બેશક, આ વાર્તાઓ આખેઆખી ને તેના સંપૂર્ણ અર્થમાં બાળક સમજે છે માટે તે સાંભળવા પ્રેરાય છે એવું કંઈ નથી. આપણે સમજી શકતાં નથી તેવી જાતના અનુભવો આ દુનિયાનો નવો મહેમાન ક્ષણે ક્ષણે પ્રત્યેક ઈન્દ્રિયગમ્ય વસ્તુ પરત્વે કરે છે; ને જે જે શબ્દોમાં કે શબ્દસમૂહોમાં એ અનુભવોને ભાષા મળે છે ત્યાં ત્યાં બાળકને ચમત્કૃતિ ભાસે છે. આવે પ્રસંગે બાળક પોતાની ભાષા ઘડવાનો સુંદર લાભ લે છે એ પણ તેના આવી વાર્તાના રસનું કારણ છે. આવી વાર્તાઓને આપણે બાળવાર્તાઓને નામે ઓળખશું. આવી વાર્તાઓમાં ઢંગધડો હોતો નથી, કે તેમાંથી અર્થ થોડો જ નીકળે છે, તેની આપણને ચિંતા કરવાનું કારણ નથી. એ વાર્તાઓમાં બાળકની દુનિયાનું પ્રતિબિંબ છે અને બાળક તેમાં રસ લે છે, એટલું જ અત્યારે તો બસ છે. {{gap}}ઉક્ત વાર્તાઓ બેશક કલ્પિત છે. પણ આ પછીની શ્રેણીમાં વધારે કલ્પિત વાર્તાઓ, અને વાર્તાઓના નામને શોભાવે તેવી<noinclude></noinclude> igmf9ytjhs3ss40vf4vx9483r1cmmau પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૧ 104 67190 216119 206094 2025-07-04T00:27:20Z Snehrashmi 2103 /* Proofread */ 216119 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૨૩}}'''</noinclude>વાર્તાઓને સ્થાન મળે છે. કલ્પિત વાર્તાઓમાં ઘણી ઘણી જાતની વાર્તાનો સમાવેશ થઈ જાય છે. ઐતિહાસિક વાર્તાઓ અને વિજ્ઞાનની વાર્તાઓ સિવાયની બધી વાર્તાઓ કલ્પિત છે. વળી કલ્પિત વાર્તાઓના બે પ્રકાર છે. જેને આપણે પ્રાણીઓની, કુદરતના બનાવોની, ભૂતપ્રેતાદિની, દેવો અને દેવીઓની, નાગ, યક્ષ, કિન્નરો અને રાક્ષસોની વાર્તાઓ તરીકે ઓળખીએ છીએ તે વાર્તાઓ કલ્પિત વાર્તાઓનો એક પ્રકાર છે; જ્યારે જે વાર્તાઓમાં મનુષ્યો પાત્રો તરીકે હોય છે તે વાર્તાઓ બીજા પ્રકારમાં આવે છે. સાધારણ રીતે ઐતિહાસિક દંતકથાઓ, ભક્તોની વાતો, સતીઓની વાતો, પ્રેમકથાઓ, કૌટુમ્બિક વાતો, કામણ- ટૂમણની વાતો, વારતહેવારની વાતો, શૂરાઓની વાતો, અને ઐતિહાસિક વાતો, આ બીજા પ્રકારની વાર્તાઓ છે. પહેલા વર્ગને અંગ્રેજી શબ્દથી ઓળખાવીએ તો તેને 'Imaginative Fiction'નું નામ મળે અને બીજા વર્ગને 'Realistic Fiction'નું નામ મળે. પહેલા વર્ગની કલ્પિત વાર્તાઓમાં હકીકતનું યથાર્થપણું હોતું જ નથી. આ વર્ગની વાતોમાં હકીકત કલ્પિત એટલે અસ્તિત્વમાં ન હોય એવી, માત્ર કલ્પનામાંથી જ નીકળેલી હોય છે. પહેલા વર્ગની વાર્તાઓ હકીકતમાં ખોટી હોય છે. પરંતુ ખોટી કે કલ્પિત હકીકત દ્વારા તેમાં સાચા વિચારો ને સાચા આદર્શો હોય છે. આ વર્ગની વાર્તાઓમાં આવતી પરીઓ, યક્ષો, કિન્નરો, ભૂતપ્રેત કે નાગો ખોટા હોય છે પણ તેમના દ્વારા વ્યક્ત થયેલ ભાવનાઓ અને આદર્શો હોય છે. બીજા વર્ગની વાર્તાઓમાં મનુષ્યો પાત્રોરૂપે હોય છે પણ તેમાં ગૂંથેલા બનાવો કલ્પિત હોય છે. જોકે આ બનાવો કલ્પનાથી ઉપજાવી કાઢેલા હોય છે, છતાં આ બનાવો દુનિયામાં બનતા બનાવો માંહેના જ હોય છે, અને આ<noinclude></noinclude> qbsu7hy2t903lexn9dew3bgjkfx8vh0 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૨ 104 67191 216120 206095 2025-07-04T00:29:46Z Snehrashmi 2103 /* Proofread */ 216120 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૨૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>બનાવો દ્વારા આવી વાર્તાઓ મનુષ્યના અનુભવોને વ્યક્ત કરે છે- મનુષ્યનાં મંથનો, આદર્શો, આચારો અને ભાવનાઓને પ્રગટ કરે છે. આ બંને પ્રકારની વાર્તાઓ બાળકોને ગમે છે. ઉક્ત બંને પ્રકારની વાર્તાઓ બાળકોને કહેવામાં કશી હરકત નથી. માત્ર એક જ વિચાર ધ્યાનમાં રહેવો જોઈએ કે આ વાર્તાઓ સ્વતઃ સારી છે અને બીજી રીતે વાંધા ભરેલી નથી. વાર્તાઓ છેક કલ્પિત છે છતાં બાળકોના માનસ ઉપર તે ભારે અસર કરી શકે છે. આ વાર્તાઓ ખોટી છે છતાં બાળકના મનને તે એટલી બધી જીવંત ભાસે છે કે બાળક તેનાથી ઘડાય છે. એકાદ સારી કલ્પિત વાર્તા બાળકના વિચારોને, આદર્શોને, દૃષ્ટિબિંદુઓને, સારાસાર બુદ્ધિને, સદ્‌અસદ્‌ વિવેકને જાગૃત કરે છે, ગતિ આપે છે ને નિશ્ચિત કરે છે. આવી વાર્તા બાળકની દૃષ્ટિમર્યાદા વિશાળ બનાવે છે, કલ્પના સતેજ કરે છે, સૌંદર્ય પારખવાની સાચી શક્તિ આપે છે, લાગણીને સૂક્ષ્મ અને ઊંડી બનાવે છે, વિનોદને સજીવ કરે છે, અને ટૂંકમાં તેના જીવનમાં પ્રાણનું સિંચન કરે છે. આ બધું કેમ બને છે તેનો અનુભવ કોઈ કુશળ વાર્તા કહેનારને તો હંમેશાં થતો જ હશે. આ વાર્તાઓ લોકોના અનેકવિધ જીવનના સારભૂતે લોકહૃદયમાંથી પ્રગટેલી છે. આવી વાર્તાઓ કલ્પિત છે છતાં તેઓને ન્યાય, તેઓની ધર્મબુદ્ધિ, તેઓની પાક દાનત, તેઓની વિવેકબુદ્ધિ એટલાં બધાં નિર્મળ અને સમતોલ છે કે બાળક કલ્પિતપણું ભૂલી જઈ એમાં રહેલ ગુણોની વાસ્તવિકતાને પોતાનામાં સંગ્રહે છે. આપણે ત્યાં પરીઓની વાતો નથી અથવા ભાષાંતરના પ્રયોગોથી હમણાં હમણાં થોડી થોડી વધી છે, પરંતુ પરીઓની વાતોને પણ ટકોર મારે એવી કલ્પિત વાતો આપણે ત્યાં છે. એ વાર્તાઓને આપણે પરીઓની વાતોના જેટલું જ સ્થાન<noinclude></noinclude> pl0c9h1s49smdp42f5aecegtr5rl5e4 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૩ 104 67192 216121 206096 2025-07-04T00:34:35Z Snehrashmi 2103 /* Proofread */ 216121 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૨૫}}'''</noinclude>આપી શકીએ. પરીઓની વાતોની મહત્તા સંબંધે એક અમેરિકન લેખિકા બાઈ મિલરે સુંદર શબ્દોમાં લખ્યું છે.*<ref>*Fairy Tales, welling up from the simple, natural, untrained hearts of the common people, have been called the wild-garden of literature and they could not be more beautifully described. They are the wild rose in the hedgerose, the lily of the valley, the wind flower, the meadow sweet in contrast to the cultivated rose of gorgeous poppy that grows in the ordered gardens, beside the classic fountains of Literature's Stately palaces.</ref> {{gap}}આવી જાતની વાર્તાઓનો બાલવિકાસમાં અને તેના ચારિત્રગઠનમાં મોટો ફાળો છે. કોઈ પણ જાતના નૈતિક ઉપદેશ વિના કે વાર્તાના રહસ્ય તરફ લક્ષ અપાવવાના શિક્ષકના લેશ માત્ર પ્રયત્ન વિના બાળક પોતાની જાતે જ વાર્તાઓની હકીકતોમાંથી કયા ગુણો ઉમદા અને ખાનદાની ભરેલા છે, કયી કયી બાબતો દુષ્ટ અને નિંદ્ય છે એ સમજી જાય છે. સ્વાભાવિક રીતે જ એટલે કે વગર શીખવ્યે સત્ય તરફ, શૌર્ય તરફ, પાવિત્ર્ય તરફ, ન્યાય તરફ બાળકનો પક્ષપાત વધે છે ને અસત્ય, બાયલાપણું, અત્યાચાર, અન્યાય વગેરે પ્રત્યે બાળકને તિરસ્કાર આવે છે. વાર્તાઓ સ્વતઃ સુંદર અને મોહક હોય છે તેથી બાળક એનાથી એટલું બધું તરબોળ થાય છે કે વગર પ્રયત્ને બાળકના ઉપર વાર્તાની ઊંડી અસર થાય જ છે. બાળકનું હૃદય હંમેશાં સ્વાભાવિક હોવાથી પોતે વાર્તાની સ્વાભાવિકતા અને અસ્વાભાવિક્તામાં ભેદ જોઈ શકે છે. વાર્તાઓની અસર એવી પ્રબળ છે કે બાળક એકાદ ધર્માચાર્ય વ્યાખ્યાતા પાસેથી તેના મોટા<noinclude>{{reflist}}</noinclude> jy8j6qwzu44h3g50awshykm3e6hjr0s પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૪ 104 67193 216122 206097 2025-07-04T00:36:46Z Snehrashmi 2103 /* Proofread */ 216122 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૨૬||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>વ્યાખ્યાનમાંથી ધર્મ કે નીતિ સંબંધે કશું મેળવી શકતું નથી, જ્યારે આવી વાર્તાઓ ધર્મનીતિના વિચારોમાં પણ તેના જીવન પર્યંત આદર્શરૂપ બની રહે છે. આપણા જીવનનો અનુભવ આવો જ છે. કેટલાં યે કલ્પિત પાત્રો હજી પણ આપણા આદર્શોને પ્રેરી રહ્યાં છે, કેટલી યે કલ્પિત ઉચ્ચગામી વાતો આજે પણ આપણને ઊંચે જવા પ્રેરે છે. સુંદર વાર્તાઓ સુંદર વ્યાખ્યાન કરતાં નીતિનો બોધ વધારે સજ્જડ કરે છે એમ કહેવાથી એમ સમજવાનું નથી કે અહીં નીતિશિક્ષણભરી વાર્તાઓ કહેવાની હિમાયત કરવામાં આવી છે. સાર એટલો જ લેવાનો છે કે વાર્તા સુંદર હોય, સુંદર રીતે કહેવાઈ હોય તો પછી તેનું રહસ્ય નીતિ હોય કે અર્થશાસ્ત્ર હોય, શૂરવીરતા હોય કે પવિત્રતા હોય, પણ વાર્તાની અસર જ એવી થાય છે કે એ વાટે એનું રહસ્ય માણસના હૃદયમાં પેસી જાય છે. ઊલટું જો અમુક હેતુને જ આગળ ધરીને વાર્તા કહેવામાં આવે તો એ હેતુની આગળ કરેલી અણી જ માણસને લાગે છે, અને માણસ વાર્તા અને તેનો હેતુ બન્નેનો સ્વીકારવા ના પડે છે. જે વાર્તાઓ સુંદર છે, જેમાં સાચા વિચારો, આદર્શો અને ભાવના છે, જે વાર્તાઓ કોઈ પણ ઉચ્ચ વસ્તુનો સીધો બોધ નથી કરતી પણ પોતાના હૃદયમાં રહસ્યને ઢાંકીને ઊભેલી છે, તે વાર્તાઓ પછી તે કલ્પિત હોય કે અર્ધસાચી હોય કે ઐતિહાસિક હોય કે દંતકથારૂપે હોય, તોપણ તેમને કહેવામાં વાંધો નથી. {{gap}}જેમ બાગમાં જેટલાં ઝાડ હોય છે તેટલાં બધાં બાગના લાભ માટે કામનાં નથી હોતાં, તેમ વાર્તાના સમૂહમાંની બધી વાર્તાઓ બાળકોના કામની નથી હોતી. કેટલીએક વાર્તાઓ તો ઘાસ જેવી હોય છે કે જેમને બાગમાંથી નીંદી નાખવી જ જોઈએ પછી તે પરીની વાત હોય કે ઈતિહાસની વાત હો, પછી તે<noinclude></noinclude> mlsydnsx235wedq6bfvxq5mk4sdcg24 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૫ 104 67194 216123 206098 2025-07-04T00:38:44Z Snehrashmi 2103 /* Proofread */ 216123 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૨૭||વાર્તાની પસંદગી}}'''</noinclude> વાર્તામાં કલાની અપૂર્વતા હોય કે ભાષાનું ભારેમાં ભારે લાલિત્ય હોય; એવી વાર્તાઓ તો બાળકો પાસે ન જ ધરવી જોઈએ. પહેલાં તો. આપણે અનીતિભરી વાર્તાઓને દેશવટો આપી દઈએ. અનીતિભરી વાર્તા અને ગ્રામ્ય વાર્તા વચ્ચેના તફાવત વિષે, અને ગ્રામ્ય વાર્તા કહેવામાં શા માટે હરકત નથી એટલું જ નહિ પણ પ્રસંગોપાત્ત એને કહેવામાં લાભ છે એ સંબંધે, અન્યત્ર લખવામાં આવેલું છે. આપણે હરહંમેશ ગ્રામ્ય વાર્તાઓને અનીતિપ્રે૨ક વાર્તાઓ ગણીને હાંકી કાઢવાની ભૂલ તો કદી ન જ કરીએ. કઈ વાર્તાઓ આપણે અનીતિપ્રેરક ગણવી અને કઈ ન ગણવી તેના નિયમો ઘડવાની કશી જરૂર હોય જ નહિ; એ વાત તો આપણે સારી પેઠે સમજીએ છીએ. છતાં આપણી આજની દૃષ્ટિમાં અને ભૂતકાળની દૃષ્ટિમાં, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની દૃષ્ટિમાં અનીતિપ્રેરક વાર્તાની વ્યાખ્યા સંબંધે દૃષ્ટિકોણ બદલવાનો જ. નીતિના વિષયમાં આજે આપણે જે અત્યંત વિઘાતક લાગે, જે અનિષ્ટ લાગે, તેનું પ્રતિપાદન કરનારી વાર્તાઓ આજે આપણે ન જ કહીએ. જે વાર્તાઓ માણસને નૈતિક બળમાંથી નીચે પાડે તે વાર્તાઓને પણ આપણે છોડી દઈએ. જે વાર્તાઓ આજના નૈતિક જીવનને પછાડનારી લાગે તેનો આપણે સંગ ન કરીએ. લગ્નજીવન નીતિજીવનનું અંગ છે. લગ્નની ભાવનાને નહિ પોષનારી વાર્તા કદાચ એક કાળે નિર્દોષ ગણાતી હોય, તોપણ આજે તે ત્યાજ્ય જ છે. આજે આપણે વિલાસ નથી જોઈતો, ભોગ નથી જોઈતા, તેથી બ્રહ્મચર્યવિઘાતક વાર્તાઓના પક્ષમાં આપણે ન ઊભા રહીએ. બાળલગ્નની બદીથી આપણે ખૂબ થાકી ગયા છીએ એટલે બાળલગ્નમાં આનંદ માનનારી વાર્તાઓ બાળકોના કાનથી દૂર રાખીએ. આજે આપણે ઉત્તમ બ્રહ્મચર્યના બળથી<noinclude></noinclude> sogv4hjouwdwrmw3xcgaseia5qk04g2 216124 216123 2025-07-04T00:39:10Z Snehrashmi 2103 216124 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૨૭}}'''</noinclude> વાર્તામાં કલાની અપૂર્વતા હોય કે ભાષાનું ભારેમાં ભારે લાલિત્ય હોય; એવી વાર્તાઓ તો બાળકો પાસે ન જ ધરવી જોઈએ. પહેલાં તો. આપણે અનીતિભરી વાર્તાઓને દેશવટો આપી દઈએ. અનીતિભરી વાર્તા અને ગ્રામ્ય વાર્તા વચ્ચેના તફાવત વિષે, અને ગ્રામ્ય વાર્તા કહેવામાં શા માટે હરકત નથી એટલું જ નહિ પણ પ્રસંગોપાત્ત એને કહેવામાં લાભ છે એ સંબંધે, અન્યત્ર લખવામાં આવેલું છે. આપણે હરહંમેશ ગ્રામ્ય વાર્તાઓને અનીતિપ્રે૨ક વાર્તાઓ ગણીને હાંકી કાઢવાની ભૂલ તો કદી ન જ કરીએ. કઈ વાર્તાઓ આપણે અનીતિપ્રેરક ગણવી અને કઈ ન ગણવી તેના નિયમો ઘડવાની કશી જરૂર હોય જ નહિ; એ વાત તો આપણે સારી પેઠે સમજીએ છીએ. છતાં આપણી આજની દૃષ્ટિમાં અને ભૂતકાળની દૃષ્ટિમાં, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની દૃષ્ટિમાં અનીતિપ્રેરક વાર્તાની વ્યાખ્યા સંબંધે દૃષ્ટિકોણ બદલવાનો જ. નીતિના વિષયમાં આજે આપણે જે અત્યંત વિઘાતક લાગે, જે અનિષ્ટ લાગે, તેનું પ્રતિપાદન કરનારી વાર્તાઓ આજે આપણે ન જ કહીએ. જે વાર્તાઓ માણસને નૈતિક બળમાંથી નીચે પાડે તે વાર્તાઓને પણ આપણે છોડી દઈએ. જે વાર્તાઓ આજના નૈતિક જીવનને પછાડનારી લાગે તેનો આપણે સંગ ન કરીએ. લગ્નજીવન નીતિજીવનનું અંગ છે. લગ્નની ભાવનાને નહિ પોષનારી વાર્તા કદાચ એક કાળે નિર્દોષ ગણાતી હોય, તોપણ આજે તે ત્યાજ્ય જ છે. આજે આપણે વિલાસ નથી જોઈતો, ભોગ નથી જોઈતા, તેથી બ્રહ્મચર્યવિઘાતક વાર્તાઓના પક્ષમાં આપણે ન ઊભા રહીએ. બાળલગ્નની બદીથી આપણે ખૂબ થાકી ગયા છીએ એટલે બાળલગ્નમાં આનંદ માનનારી વાર્તાઓ બાળકોના કાનથી દૂર રાખીએ. આજે આપણે ઉત્તમ બ્રહ્મચર્યના બળથી<noinclude></noinclude> sr3asqpxn65x148olw1xmhcmgafgv0s પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૬ 104 67195 216125 206099 2025-07-04T00:40:53Z Snehrashmi 2103 /* Proofread */ 216125 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૨૮||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>શરીર, મન અને આત્માના ચાલ્યા ગયેલા બળને પાછું મેળવવા ઈચ્છીએ છીએ તો લગ્નજીવન, પરિણીત જીવન અને વરવહુના જીવનની વાતોથી બાળકોને અલગ રાખીએ. એવી જ રીતે આપણે ઠગાઈની વાતોને ધૂતકારી કાઢીએ. એક વખત ઠગાઈ બહાદુરી ગણાતી; એક વખત શિરજોરીથી લૂંટ કરવી (બહારવટું) એ બહાદુરી ગણાતી. આજનું આપણું માનસ ઠગાઈને બદલે નિર્બળતા માગે છે, બહારવટાને બદલે સુસંપ માગે છે; આ કારણથી આવી વાર્તાઓને આજે સ્થાન નથી. જો આપણું મન લડાઈઓથી કંટાળ્યું હોય તો લડાઈમાં હજારોનાં માથાં કાપીને જે બહાદુરોએ થોડીએક મામૂલી જમીનનો ટૂકડો હસ્તગત કર્યો હોય તેની વાતને અનીતિની વાર્તાઓની યાદીમાં મૂકી દઈએ. જો આપણે નીડરતાનો ગુણ કેળવવા માગતા હોઈએ અને ભયથી ન ડરતાં તેની સામે ઊભા રહેવા જેટલું વીર્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતા હોઈએ, તો ડરપોક વાણિયાની યુક્તિપ્રયુક્તિથી ભરેલી પ્રપંચપૂર્ણ વાતોય આપણે અનીતિની વાતોની હારમાં મૂકીએ. જો આપણે બૉલ્શેવિઝમ કે સોશિઍલિઝમના મતવાદી હોઈએ અને કોઈ પણ જાતની જરૂરિયાત કરતાં વધારે મિલકત રાખવામાં સામાજિક અત્યાચાર અને નૈતિક પાપ ગણતા હોઈએ તો આપણે મોટા રાજાઓની ધનદોલતનાં વખાણ ભરેલી કે કોઈ ધનાઢ્યની સંપત્તિની અઢળકતાની વાતોને પણ અનીતિની વાર્તાના ખાનામાં ખોસી મૂકીએ. કેવી વાતને અનીતિની ગણવી ને કેવીને ન ગણીવી એ વિચાર ઉપર વાર્તાનું નીતિપણું કે અનીતિપણું અવલંબે છે. પણ આજે આપણને જે અનિષ્ટ લાગે તે છોડી દઈએ તેમાં થોડીઘણી સલામતી રહેલી છે. છતાં આપણે જ નીતિ કે અનીતિનો નિર્ણય કરીએ એ એક ધૃષ્ટતા તો છે જ. બાળકોને<noinclude></noinclude> 0um3i84b4btbenhi677uwvsgztsp0b5 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૭ 104 67196 216126 206100 2025-07-04T00:43:10Z Snehrashmi 2103 /* Proofread */ 216126 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૨૯}}'''</noinclude>માટે નીતિઅનીતિનું ધોરણ બાંધીને તેમને માથે લાદવું એ એક અત્યાચાર જ છે. આટલા જ માટે વાર્તાની પસંદગી સંબંધે વિચાર કરતાં આપણે બાળકની દૃષ્ટિને પૂરતો અવકાશ આપવાનો છે. એની સાથે જ આપણે દૃઢ આગ્રહ રાખવાનો છે કે આપણે કોઈ પણ વાર્તા દ્વારા નીતિ ઠસાવવાનો મમત રાખવાનો નથી; એટલું જ નહિ પણ આપણે બાળકોના વિચારો ઘડવાનો ઈજારો આપણા હાથમાં રાખવાનો નથી. આપણે આપણી મતિ અનુસાર સારું લાગે તે બાળક પાસે ધરીને બેસવાનું છે. આપણે પસંદગી કરવાની નથી; બાળકને પોતાને પસંદગી કરી લેવા દેવાની છે. વાર્તા કહેનારને શિર બાળકને ઘડવાની જવાબદારી નથી. એ જવાબદારી નીતિશિક્ષણશાસ્ત્રી ભલે લે અને તેનાં કટુ ફળ ચાખે. વાર્તા કહેનારનું કામ તો બાળકને વાર્તા કહેવાનું છે; પોતે ઘણા જ ઉદાર ચિત્તથી વાર્તાઓ સુંદર ગણે તે વાર્તાઓ તેણે કહેવાની છે. પછી બાળકનું શું થાય છે, તે તેણે દૂરથી જોવાનું અને આનંદ લેવાનો છે. {{gap}}અનીતિ ભરેલી વાર્તાઓને રજા આપ્યા પછી નીતિ ભરેલી, નીતિના ગુણ ગાતી, નીતિના શિક્ષણ માટે જ ખાસ યોજાયેલી એવી વાર્તાઓનું શું કરવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ સંબંધે ‘વાર્તાનું કથન અને નીતિશિક્ષણ’ વાળા લખાણમાં વિસ્તારથી લખવામાં આવ્યું છે. જે વાર્તાઓ ખાસ કરીને નીતિશિક્ષણ આપવા માટે કહેવામાં આવે છે તથા જે વાર્તાઓ નીતિનાં વસ્ત્રોથી સર્વાંગે વીંટળાયેલી હોય છે, તે વાર્તાઓના કથનથી એવી વાર્તાઓના પોતાના જ ઉદ્દેશને એટલે નીતિશિક્ષણને પૂરેપૂરો ધક્કો લાગે છે. નીતિની વાર્તાઓ ઘણી વાર એટલી બધી અસ્વાભાવિક અને એટલી તો અતિશયોક્તિ ભરેલી હોય છે કે<noinclude></noinclude> tigfk2tx0zrln57nu7hkgso8nqd7zzw પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૮ 104 67197 216127 206101 2025-07-04T00:45:21Z Snehrashmi 2103 /* Proofread */ 216127 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૩૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>તેની અસ્વાભાવિકતા અને અતિશયોક્તિને લીધે જ માણસને તેના ઉપર કંટાળો આવે છે. પરીઓની વાર્તા બનાવનારાઓમાં જે સ્વાભાવિક લાગણી, સહાનુભૂતિ, ન્યાયબુદ્ધિ અને સમતોલપણું વગેરે હોય છે તે નીતિની વાર્તાઓ બનાવનારાઓમાં જોવામાં આવતાં નથી. નીતિની ઘણી ઘણી વાર્તાઓ માનસશાસ્ત્રનું ભયંકર અજ્ઞાન બતાવે છે. નીતિની કેટલીએક વાર્તાઓ બાળસ્વભાવના જ્ઞાનનો અંધકાર જણાવે છે. કેટલીએક વાર્તાઓ મનુષ્યના સદ્‌સ્વભાવમાં કેવળ અશ્રદ્ધા રાખનારી છે, તો કેટલીએક વાર્તાઓમાં કાર્યકારણના સંબંધનો કેવળ અભાવ હોય છે. નીતિ આપવા માટે નીતિશિક્ષણશાસ્ત્રીઓને ઘણી વાર બહુ વિચિત્રતા ભરેલી અને હાસ્ય સાથે ઘૃણા ઉત્પન્ન કરે તેવી વાર્તાઓ યોજી કાઢવી પડે છે. {{gap}}‘એક અડપલો છોકરો જીવો જેનું નામ’ વાળી કવિતામાં નીતિની વાર્તા છે. છોકરાંનો સ્વભાવ જ પૃચ્છક અને શોધક છે. એ સ્વભાવને બાળક અનુસરે છે ત્યારે તેને નીતિનાં પંડિતો અડપલાં કહે છે. એટલી બાળસ્વભાવના અજ્ઞાનની ભૂલ તો કદાચ માફ કરીએ. પણ ડોસાની ડાબલીમાં શું હશે તે જાણવા માટે, એટલે કે અંદર રહેલ વસ્તુનો ભેદ કળવા માટે, જ્યારે જીવો ડાબલીનું ઢાંકણું ઉઘાડે છે અને તેમાંથી બિચારાની આંખમાં તપખીર ઊડે છે, ત્યારે તે ઊગતી આશાના અને કોમળ બાળકના દુઃખ તરફ સહાનુભૂતિ દર્શાવવાને બદલે કર્કશ નીતિકાર એમ જ કહે કે “ઠીક જ થયું ! એવા અડપલા છોકરાના તો એવા જ હાલ થવા જોઈએ.” ત્યારે તો આપણને નીતિની વાર્તા ઉપર છેક તિરસ્કાર જ છૂટે. બાળકની, પોતાની નાક ઉપર ચશ્માં ચડાવી ફરવાની ગમ્મત જોવા જે ભાગ્યશાળી થયા હોય છે તે જ આ<noinclude></noinclude> rdrxf86z1dwsw7bqo716eiwttrh0sje પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૪૯ 104 67198 216128 206102 2025-07-04T00:46:14Z Snehrashmi 2103 216128 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૩૧}}'''</noinclude>સમજી શકે છે. જીવો બિચારો બાપાજીથી બીતો બીતો છાનોમાનો જરા નાકે ચશ્મા ચડાવી નિર્દોષ ગમ્મત લેવા જાય છે ત્યાં તો દયાહીન, લાગણીશૂન્ય નીતિમીમાંસક તેની મજા તો ક્યાંથી લે, પણ તેનું હડહડતું અપમાન કરી, ‘એ તો એ જ લાગનો છે’ એમ કહી તેના ઉપર છેડાઈ પડે છે ! {{gap}}પોતાની આસપાસની ચમત્કારભરી દુનિયાને જોવાને, તેમાં ફરવાને, તેની મજા લેવાને જ્યારે માખીના નાના બચ્ચાને સ્વાભાવિક મરજી થાય છે ત્યારે તેની મા તેને ડાહ્યાં ડાહ્યાં વાકયો કહી સમજાવે છે : 'જો બાપુ ! પણે ઉનામણો ઊકળે છે ત્યાં ન જઈશ, નહિ તો મરી જઈશ.'' પણ આ શિખામણ પેલા નવચેતન આગળ કેટલી વાર ટકી શકે ? મા ફરવા જાય ત્યારે પાછળથી બચ્ચું નવા પ્રયોગ કરવા નવી દુનિયામાં નીકળી પડે એમાં અનીતિભર્યું કે અસાધારણ કશું જ નથી. બચ્ચાની વૃત્તિ માની આજ્ઞાનો અનાદર કરવાની નથી, પણ માની આજ્ઞા કરતાં તેની સહજ વૃત્તિ તેને વધારે ખેંચે છે. બચ્ચું ઊડતું ઊડતું ઉનામણા પાસે આવે છે ને એ બિચારું પેલી ધગધગતી વરાળમાં પડીને રામશરણને પામે છે. કોઈને નાજુક નવલા બચ્ચાની દયા નથી આવતી; કોઈને એમ નથી થતું કે 'અરેરે ! એ બિચારું આ દુનિયાનો નવો પરિમલ લે છે ત્યાં તો કુદરતના ક્રૂર કાનૂનથી લુપ્ત થઈ ગયું !’’ પણ નીતિશિક્ષણના ઘમંડમાં માણસ લાગણીશૂન્ય થઈ ગયો છે; તે તો મરનાર બચ્ચાની કબર ઉ૫૨ શોકાશ્રુ સારવાને બદલે ''માને નહિ માબાપનું, તેના તો આ હાલ’’ એવી ક્રૂર લીટી તેની કબર ઉપર કાળા હાથે લખે છે. જે બચ્ચાંઓ કે માખીઓ માબાપનું નથી માનતાં તે બધાં શું આ પ્રમાણે મરે છે ? અથવા આવી હવામાં ચૂકથી ઊડવા આવતા મરી જતી<noinclude></noinclude> cl691fcz2lfip8cjsqekvz3sj5smiqk 216129 216128 2025-07-04T01:00:00Z Snehrashmi 2103 /* Proofread */ 216129 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૩૧}}'''</noinclude>સમજી શકે છે. જીવો બિચારો બાપાજીથી બીતો બીતો છાનોમાનો જરા નાકે ચશ્મા ચડાવી નિર્દોષ ગમ્મત લેવા જાય છે ત્યાં તો દયાહીન, લાગણીશૂન્ય નીતિમીમાંસક તેની મજા તો ક્યાંથી લે, પણ તેનું હડહડતું અપમાન કરી, ‘એ તો એ જ લાગનો છે’ એમ કહી તેના ઉપર છેડાઈ પડે છે ! {{gap}}પોતાની આસપાસની ચમત્કારભરી દુનિયાને જોવાને, તેમાં ફરવાને, તેની મજા લેવાને જ્યારે માખીના નાના બચ્ચાને સ્વાભાવિક મરજી થાય છે ત્યારે તેની મા તેને ડાહ્યાં ડાહ્યાં વાક્યો કહી સમજાવે છે : “જો બાપુ ! પણે ઉનામણો ઊકળે છે ત્યાં ન જઈશ, નહિ તો મરી જઈશ.” પણ આ શિખામણ પેલા નવચેતન આગળ કેટલી વાર ટકી શકે ? મા ફરવા જાય ત્યારે પાછળથી બચ્ચું નવા પ્રયોગ કરવા નવી દુનિયામાં નીકળી પડે એમાં અનીતિભર્યું કે અસાધારણ કશું જ નથી. બચ્ચાની વૃત્તિ માની આજ્ઞાનો અનાદર કરવાની નથી, પણ માની આજ્ઞા કરતાં તેની સહજ વૃત્તિ તેને વધારે ખેંચે છે. બચ્ચું ઊડતું ઊડતું ઉનામણા પાસે આવે છે ને એ બિચારું પેલી ધગધગતી વરાળમાં પડીને રામશરણને પામે છે. કોઈને નાજુક નવલા બચ્ચાની દયા નથી આવતી; કોઈને એમ નથી થતું કે “અરેરે ! એ બિચારું આ દુનિયાનો નવો પરિમલ લે છે ત્યાં તો કુદરતના ક્રૂર કાનૂનથી લુપ્ત થઈ ગયું !” પણ નીતિશિક્ષણના ઘમંડમાં માણસ લાગણીશૂન્ય થઈ ગયો છે; તે તો મરનાર બચ્ચાની કબર ઉપર શોકાશ્રુ સારવાને બદલે “માને નહિ માબાપનું, તેના તો આ હાલ” એવી ક્રૂર લીટી તેની કબર ઉપર કાળા હાથે લખે છે. જે બચ્ચાંઓ કે માખીઓ માબાપનું નથી માનતાં તે બધાં શું આ પ્રમાણે મરે છે ? અથવા આવી હવામાં ચૂકથી ઊડવા આવતા મરી જતી<noinclude></noinclude> 9w6c9i4s8xp70i6tffq2z2nd6zlcolo પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૦ 104 67199 216130 206103 2025-07-04T01:01:49Z Snehrashmi 2103 /* Proofread */ 216130 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૩૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>માખીઓ શું માબાપનું કહ્યું નહિ માનતી હોય માટે મરી જતી હશે ? ખરી રીતે તો બચ્ચું વરાળના સખ્ત કાનૂનથી અને પોતાના એ શક્તિથી બચી જવાના અજ્ઞાનથી મરે છે. મા ના પાડે અને બચ્ચું મરી જાય તેમાં માની આજ્ઞાનો ભંગ અને મરણને કશી લેવાદેવા નથી; એ અનુસંધાન અનુચિત છે એ દેખીતું છે. {{gap}}માખીના બચ્ચા જેવાં બાળકોને કે ‘વાડામાંથી પાડું એક, છૂટું થઈને નાઠું છેક’ - વાળી કવિતાના પાડા જેવાં બાળકોને આપણે ઉદ્ધત બાળકો કહીએ છીએ. ખરી હકીકત તો એમ છે કે આવાં ઉદ્ધત દેખાતાં બાળકો જ કંઈક બળવાન છે, કે જેઓ માબાપની સમજણ વિનાની આજ્ઞાને ઉથલાવી આજે ચાલતી નૈતિક શિક્ષણની પ્રણાલિકામાં કેટલી ભૂલ છે અને એ કેટલી બધી નિરર્થક છે એ બતાવે છે. ડૉ. મોન્ટીસોરી 'The Survey of Modern Education' નામના શિક્ષણને લગતા વિચારો દર્શાવતાં લખે છે: {{gap}}'True, rebellious children occasionally demonstrate the futility of such teachings (moral teachings). In those cases a good instructor chooses appropriate stories showing the baseness of such ingratitude, the dangers of disobedience, the ugliness of bad temper, to accentuate the defects of the pupil. It would be just as edifying to discourse to a blind man on the dangers of blindness, and to a cripple on the difficulties of walking. The same thing happens in material matters; a musicmaster says to a beginner. 'Hold your fingers properly;<noinclude></noinclude> 9es1yevsqg10fazvo5lk36pycg16q49 પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૫૧ 104 67200 216131 206104 2025-07-04T01:04:55Z Snehrashmi 2103 /* Proofread */ 216131 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાની પસંદગી||૩૩}}'''</noinclude>if you do not, you will never be able to play.' A mother will say to a son condemned to sit bent double all day on school benches, and obliged by the usages of society to study continually : 'Hold yourself gracefully; do not be so awkward in company; you make me fell ashamed of you.' {{gap}}"If the child were one day to exclaim : 'But it is you who prevent me from developing will and character; when I seem naughty, it is because I am trying to save myself; how can I help being awkward when I am sacrificed ?' To many this would be a revelation; to many others merely a 'want of respect.' {{gap}}આ યુગ નજીકના ભવિષ્યમાં બાળકો અને માબાપો માટે ચાલ્યો આવે છે. {{gap}}બાળકમાં ખરાબ સ્વભાવ હોય છે તેમાં બાળક જવાબદાર નથી. એ સ્વભાવનું કારણ આપણે જ છીએ. એ સ્વભાવ આપણે આપણા સ્વભાવથી અથવા બાળક ઉપર નીતિના આચારોના દબાણ દ્વારા અથવા બાળકના લઈ લીધેલા સ્વાતંત્ર્યના ફળરૂપે એને ભેટ કરેલો છે. છતાં એવા સ્વભાવને દૂર કરવા માટે ઉપદેશ ભરેલી વાર્તાઓ વાપરવાનું અને તે વડે સ્વભાવ સુધારવાનું સાહસ થતું જોઈ હસવું આવે છે. {{gap}}સ્વ. પઢીઆરકૃત બાળકોની વાતોમાં ‘રોતીસૂરત છોકરી’ ની વાત આ પ્રમાણે છે :– {{center|'''રોતીસૂરત છોકરી'''}} {{gap}}વહાલી નામે છ વરસની એક છોકરી હતી. તે વાત વાતમાં રોયા કરતી. કોઈ બાળક તેને રમવા તેડી જવા સારુ તેનો હાથ<noinclude></noinclude> 5kkdcczkwbw6vuh5hfyxvq1fvf4ggpq