વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.45.0-wmf.9
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૧
104
67250
216268
216258
2025-07-08T16:39:24Z
Amvaishnav
156
/* Validated */
216268
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૮૩}}'''</noinclude>{{gap}}સોનબાઈ તો રોજ હિંડોળે બેસે ને ઢીંગલેપોતિયે રમે.
રમતાં રમતાં પોતિયું હેઠે પડી જાય તો સોનબાઈ પોતિયું લેવા હેઠે
ન ઊતરે પણ ભાભીને કહે : “ભાભી, ભાભી ! મારું પોતિયું
આપોને”
{{gap}}ભાભી પોતિયું આપે એટલે સોનબાઈ પાછાં રમવા માંડે.
ભાભી મનમાં ખૂબ ખિજાય પણ કરે શું ? માબાપ આડે કેમ
બોલાય ? સોનબાઈ તો રહ્યાં માબાપનાં માનીતાં.
{{gap}}એકવાર સોનબાઈનાં માબાપ જાત્રાએ ચાલ્યાં; એની સાથે
એના છ ભાઈઓ અને ભોજાઈઓ પણ ચાલી. જતાં જતાં
સોનબાઈની માએ નાના ભાઈને કીધું : “ભાઈ, ભાઈ ! આપણી
સોનબાઈને જીવની ઘોડે સાચવજે.” ભાઈ કહે : “હો, બા ! એમાં
તે કહેવાનું હોય ? સોનબાઈને તો હું મારા જીવ જેમ જાળવીશ.
તમે તમારે સુખેથી જાત્રા કરી આવો. તમારે સોનબાઈના ઉચાટ
જરા યે ન કરવા.”
{{gap}}સોનબાઈનાં માબાપ તો જાત્રાએ ગયાં.
{{gap}}સોનબાઈ તો હિંડોળે બેસીને ઢગિલેપોતિયે રમે છે. ત્યાં
એનું પોતિયું હેઠે પડી ગયું.
{{gap}}સોનબાઈ ભાભીને કહે : “ભાભી, ભાભી ! મારું પોતિયું
લાવોને ?”
{{gap}}ભાભી કહે : “લેને તારી મેળાએ ! તારા હાથ ભાંગી ગયા
છે ? હું તે શાની આપું ?”
{{gap}}સોનબાઈને રોવું આવી ગયું.
{{gap}}સોનબાઈ તો જ્યાં હેઠે ઊતરી પોતિયું લેવા જાય ત્યાં
ભાભી હિંડોળે બેસી ગઈ ને સોનબાઈને કહે : “એમ ખાવાબાવા
નહિ મળે; હવે તો કામ કરવું પડશે. જા, આ બેડું લઈને પાણી<noinclude></noinclude>
sg7ex3zgxx07ca6k63uoie2awm59mvr
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૨
104
67251
216269
216259
2025-07-08T16:40:17Z
Amvaishnav
156
/* Validated */
216269
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૮૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>ભરવા. આ પાણિયારું આખું ભરી દે, પછી ખાવા માગજે. જોજે
જરા ય ઊણું રહેશે તો તારી વાત તું જાણી !”
{{gap}}સોનબાઈએ કોઈ દી પાણી ભરેલું નહિ. એણે તો બેડું માથે
મૂક્યું, નદીએ ગઈ. પાણી ભર્યું ને બેડું માથે મૂકી રસ્તામાં
બેડામાંથી પાણી ઢોળાતું જાય, સોનબાઈનાં લૂગડાં પલળતાં જાય
ને સોનબાઈની આંખમાંથી ડળક ડળક આંસું ખરતાં જાય.
{{gap}}થાક ખાતી ખાતી માંડ માંડ સોનબાઈ ઘેર આવી.
{{gap}}સોનબાઈ રોતી રોતી સાંકળ ખખડાવીને બોલી : “ભાભી,
ભાભી ! બારણાં ઉઘાડોને ?” ભાભી કહે : “આવી કે રાંડ !
આટલી બધી વાર ક્યાં થઈ ? જો, રેડ તારા બેડાને પેલા મોટા
ગોળામાં. જોજે, ગોળો ફોડતી નહિ.”
{{gap}}સોનબાઈએ તો ગોળામાં પાણી રેડ્યું.
{{gap}}ત્યાં તો ભાભી કહે : “લે, ઊભી રહી કાં ? જા પાછી
નદીએ આખું પાણિયારું ભર્યા પછી હેઠી બેસજે.”
{{gap}}સોનબાઈ તો રોતી રોતી નદીએ ચાલી.
{{gap}}સોનબાઈ નદીએ ગઈ એટલે પાછળથી ભાભીએ ગોળાને
પથરો મારીને કાણો કર્યો એટલે એમાંથી બધું ય પાણી ચાલ્યું ગયું.
{{gap}}સોનબાઈ તો માંડ માંડ બીજું બેડું ભરીને આવી, ને જ્યાં
ગોળામાં પાણી રેડવા જાય ત્યાં ગોળામાં પાણીનું એકે ય ટીપું ન
મળે !
{{gap}}સોનબાઈ તો વિચારમાં પડી ગઈ.
{{gap}}ત્યાં તો ભાભી ભભકી : લે ! ઊભી ઊભી જો છો શું ?
એમ કાંઈ એકબે બેડે તે ગોળો ભરવાનો હતો કે ? એ ગોળો તો
વીશ બેડાંનો છે, વીશ ! એમ ઊભાં રહ્ય પાર નહિ આવે.”
{{gap}}સોનબાઈ તો રોતી રોતી વળી નદીએ ચાલી.
{{nop}}<noinclude></noinclude>
jewign12ynaf8zvgxmlnu1uvsccghsy
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૩
104
67252
216270
216262
2025-07-08T16:41:45Z
Amvaishnav
156
/* Validated */
216270
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૮૫}}'''</noinclude>{{gap}}વળી પાછું બેડું લાવીને ગોળામાં નાખ્યું; પણ ગોળો
ભરાણો નહિ.
{{gap}}સોનબાઈને ખબર પડી કે ગોળો તો ભાભીએ ફોડી નાખ્યો
છે. પાછી એ તો નદીએ ચાલી. નદીએ જઈને ધ્રુશકે ધ્રુશકે રોવા
મંડી. ત્યાં એક દેડકો આવ્યો. દેડકો કહે : “બેન, બેન ! રડે છે
શું કામ ? તારે તે શું દુઃખ છે ? તારું જે દુઃખ હોય તે કાપું.
એકવાર રોતી છાની રહે.”
{{gap}}સોનબાઈ કહે : “બાપુ ! મારાં માબાપ જાત્રાએ ગયાં છે;
મારો ભાઈ દુકાને ગયો છે ને મારી ભાભી મારી આગળ પાણી
ભરાવે છે. ભાભી કહે છે કે ગોળો ભરી દે તો પાણી આપું.
ગોળો તો એણે પથરો મારી કાણો કર્યો છે. એમાં પાણી નાખું છું
એમ એમ એ તો નીકળી જાય છે. હવે મારે તે શું કરવું ? હું તે
કેટલાં બેડાં ભરું ?”
{{gap}}દેડકો કહે : “રો મા બાપુ ! લે હું તારી સાથે આવું ગોળાના
કાણામાં બેસી જઈશ એટલે ગોળામાંથી પાણી નહિ જાય.”
{{gap}}સોનબાઈ તો ખુશીખુશી થઈ ગઈ. પછી દેડકો સોનબાઈના
બેડામાં બેસીને સોનબાઈને ઘેર ગયો.
{{gap}}વળી એક બીજું દૃષ્ટાંત લઈએ.
{{સ-મ||✽|}}
{{સ-મ||'''ટીડો જોષી<sup>★</sup><ref>*‘વસંત’ના સંવત ૧૯૭૫ના માર્ગશીર્ષના અંકમાંથી ઉતારો.</ref>'''|}}
{{સ-મ||(વાંચવા યોગ્ય વાર્તાનો નમૂનો)|}}
{{gap}}એક બ્રાહ્મણને એકનો એક પુત્ર હતો. ખોટ્યનું જણ્યું એટલે એનું નામ ટીડો પાડ્યું હતું; જમણું નસકોરું વિંંધાવ્યું હતું;<noinclude><hr>
{{reflist}}</noinclude>
pcp8x0an10hkual6mcxzilxl3o9foh2
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૪
104
67253
216271
216263
2025-07-08T16:42:55Z
Amvaishnav
156
/* Validated */
216271
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૮૬||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>હાથે વળિયાં અને પગે તોડાકડલી તથા તે ઉપર બેડી નકોર
સોનાનાં પેરાવતાં. કાલ્ય પ્રાતઃકાળે શું થાય એનો વિશ્વાસ નહિ
એવું વિચારીને પિતાએ ટીડો બાળક હતો ત્યાં જ એને સારે ઘેર
પરણાવીને લાવો લઈ લીધો; અને બન્યું પણ એમજ કે કુલવધૂનાં
કુંકુમ પગલા ઘરમાં નહોતાં થયા ત્યાં તો વૃદ્ધ બ્રાહ્મણે દેહત્યાગ
કર્યો. પિતાની વર્ષી વાળ્યા પછી માતાયે ટીડાને, વહુનું આણું
વાળવા સાસરે જાવા આજ્ઞા કરી. ટીડો સાબદો થયો, અને
દિશાશૂળ, વારશૂળ, યોગિની ઈ.ઈ. વિઘ્ન ન કરે એવી તિથિયે
ખાંધે ખડિયો નાખીને પ્રયાણ કર્યું. માતાએ પુત્રને લલાટે ચાંદલો
કર્યો, દુઃખડાં લીધાં, સાવધાન રેવાનો બોધ કર્યો અને હાથમાં
કોરી આપીને કહ્યું કે, ‘ભૂખ્યો થા એટલે આ કોરી ભાંગીને
ખાજે.’ શકુન સારાં થયાં; કુમારિકા અને ગાયમાતા સામાં મળ્યાં,
અને ટીડાની સફળ યાત્રા વિષયે માતાના મનમાં જરાતરા સંદેહ
હતો તે ભાંગ્યો. ટીડાને હાલતાં હાલતાં મધ્યાહ્ન થયો અને
વીસામો ખાવાનું મન થયું. ત્યાં એક મોટી વાવ્ય આવી. વાવ્ય
પાસે એક પ્રચંડ વડ હતો, તેના થડને ફરતો ઓટલો બાંધેલ હતો.
વિશાળ છાયા નીચે વણજારાની પોઠ્ય પોરો ખાતી હતી. તેઓયે
ટીડાને નોતર્યો. ટીડો ત્યાં રોકાણો, અને જઠરવાસી અગ્નિદેવતાને
સંતોષવા ધારે છે ત્યાં માતાના છેલ્લા શબ્દ સ્મરણમાં આવ્યા.
ગૂંજામાંથી કોરી કાઢી, કાળમીન પાણકો ગોત્યો ને શિલા ઉપર
કોરી ભાંગવા બેઠો. વણજારા વિસ્મય પામતા પૂછે છે કે ‘આ તે
તેં શું આદર્યુ ?’ ટીડો કહે, ‘મારી માયે કહ્યું છે કે ક્ષુધા લાગે એટલે
કોરી ભાંગીને ખાજે.’ વણજારાએ ઉત્તર દીધો, ‘તારી માયે તો
ઠીક કહ્યું પણ તું સમજ્યો નહિ. કોરી ભાંગીને ખાવી એટલે
કોરીની કાંઈ વસત લઈને ખાવી. કોરી તારા પાસે ભલે રહી,<noinclude></noinclude>
jwpe9h0m8e0uuxxrnsbjg3cabm9t1m0
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૫
104
67254
216272
216264
2025-07-08T16:44:23Z
Amvaishnav
156
/* Validated */
216272
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૮૭}}'''</noinclude>અમે તને કેરી આપીએ તે ખાઈ લે,’ આમ કહીને પોઠ્યમાંથી કેરી
કાઢીને દીધી ને ટીડો ઊભો ઊભો અને ગોટલાં છોતરાં સહિત
સ્વાહા કરી ગયો. ટાઢો ઢળ્યો એટલે વણજારાને પ્રણામ કરીને
પાછું ચાલવા માંડ્યું તે દિવસ આથમ્યે સાસરાને ગામ પહોંચ્યો.
{{gap}}રાત્રિ વેળાએ છતા થાવાનું યોગ્ય ન લાગ્યું એટલે છાનોમાનો
ઓસરીમાં ઘરીને કોઠી વાંસે લપાઈ રહ્યો. અર્ધી રાત્રે જળે થંભ્યાં
તે પછી ઘરચર્યા જોવા નીસર્યો. સાસરો ઓસરીમાં સૂતો હતો
તેના ખાટલા નીચે ખાંડણિયો હતો; ત્યાં {{SIC|યહેલું|પહેલું}} ધ્યાન ગયું.
ખાંડણિયામાં તેજ દિવસે સાસુયે ફરતા નાગ માટે તલવટ ખાંડ્યો
હતો, અને તલ તથા ગોળની કણી ચારે પાસ ચોંટી હતી.
ખાંડણિયાનું મોં પગતું હતું તેમાં માથું નાખીને ટીડો જીભના
સપાટા મારી રસાળ પત્થરને ચાટવા માંડ્યો. સસરો જાગી ઊઠ્યો
ને સાસૂને જગાડીને દિવો કરવા કહ્યું. ટીડો ભાગવા સારુ
ખાંડણિયામાં માથું કાઢવા જાય છે ત્યાં તો સલવાઈ રહ્યું ને કેમે
કરીને નીકળ્યું નહિ. ભગીરથ જેટલો શ્રમ કર્યો. પરમેશ્વરે લાજ
રાખી. માથું નીકળ્યું ને સાસુ દીવો પ્રકટે તે પેલાં ફળિયામાં વહ્યો
ગયો ને લાગ આવ્યો એટલે ડેલી ઉઘાડીને બહાર પલાયન કર્યું.
રાત્ય બહાર ગામ પીંપળા ઉપર ગાળી ને સવારે સાસરે ગયો.
સસરો ગામમાં લોટ ભીખવા નીકળેલ ને સાસુ રોટલા ઘડતી
રાંધણિયામાં બેઠેલ. રસોડાની જાળી ઉપર ચડીને ટીડો બિરાજમાન
થયો, અને ત્યાં બેઠાં બેઠાં રોટલાના ટપાકા ગણ્યા. પછી ઘરમાં
ગયો. સાસુયે જમાઈને આવકાર દીધો. ખાટલી ઢાળી તે ઉપર
ચાકળો પાથરી દીધો, પાણી પાયું અને કુશળ સમાચાર પૂછ્યા.
વાતવાતમાં સાસુયે પૂછ્યું, ‘કેટલું ભણ્યા છો ?’ ટીડો કહે, ‘ચાર
વેદ ભણ્યો છું.’ સાસુ {{SIC|ચક્તિ|ચકિત}} થઈને કહે : ‘ઠીક તયેં કહો જોએ કે આજ મેં રોટલા કેટલા ઘડ્યા ? ટીડા જોષીયે સમયનો સદુપયોગ<noinclude></noinclude>
dlciznql625i2pwbbcvpq345rrloujs
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૬
104
67255
216273
216266
2025-07-08T16:45:29Z
Amvaishnav
156
/* Validated */
216273
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|૮૮||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>કરેલ એટલે આ પરીક્ષા એને ભારે ન પડી. ભુંગળીમાંથી ટીપણું
કાઢી ઉકેલી માથું ખંજોળી તે બોલ્યો, ‘પાટી, વતરણું અને જિંકી
લઈ આવો એટલે હું ગણિત કરીને કહું.’ સાસુયે પાટી આણી તે
ઉપર વીશ લીટા કર્યા ને કહ્યું કે ‘તમે આટલા રોટલા ઘડ્યા.’
સાસુનું સાનંદાશ્રર્ય {{SIC|માર્યું|માયું}} નહિ, જમાઈનાં બધે બેમોહડે ગુણગાન
કર્યાં. ટીડા જોષીની કીર્તિ સર્વત્ર પ્રસરી ગઈ.
{{gap}}એવામાં પડખે કોઈ કણબીનો ઢાંઢો ખોવાણો હતો એની
પટલાણી ટીડા પાસે જોષ જોવડાવવા આવી. ટીડો મૂંઝાણો પણ
વિહ્વલતા બીજાંને કળાવા ન દીધી, સ્વસ્થતાનો આડંબર રાખ્યો
ને વેઢા ઉપર સિંહ કન્યાને રમાડી કરીને બોલ્યો, “હવણા ચોઘડિયું
બરાબર છે નહિ, ને મુહૂર્તનો અવયોગ છે, એટલે કાલ્ય સવારે
આવજો ને પ્રશ્નનું ઉત્તર લઈ જજો.” લપાટ મારીને મોઢું રાતું
તો રાખ્યું પણ આખી રાત્ય નિદ્રા ન આવી. વેલો ઉઠીને નદીયે
નાવો ગયો. વિચારમાં ને વિચારમાં ગામ પાસે આરો હતો તે
મેલીને બીજે આરે જઈ ચડ્યો અને શૂન્ય ચિત્તે આમતેમ દૃષ્ટિ
ફેરવી ત્યાં તો કીચડ અને કીચડમાં ખુતી ગયેલ બળદ જોયો.
ગ્લાનિ તત્કાળ દૂર થઈ અને નિત્યકર્મ કરી પ્રફુલ્લવદને ગામમાં
આવ્યો. પટલાણી તો સાસરે માર્ગપ્રતીક્ષા કરતી જ બેઠી હતી તેને
કહ્યું કે, ‘તમારો ઢાંઢો ઉપરવાસ્ય આરા પાસે કાદવમાં ખુતી ગયો
છે તે જઈને લઈ આવો.’ જોષીને પ્રતાપે બળદ પાછો આવ્યો
સમજી પટલાણી રાજી થઈને ટીડાની વહુને કાપડું તથા આંટીવીંટી
આપી ગઈ.
{{gap}}ટીડો જોષી ભાગ્યને બળે બે વાર વિપત્તિ તરી ગયો હતો
પણ મન તો આકુળ વ્યાકુળ જ હતું. રખે ને વળી કોઈ પ્રશ્ન
કરે તો ભુંડા ભોગ થાય એ વાત ચિત્તમાં રમતી હતી. નિત્ય ઉઠીને
જાવાનું કરે અને સાસરિયાં આગ્રહ કરીને રોકે. એવામાં એક<noinclude></noinclude>
48vbifonnou13fq596rdb4jzpw0c4y9
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૭
104
67256
216274
216267
2025-07-08T16:46:42Z
Amvaishnav
156
/* Validated */
216274
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૮૯}}'''</noinclude>દિવસ રાજકુમારીનો હાર ગયો અને ટીડા જોષીને રાજ્યમાંથી તેડું
આવ્યું. ટીડાનો તો શ્વાસ જ ઉડી ગયો, અને રાજાના કિંકર એને
યમદૂત જેવા લાગ્યા, પણ હવે કાંઈ ઉપાય નહોતો. કિંકર સંઘાતે
રાજા પાસે ગયો અને યથાપૂર્વ આવતી કાલ્યનું પગથિયું મૂકીને
ઘરે પાછો આવવાનું કરે છે ત્યાં તો રાજાએ એને પોતા સાથે
જમવા અને ત્યાં જ સુઈ રેવાનું નિમંત્રણ કર્યું. બત્રીસ જાતનાં
ભોજન અને તેત્રીસ જાતનાં શક-વિધવિધ પક્વાન્ન થાળમાં
ધર્યાં હતાં પણ ટીડાને કાંઈ ભાવ્યું નહિ. રાત્રિયે નિદ્રા તો શેની
જ આવે ? ‘નીદરડી આવ્ય ને, નીદરડી આવ્ય ને.’ એમ જાપ
કર્યો તે વ્યર્થ ગયો. પરંતુ બન્યું એમ કે હાર નીદરડી નામની
ગોલીયે ચોરેલ અને તે દાસી એટલામાં જ સુતી હતી. એણે
જોષીનો જાપ સાંભળ્યો. ને જોષી તો નિદ્રાનું આવાહન- આરાધન
કરતો હતો પણ દાસીયે ગભરાઈને જાણ્યું આ મને બોલાવે છે ને
મારો અપરાધ જાણી ગયા છે. ઝપાટાબંધ જોષી પાસે ગઈ, ને
કહ્યું, ‘મહારાજ, ક્ષમા કરો. હાર ઊગમણા બારના ઓરડામાં
ડામચિયાના ગોદડા વચ્ચે પડ્યો છે. પણ આ રંક દાસી ઉપર દયા
રાખજો ને નામ લેજો મા.’ ટીડો દાસીને નિર્ભય કરીને સૂઈ
રહ્યો. સવારે ઉઠીને, કોઈ દિવસ નહિ ને આજ ઊના પાણીયે
સ્નાન કર્યું ને સજ્જ થઈ રાજા પાસે જઈ એના પ્રશ્નનું સમાધાન
કર્યું. રાજા પ્રસન્ન થયો ને ટીડાની વહુને થાળ ભરીને કનકકુસુમનો
કરિયાવર કર્યો.
{{gap}}ટીડાનું ધૈર્ય હવે ખુટ્યું : સાસરે જઈ સાસરિયાંની તાણ્યનો
અનાદર કરી વહુને તૈયાર થાવા કહ્યું. પણ જેવો તે વિદાય થાવાનું
કહે છે ત્યાં વળી રાજાનું તેડું આવ્યું. ટીડો આવ્યો એટલે રાજાએ
એને બંધ મૂઠિ દેખાડી અને પૂછ્યું, ‘આમાં શું છે ?’ ટીડો
બોલ્યો :–
{{nop}}<noinclude></noinclude>
2d7uif81swqmrxrk0m5k1ympe2nz3ru
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૮
104
67257
216275
206161
2025-07-08T16:57:46Z
Amvaishnav
156
/* Proofread */
216275
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૯૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude><poem>{{મધ્ય ખંડ|'ગોખે બેઠાં ગણી પુરી,
'રણવગડામાંથી ગોતી કાઢયો ધોરી;
'નીદરડી નીદરડી કરતાં લાધ્યો હાર,
'મૂકો રાજા, ટીડાનો ખાર.'}}</poem>
{{gap}}ટીડાનો આશય એટલો જ હતો કે 'ત્રણ્ય વા૨ કેમ કરીને
છૂટ્યો છું તે મારું મન જાણે છે; હવે વિશેષ કષ્ટ ન આપો તો
મોટી કૃપા.' પણ દૈવયોગે રાજાએ ટીડું જ મૂઠિમાં ઝાલ્યું હતું
અને તે એમ સમજ્યો કે જોષી મને ટીડડું છોડી દેવા વીનવે છે.
એટલે વળી ટીડાને પોતાને ગળેથી એકાવળ હાર ઊતારીને
આપ્યો.
<poem>{{મધ્ય ખંડ|પછી ટીડો વહૂને તેડીને ઘેર આવ્યો, અને
ખાધું પીધું રાજ્ય કિધું,
વધ્યું એટલું કૂતરાને નાખ્યું;
ગોખલામાં ગોટી,
મારી વાર્તા મોટી;
લિંબડે આવ્યો કોર,
ને બીજી વાર્તા પોર.}}</poem>
{{સ-મ| |✽ | }}
{{સ-મ| |'''ટીડા જોશીની વાર્તા'''<sup>*<ref>બાળવાર્તા ભાગ ત્રીજો. પ્રકાશક:- શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર, ભાવનગર. </ref></sup> | }}
{{સ-મ| |(કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો) | }}
{{gap}}એક હતો જોશી. એને જોશ જોતાં ન આવડે પણ દંભમાં રળી ખાય. એક દિવસ તે એક ગામથી બીજે ગામ જવા નીકળ્યો.<noinclude><hr>
{{reflist}}</noinclude>
3919hpqjztj4s4mz35sliyhmm0bxl7l
216281
216275
2025-07-09T00:23:56Z
Snehrashmi
2103
/* Validated */
216281
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૯૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude><poem>{{gap}}‘ગોખે બેઠાં ગણી પુરી,
{{gap}}‘રણવગડામાંથી ગોતી કાઢયો ધોરી;
{{gap}}‘નીદરડી નીદરડી કરતાં લાધ્યો હાર,
{{gap}}‘મૂકો રાજા, ટીડાનો ખાર.’</poem>
{{gap}}ટીડાનો આશય એટલો જ હતો કે ‘ત્રણ્ય વાર કેમ કરીને
છૂટ્યો છું તે મારું મન જાણે છે; હવે વિશેષ કષ્ટ ન આપો તો
મોટી કૃપા.’ પણ દૈવયોગે રાજાએ ટીડું જ મૂઠિમાં ઝાલ્યું હતું
અને તે એમ સમજ્યો કે જોષી મને ટીડડું છોડી દેવા વીનવે છે.
એટલે વળી ટીડાને પોતાને ગળેથી એકાવળ હાર ઊતારીને
આપ્યો.
<poem>{{gap}}પછી ટીડો વહૂને તેડીને ઘેર આવ્યો, અને
{{gap}}ખાધું પીધું રાજ્ય કિધું,
{{gap}}વધ્યું એટલું કૂતરાને નાખ્યું;
{{gap}}ગોખલામાં ગોટી,
{{gap}}મારી વાર્તા મોટી;
{{gap}}લિંબડે આવ્યો કોર,
{{gap}}ને બીજી વાર્તા પોર.}}</poem>
{{સ-મ||✽|}}
{{સ-મ||'''ટીડા જોશીની વાર્તા'''<sup>*<ref>બાળવાર્તા ભાગ ત્રીજો. પ્રકાશક:– શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર, ભાવનગર.</ref></sup> | }}
{{સ-મ||(કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો)|}}
{{gap}}એક હતો જોશી. એને જોશ જોતાં ન આવડે પણ દંભમાં રળી ખાય. એક દિવસ તે એક ગામથી બીજે ગામ જવા નીકળ્યો.<noinclude><hr>
{{reflist}}</noinclude>
9q2sci5t1wwt6ffpj0bwnockzsxk0i6
216282
216281
2025-07-09T00:24:17Z
Snehrashmi
2103
216282
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૯૦||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude><poem>{{gap}}‘ગોખે બેઠાં ગણી પુરી,
{{gap}}‘રણવગડામાંથી ગોતી કાઢયો ધોરી;
{{gap}}‘નીદરડી નીદરડી કરતાં લાધ્યો હાર,
{{gap}}‘મૂકો રાજા, ટીડાનો ખાર.’</poem>
{{gap}}ટીડાનો આશય એટલો જ હતો કે ‘ત્રણ્ય વાર કેમ કરીને
છૂટ્યો છું તે મારું મન જાણે છે; હવે વિશેષ કષ્ટ ન આપો તો
મોટી કૃપા.’ પણ દૈવયોગે રાજાએ ટીડું જ મૂઠિમાં ઝાલ્યું હતું
અને તે એમ સમજ્યો કે જોષી મને ટીડડું છોડી દેવા વીનવે છે.
એટલે વળી ટીડાને પોતાને ગળેથી એકાવળ હાર ઊતારીને
આપ્યો.
<poem>{{gap}}પછી ટીડો વહૂને તેડીને ઘેર આવ્યો, અને
{{gap}}ખાધું પીધું રાજ્ય કિધું,
{{gap}}વધ્યું એટલું કૂતરાને નાખ્યું;
{{gap}}ગોખલામાં ગોટી,
{{gap}}મારી વાર્તા મોટી;
{{gap}}લિંબડે આવ્યો કોર,
{{gap}}ને બીજી વાર્તા પોર.</poem>
{{સ-મ||✽|}}
{{સ-મ||'''ટીડા જોશીની વાર્તા'''<sup>*<ref>બાળવાર્તા ભાગ ત્રીજો. પ્રકાશક:– શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર, ભાવનગર.</ref></sup> | }}
{{સ-મ||(કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો)|}}
{{gap}}એક હતો જોશી. એને જોશ જોતાં ન આવડે પણ દંભમાં રળી ખાય. એક દિવસ તે એક ગામથી બીજે ગામ જવા નીકળ્યો.<noinclude><hr>
{{reflist}}</noinclude>
64cv31yu8isn27g853ygk7kfs5205vo
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૯
104
67258
216276
206207
2025-07-08T17:00:50Z
Amvaishnav
156
/* Proofread */
216276
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૯૧}}'''</noinclude>રસ્તામાં તેણે બે ધોળા બળદને એક ખેતરમાં ચરતા દીઠા. તેણે એ
વાત ધ્યાનમાં રાખી લીધી.
{{gap}}જોશીજી તો ગામમાં ગયા અને એક પટેલને ત્યાં ઉતારો
કર્યો ત્યાં એક કણબી આવ્યો અને મહારાજને કહે : "જોશી
મહારાજ ! મારા બે ધોળા બળદ ખોવાયા છે; કઈ દિશામાં ગયા
હશે તેનું જોશ જોઈ આપોને ?”
{{gap}}જોશીએ તો હોઠ ફફડાવી એક જૂના સડી ગયેલા ટીપણામાં
જોઈ કહ્યું : "તમારા બળદો આથમણી સીમમાં ફલાણાના ખેતરમાં
છે, તે ત્યાંથી લઈ આવો.”
{{gap}}પટેલ તો બતાવેલ ખેતરે ગયો એટલે તેને બળદો મળ્યા.
તે ઘણો ખુશી થયો અને ટીડા જોશીને રાજી કર્યાં.
{{gap}}બીજા દિવસે રાત્રે ટીડા જોશીની પરીક્ષા કરવા ઘરઘણીએ
તેને પૂછયું : "મહારાજ ! તમારું જોશ સાચું હોય તો કહો કે આજે
ઘરમાં કેટલા રોટલા થયા હતા ?”
{{gap}}ટીડા જોશીને તો કાંઈ ધંધો ન હતો, એટલે રોટલાના
તાવડીમાં નાખતી વખતના ટપાકા ઉપરથી ગણેલું કે તેર રોટલા
થયેલા છે. એટલે તેણે જોશ જોવાનો ડોળ કરી કહ્યું : "પટેલ !
આજે તમારા ઘરમાં તેર રોટલા થયા હતા.”
{{gap}}પટેલ તો બહુ આશ્ચર્ય પામ્યો.
{{gap}}ઉપલા બે બનાવથી જોશી મહારાજની કીર્તિ આખા ગામમાં
ફેલાઈ અને જોશી મહારાજ પાસે સૌ જોશ જોવરાવવા આવવા
લાગ્યા.
{{gap}}એટલામાં રાજાની રાણીનો નવલખો હાર ખોવાયો.
{{gap}}રાજાએ જોશીની કીર્તિ સાંભળી હતી એટલે તેણે તેને
તેડાવ્યો.<noinclude></noinclude>
thhw2eh3fjjdtwdmmddsncuyf8i4vbi
216283
216276
2025-07-09T00:26:05Z
Snehrashmi
2103
/* Validated */
216283
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૯૧}}'''</noinclude>રસ્તામાં તેણે બે ધોળા બળદને એક ખેતરમાં ચરતા દીઠા. તેણે એ
વાત ધ્યાનમાં રાખી લીધી.
{{gap}}જોશીજી તો ગામમાં ગયા અને એક પટેલને ત્યાં ઉતારો
કર્યો ત્યાં એક કણબી આવ્યો અને મહારાજને કહે : “જોશી
મહારાજ ! મારા બે ધોળા બળદ ખોવાયા છે; કઈ દિશામાં ગયા
હશે તેનું જોશ જોઈ આપોને ?”
{{gap}}જોશીએ તો હોઠ ફફડાવી એક જૂના સડી ગયેલા ટીપણામાં
જોઈ કહ્યું : “તમારા બળદો આથમણી સીમમાં ફલાણાના ખેતરમાં
છે, તે ત્યાંથી લઈ આવો.”
{{gap}}પટેલ તો બતાવેલ ખેતરે ગયો એટલે તેને બળદો મળ્યા.
તે ઘણો ખુશી થયો અને ટીડા જોશીને રાજી કર્યાં.
{{gap}}બીજા દિવસે રાત્રે ટીડા જોશીની પરીક્ષા કરવા {{SIC|ઘરઘણી|ઘરધણી}}એ
તેને પૂછયું : “મહારાજ ! તમારું જોશ સાચું હોય તો કહો કે આજે
ઘરમાં કેટલા રોટલા થયા હતા ?”
{{gap}}ટીડા જોશીને તો કાંઈ ધંધો ન હતો, એટલે રોટલાના
તાવડીમાં નાખતી વખતના ટપાકા ઉપરથી ગણેલું કે તેર રોટલા
થયેલા છે. એટલે તેણે જોશ જોવાનો ડોળ કરી કહ્યું : “પટેલ !
આજે તમારા ઘરમાં તેર રોટલા થયા હતા.”
{{gap}}પટેલ તો બહુ આશ્ચર્ય પામ્યો.
{{gap}}ઉપલા બે બનાવથી જોશી મહારાજની કીર્તિ આખા ગામમાં
ફેલાઈ અને જોશી મહારાજ પાસે સૌ જોશ જોવરાવવા આવવા
લાગ્યા.
{{gap}}એટલામાં રાજાની રાણીનો નવલખો હાર ખોવાયો.
{{gap}}રાજાએ જોશીની કીર્તિ સાંભળી હતી એટલે તેણે તેને તેડાવ્યો.
{{nop}}<noinclude></noinclude>
eb0d1cr0h9c21gjj0ehz9yrotlvzj8u
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૦
104
67259
216277
206208
2025-07-08T17:03:14Z
Amvaishnav
156
/* Proofread */
216277
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૯૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}રાજાએ જોશીને કહ્યું : "જુઓ, ટીડા મહારાજ ! રાણીનો
હાર કયાં છે અથવા કોણ લઈ ગયું છે, તે જોશ જોઈને કહો, હાર
જડશે તો તમને ઘણા રાજી કરશું.”
{{gap}}જોશી તો મૂંઝાયા; જરા વિચારમાં પડયા.
{{gap}}રાજાએ કહ્યું : "આજની રાત તમે અહીં રહો, અને રાત
આખી વિચાર કરીને સવારે કહેજો. પણ જોજો, જો જોશ ખોટું
પડશે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ.”
{{gap}}ટીડા જોશી તો વાળુ કરી પથારીમાં પડયા, પણ ઊંધ ન
આવે.
{{gap}}જોશીના મનમાં ભય હતો કે સવારે રાજા ઘાણીએ ઘાલીને
તેલ કાઢશે.
{{gap}}ટીડા જોશીને ઊંઘ નહોતી આવતી એટલે તે ઊંઘને
નીંદરડીને બોલાવવા લાગ્યા : "નીંદરડી આવ, નીંદરડી આવ.”
{{gap}}હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નીંદરડી નામની
દાસી રહેતી હતી અને તેણે જ રાણીનો હાર ચોર્યો હતો. "નીંદરડી
આવ, નીંદરડી આવ.” એમ ટીડા જોશીને બોલતાં એણે સાંભળ્યા
એટલે તે એકદમ ગભરાઈ. એને લાગ્યું કે ટીડા જોશી પોતાનું
નામ જોશના બળથી જાણી ગયા છે.
{{gap}}નીંદરડીએ બચી જવાના વિચારથી ટીડા જોશીને હાર
આપી આવવાનો વિચાર કર્યો. તે જોશી પાસે ગઈ અને બોલી :
મહારાજ ! લ્યો આ ખોવાયેલો હાર. મારું નામ હવે લેશો નહિ.
હારનું તમે ગોઠે તેમ કરજો.
{{gap}}ટીડા જોશી મનમાં ખુશી થયા કે આ ઠીક થયું. નીંદર
ઊંઘને બોલાવતાં આ નીંદરડી આવી અને હાર આપી ગઈ.
ટીડા જોશીએ નીંદરડીને કહ્યું : "જો; આ હાર રાણીના
ઓરડામાં તેના પલંગ નીચે મૂકી આવ.”<noinclude></noinclude>
nmwxy2oocs1q6k0asfqg31cmb9tq45q
216284
216277
2025-07-09T00:28:45Z
Snehrashmi
2103
/* Validated */
216284
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૯૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}રાજાએ જોશીને કહ્યું : “જુઓ, ટીડા મહારાજ ! રાણીનો
હાર ક્યાં છે અથવા કોણ લઈ ગયું છે, તે જોશ જોઈને કહો, હાર
જડશે તો તમને ઘણા રાજી કરશું.”
{{gap}}જોશી તો મૂંઝાયા; જરા વિચારમાં પડ્યા.
{{gap}}રાજાએ કહ્યું : “આજની રાત તમે અહીં રહો, અને રાત
આખી વિચાર કરીને સવારે કહેજો. પણ જોજો, જો જોશ ખોટું
પડશે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ.”
{{gap}}ટીડા જોશી તો વાળુ કરી પથારીમાં પડ્યા, પણ {{SCI|ઊંધ|ઊંઘ}} ન
આવે.
{{gap}}જોશીના મનમાં ભય હતો કે સવારે રાજા ઘાણીએ ઘાલીને
તેલ કાઢશે.
{{gap}}ટીડા જોશીને ઊંઘ નહોતી આવતી એટલે તે ઊંઘને
નીંદરડીને બોલાવવા લાગ્યા : “નીંદરડી આવ, નીંદરડી આવ.”
{{gap}}હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નીંદરડી નામની
દાસી રહેતી હતી અને તેણે જ રાણીનો હાર ચોર્યો હતો. “નીંદરડી
આવ, નીંદરડી આવ.” એમ ટીડા જોશીને બોલતાં એણે સાંભળ્યા
એટલે તે એકદમ ગભરાઈ. એને લાગ્યું કે ટીડા જોશી પોતાનું
નામ જોશના બળથી જાણી ગયા છે.
{{gap}}નીંદરડીએ બચી જવાના વિચારથી ટીડા જોશીને હાર
આપી આવવાનો વિચાર કર્યો. તે જોશી પાસે ગઈ અને બોલી :
મહારાજ ! લ્યો આ ખોવાયેલો હાર. મારું નામ હવે લેશો નહિ.
હારનું તમે ગોઠે તેમ કરજો.
{{gap}}ટીડા જોશી મનમાં ખુશી થયા કે આ ઠીક થયું. નીંદર
ઊંઘને બોલાવતાં આ નીંદરડી આવી અને હાર આપી ગઈ.
{{gap}}ટીડા જોશીએ નીંદરડીને કહ્યું : “જો; આ હાર રાણીના
ઓરડામાં તેના પલંગ નીચે મૂકી આવ.”
{{nop}}<noinclude></noinclude>
ppwtfj6pff40wzax0raga9xz4bazenm
216285
216284
2025-07-09T00:29:41Z
Snehrashmi
2103
216285
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૯૨||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}રાજાએ જોશીને કહ્યું : “જુઓ, ટીડા મહારાજ ! રાણીનો
હાર ક્યાં છે અથવા કોણ લઈ ગયું છે, તે જોશ જોઈને કહો, હાર
જડશે તો તમને ઘણા રાજી કરશું.”
{{gap}}જોશી તો મૂંઝાયા; જરા વિચારમાં પડ્યા.
{{gap}}રાજાએ કહ્યું : “આજની રાત તમે અહીં રહો, અને રાત
આખી વિચાર કરીને સવારે કહેજો. પણ જોજો, જો જોશ ખોટું
પડશે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ.”
{{gap}}ટીડા જોશી તો વાળુ કરી પથારીમાં પડ્યા, પણ {{SIC|ઊંધ|ઊંઘ}} ન
આવે.
{{gap}}જોશીના મનમાં ભય હતો કે સવારે રાજા ઘાણીએ ઘાલીને
તેલ કાઢશે.
{{gap}}ટીડા જોશીને ઊંઘ નહોતી આવતી એટલે તે ઊંઘને
નીંદરડીને બોલાવવા લાગ્યા : “નીંદરડી આવ, નીંદરડી આવ.”
{{gap}}હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નીંદરડી નામની
દાસી રહેતી હતી અને તેણે જ રાણીનો હાર ચોર્યો હતો. “નીંદરડી
આવ, નીંદરડી આવ.” એમ ટીડા જોશીને બોલતાં એણે સાંભળ્યા
એટલે તે એકદમ ગભરાઈ. એને લાગ્યું કે ટીડા જોશી પોતાનું
નામ જોશના બળથી જાણી ગયા છે.
{{gap}}નીંદરડીએ બચી જવાના વિચારથી ટીડા જોશીને હાર
આપી આવવાનો વિચાર કર્યો. તે જોશી પાસે ગઈ અને બોલી :
મહારાજ ! લ્યો આ ખોવાયેલો હાર. મારું નામ હવે લેશો નહિ.
હારનું તમે ગોઠે તેમ કરજો.
{{gap}}ટીડા જોશી મનમાં ખુશી થયા કે આ ઠીક થયું. નીંદર
ઊંઘને બોલાવતાં આ નીંદરડી આવી અને હાર આપી ગઈ.
{{gap}}ટીડા જોશીએ નીંદરડીને કહ્યું : “જો; આ હાર રાણીના
ઓરડામાં તેના પલંગ નીચે મૂકી આવ.”
{{nop}}<noinclude></noinclude>
arahv1jtvuaonhuna0l0wtol71ihq1e
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૧
104
67260
216278
206209
2025-07-08T17:07:19Z
Amvaishnav
156
/* Proofread */
216278
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૯૩}}'''</noinclude>{{gap}}સવાર પડી એટલે રાજાએ ટીડા જોશીને બોલાવ્યા. ટીડા
જોશી તો ઢોંગ કરી એકબે સાચા ખોટા શ્લોકો બોલ્યા અને પછી
આંગળીના વેઢા ગણી, હોઠ ફફડાવી, લાંબું ટીપણું ઉખેળી
બોલ્યા : "રાજા, રાણીનો હાર કાંઈ ખોવાયો નથી. તપાસ
કરાવો; રાણીના ઓરડામાં જ તેમના પલંગ નીચે પડયો છે એમ
મારા જોશમાં આવે છે.”
{{gap}}તપાસ કરાવતાં હાર પલંગ તળેથી મળ્યો. ટીડા ઉપર રાજા
બહુ ખુશી થયો અને તેને સારું ઈનામ આપ્યું.
{{gap}}રાજાએ એકવાર ટીડા જોશીની વધારે પરીક્ષા કરવા એક
યુક્તિ રચી.
{{gap}}ટીડા જોશીને લઈ રાજા એકવાર જંગલમાં ગયો. જોશીની
નજર બીજે હતી એટલામાં રાજાએ પોતાની મૂઠીમાં એક ટીડડું
પકડી લીધું, અને મૂઠી બતાવી ટીડાને કહ્યું : "કહો ટીડાજી ! મારી
મૂઠીમાં શું છે ? જોજો, ખોટું પડશે તો માર્યા જશો.”
{{gap}}ટીડા જોશી પૂરા ગભરાયા. તેમણે વિચાર કર્યો કે હવે
ભરમ ઉઘાડો થશે. હવે જરૂર રાજા મારશે. ગભરાઈને પોતાના
જોશ સંબંધેની સઘળી હકીકત રાજાને કહી દેવા અને માફી
માગવા માટે તે બોલ્યા :
<poem>{{મધ્ય ખંડ|"ટપ ટપ કરતાં તેર જ ગણ્યા,
વાટે આવતાં ધોરી મળ્યા;
નીંદરડીએ આપ્યો હાર,
કાં રાજા ટીડાને માર ?”}}</poem>
{{gap}}ટીડા જોશી જ્યાં "કાં રાજા ટીડાને માર ?” એમ બોલ્યા ત્યાં
તો રાજાના મનમાં થયું કે જોશી મહારાજ તો ખરેખરા સાચા જોશી
છે. રાજાએ પોતાના હાથમાંથી ટીડું ઉડાડી કહ્યું : "વાહ
જોશીજી ! તમે તો મારા હાથમાં ટીડડું હતું તે પણ જાણી ગયા !”<noinclude></noinclude>
fhcmowvavc98p8p5twpe0rdmps2gpam
216286
216278
2025-07-09T00:31:45Z
Snehrashmi
2103
/* Validated */
216286
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૯૩}}'''</noinclude>{{gap}}સવાર પડી એટલે રાજાએ ટીડા જોશીને બોલાવ્યા. ટીડા
જોશી તો ઢોંગ કરી એકબે સાચા ખોટા શ્લોકો બોલ્યા અને પછી
આંગળીના વેઢા ગણી, હોઠ ફફડાવી, લાંબું ટીપણું ઉખેળી
બોલ્યા : “રાજા, રાણીનો હાર કાંઈ ખોવાયો નથી. તપાસ
કરાવો; રાણીના ઓરડામાં જ તેમના પલંગ નીચે પડ્યો છે એમ
મારા જોશમાં આવે છે.”
{{gap}}તપાસ કરાવતાં હાર પલંગ તળેથી મળ્યો. ટીડા ઉપર રાજા
બહુ ખુશી થયો અને તેને સારું ઈનામ આપ્યું.
{{gap}}રાજાએ એકવાર ટીડા જોશીની વધારે પરીક્ષા કરવા એક
યુક્તિ રચી.
{{gap}}ટીડા જોશીને લઈ રાજા એકવાર જંગલમાં ગયો. જોશીની
નજર બીજે હતી એટલામાં રાજાએ પોતાની મૂઠીમાં એક ટીડડું
પકડી લીધું, અને મૂઠી બતાવી ટીડાને કહ્યું : “કહો ટીડાજી ! મારી
મૂઠીમાં શું છે ? જોજો, ખોટું પડશે તો માર્યા જશો.”
{{gap}}ટીડા જોશી પૂરા ગભરાયા. તેમણે વિચાર કર્યો કે હવે
ભરમ ઉઘાડો થશે. હવે જરૂર રાજા મારશે. ગભરાઈને પોતાના
જોશ સંબંધેની સઘળી હકીકત રાજાને કહી દેવા અને માફી
માગવા માટે તે બોલ્યા :
<poem>{{gap}}“ટપ ટપ કરતાં તેર જ ગણ્યા,
{{gap}}વાટે આવતાં ધોરી મળ્યા;
{{gap}}નીંદરડીએ આપ્યો હાર,
{{gap}}કાં રાજા ટીડાને માર ?”}}</poem>
{{gap}}ટીડા જોશી જ્યાં “કાં રાજા ટીડાને માર ?” એમ બોલ્યા ત્યાં
તો રાજાના મનમાં થયું કે જોશી મહારાજ તો ખરેખરા સાચા જોશી
છે. રાજાએ પોતાના હાથમાંથી ટીડું ઉડાડી કહ્યું : “વાહ
જોશીજી ! તમે તો મારા હાથમાં ટીડડું હતું તે પણ જાણી ગયા !”
{{nop}}<noinclude></noinclude>
8vvk4pbs66583jjdxd4xsihxz0mf1qk
216287
216286
2025-07-09T00:31:59Z
Snehrashmi
2103
216287
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૯૩}}'''</noinclude>{{gap}}સવાર પડી એટલે રાજાએ ટીડા જોશીને બોલાવ્યા. ટીડા
જોશી તો ઢોંગ કરી એકબે સાચા ખોટા શ્લોકો બોલ્યા અને પછી
આંગળીના વેઢા ગણી, હોઠ ફફડાવી, લાંબું ટીપણું ઉખેળી
બોલ્યા : “રાજા, રાણીનો હાર કાંઈ ખોવાયો નથી. તપાસ
કરાવો; રાણીના ઓરડામાં જ તેમના પલંગ નીચે પડ્યો છે એમ
મારા જોશમાં આવે છે.”
{{gap}}તપાસ કરાવતાં હાર પલંગ તળેથી મળ્યો. ટીડા ઉપર રાજા
બહુ ખુશી થયો અને તેને સારું ઈનામ આપ્યું.
{{gap}}રાજાએ એકવાર ટીડા જોશીની વધારે પરીક્ષા કરવા એક
યુક્તિ રચી.
{{gap}}ટીડા જોશીને લઈ રાજા એકવાર જંગલમાં ગયો. જોશીની
નજર બીજે હતી એટલામાં રાજાએ પોતાની મૂઠીમાં એક ટીડડું
પકડી લીધું, અને મૂઠી બતાવી ટીડાને કહ્યું : “કહો ટીડાજી ! મારી
મૂઠીમાં શું છે ? જોજો, ખોટું પડશે તો માર્યા જશો.”
{{gap}}ટીડા જોશી પૂરા ગભરાયા. તેમણે વિચાર કર્યો કે હવે
ભરમ ઉઘાડો થશે. હવે જરૂર રાજા મારશે. ગભરાઈને પોતાના
જોશ સંબંધેની સઘળી હકીકત રાજાને કહી દેવા અને માફી
માગવા માટે તે બોલ્યા :
<poem>{{gap}}“ટપ ટપ કરતાં તેર જ ગણ્યા,
{{gap}}વાટે આવતાં ધોરી મળ્યા;
{{gap}}નીંદરડીએ આપ્યો હાર,
{{gap}}કાં રાજા ટીડાને માર ?”</poem>
{{gap}}ટીડા જોશી જ્યાં “કાં રાજા ટીડાને માર ?” એમ બોલ્યા ત્યાં
તો રાજાના મનમાં થયું કે જોશી મહારાજ તો ખરેખરા સાચા જોશી
છે. રાજાએ પોતાના હાથમાંથી ટીડું ઉડાડી કહ્યું : “વાહ
જોશીજી ! તમે તો મારા હાથમાં ટીડડું હતું તે પણ જાણી ગયા !”
{{nop}}<noinclude></noinclude>
gm7suggnn8tiz41wd1pq3i6jnj09qj3
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૨
104
67261
216279
206210
2025-07-08T17:13:26Z
Amvaishnav
156
/* Proofread */
216279
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|૯૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}ટીડા જોશી મનમાં સમજી ગયા કે આ તો મરતાં મરતાં
બચ્યા અને સાચા જોશી ઠર્યાં !
{{gap}}પછી રાજાએ જોશીને મોટું ઈનામ આપ્યું અને તેમને
વિદાય કર્યા.
{{gap}}ઉક્ત દષ્ટાંતોથી કથનશૈલી એટલે શું અને તેનાથી વાર્તામાં
કેવો ફેર પડે છે તેનો ખ્યાલ થોડોઘણો તો આવી શકશે જ. પ્રત્યેક
વાર્તા કહેવા યોગ્ય સ્વરૂપમાં ન લાવવામાં આવે ત્યાં સુધી તે વાર્તા
કથનશ્રવણના કામમાં આવી શકે નહિ. ઘણી વાર કહેવા યોગ્ય
વાર્તાઓ પણ કહેનારની કલાબુદ્ધિમાં ન્યૂનતા હોવાથી અથવા
વાર્તા લખનારની કલાદષ્ટિમાં ઊણપ હોવાથી તે વાર્તાઓ છેક
બગડી જાય છે, ને તેને જ પુનઃ કહેવા યોગ્ય કરવાની તસ્દી લેવી
પડે છે.
{{gap}}આવી બગડી ગયેલી વાર્તાઓના ઘણા નમૂના આપણને
ઘણી ચોપડીઓમાંથી મળી આવે છે. આપણે અહીં એવી એક
વાર્તાનું દર્શન કરાવીએ.
{{સ-મ| |✽ | }}
{{સ-મ| |'''છનનન છમ મા મને વડું !'''<sup>*<ref>*ટચુકડી બીજી સો વાતો. લેખક :- હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા. </ref></sup> | }}
{{સ-મ| |(વાંચવા યોગ્ય વાર્તાનો નમૂનો) | }}
{{gap}}એક ગરીબ બ્રાહ્મણને પેટ સાત છોકરીઓ પડી હતી. તે
રોજ ગામમાંથી ભીખ માગી લાવીને તેમનું પૂરૂં કરે. એક દહાડો
તેને કોઈએ લોટ આપ્યો, તે લાવીને તેણે પોતાની બાઈડીને કહ્યું.
મને વડાં ખાવાનું મન થયું છે, માટે આજે આ લોટનાં વડાં બનાવજે.<noinclude><hr>
{{reflist}}</noinclude>
qat0vh08gvz3ebpbs6want90f8pr1rs
216288
216279
2025-07-09T00:33:47Z
Snehrashmi
2103
/* Validated */
216288
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|૯૪||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}ટીડા જોશી મનમાં સમજી ગયા કે આ તો મરતાં મરતાં
બચ્યા અને સાચા જોશી ઠર્યાં !
{{gap}}પછી રાજાએ જોશીને મોટું ઈનામ આપ્યું અને તેમને
વિદાય કર્યા.
{{gap}}ઉક્ત દૃષ્ટાંતોથી કથનશૈલી એટલે શું અને તેનાથી વાર્તામાં
કેવો ફેર પડે છે તેનો ખ્યાલ થોડોઘણો તો આવી શકશે જ. પ્રત્યેક
વાર્તા કહેવા યોગ્ય સ્વરૂપમાં ન લાવવામાં આવે ત્યાં સુધી તે વાર્તા
કથનશ્રવણના કામમાં આવી શકે નહિ. ઘણી વાર કહેવા યોગ્ય
વાર્તાઓ પણ કહેનારની કલાબુદ્ધિમાં ન્યૂનતા હોવાથી અથવા
વાર્તા લખનારની કલાદૃષ્ટિમાં ઊણપ હોવાથી તે વાર્તાઓ છેક
બગડી જાય છે, ને તેને જ પુનઃ કહેવા યોગ્ય કરવાની તસ્દી લેવી
પડે છે.
{{gap}}આવી બગડી ગયેલી વાર્તાઓના ઘણા નમૂના આપણને
ઘણી ચોપડીઓમાંથી મળી આવે છે. આપણે અહીં એવી એક
વાર્તાનું દર્શન કરાવીએ.
{{સ-મ||✽|}}
{{સ-મ||'''છનનન છમ મા મને વડું !'''<sup>*<ref>*ટચુકડી બીજી સો વાતો. લેખક :- હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા. </ref></sup> | }}
{{સ-મ| |(વાંચવા યોગ્ય વાર્તાનો નમૂનો) | }}
{{gap}}એક ગરીબ બ્રાહ્મણને પેટ સાત છોકરીઓ પડી હતી. તે
રોજ ગામમાંથી ભીખ માગી લાવીને તેમનું પૂરૂં કરે. એક દહાડો
તેને કોઈએ લોટ આપ્યો, તે લાવીને તેણે પોતાની બાઈડીને કહ્યું.
મને વડાં ખાવાનું મન થયું છે, માટે આજે આ લોટનાં વડાં બનાવજે.
{{nop}}<noinclude><hr>
{{reflist}}</noinclude>
q1vza86lzonixrtybb8dlmhj4g453z6
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૩
104
67262
216280
206211
2025-07-08T17:21:12Z
Amvaishnav
156
/* Proofread */
216280
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૯૫}}'''</noinclude>{{gap}}લોટ થોડો હતો, અને બધી છોકરીઓ વડાં માગે, તો
તેમને પુરાં પણ ન પડે, તેથી તેમને વહેલી {{SIC|ઉઘાડી|ઉંઘાડી}} દઈ તેણે વડાં
તળવા માંડયાં. એક વડું કઢાઈમાં પૂર્યું, કે છમ છમ બોલવા
માંડયું, તેથી એક છોકરી જાગી ઊઠી તે બોલી, કે છનનન ઝમ
મા મને વડું ? તે વડું ખાઈ ગયા પછી બીજું તળવા માંડયું, તો
બીજી છોકરી જાગી ગઈ. તેણે વડું માંગ્યું તે તેને આપ્યું; એમ એક
પછી એક સાતે છોકરીઓ જાગી ને એક એક વડું ખાઈ ગઈ. લોટ
ઘણો થોડો રહ્યો, તેથી તેમાં ચૂલાની રાખ ભેળવીને થોડાં વડાં
તૈયાર કર્યાં. બ્રાહ્મણ ઘેર આવીને ખાવા બેઠો, તો વડાં કચડ કચડ
બોલવા લાગ્યાં. તેણે કારણ પૂછ્યું, ત્યારે બાઈડીએ રોતાં રોતાં
સાચી વાત કહી દીધી.
{{gap}}બ્રાહ્મણને બહુ ગુસ્સો ચઢયો. બીજે દહાડે તે બધી
છોકરીઓને ગાડામાં ઘાલીને જંગલમાં મૂકી આવ્યો.
'' '''આ વાર્તામાં બાળવાર્તાની વસ્તુ છે પણ તેમાં બાળવાર્તાની ઢબ
નથી એ જ વાર્તાને કહેવા યોગ્ય વાર્તા આ પ્રમાણે બનાવી શકાય.''' ''
{{સ-મ| |✽ | }}
{{સ-મ| |'''મા ! મને છમ વડું.'''<sup>*<ref>*ટચુકડી બીજી સો વાતો. લેખક :- હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા </ref></sup> | }}
{{સ-મ| |(કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો) | }}
{{gap}}એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને સાત
છોડીઓ.
{{gap}}બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ
માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.
{{gap}}એક દિવસે બ્રાહ્મણને વડા ખાવાનું મન થયું તેણે બ્રાહ્મણીને કહ્યું : "આજ તો વડાં ખાવાનું મન થયું છે."<noinclude><hr>
{{reflist}}</noinclude>
9m26yaz5xo40o3id2kyaksqaz6dffk6
216289
216280
2025-07-09T00:37:00Z
Snehrashmi
2103
/* Validated */
216289
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૯૫}}'''</noinclude>{{gap}}લોટ થોડો હતો, અને બધી છોકરીઓ વડાં માગે, તો
તેમને પુરાં પણ ન પડે, તેથી તેમને વહેલી ઉંઘાડી દઈ તેણે વડાં
તળવા માંડ્યાં. એક વડું કઢાઈમાં પૂર્યું, કે છમ છમ બોલવા
માંડ્યું, તેથી એક છોકરી જાગી ઊઠી તે બોલી, કે છનનન ઝમ
મા મને વડું ? તે વડું ખાઈ ગયા પછી બીજું તળવા માંડ્યું, તો
બીજી છોકરી જાગી ગઈ. તેણે વડું માંગ્યું તે તેને આપ્યું; એમ એક
પછી એક સાતે છોકરીઓ જાગી ને એક એક વડું ખાઈ ગઈ. લોટ
ઘણો થોડો રહ્યો, તેથી તેમાં ચૂલાની રાખ ભેળવીને થોડાં વડાં
તૈયાર કર્યાં. બ્રાહ્મણ ઘેર આવીને ખાવા બેઠો, તો વડાં કચડ કચડ
બોલવા લાગ્યાં. તેણે કારણ પૂછ્યું, ત્યારે બાઈડીએ રોતાં રોતાં
સાચી વાત કહી દીધી.
{{gap}}બ્રાહ્મણને બહુ ગુસ્સો ચઢ્યો. બીજે દહાડે તે બધી
છોકરીઓને ગાડામાં ઘાલીને જંગલમાં મૂકી આવ્યો.
'' '''આ વાર્તામાં બાળવાર્તાની વસ્તુ છે પણ તેમાં બાળવાર્તાની ઢબ
નથી એ જ વાર્તાને કહેવા યોગ્ય વાર્તા આ પ્રમાણે બનાવી શકાય.''' ''
{{સ-મ||✽|}}
{{સ-મ||'''મા ! મને છમ વડું.'''<sup>*<ref>*ટચુકડી બીજી સો વાતો. લેખક :– હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા</ref></sup>|}}
{{સ-મ||(કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો)|}}
{{gap}}એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને સાત
છોડીઓ.
{{gap}}બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ
માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.
{{gap}}એક દિવસે બ્રાહ્મણને વડા ખાવાનું મન થયું તેણે બ્રાહ્મણીને કહ્યું : “આજ તો વડાં ખાવાનું મન થયું છે.”
{{nop}}<noinclude><hr>
{{reflist}}</noinclude>
5emmjbou5jzqpqvin1d03dguwzjopxb
216290
216289
2025-07-09T00:37:47Z
Snehrashmi
2103
216290
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૯૫}}'''</noinclude>{{gap}}લોટ થોડો હતો, અને બધી છોકરીઓ વડાં માગે, તો
તેમને પુરાં પણ ન પડે, તેથી તેમને વહેલી ઉંઘાડી દઈ તેણે વડાં
તળવા માંડ્યાં. એક વડું કઢાઈમાં પૂર્યું, કે છમ છમ બોલવા
માંડ્યું, તેથી એક છોકરી જાગી ઊઠી તે બોલી, કે છનનન ઝમ
મા મને વડું ? તે વડું ખાઈ ગયા પછી બીજું તળવા માંડ્યું, તો
બીજી છોકરી જાગી ગઈ. તેણે વડું માંગ્યું તે તેને આપ્યું; એમ એક
પછી એક સાતે છોકરીઓ જાગી ને એક એક વડું ખાઈ ગઈ. લોટ
ઘણો થોડો રહ્યો, તેથી તેમાં ચૂલાની રાખ ભેળવીને થોડાં વડાં
તૈયાર કર્યાં. બ્રાહ્મણ ઘેર આવીને ખાવા બેઠો, તો વડાં કચડ કચડ
બોલવા લાગ્યાં. તેણે કારણ પૂછ્યું, ત્યારે બાઈડીએ રોતાં રોતાં
સાચી વાત કહી દીધી.
{{gap}}બ્રાહ્મણને બહુ ગુસ્સો ચઢ્યો. બીજે દહાડે તે બધી
છોકરીઓને ગાડામાં ઘાલીને જંગલમાં મૂકી આવ્યો.
{{gap}}'''''આ વાર્તામાં બાળવાર્તાની વસ્તુ છે પણ તેમાં બાળવાર્તાની ઢબ નથી એ જ વાર્તાને કહેવા યોગ્ય વાર્તા આ પ્રમાણે બનાવી શકાય.'''''
{{સ-મ||✽|}}
{{સ-મ||'''મા ! મને છમ વડું.'''<sup>*<ref>*ટચુકડી બીજી સો વાતો. લેખક :– હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા</ref></sup>|}}
{{સ-મ||(કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો)|}}
{{gap}}એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને સાત
છોડીઓ.
{{gap}}બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ
માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.
{{gap}}એક દિવસે બ્રાહ્મણને વડા ખાવાનું મન થયું તેણે બ્રાહ્મણીને કહ્યું : “આજ તો વડાં ખાવાનું મન થયું છે.”
{{nop}}<noinclude><hr>
{{reflist}}</noinclude>
tk4wn043i5sijfa0u6hp1t3n7ldh2sd
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૪
104
67263
216291
206213
2025-07-09T00:43:56Z
Snehrashmi
2103
/* Proofread */
216291
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૯૬||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>{{gap}}બ્રાહ્મણી કહે : “પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં
નથી. પાંચસાત વડાં થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો.”
{{gap}}બ્રાહ્મણ કહે : “ત્યારે કાંઈ નહિ; માંડી વાળો.”
{{gap}}બ્રાહ્મણી કહે : “ના, એમ નહિ, પરમ દહાડે ધોળી કાકી
થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યાં છે; એક
તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા દ્યો. પછી
હું તમને પાંચ સાત પાડી આપીશ. મારે કાંઈ ખાવાં નથી એટલે
એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.”
{{gap}}વાળુ કરીને છોડીઓ સૂઈ ગઈ.
{{gap}}બ્રાહ્મણીએ હળુ હળુ ઊઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા
ઉપર લોઢી મૂકીને ઉપર ટીપુંક તેલ મૂક્યું,
{{gap}}પછી વડાંનું ડોઈને તે વડાં કરવા બેઠી.
{{gap}}જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં ‘છમ, છમ, છમ,’
થયું.
{{gap}}‘છમ છમ’ સાંભળીને એક છોડી જાગી ને કહે : “મા!
મને છમ વડું.”
{{gap}}મા કહે : “સૂઈ જા, સૂઈ જા. આ લે એક વડું. ખાઈને સૂઈ
જા. જોજે બીજી જાગે નહિ.”
{{gap}}પહેલી છોડી તો એક વડું ખાઈ પાણી પીને સૂતી.
{{gap}}માએ તો બીજું વડું મૂક્યું, ત્યાં તો પાછું ‘છમ, છમ, છમ’
થયું. બીજી છોડી જાગીને કહે : “મા ! મને છમ વડું.”
{{gap}}મા કહે : “લે સૂઈ જા. સૂઈ જા. ખાઈ જા આ વડું ને પાણી
પીને સૂઈ જા. જો બીજી બેન જાગશે.”
{{gap}}બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ.
{{gap}}બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કહે : “હશે, એ
તો છોકરાં છે ને ?”
{{nop}}<noinclude></noinclude>
e8v016sid8aqn1ksnd7bafpl3kqaik0
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૫
104
67264
216292
206214
2025-07-09T01:05:14Z
Snehrashmi
2103
/* Proofread */
216292
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૯૭||વાર્તાનું શાસ્ત્ર}}''' '''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૯૭}}'''</noinclude>{{gap}}પછી માએ ત્રીજું વડું મુક્યું. પણ ત્યાં તો પાછું ‘છમ,
છમ, છમ.’
{{gap}}‘છમ છમ’ સાંભળીને એક છોડી જાગી ને કહે : “મા
છમ! મને છમ વડું.”
{{gap}}મા કહે : “લે વળી તું ક્યાં જાગી ? લે આ વડું. ખાઈને
સૂઈ જા. જોજે બીજીને જગાડતી નહિ.”
{{gap}}ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો.
બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું તો ‘છમ, છમ,
છમ’ બોલ્યું.
{{gap}}‘છમ, છમ’ સાંભળીને ચોથી છોડી જાગી ને એને ય વડું
આપીને માએ સવારી દીધી.
{{gap}}પછી તો પાંચમી છોડી જાગીને પાંચમું વડું એને આપવું
પડ્યું; પછી છઠ્ઠી જાગી ને છઠ્ઠું વડું એને આપવું પડ્યું ને છેવટે
સાતમું વડું સાતમી છોડીએ ખાધું.
{{gap}}ત્યાં તો લોટ થઈ રહ્યો. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં,
ને પાણી પીને સૂઈ રહ્યાં.
{{gap}}અલબત્ત બંને વાર્તાના વસ્તુમાં લગાર ફરક છે, પરંતુ જોઈ
શકાશે કે વાચન યોગ્ય વાર્તા અને કથન યોગ્ય વાર્તાની દિશાઓ
કેવા પ્રકારની છે.
{{gap}}વાર્તાને કથન યોગ્ય બનાવવા માટે જેમ કથનશૈલીની
જરૂરિયાત છે તેમ જ તેમાં બીજી કેટલીએક બાબતોનો પણ વિચાર
કરવો પડે છે. આ બીજી બાબતો કથનશૈલીને મદદકર્તા છે એમાં
તો શક જ નહિ. હવે આ બીજી બાબતો કઈ કઈ છે, અને તે
કહેવા યોગ્ય વાર્તામાં કેવી રીતે લાવવી તે તપાસીએ.
{{gap}}પ્રથમ દરેક વાર્તાને આપણે બારીકીથી તપાસવી જોઈએ.<noinclude></noinclude>
kbvnljbqufhbwv8vvpe40bssfjzvy4j
216293
216292
2025-07-09T01:05:32Z
Snehrashmi
2103
216293
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૯૭}}'''</noinclude>{{gap}}પછી માએ ત્રીજું વડું મુક્યું. પણ ત્યાં તો પાછું ‘છમ,
છમ, છમ.’
{{gap}}‘છમ છમ’ સાંભળીને એક છોડી જાગી ને કહે : “મા
છમ! મને છમ વડું.”
{{gap}}મા કહે : “લે વળી તું ક્યાં જાગી ? લે આ વડું. ખાઈને
સૂઈ જા. જોજે બીજીને જગાડતી નહિ.”
{{gap}}ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો.
બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું તો ‘છમ, છમ,
છમ’ બોલ્યું.
{{gap}}‘છમ, છમ’ સાંભળીને ચોથી છોડી જાગી ને એને ય વડું
આપીને માએ સવારી દીધી.
{{gap}}પછી તો પાંચમી છોડી જાગીને પાંચમું વડું એને આપવું
પડ્યું; પછી છઠ્ઠી જાગી ને છઠ્ઠું વડું એને આપવું પડ્યું ને છેવટે
સાતમું વડું સાતમી છોડીએ ખાધું.
{{gap}}ત્યાં તો લોટ થઈ રહ્યો. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં,
ને પાણી પીને સૂઈ રહ્યાં.
{{gap}}અલબત્ત બંને વાર્તાના વસ્તુમાં લગાર ફરક છે, પરંતુ જોઈ
શકાશે કે વાચન યોગ્ય વાર્તા અને કથન યોગ્ય વાર્તાની દિશાઓ
કેવા પ્રકારની છે.
{{gap}}વાર્તાને કથન યોગ્ય બનાવવા માટે જેમ કથનશૈલીની
જરૂરિયાત છે તેમ જ તેમાં બીજી કેટલીએક બાબતોનો પણ વિચાર
કરવો પડે છે. આ બીજી બાબતો કથનશૈલીને મદદકર્તા છે એમાં
તો શક જ નહિ. હવે આ બીજી બાબતો કઈ કઈ છે, અને તે
કહેવા યોગ્ય વાર્તામાં કેવી રીતે લાવવી તે તપાસીએ.
{{gap}}પ્રથમ દરેક વાર્તાને આપણે બારીકીથી તપાસવી જોઈએ.<noinclude></noinclude>
k5hzvr3be512xi8nf9bmkqil40cej7e
216294
216293
2025-07-09T01:06:00Z
Snehrashmi
2103
216294
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૯૭}}'''</noinclude>{{gap}}પછી માએ ત્રીજું વડું મુક્યું. પણ ત્યાં તો પાછું ‘છમ,
છમ, છમ.’
{{gap}}‘છમ છમ’ સાંભળીને એક છોડી જાગી ને કહે : “મા
છમ! મને છમ વડું.”
{{gap}}મા કહે : “લે વળી તું ક્યાં જાગી ? લે આ વડું. ખાઈને
સૂઈ જા. જોજે બીજીને જગાડતી નહિ.”
{{gap}}ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો.
{{gap}}બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું તો ‘છમ, છમ,
છમ’ બોલ્યું.
{{gap}}‘છમ, છમ’ સાંભળીને ચોથી છોડી જાગી ને એને ય વડું
આપીને માએ સવારી દીધી.
{{gap}}પછી તો પાંચમી છોડી જાગીને પાંચમું વડું એને આપવું
પડ્યું; પછી છઠ્ઠી જાગી ને છઠ્ઠું વડું એને આપવું પડ્યું ને છેવટે
સાતમું વડું સાતમી છોડીએ ખાધું.
{{gap}}ત્યાં તો લોટ થઈ રહ્યો. બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં,
ને પાણી પીને સૂઈ રહ્યાં.
{{gap}}અલબત્ત બંને વાર્તાના વસ્તુમાં લગાર ફરક છે, પરંતુ જોઈ
શકાશે કે વાચન યોગ્ય વાર્તા અને કથન યોગ્ય વાર્તાની દિશાઓ
કેવા પ્રકારની છે.
{{gap}}વાર્તાને કથન યોગ્ય બનાવવા માટે જેમ કથનશૈલીની
જરૂરિયાત છે તેમ જ તેમાં બીજી કેટલીએક બાબતોનો પણ વિચાર
કરવો પડે છે. આ બીજી બાબતો કથનશૈલીને મદદકર્તા છે એમાં
તો શક જ નહિ. હવે આ બીજી બાબતો કઈ કઈ છે, અને તે
કહેવા યોગ્ય વાર્તામાં કેવી રીતે લાવવી તે તપાસીએ.
{{gap}}પ્રથમ દરેક વાર્તાને આપણે બારીકીથી તપાસવી જોઈએ.<noinclude></noinclude>
p9bf2fuwszbh42x89fgk3o7mf5b7izr
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૬
104
67265
216295
206215
2025-07-09T01:07:57Z
Snehrashmi
2103
/* Proofread */
216295
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />'''{{સ-મ|૯૮||વાર્તાનું શાસ્ત્ર-૧}}'''</noinclude>વાર્તા ભાષાની દૃષ્ટિએ કેવી છે, વસ્તુની દૃષ્ટિએ કેવી છે, ને
રચનાની દૃષ્ટિએ કેવી છે, તે આપણે કાળજીપૂર્વક જોઈ લેવું
જોઈએ. એ જુદી જુદી દૃષ્ટિઓથી તપાસતી વખતે આપણી સમક્ષ
મોઢે કહેવાની વાર્તાની ભાષાનો, તેની રચનાનો અને SIC|આર્દશ|આદર્શ}}નો
પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ. આ મુખ્ય બાબત છે. સાદી
ભાષાની વ્યાખ્યા તો આપી શકાય જ નહિ, પણ સાદી ભાષાથી
આપણે શું સમજીએ છીએ તે વર્ણનથી જણાવી શકીએ. સાદી
ભાષા એટલે પહેલાં તો અતિ અલંકાર વિનાની, રૂપકો
વિનાની, અને વક્રોક્તિ વિનાની ભાષા. સાદી ભાષા તે કહેવાય
કે જે સ્વાભાવિકપણે કહેનારના મોઢામાંથી સર્યે જાય અને
સાંભળનારના કાનમાં સમાઈ જાય. સાદી ભાષા એનું નામ કે
જેની શબ્દપરંપરા એક જ મેળની હોય, એટલે કે જેમાં ન હોય
ઘડીકમાં અઘરા શબ્દોનો ઝૂમખો કે ન આવે ઘડીકમાં સાવ
ગામડિયા શબ્દોનો થોકડો. સાદી ભાષાનો અર્થ એવો કરાય કે
જેને સમજતાં વાર ન લાગે, જે સાંભળનારની બુદ્ધિશક્તિને
અનુસરતી હોય ને જે સાંભળનારમાં વાર્તાનો રસ બરાબર જમાવી
શકતી હોય. મેં ઘણી વાર જોયું છે કે વાર્તા સાદી ભાષામાં કહેતા
આવડવાની ખામીને લીધે જ તેનું કથન નિષ્ફળ જાય છે.
કેટલાએક એવા માણસો જોયા છે જે સાદી ભાષા વાપરી જ શકે
નહિ. તેઓ ભાષાના એવા ઊંચા શિખર પર રહે છે કે ભાષાની
સપાટી પર આવવું તેમને અત્યંત આકરું પડે છે. લોકભાષા
સ્વાભાવિકપણે સાદી જ છે. જો આપણને લોકભાષાનો બરાબર
પરિચય હોય તો તે વાર્તા માટે સાદી ભાષાની શોધમાં જવું ન
પડે. શહેરની સ્ત્રી જેમ જેમ ચીપી ચીપીને બોલતી જાય છે તેમ
તેમ તેને જે કહેવાનું છે તે આપણને ઓછું સમજાતું જાય છે. પણ<noinclude></noinclude>
jlefuunmwdvpqfj5nt0essd16j3cxxg
પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૭
104
67266
216296
206216
2025-07-09T01:10:17Z
Snehrashmi
2103
216296
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Snehrashmi" />'''{{સ-મ|વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?||૯૯}}'''</noinclude>ગામડાની ભોળી કણબણ ધડધડ બોલે છે ત્યારે નથી તેને ચીપી
ચીપીને બોલવું પડતું, નથી તેને શબ્દો શોધવા જવું પડતું કે નથી
તેને અચકાવું પડતું કે ડોળ કરવો પડતો. એ તો જાણે કોઈ
સીધાસાદા સ્થલપ્રદેશ પર એકાદ સરલ સરિતા સરી પડતી હોય
એમ આપણને લાગે છે. આટલો જ તફાવત શિષ્ટ ભાષાવાળી
વાર્તામાં અને લોકભાષા ભરેલી વાર્તામાં પડે છે. અહીં એક સાદી
ભાષાવાળી વાર્તાનો નમૂનો બસ થશે.
{{center|'''દલાતરવાડીની વાર્તા'''<ref>*બાળવાર્તા ભાગ ત્રીજો. પ્રકાશક:- શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર, ભાવનગર.</ref>}}
એક હતો તરવાડી. એનું નામ હતું દલો. દલા તરવાડીની
વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા
તરવાડીને કહ્યું : "તરવાડી રે તરવાડી !”
તરવાડી કહે : "શું કહો છો, ભટ્ટાણી ?"
ભટ્ટાણી કહે. "રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં
લાવોને રીંગણાં !”
તરવાડી કહે : "ઠીક."
તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ચુકઠચુક
કરતા ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા, પણ વાડીએ
કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો : "હવે કરવું શું ? વાડીનો
ધણી અહીં નથી અને રીંગણા કોની પાસેથી લેવાં ?”
છેવટે તરવાડીએ ઠરાવ્યું : "વાડીનો ધણી નથી તો વાડી તો
છેને ! ચાલો વાડીને પૂછીએ.”
તા દલો કહે : "વાડી રે બાઈ, વાડી !”
વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું : "શું કહો છો, દલા
તરવાડી ?"<noinclude><hr>
{{reflist}}</noinclude>
0ug721nntqi717xzfmj4ibufqp44q5p