વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.24
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૩૮
104
72731
221568
221433
2026-04-24T14:14:26Z
Meghdhanu
3380
/* Validated */
221568
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૨૫}}<hr>'''</noinclude>
{{gap}}'''માણસ''' ગમે તે કામ કરે, કડિયાનું, કારીગરનું કે કલાકારનું પણ જ્યાં એનું હૃદય આનંદ પામતું નથી, એ દરેક કામ એને પોતાને મનુષ્ય તરીકે નીચે ઉતારે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' મનુષ્ય પોતાના વિષે કોઈ પણ દિવસ ચિંતન કરતો નથી, તે વર્ષોનાં વર્ષો જીવે છતાં કાંઈ જ કરતો નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''ઘણાં''' ખરાં મનુષ્યો આખો દિવસ કામ કરે છે, ઘણાં ઉદ્યોગી હોય છે, પણ એ ઉદ્યોગ આળસને કેમ સારું કરી દેખાડવું એવો જ હાય છે. એ ઉદ્યોગને મુકાબલે નિરુદ્યોગીનુ એકાંત ચિંતન વધારે સારું.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''આ''' જ સત્ય છે, અને બીજું સત્ય નથી, એમ કહેવામાં જ અસત્યનો અંશ છે.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
8ncca1wg8aq8ox7x60m9skqsqhxsql1
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૩૯
104
72732
221569
221435
2026-04-24T14:17:41Z
Meghdhanu
3380
/* Validated */
221569
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૨૬||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''જેને''' જાણવાની ઈચ્છા થાય એણે પોતાનું જીવન પહેલું જાણવું. સઘળું જાણવાનું ત્યાંથી જ શરૂ થાય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જેણે''' કોઈ દિવસ અમુક પરિસ્થિતિ પસાર કરીને નૈતિક બળની તુલના, પોતા પૂરતી કરી નથી, તે મનુષ્ય નીતિમાન–અનીતિમાન કાંઈ નથી. તેનામાં અનીતિની ગેરહાજરી એ સદ્ગુણ નથી; પણ અજ્ઞાનનો દુર્ગુણ છે. કસોટીએ ચડાવ્યા વિનાનું કહેવાતું નૈતિકબળ એ યંત્ર જેવી જડ અવસ્થા છે. એ વખતે તારે, પણ ઘણું ખરું ડુબાડે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પોતાનામાં''' દોષ નથી એમ ટેવથી માનનારો મનુષ્ય ગમે તેટલો વિદ્વાન હોય પણ અભણ જ છે; જ્યારે પોતાનો માત્ર એક જ દોષ જોઈને એ દોષને કાઢવા મથનારો મનુષ્ય અભણ છતાં વિદ્વાન છે.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
9ewxxurd89t6wyhsoapu4knbuompo5n
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૦
104
72733
221570
221481
2026-04-24T14:21:12Z
Meghdhanu
3380
/* Validated */
221570
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૨૭}}<hr>'''</noinclude>
{{gap}}'''જે''' વાચન ચિંતન પ્રેરે નહિ, તેમ જ જે વાચન ચિંતન માટે હોય નહિ, તે વાચન, જેવું દારૂનુ, બીડીનું, તમાકુનું વ્યસન છે, તેમ નિરૂદ્યોગીનું વ્યસન છે. ઘણા ખરાં મનુષ્યો વ્યસન તરીકે જ વાંચે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''હૃદય–દૌર્બલ્યમાંથી''' જન્મેલો સંતોષ, મનુષ્યને તૃપ્તિનો આનંદ આપતો નથી, અને અજ્ઞાનથી મળેલા દારિદ્રય તરફ જડતાભરેલી શ્રદ્ધા પ્રગટાવે છે. સંતોષ એ મનુષ્યનો પરમ મિત્ર છે; અને એના જેવો ભયંકર દુશ્મન પણ બીજો કોઈ નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''શક્ય''' હોય કે અશક્ય, પણ જે સત્ય છે તે જ ધ્યેય રહેવું જોઈએ; અશક્યતાની એવી જબ્બર ખડકો સાથે સત્યનો અફળાઈ ને ભૂક્કેભૂક્કો થઈ જાય છે, ત્યારે તેમાંથી જ મનોરમ નવી સૃષ્ટિ રચાય છે.<noinclude></noinclude>
7rilaq8dzz57l7yf6oq5tipb1oxgpgy
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૧
104
72734
221571
221482
2026-04-24T14:25:15Z
Meghdhanu
3380
/* Validated */
221571
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૨૮||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''કસોટી''' પર ચડ્યે જે સોએ સો ટકાનો ટંચન જેવો જવાબ વાળે તે સંસ્કાર. ઘણાખરાં મનુષ્ય વાંચેલા દેખાય છે. કેટલાક વિદ્વતાને ડોળનું સાધન માને છે: બીજાને મન એ યશપ્રાપ્તિનું અંગ છે. આજીવિકા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. અને પરિણામે ઘણી વખત સમય ઉપર જવાબ વાળનારો દસ વર્ષનો છોકરો જેટલો સંસ્કારસ્વામી હોય છે, તેટલો સો વર્ષનો અનુભવાર્થી કે વિદ્વાન નથી હોતો. સંસ્કારનું બીજ કલ્પનાની ભોમ માગે છે, પ્રેરણાનુ જળ માગે છે : અને મુશ્કેલીભર્યું
મેદાન માગે છે.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
i3jp7pnff80qhv1iscidrinnm0n3hp1
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૫
104
72748
221572
221229
2026-04-24T16:00:06Z
Amvaishnav
156
/* Proofread */
221572
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૪૨||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''આજે''' જેને પ્રતિષ્ઠા, જેને સમાજસુધારો, જેને સંસ્કાર કહેવામાં આવે
છે, તે દરેકે દરેક બાબત એક પોલા પાયા ઉપર ઊભી છે. વધારેમાં વધારે લેવું અને ઓછામાં આછું આપવું. એવી વ્યાપારી વૃત્તિ અને . . . . . . .પૈસાને જ કલા, સાહિત્ય ને સંસ્કાર, ધર્મ, પ્રેમ ને ભક્તિ, પ્રતિષ્ઠા, માન ને મહત્તા વરે છે તે સ્થિતિ, શકય રહે ત્યાં સુધી, પુસ્તકો કેમ વાંચવાં એવાં ભાષણ, એ સાંસારિક કે સામાજિક સુધારો ગણાવાને બદલે, હડહડતો દંભ જ ગણાવો જોઈએ. અત્યારનો સમાજ ધડાકાબંધ ફૂટી ને ઊડી શકે તેવા દારૂગેાળાના ભંડાર ઉપર ઊભો છે, અને એટલા માટે એણે નીતિનો સ્વાંગ પહેર્યો છે—-જેમ મરણોન્મુખ મનુષ્ય ઈશ્વરને સંભારે છે તેમ.<noinclude></noinclude>
n1nte7zmij8jdopexfhahdbmtp2mec0
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૬
104
72749
221573
221230
2026-04-24T16:04:21Z
Amvaishnav
156
/* Proofread */
221573
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />''{{rh|રજકણ||૪૩}}<hr>'''</noinclude>
{{gap}}'''મૃત્યુની''' હાકલને જે બરાબર જવાબ આપે છે તે જુવાન છે. અને તેને નિત્ય યૌવન વરે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સમાજમાં''' સમન્વય્ સ્થાપવાનો પ્રયત્ન કરનાર દરેક મનુષ્ય કલાકાર છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સર્જનને''' માટે આરામની જરૂર અવશ્ય છે, પણ દરેક આળસુ પળ તે આરામ નથી. એ ઉદ્યોગી પળેાની વચ્ચે જે આરામ રહે છે તે વધારે આકર્ષક હોય છે: કદાચ વધારે ઉપયોગી પણ હોય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''વિજ્ઞાનની''' સઘળી શોધો પૂરી થયા પછી પણ અગમ્યવાદની એકાદ કડી તો બાકી રહેશે જ.<noinclude></noinclude>
p7o6wi7ru942vzik62ejnrg410pex4s
221574
221573
2026-04-24T16:04:50Z
Amvaishnav
156
221574
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૪૩}}<hr>'''</noinclude>
{{gap}}'''મૃત્યુની''' હાકલને જે બરાબર જવાબ આપે છે તે જુવાન છે. અને તેને નિત્ય યૌવન વરે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સમાજમાં''' સમન્વય્ સ્થાપવાનો પ્રયત્ન કરનાર દરેક મનુષ્ય કલાકાર છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સર્જનને''' માટે આરામની જરૂર અવશ્ય છે, પણ દરેક આળસુ પળ તે આરામ નથી. એ ઉદ્યોગી પળેાની વચ્ચે જે આરામ રહે છે તે વધારે આકર્ષક હોય છે: કદાચ વધારે ઉપયોગી પણ હોય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''વિજ્ઞાનની''' સઘળી શોધો પૂરી થયા પછી પણ અગમ્યવાદની એકાદ કડી તો બાકી રહેશે જ.<noinclude></noinclude>
sfc5dlem7afgijlockajctwdj8ibfn0
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૭
104
72750
221575
221231
2026-04-24T16:10:40Z
Amvaishnav
156
/* Proofread */
221575
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૪૪||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''સાચા''' પ્રેમની એક કવિતાથી મનુષ્ય જેટલો તેજસ્વી અને જીવંત અને છે, તેટલો કોઈ પણ ધર્મના વર્ષોના અભ્યારાથી પણ બની શકતો નથી. ખરી વાત એ છે કે સાચો પ્રેમ એ જ સાચો ધર્મ છે. એ બન્ને સમાનાર્થ શબ્દો છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''વિશ્વક્રમમાં''' અહિંસાને સ્થાન નથી, અહિંસક હિંસાને છે. અહિંસક હિંસા, એ અનિવાર્ય, જરૂરિયાતમાંથી જન્મતો, મનુષ્ય માત્રનો ક્ષાત્રધર્મ છે. કૃષ્ણે વાપરેલા ગીતાનો અહિંસા શબ્દ એ એ વિષય ઉપરનો છેલ્લો શબ્દ છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''ઇશ્વરને''' નકારનાર ખરો હિંમતવાન મનુષ્ય ઈશ્વરની વધારે પાસે છે: એની પાસેથી રક્ષણ મળે માટે એનાં ગુણગાન કરનાર મનુષ્ય કરતાં.<noinclude></noinclude>
5mx1w41pzdpipisi065v8dt3zqhd8u6
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૮
104
72751
221576
221232
2026-04-24T16:16:27Z
Amvaishnav
156
/* Proofread */
221576
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૪૫}}<hr>'''</noinclude>
{{gap}}'''મૂર્ખાઓ !''' તમને કોણે કહ્યું કે સંસાર કરતાં સ્વર્ગ વધારે સોહામણું છે ? સ્વર્ગમાં પરિશ્રમ અને પ્રયત્ન કર્યો છે? સ્વર્ગમાં વેદનાને કોણ જાણે છે ? હા, એટલું ખરું, સંસારમાંથી આ ત્રણને લઈ લઈએ-પરિશ્રમ, પ્રયત્ન અને વેદનાને–તો સંસાર સ્વર્ગ જેવો બને ખરો-વિવિધતા વિનાનો, એકધારો, આળસુ, ને વ્યાજ ઉપર જીવનારો.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સાધારણ''' જનતા આપણે માનીએ છીએ તેના કરતાં વધારે સંસ્કારી નહિ હોય; પણ વધારે સાચી તો છે જ.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''કેવળ''' પ્રાણહીન તો તે જ છે જેણે કોઈ દિવસ પ્રયત્ન કર્યો નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''મૃત્યુ''' એ ભ્રમણા છે એમ જાણનારો જીવનનો પાર પામી ચૂક્યો છે. એને હવે નવું શેાધવાનું કાંઈ નથી. જે મેળવ્યું તે આચારમાં મૂકવાનું છે.<noinclude></noinclude>
pjwpcm7wjxdlf9v0le5y7t99zt82rnz
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૯
104
72752
221577
221233
2026-04-24T16:23:36Z
Amvaishnav
156
/* Proofread */
221577
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૪૬||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''ખરી''' કોઈ પણ વસ્તુ, ખોટામાંથી પણ જન્મે છે; જે મનુષ્ય ‘સાચો’ હોવાનો ડોળ કરે છે તે કોઈક દિવસ કેસરિયા કરવા સૌને મોખરે નીકળે; જે બાળક ખોટા ખેાટા અક્ષર અક્ષર લખે છે તે કોઈક દિવસ સાચા પાડે; એટલા માટે અનીતિ તરફ કેવળ ઘૃણાની દૃષ્ટિથી જોનારા સાચી નીતિનું રહસ્ય જ સમજ્યા નથી. સાચી અનીતિમાંથી નીતિ જન્મવાનો સંભવ છે. ખરા વ્યભિચારીને કોઈ પણ દિવસ સાચો પ્રેમ મળવાનો સંભવ છે. દુનિયામાં, એ દૃષ્ટિએ ધિક્કારવા જેવું હલકામાં હલકું અને પાપીમાં પાપી જોઈ છે જ નહીં. જે પાપીને ધિક્કારે છે તે જ ખરો પાપી છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''મને''' કેવળ પુણ્યનો સરળ માર્ગ બતાવીને મારું અધ:પતન કાં કરો ?<noinclude></noinclude>
71zbcs0ttxa6lwmd0xbqsqyfyo502jl