વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.46.0-wmf.26
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
સભ્ય:James500
2
55888
221642
182474
2026-04-30T07:54:28Z
James500
3637
/* */ Remove template
221642
wikitext
text/x-wiki
{{#babel:en}}
[[en:User:James500]]
eu13so1xoub6xvcjld6yea9o5qsrodx
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૫
104
72738
221622
221609
2026-04-29T16:03:10Z
Snehrashmi
2103
221622
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૩૨||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''નબળાઈનાં''' આંસુ ! તમે કવિતારૂપે કાં વહો ? ગુપ્તવિકારનાં અગ્નિબિંદુ ! તમે જ કલારૂપે રહેશો ? ન જીવેલા જીવનના પડઘા ! તમારું નામ જ કલ્પના?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''વિજયમાળાનાં''' ઘણાંખરાં મોતી ખોટાં ફટકિયાં છે; સાચાં મોતી તો પરાજિત યોદ્ધાની આંસુવિનાની આંખમાં હોય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જીવનનો''' સાચો મર્મ સમજનાર મનુષ્ય હરકોઈ પળે મૃત્યુને માટે તૈયાર હોય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' આંસુ વજ્ર જેવા હૃદયમાંથી વહે છે એ કવિતા રચે છે; વિલાસની ભસ્મમાંથી સરજેલી સૌંદર્યમૂર્તિ કલા ઘડે છે; અને જ્ઞાનશક્તિના અભાવે જે સ્વપ્ન કોઈએ જોયું પણ નહિ એ સ્વપ્ન જેણે સાચું કરી બતાવ્યું એને કલ્પનાની રાણી કહે છે. કવિતા, કલા અને કલ્પના – જીવનનાં એ ત્રણ પરમ અમૃતિબંદુ છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
ptokic4rk4r4901fl4kynpzvlbehul5
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૬
104
72739
221623
221610
2026-04-29T16:04:33Z
Snehrashmi
2103
221623
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|રજકણ||૩૩}}<hr>'''</noinclude>
{{gap}}'''અનેક''' પ્રશ્ન અને અનેક પંથમાંથી, જે માણસ પોતાની એક નાની સરખી કેડી શોધી કાઢે છે, તેને જ જીવન–અરણ્યનો છેડો દેખાય છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સાધુ'''પુરુષો જેને રેતીના કણ માને છે તેને જ સામાન્ય મનુષ્યો સોનાની રજ ગણે છે. એટલે સાધુપુરુષો મહત્ત્વાકાંક્ષાને ઠોકરે મારી મહત્તાની શોધ કરે છે; ને સામાન્ય મનુષ્યો મહત્તાને ઠોકરે મારી મહત્ત્વાકાંક્ષામાં રાચે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' બળની કોઈ ગણતરી કરી શકતું નથી તેનું નામ શ્રદ્ધા
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પૃથ્વીના''' પટ ઉપર જેટલા કીર્તિસ્થંભો ઊભા છે, એના કરતાં અનેક ગણા વધારે કીર્તિસ્થંભો પૃથ્વીના પેટાળમાં છે. એ અણલખ્યા ને અણરચ્યા કીર્તિસ્થંભો જ દુનિયામાં સાચી જીવનસુગંધ ફેલાવે છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
mdyszklsurv47bpj9rl5fid3xyiwp2m
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૭
104
72740
221624
221611
2026-04-29T16:05:36Z
Snehrashmi
2103
221624
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''{{rh|૩૪||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''જે''' કોયડો અણઉકલ્યો પડ્યો હોય તેનો ઉકેલ કરવા મથવું એ માનસ સાચો પુરુષાર્થ બતાવે છે. એમાં અગમ્યતા જોવી એ આંધળી શ્રદ્ધાનું લક્ષણ છે; એનો ઉપહાસ કરવો એ અભિમાનભર્યું અજ્ઞાન દેખાડે છે. સામાન્ય માણસ કાં તો નમે છે અથવા મશ્કરી કરે છે. અસામાન્ય માણસ જ એનો ઉકેલ કરવા મથે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''માત્ર''' જીવંતમૃત્યુ પામેલો મનુષ્ય અને દર પળે જીવન જીવતો મનુષ્ય બે જ જણા સ્થિર રહી શકે છે. પહેલો પોતાના અજ્ઞાનથી, બીજો પોતાના જ્ઞાનબળથી.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
lecacmmnvk6ftoa5ic9sjjblljvl77x
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૮
104
72741
221625
221560
2026-04-29T16:08:10Z
Snehrashmi
2103
/* Validated */
221625
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૩૫}}<hr>'''</noinclude>
{{gap}}'''અનીતિને''' ધિક્કારવા નીતિ જન્મતી નથી. સાચી નીતિ જન્માવવી હોય તો તે માત્ર એક જ રીતે શક્ય છે. જે જે વાતમાં અનીતિ છે તેના માનસનો અભ્યાસ કરવાથી. કજોડામાંથી જન્મતી અનીતિ એ વસ્તુતઃ નીતિ જ છે. કજોડું અનીતિ ગણાય ખરું. વૃદ્ધ-લગ્નમાંથી જન્મતો વ્યભિચાર એ પ્રેમ કહેવાય; પણ વૃદ્ધ-લગ્ન વ્યભિચાર ગણાય ખરાં. ગાદીતકિયે પડી રહેતા, શરીર કેળવણી પ્રત્યે લક્ષ ન રાખનાર, લક્ષાધિપતિની સ્ત્રી, શૉફર, ભટ કે ઘાટી સાથે પ્રેમની વાતો કરે તે અનીતિ નથી. પૈસા વધારવા ને શરીર ન કેળવવું એ અનીતિ ગણાય ખરી. મજૂર દારૂ પીવા દોડે તેમાં અનીતિ નથી. એને દારૂ પીતો કરી મૂકનાર વ્યવસ્થાને દારૂડીઓ અથવા કલાલ કહેવાય. વીઝીટ માટે દોડાદોડ કરી પૈસાપૈસા ઝંખનાર ડૉક્ટર, શરીર શણગારીને બેસનારી ને પેટ માટે પ્રમાણિક વ્યભિચાર કરનારી ફોરાસ રોડની કોઈ પણ સ્ત્રીને મુકાબલે, વધારે હલકો અને વધારે અનીતિમાન ગણાય.
{{nop}}<noinclude></noinclude>
og31agq6axk51xf5oul9l78vtwf5897
221628
221625
2026-04-29T16:10:31Z
Snehrashmi
2103
221628
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૩૫}}<hr>'''</noinclude>
{{gap}}'''અનીતિને''' ધિક્કારવા નીતિ જન્મતી નથી. સાચી નીતિ જન્માવવી હોય તો તે માત્ર એક જ રીતે શક્ય છે. જે જે વાતમાં અનીતિ છે તેના માનસનો અભ્યાસ કરવાથી. કજોડામાંથી જન્મતી અનીતિ એ વસ્તુતઃ નીતિ જ છે. કજોડું અનીતિ ગણાય ખરું. વૃદ્ધ-લગ્નમાંથી જન્મતો વ્યભિચાર એ પ્રેમ કહેવાય; પણ વૃદ્ધ-લગ્ન વ્યભિચાર ગણાય ખરાં. ગાદીતકિયે પડી રહેતા, શરીર કેળવણી પ્રત્યે લક્ષ ન રાખનાર, લક્ષાધિપતિની સ્ત્રી, શૉફર, ભટ કે ઘાટી સાથે પ્રેમની વાતો કરે તે અનીતિ નથી. પૈસા વધારવા ને શરીર ન કેળવવું એ અનીતિ ગણાય ખરી. મજૂર દારૂ પીવા દોડે તેમાં અનીતિ નથી. એને દારૂ પીતો કરી મૂકનાર વ્યવસ્થાને દારૂડીઓ અથવા કલાલ કહેવાય. વીઝીટ માટે દોડાદોડ કરી પૈસાપૈસા ઝંખનાર ડૉક્ટર, શરીર શણગારીને બેસનારી ને પેટ માટે પ્રમાણિક વ્યભિચાર કરનારી ફોરાસ રોડની કોઈ પણ સ્ત્રીને મુકાબલે, વધારે હલકો અને વધારે અનીતિમાન ગણાય.<noinclude></noinclude>
3dgx60v1e0wz1q0aua8mf8i1p5xf05i
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૪૯
104
72742
221627
221561
2026-04-29T16:10:02Z
Snehrashmi
2103
/* Validated */
221627
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૩૬||રજકણ}}<hr>'''</noinclude>
. . . . . . . પેલી સ્ત્રીનો વ્યભિચાર ‘પ્રમાણિક’ છે, પ્રમાણિક એટલા માટે કે જે એને વ્યભિચારમાં મળે છે તે મજૂરીમાં મળવાનું જ્યાં સુધી સમાજ શક્ય ન બનાવી શકે ત્યાં સુધી વ્યભિચાર કરીને વધારેમાં વધારે લેવું એ માનસ, દોડાદોડ કરીને વધારે ટ્યુશન લેવા કે ધમાલ કરીને વિઝીટ ફી પડાવવી, એ માનસ કરતાં કોઈ રીતે હલકું નથી. જે સમાજમાં બુદ્ધિનો વ્યભિચાર કરનારો માણસ પ્રતિષ્ઠિત ગણાતો હોય તે સમાજમાં શરીરનો વ્યભિચાર કરનારી સ્ત્રી વધારે પ્રતિષ્ઠિત ગણાવી જોઈએ. સાધારણ રીતે આવા સમાજમાં નીતિ તે જ છે કે જેને સમાજ અનીતિ માને છે. જે સમાજ મૂળથી ટોચ સુધી નીતિના સ્વાંગ નીચે અનીતિ જ ભજતો હોય, તે સમાજમાં ખુલ્લો નીતિમાન મનુષ્ય નીતિમાન ગણાવો જોઇએ.
{{nop}}<noinclude></noinclude>
59ljc7rjkjca2sncvxpkunluvu192d5
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૦
104
72743
221629
221562
2026-04-29T16:12:20Z
Snehrashmi
2103
/* Validated */
221629
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૩૭}}<hr>'''</noinclude>
{{gap}}'''મનુષ્ય''' જીવનને હણનારું સૌથી સુંદર સાધન ‘કલા’ થઈ શકે છે. પિરામીડની ભવ્યતા પાસે એણે ખોબો ભરીને પીધેલ મનુષ્યના લોહીનો હિસાબ ગણાતો નથી. કલા રહે છે; મનુષ્યનું લોહી સુકાઈ જાય છે. એ લોહીને આજે સજીવન કરીને બોલતું બનાવવું એ આ યુગનો–નામની કલા, નામની સંસ્કૃતિ, નામની ઉચ્ચતા અને હંફાવનારો માનવતાનો સાદ પડ્યો છે. દાંભિક સંસ્કાર અને જંગલીપણું–એ બેમાં જંગલીપણું પસંદ કરવા જેવી વસ્તુ છે.. જંગલી, જીવન જાણે છે, માણે છે, અને વધારે સંસ્કાર મેળવવા યત્ન કરે છે. દાંભિક સંસ્કારી–મનુષ્યના લોહી પર આંસુ ન પાડનારો અને કલાના અવશેષ પર વારી જનારો દાંભિકસંસ્કારી–જંગલી નથી; કારણ કે જંગલીપણું પણ અમુક પ્રકારની ઝનૂનભરેલી સચ્ચાઈ માગે છે.
{{nop}}<noinclude></noinclude>
j0h7k5e9u6zhbr9tcncohy2cxgofuza
221631
221629
2026-04-29T16:14:14Z
Snehrashmi
2103
221631
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૩૭}}<hr>'''</noinclude>
{{gap}}'''મનુષ્ય''' જીવનને હણનારું સૌથી સુંદર સાધન ‘કલા’ થઈ શકે છે. પિરામીડની ભવ્યતા પાસે એણે ખોબો ભરીને પીધેલ મનુષ્યના લોહીનો હિસાબ ગણાતો નથી. કલા રહે છે; મનુષ્યનું લોહી સુકાઈ જાય છે. એ લોહીને આજે સજીવન કરીને બોલતું બનાવવું એ આ યુગનો–નામની કલા, નામની સંસ્કૃતિ, નામની ઉચ્ચતા સર્વને હંફાવનારો માનવતાનો સાદ પડ્યો છે. દાંભિક સંસ્કાર અને જંગલીપણું–એ બેમાં જંગલીપણું પસંદ કરવા જેવી વસ્તુ છે.. જંગલી, જીવન જાણે છે, માણે છે, અને વધારે સંસ્કાર મેળવવા યત્ન કરે છે. દાંભિક સંસ્કારી–મનુષ્યના લોહી પર આંસુ ન પાડનારો અને કલાના અવશેષ પર વારી જનારો દાંભિકસંસ્કારી–જંગલી નથી; કારણ કે જંગલીપણું પણ અમુક પ્રકારની ઝનૂનભરેલી સચ્ચાઈ માગે છે.
{{nop}}<noinclude></noinclude>
otbsime41ysfun33wuccqtf2hczfese
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૧
104
72744
221632
221563
2026-04-29T16:16:24Z
Snehrashmi
2103
/* Validated */
221632
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૩૮||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''એક''' મિત્રની નોંધપોથીમાં વાંચ્યું : બે મારવાડી બાઈઓ ભર્યે ગાડે જુતી છે; અને એક શેઠાણી મોટર હાંકવાનો પ્રયત્ન કરતી હોય છે. જેને દૃષ્ટિ હોય તે જોઈ લે કે બોલ્શેવીઝમ અથવા કોઈ પણ ‘ઈઝમ’નાં બીજ આંહી પોષાય છે. એક જીવન જીવવા શરીર નીચોવી નાખે છે, બીજી વખત ગાળવા જીવન નીચોવી નાખે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''ઘણી''' વખત સિદ્ધાંતના પૂજારીઓ, દેવના પૂજારીઓની માફક કે કાયદાશાસ્ત્રીઓની માફક, સિદ્ધાંત અને વર્તન વચ્ચે એક નાની સરખી ખાડી રાખી મૂકે છે. જેના જીવનમાં એ ખાડી નથી હોતી તે મનુષ્ય દુનિયા ફેરવી નાખે છે : પછી તે ગમે તે વાદનો લડવૈયો હોય.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
redh1munz89vjsp6768n2gsullulw7u
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૨
104
72745
221633
221564
2026-04-29T16:17:41Z
Snehrashmi
2103
/* Validated */
221633
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૩૯}}<hr>'''</noinclude>
{{gap}}'''જે''' કોઈ ને પણ પરતંત્ર બનાવતાં ધ્રૂજે તે સ્વતંત્રતાનો ખરો સિપાહી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સ્વાતંત્ર્યનું''' ખરું વાતાવરણ પરતંત્ર રહેવાનું અશક્ચ બનાવે છે. માનવજીવનની જ્યોતિને જે આટલો સ્પર્શ કરી શકે તે જ ખરો સ્વતંત્રતાવાદી છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''દરેક''' લેખક ચોર હોય છે: કેટલાક લખાણમાંથી ચોરે છે, કેટલાક જીવનમાંથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}''''પરાજયનો''' ડંખ અને વિજયનો ગર્વ : જેના હૃદયમાં આ બે વસ્તુ છે તે કદી પણ સાચો યોદ્ધો કે સાચો મનુષ્ય બની શકતો નથી.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
c2lv6w9jiz9d7ntxk056ltw4ihau8nn
221634
221633
2026-04-29T16:18:05Z
Snehrashmi
2103
221634
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૩૯}}<hr>'''</noinclude>
{{gap}}'''જે''' કોઈ ને પણ પરતંત્ર બનાવતાં ધ્રૂજે તે સ્વતંત્રતાનો ખરો સિપાહી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''સ્વાતંત્ર્યનું''' ખરું વાતાવરણ પરતંત્ર રહેવાનું અશક્ચ બનાવે છે. માનવજીવનની જ્યોતિને જે આટલો સ્પર્શ કરી શકે તે જ ખરો સ્વતંત્રતાવાદી છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''દરેક''' લેખક ચોર હોય છે: કેટલાક લખાણમાંથી ચોરે છે, કેટલાક જીવનમાંથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પરાજયનો''' ડંખ અને વિજયનો ગર્વ : જેના હૃદયમાં આ બે વસ્તુ છે તે કદી પણ સાચો યોદ્ધો કે સાચો મનુષ્ય બની શકતો નથી.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
tp34h1gcwurdfr8j8a8eduzotmw357c
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૫૩
104
72746
221636
221565
2026-04-29T16:19:54Z
Snehrashmi
2103
/* Validated */
221636
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૪૦||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''મનુષ્યની''' કિસ્મત અમૂક પ્રસંગોમાં છે. એ પ્રસંગોને એમ ને એમ પસાર થવા દેનાર મનુષ્ય જીવનનાં ઘણાં ઘણાં રહસ્યો જાણ્યા વિનાજ જીવન જીવે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જે''' નિર્ભય છે ને જેનામાં સાચો આનંદ છે–હૃદયમાંથી જન્મતો, માત્ર
સાધનાથી મેળવેલો નહિ–તેણે ઇશ્વરને નકારવાની કે હકારવાની કાંઈ પણ જરૂર નથી. જે હશે તે સ્વયં એનામાં ઊગશે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''હલાહલ''' ઝેરમાં અમૂક પ્રકારની અદ્ભુત મીઠાશ હશે; જો કે કોઇએ એ શોધી નથી. સ્વતંત્રતામાં એવી જ અદ્ભુત મીઠાશ છુપાઈ રહી છે, અને એના આશકોએ એને શોધી છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''અનેક''' મનુષ્યોને જાણ્યા વિના તેમની વચ્ચે રહેવું એ મોટામાં મોટો માનસિક રોગ છે.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
9ysdjy157af5id8jwyqtpkg9yqk3fxi
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૦
104
72773
221626
221254
2026-04-29T16:08:21Z
Amvaishnav
156
/* Proofread */
221626
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૬૭}}<hr>'''</noinclude>
{{gap}}'''માણસની''' જરૂરિયાત જોઈ વધારે વ્યાજ લેવાની વૃત્તિ, એનું દુ:ખ જોઈ લાભ લેવાની વૃત્તિ, છેતરવાની વૃત્તિ, વધારે ભાડું પડાવવાની વૃત્તિ—એ સઘળી વૃત્તિઓ, હિંસાવાદનું જ રૂપ બતાવે છે. અને એવી વૃત્તિવાળો માણસ હિંસા નથી કરતો, તે કેવળ શરીરના દોષને લીધે અને નહિ ક્રે, મનના ગુણને લીધે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''અંતર''' અને બહાર સઘળે અનુપમ જીવંત શાંતિ લાગે, એવી પળ તો એકાદ હજાર વર્ષે એકાદ મનુષ્યના હૃદયમાં પ્રગટે છે. એવી ધન્ય પળે પ્રગટેલા
શબ્દો કેવળ ચૈતન્યમય હોઈ વર્ષોનાં વર્ષો સુધી, મૂળતત્વોની માફક એવા ને એવા સુંદર અને તાજા રહી શકે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પોતાની''' પાસે જે નથી એની ઇચ્છા કરવામાં મનુષ્ય પોતાનો વિકાસ પણ સાધે; અને પતન પણ નિમંત્રે; જેવી એની રીતિ.<noinclude></noinclude>
lsmzrex6h7yxzcdt736kowmpq4ev6y4
221639
221626
2026-04-29T16:25:00Z
Snehrashmi
2103
/* Validated */
221639
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૬૭}}<hr>'''</noinclude>
{{gap}}'''માણસની''' જરૂરિયાત જોઈ વધારે વ્યાજ લેવાની વૃત્તિ, એનું દુઃખ જોઈ લાભ લેવાની વૃત્તિ, છેતરવાની વૃત્તિ, વધારે ભાડું પડાવવાની વૃત્તિ—એ સઘળી વૃત્તિઓ, હિંસાવાદનું જ રૂપ બતાવે છે. અને એવી વૃત્તિવાળો માણસ હિંસા નથી કરતો, તે કેવળ શરીરના દોષને લીધે અને નહિ કે, મનના ગુણને લીધે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''અંતર''' અને બહાર સઘળે અનુપમ જીવંત શાંતિ લાગે, એવી પળ તો એકાદ હજાર વર્ષે એકાદ મનુષ્યના હૃદયમાં પ્રગટે છે. એવી ધન્ય પળે પ્રગટેલા શબ્દો કેવળ ચૈતન્યમય હોઈ વર્ષોનાં વર્ષો સુધી, મૂળતત્વોની માફક એવા ને એવા સુંદર અને તાજા રહી શકે છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''પોતાની''' પાસે જે નથી એની ઇચ્છા કરવામાં મનુષ્ય પોતાનો વિકાસ પણ સાધે; અને પતન પણ નિમંત્રે; જેવી એની રીતિ.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
rsqyehxc0jmelasi2784ashs4r5swji
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૧
104
72774
221630
221256
2026-04-29T16:13:55Z
Amvaishnav
156
/* Proofread */
221630
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૬૮||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''મહાન''' હિંસાવાદીઓએ જીવનની એક પળે અહિંસાની શાંતિ ઝંખી છે; મહાન અહિંસાવાદીઓને જીવનની એક પળે હિંસાના તેજે આકર્ષ્યા છે. હિંંસા અહિંસા બન્ને જીવનનાં ચક્ર છે. એ બન્ને ચક્ર ઉપર સંસાર નભવાનો છે. દરેક આદર્શવાદીએ બેમાંથી એકને કાઢવાનો પ્રયત્ન કર્યો છે અને દરેક એમાં નિષ્ફળ નીવડ્યો છે, પરંતુ જ્યાં સફળતા પ્રયત્નમાં જ રહી છે, અને પરિણામમાં નહિ, ત્યાં એક રીતે દરેક આદર્શવાદી એમાં સફળ થયો છે, એમ પણ કહી શકાય. પણ જ્યારે મનુષ્ય એક જ વાતનો અતિયોગ સાધે છે ત્યારે એ મનોદશા એના જીવનમાં ઓતપ્રોત થઇ જાય છે. એણે એ વસ્તુને ભારપૂર્વક રજુ કરવાનો તપસ્વીને યોગ્ય એવો ધર્મ કેળવ્યો છે, માટે એ વસ્તુ એનાથી એ જ પ્રમાણે રજૂ થશે, અને થવી જ જોઈએ. પરંતુ એવી વ્યક્તિગત મહત્તા છતાં, સંસારનું સત્ય આટલું જ રહેવાનું, કે અહિંસા જીવનનો પાયો છે; જીવનચક્રમાં<noinclude></noinclude>
5bayrtyz6ay4arrhai7v8gujhh0a1o1
221638
221630
2026-04-29T16:23:31Z
Snehrashmi
2103
/* Validated */
221638
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|૬૮||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''મહાન''' હિંસાવાદીઓએ જીવનની એક પળે અહિંસાની શાંતિ ઝંખી છે; મહાન અહિંસાવાદીઓને જીવનની એક પળે હિંસાના તેજે આકર્ષ્યા છે. હિંંસા અહિંસા બન્ને જીવનનાં ચક્ર છે. એ બન્ને ચક્ર ઉપર સંસાર નભવાનો છે. દરેક આદર્શવાદીએ બેમાંથી એકને કાઢવાનો પ્રયત્ન કર્યો છે અને દરેક એમાં નિષ્ફળ નીવડ્યો છે, પરંતુ જ્યાં સફળતા પ્રયત્નમાં જ રહી છે, અને પરિણામમાં નહિ, ત્યાં એક રીતે દરેક આદર્શવાદી એમાં સફળ થયો છે, એમ પણ કહી શકાય. પણ જ્યારે મનુષ્ય એક જ વાતનો અતિયોગ સાધે છે ત્યારે એ મનોદશા એના જીવનમાં ઓતપ્રોત થઇ જાય છે. એણે એ વસ્તુને ભારપૂર્વક રજુ કરવાનો તપસ્વીને યોગ્ય એવો ધર્મ કેળવ્યો છે, માટે એ વસ્તુ એનાથી એ જ પ્રમાણે રજૂ થશે, અને થવી જ જોઈએ. પરંતુ એવી વ્યક્તિગત મહત્તા છતાં, સંસારનું સત્ય આટલું જ રહેવાનું, કે અહિંસા જીવનનો પાયો છે; જીવનચક્રમાં<noinclude></noinclude>
n862pnqnd1yqpr5l10qg45p7p95t5ai
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૨
104
72775
221635
221257
2026-04-29T16:19:14Z
Amvaishnav
156
/* Proofread */
221635
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૬૯}}<hr>'''</noinclude>
હિંસાને સ્થાન છે. નમાલાની અહિંસા ત્યાજ્ય છે, ખૂનીની હિંસા અધમતા છે;
ઊંચામાં ઊંચા પ્રકારનો પ્રેમ-ધર્મી અહિંસા ઉપર જ રચાય . . . . . . .છે સ્વાર્પણ ને સર્વસ્વ બલિદાનના પ્રસંગો હિંસાને મુકુટ પહેરાવે છે. નેપોલિયન વિનાની પૃથ્વી નમાલી લાગે છે; ગૌતમબુદ્ધ વિનાનો સંસાર સુગંધહીન લાગે છે. જ્યાં સુધી જીવન છે, સંસાર છે, સંયમ છે, અને માનવજાત પર અતિવૃષ્ટિનાં જળ ફર્યાં નથી, ત્યાં સુધી ગુલાબના ફૂલની સુંગધ જેવી અહિંસા રહેશે . . . અને એના રંગ જેવી હિંસા પણ રહેશે. અહિંસા એ વીરધર્મ છે. જરૂરી હિંસા પણ વીરધર્મ છે. બેમાંથી
એકે નિર્માલ્ય ખૂનીનો કે જલ્લાદનો ધર્મ નથી. એ તો મનુષ્યની રાક્ષસી વૃત્તિનો પડછંદો જ છે. મનુષ્ય રાક્ષસ થઈ ને ખૂની બને એના કરતાં તો ગુલામ રહે એ
વધારે સારું.
{{સ-મ| |◎ | }}<noinclude></noinclude>
41rug9ddeub7wn8ppov1dvus2qityva
221637
221635
2026-04-29T16:22:17Z
Snehrashmi
2103
/* Validated */
221637
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''{{rh|રજકણ||૬૯}}<hr>'''</noinclude>
હિંસાને સ્થાન છે. નમાલાની અહિંસા ત્યાજ્ય છે, ખૂનીની હિંસા અધમતા છે; ઊંચામાં ઊંચા પ્રકારનો પ્રેમ–ધર્મ અહિંસા ઉપર જ રચાય . . . . . . .છે સ્વાર્પણ ને સર્વસ્વ બલિદાનના પ્રસંગો હિંસાને મુકુટ પહેરાવે છે. નેપોલિયન વિનાની પૃથ્વી નમાલી લાગે છે; ગૌતમબુદ્ધ વિનાનો સંસાર સુગંધહીન લાગે છે. જ્યાં સુધી જીવન છે, સંસાર છે, સંયમ છે, અને માનવજાત પર અતિવૃષ્ટિનાં જળ ફર્યાં નથી, ત્યાં સુધી ગુલાબના ફૂલની સુંગધ જેવી અહિંસા રહેશે . . . અને એના રંગ જેવી હિંસા પણ રહેશે. અહિંસા એ વીરધર્મ છે. જરૂરી હિંસા પણ વીરધર્મ છે. બેમાંથી એકે નિર્માલ્ય ખૂનીનો કે જલ્લાદનો ધર્મ નથી. એ તો મનુષ્યની રાક્ષસી વૃત્તિનો પડછંદો જ છે. મનુષ્ય રાક્ષસ થઈ ને ખૂની બને એના કરતાં તો ગુલામ રહે એ વધારે સારું.
{{સ-મ| |◎ | }}
{{nop}}<noinclude></noinclude>
afz758owp3aw1rb0a9fslfp9utugu44
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૩
104
72776
221640
221258
2026-04-29T16:33:32Z
Amvaishnav
156
/* Proofread */
221640
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|૭૦||રજકણ}}<hr>'''</noinclude>
{{gap}}'''સિદ્ધિ''' વિનાની પ્રસિદ્ધિ: મનુષ્યને શબ બનાવવા માટે એટલું ઝેર બસ છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''નિરાશાના''' સમુદ્રમાં પ્રગટેલા આશાના બિંદુએ મનુષ્યોને વજ્જરના બનાવ્યા છે.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''દુનિયામાં''' આવું મોટું કોઈ સાહસ નથી : સિદ્ધાંત બાંધવો.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જીવનની''' કઈ પળ વધારે મીઠી છે ? જીવનનું પહેલું ભાન પ્રગટે તે, કે જીવનનું છેલ્લું ભાન જાય તે ?
{{સ-મ| |◎ | }}
{{gap}}'''બીજું''' કાંઈ નહિ તો, ન જોયેલા જીવનની મીઠાશ કેવીક છે એ જાણવા માટે તો કાંઈક પ્રયત્ન કરી જો.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''જીવનનો''' તાગ લીધા વિના જીવવું એ તો કેવળ સામાન્યજનની મૂર્ખાઈનું અંધ અનુકરણ જ છે.<noinclude></noinclude>
re0hc1irs70t7oyed4pj4mm17yjn43b
પૃષ્ઠ:Rajakan by Dhumketu.pdf/૮૪
104
72777
221641
221259
2026-04-29T16:39:22Z
Amvaishnav
156
/* Proofread */
221641
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''{{rh|રજકણ||૭૧}}<hr>'''</noinclude>
{{gap}}'''ઘણા'''ખરા મનુષ્યો બીજા જીવે છે માટે જ જીવે છે; બીજાં સંસાર ચલાવે છે, માટે જ સંસાર ચલાવે છે; બીજાં જે કરે છે, તે પ્રમાણે જ કરે છે. વ્યક્તિગત જરૂરિયાતો એ જીવનનો સાચો પાયો છે, એમ ઘણાને ખબર જ હોતી નથી.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''ઘાટા''' અરણ્યમાં ચાલી જતી લાંબી લાંબી દંડી જોયા પછી, મને જીવનમાં એક ગહન ડૂબકી મારવાનું મન થાય છે; ભલે પગદંડીના છેડાની પેઠે, એ
પ્રયત્નને અંતે ઊંડો નિ:શ્વાસ જ હોય.
{{સ-મ| |◎ | }}
{{gap}}'''દરેકના''' જીવનમાં અથાગ, અગાધ અને વિવિધ શક્તિ ભરી છે.જે એ શક્તિને જાણતો નથી, તે માત્ર વખત જ કાઢે છે.<noinclude></noinclude>
mndbew97n0aqskvqv1bzsgj0p3mnccu