વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.47.0-wmf.6
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
શ્રાવ્યપુસ્તક
શ્રાવ્યપુસ્તક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Event
Event talk
પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૪
104
44114
222602
195130
2026-06-11T12:28:50Z
Parth Anonymous
4587
/* Validated */
222602
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ|૨૮૬|સરદાર વલ્લભભાઈ|}}</noinclude><small>
:હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસ અને બ્રિટિશ સરકારની વસાહત ઑફિસ મંજૂર રાખશે ત્યારે તેનો સ્વીકાર થયેલો ગણાશે.
{{gap}}“ આ સમિતિ વિશ્વાસ રાખે છે કે એ કરારનો ઝાંઝીબારની સરકાર તરફથી એવી રીતે અમલ થશે જેથી હિંદી કોમને પૂરેપૂરો સંતોષ થાય અને એની પ્રત્યે ભેદભાવથી વર્તવામાં આવે છે, એવી શંકા કે વહેમને જરા પણ અવકાશ ન રહે. ઝાંઝીબારની હિંદી કોમે પરદેશમાં વસતા હિંદીઓના હકો માટે જે બહાદુરીભરી અને સફળ લડત ચલાવી છે, તેને સારુ આ સમિતિ તેને મુબારકબાદી આપે છે. જે વેપારીઓએ ખાસ કરીને મુંબઈમાં પુષ્કળ ભોગ આપીને વફાદારીથી સાથ આપ્યો છે અને આ સવાલનો સફળ અંત આણવામાં આટલો મોટો ફાળો આપ્યો છે, એ વેપારીઓનો આ સમિતિ આભાર માને છે. લવિંગ બહિષ્કાર સમિતિએ ઉઠાવેલી જહેમતની પણ આ સમિતિ કદર કરે છે.”
</small>
{{gap}}ઉપરના હરાવમાં જણાવેલા કામચલાઉ સમાધાનને બ્રિટિશ સરકારની વસાહત ઓફિસે બહાલી આપી એટલે એ સમાધાન પાકું થયું. સરદારે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે લવિંગનો બહિષ્કાર ઉઠાવી લેવાને માટે આપણે જે શરત મૂકી હતી તે બધી શરતોનું પાલન થયું છે અને આપણી લડતનો સફળ અંત આવ્યો છે. હવે ઝાંઝીબાર તથા માડાગાસ્કરથી આવતા લવિંગનો વેપાર કરવામાં કશી હરકત નથી. પણ આ કમિટી એવો વિશ્વાસ રાખે છે કે જનતા તેમ જ છૂટક વેપારીઓ જે પેઢીએાએ બહિષ્કારમાં વફાદારીથી સાથ આપ્યો છે તે પેઢીઓને ઉત્તેજન આપશે. ઝાંઝીબારની હિંદી કોમને તથા બહિષ્કારમાં સાથ આપનારા હિંદુસ્તાનના લવિંગના વેપારીઓને મુબારકબાદી આપીને મુંબઈ પ્રાંતિક સમિતિના સ્વયંસેવકો ખરી કટોકટીને વખતે છ અઠવાડ્યિાં સુધી કડક ચોકી કરી હતી તેમને ધન્યવાદ આપ્યા. છેવટે જણાવ્યું કે આ પ્રસંગ ઉપરથી પરદેશમાં વસતા હિંદીઓની ખાતરી થશે કે કૉંગ્રેસ તેમને મદદ કરવા હંમેશાં તત્પર હોય છે.
{{gap}}ફેડરેશન વિષે પણ આ કૉગ્રેસમાં મહત્ત્વનો ઠરાવ પસાર થયો હતો. તેનો ઉલ્લેખ દેશી રાજ્યો વિષેના ઠરાવ ઉપર બોલતાં સરદારે પોતાના ભાષણમાં કર્યો છે. છેલ્લે જે વિશ્વયુદ્ધ થઈ ગયું તેના ભણકારા હરિપુરા કૉંગ્રેસ વખતથી વાગવા માંડ્યા હતા. એટલે તે વિષે નીતિ જાહેર કરવાની જરૂર હતી. અત્યારે આપણને સ્વાતંત્ર્ય મળ્યું છે ત્યારે પણ પરદેશો સાથેની આપણી નીતિ તે વખતે જે જાહેર કરવામાં આવી હતી તેવી જ લગભગ રહી છે. એ ઠરાવનો મહત્ત્વનો ભાગ નીચે આપ્યો છે :
<small>
{{gap}} “ હિંદુસ્તાનના લોકો પોતાના પાડોશીઓ અને બીજો સધળા દેશો સાથે સુલેહશાન્તિથી અને મિત્રાચારીથી રહેવા ઇચ્છે છે. એ હેતુથી સંધર્ષનાં જેટલાં કારણો હોય તે તમામ એ દુર કરવા ચાહે છે. એક રાષ્ટ્ર તરીકે પોતાની મુક્તિ અને સ્વતંત્રતા માટેના પ્રયત્ન કરતાં, બીજાઓના સ્વાતંત્ર્ય પ્રત્યે તે આદર
</small><noinclude></noinclude>
8ay77aquyis6rpjs60p39fh1vr3zdq5
222609
222602
2026-06-11T16:18:58Z
Meghdhanu
3380
222609
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ|૨૮૬|સરદાર વલ્લભભાઈ|}}</noinclude><small>
:હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસ અને બ્રિટિશ સરકારની વસાહત ઑફિસ મંજૂર રાખશે ત્યારે તેનો સ્વીકાર થયેલો ગણાશે.
{{gap}}“ આ સમિતિ વિશ્વાસ રાખે છે કે એ કરારનો ઝાંઝીબારની સરકાર તરફથી એવી રીતે અમલ થશે જેથી હિંદી કોમને પૂરેપૂરો સંતોષ થાય અને એની પ્રત્યે ભેદભાવથી વર્તવામાં આવે છે, એવી શંકા કે વહેમને જરા પણ અવકાશ ન રહે. ઝાંઝીબારની હિંદી કોમે પરદેશમાં વસતા હિંદીઓના હકો માટે જે બહાદુરીભરી અને સફળ લડત ચલાવી છે, તેને સારુ આ સમિતિ તેને મુબારકબાદી આપે છે. જે વેપારીઓએ ખાસ કરીને મુંબઈમાં પુષ્કળ ભોગ આપીને વફાદારીથી સાથ આપ્યો છે અને આ સવાલનો સફળ અંત આણવામાં આટલો મોટો ફાળો આપ્યો છે, એ વેપારીઓનો આ સમિતિ આભાર માને છે. લવિંગ બહિષ્કાર સમિતિએ ઉઠાવેલી જહેમતની પણ આ સમિતિ કદર કરે છે.”
</small>
{{gap}}ઉપરના ઠરાવમાં જણાવેલા કામચલાઉ સમાધાનને બ્રિટિશ સરકારની વસાહત ઓફિસે બહાલી આપી એટલે એ સમાધાન પાકું થયું. સરદારે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે લવિંગનો બહિષ્કાર ઉઠાવી લેવાને માટે આપણે જે શરત મૂકી હતી તે બધી શરતોનું પાલન થયું છે અને આપણી લડતનો સફળ અંત આવ્યો છે. હવે ઝાંઝીબાર તથા માડાગાસ્કરથી આવતા લવિંગનો વેપાર કરવામાં કશી હરકત નથી. પણ આ કમિટી એવો વિશ્વાસ રાખે છે કે જનતા તેમ જ છૂટક વેપારીઓ જે પેઢીએાએ બહિષ્કારમાં વફાદારીથી સાથ આપ્યો છે તે પેઢીઓને ઉત્તેજન આપશે. ઝાંઝીબારની હિંદી કોમને તથા બહિષ્કારમાં સાથ આપનારા હિંદુસ્તાનના લવિંગના વેપારીઓને મુબારકબાદી આપીને મુંબઈ પ્રાંતિક સમિતિના સ્વયંસેવકો ખરી કટોકટીને વખતે છ અઠવાડ્યિાં સુધી કડક ચોકી કરી હતી તેમને ધન્યવાદ આપ્યા. છેવટે જણાવ્યું કે આ પ્રસંગ ઉપરથી પરદેશમાં વસતા હિંદીઓની ખાતરી થશે કે કૉંગ્રેસ તેમને મદદ કરવા હંમેશાં તત્પર હોય છે.
{{gap}}ફેડરેશન વિષે પણ આ કૉગ્રેસમાં મહત્ત્વનો ઠરાવ પસાર થયો હતો. તેનો ઉલ્લેખ દેશી રાજ્યો વિષેના ઠરાવ ઉપર બોલતાં સરદારે પોતાના ભાષણમાં કર્યો છે. છેલ્લે જે વિશ્વયુદ્ધ થઈ ગયું તેના ભણકારા હરિપુરા કૉંગ્રેસ વખતથી વાગવા માંડ્યા હતા. એટલે તે વિષે નીતિ જાહેર કરવાની જરૂર હતી. અત્યારે આપણને સ્વાતંત્ર્ય મળ્યું છે ત્યારે પણ પરદેશો સાથેની આપણી નીતિ તે વખતે જે જાહેર કરવામાં આવી હતી તેવી જ લગભગ રહી છે. એ ઠરાવનો મહત્ત્વનો ભાગ નીચે આપ્યો છે :
<small>
{{gap}} “ હિંદુસ્તાનના લોકો પોતાના પાડોશીઓ અને બીજો સધળા દેશો સાથે સુલેહશાન્તિથી અને મિત્રાચારીથી રહેવા ઇચ્છે છે. એ હેતુથી સંધર્ષનાં જેટલાં કારણો હોય તે તમામ એ દુર કરવા ચાહે છે. એક રાષ્ટ્ર તરીકે પોતાની મુક્તિ અને સ્વતંત્રતા માટેના પ્રયત્ન કરતાં, બીજાઓના સ્વાતંત્ર્ય પ્રત્યે તે આદર
</small><noinclude></noinclude>
ro212rg75aghq4jo3jvfu9zk4id4s2z
પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૩
104
44333
222605
195129
2026-06-11T13:45:12Z
Parth Anonymous
4587
/* Validated */
222605
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||હરિપુરા કૉંગ્રેસ — ૨|૨૮૫}}</noinclude><small>
:નેતાઓએ, ખાસ કરીને ગાંધીજીએ પોતાની વૃત્તિ બતાવી આપી છે કે કૉંગ્રેસના પ્રધાનો સત્તા ઉપર રહે, એમ તેઓ ઇચ્છે છે.”
</small>
{{gap}}આ ઉપરાંત હારિપુરા કૉંગ્રેસમાં બીજા પણ કેટલાક મહત્ત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. ઝાંઝીબારમાં હિંદી વેપારીઓના હક્ક ઉપર કેટલાક અંતરાય મૂકવામાં આવ્યા હતા તે પ્રત્યે વિરોધ તરીકે તથા આપણા દેશબંધુઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવા માટે ત્યાંથી આપણા દેશમાં આયાત થતાં લવિંગનો ૧૯૩૭ના સપ્ટેમ્બર માસથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને તે માટે એક બહિષ્કાર સમિતિ નીમવામાં આવી હતી. તેના પ્રમુખ સરદાર હતા. મે માસમાં સમાધાન થયું ત્યાં સુધી એટલે કે લગભગ નવ માસ સુધી લવિંગનો બહુ જ કડક બહિષ્કાર ચાલ્યો. બહિષ્કાર કરનારા વેપારીઓનો મોટો ભાગ મુસલમાનોનો હતો. આ કૉંગ્રેસમાં એ વિષે નીચે પ્રમાણે ઠરાવ પસાર કરવામાં આવ્યો :
<small>
{{gap}}“ કૉંગ્રેસે હિંદી પ્રજાને સુચના કરેલી કે હિંદી પ્રજાએ હમણાં લવિંગનો વેપાર બંધ કરવો. હિંદી પ્રજાએ અને ઝાંઝીબારમાં હિંદી વેપારીઓએ કરેલા લવિંગના વેપારનો બહિષ્કાર સંપૂર્ણ અને સંતોષકારક નીવડ્યો છે, તેની આ કૉંગ્રેસ કદર કરે છે. ઝાંઝીબારના હિંદીઓએ અને હિંદુસ્તાનના લવિંગના વેપારીઓએ જે રીતે આ બહિષ્કાર ટકાવી રાખ્યો છે તેને સારુ આ કૉંગ્રેસ તેમને મુબારકબાદી આપે છે.
{{gap}}“કૉંગ્રેસને અફસોસ છે કે ઝાંઝીબારની અંદરના તેમ જ બહારના વેપાર માટેના હિંદીઓના હકના સવાલનો હજી સંતોષકારક નિકાલ આવ્યો નથી. એ નિકાલ ન આવે ત્યાં સુધી લવિંગના વેપારનો બહિષ્કાર ચાલુ રાખવાની જરૂર તરફ કૉંગ્રેસ વેપારીઓનું ધ્યાન ખેંચે છે અને વિશ્વાસ રાખે છે કે આ પગલાંને લીધે ઝાંઝીબારની સરકારને થોડા જ વખતમાં તેના વાંધાભરેલા હુકમો રદ કરીને ઝાંઝીબારમાં વસતા હિંદી વેપારીઓને ન્યાય આપવાની ફરજ પડશે.”
</small>
{{gap}}આ ઠરાવની અસર એ થઈ કે હિંદ સરકાર તરફથી એક અમલદારને હિંદી કોમને મદદ કરવા તથા લવિંગના પ્રશ્નનું સમાધાન કરવા ઝાંઝીબાર મોકલવામાં આવ્યા. તેમના પ્રયાસથી, પણ મુખ્યત્વે તો મુંબઈમાં લવિંગનો સખત બહિષ્કાર ચાલુ રહ્યો હતો તેથી, મે માસની શરૂઆતમાં આ પ્રશ્નનું સમાધાન થઈ ગયું. લવિંગ બહિષ્કાર સમિતિના પ્રમુખ તરીકે સરદારે કારોબારી સમિતિ આગળ પોતાનું નિવેદન રજૂ કર્યું. તે ઉપરથી, મુંબઈમાં મળેલી કારોબારી સમિતિએ મે મહિનામાં નીચે પ્રમાણે ઠરાવ કર્યો :
<small>
{{gap}}“ કારોબારી સમિતિએ લવિંગ બહિષ્કાર સમિતિનું નિવેદન વાંચ્યું છે. ઝાંઝીબારની હિંદી કોમ અને ઝાંઝીબારની સરકાર વચ્ચે લવિંગના વેપારની બાબતમાં જે કરાર થયો છે, તેના પર સમિતિએ વિચાર કર્યો છે. આ કરાર
</small><noinclude></noinclude>
jl2gnvu78m4weet345umdruagyzixsd
પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૨૯૫
104
44334
222603
195131
2026-06-11T13:04:05Z
Parth Anonymous
4587
/* Validated */
222603
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||હરિપુરા કૉંગ્રેસ — ૨|૨૮૭}}</noinclude><small>
:રાખવા ઇચ્છે છે અને આંતરરાષ્ટ્રીય સહકાર અને સદ્ભાવનાના ધોરણ ઉપર પોતાની શક્તિ તે ખીલવવા ઇચ્છે છે. આખી દુનિયાના સુવ્યવસ્થિત તંત્રના પાયા ઉપર જ આવો સહકાર સંભવી શકે. એટલે સ્વતંત્ર હિંદુસ્તાન આવું વિશ્વતંત્ર સ્થાપવામાં ખુશીથી જોડાશે તથા શસ્ત્રસંન્યાસની અને સામુદાયિક સલામતીની ભાવનાને ટેકો આપશે. પણ વિશ્વવ્યાપી સહકાર સિદ્ધ થવો અશક્ય છે — જ્યાં સુધી રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે ઝધડાનાં મૂળ કાયમ રહે, એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર ઉપર સત્તા ચલાવવા ઇચ્છે, અને શાહીવાદની આણ સર્વત્ર વર્તાતી રહે. દુનિયામાં આપણે કાયમી શાંતિ સ્થાપવી હોય તો શાહીવાદ નાબૂદ થવો જ જોઈએ અને અમુક રાષ્ટ્રો બીજા રાષ્ટ્રોનું શોષણ કરે છે તેનો અંત આવવો જ જોઈએ.
{{gap}}“ અત્યારે જે શાહીવાદી યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, તેમાં હિંદુસ્તાન પક્ષકાર થઈ શકે એમ નથી. બ્રિટિશ શાહીવાદના હિતને અર્થે આપણી માનવશક્તિનું તથા સાધનસંપત્તિનું શોષણ થાય એ આપણે નિભાવી લઈ શકીએ નહીંં. વળી હિંદુસ્તાનના લોકોની સ્પષ્ટ સંમતિ સિવાય હિંદુસ્તાનને કોઈ પણ યુદ્ધમાં સામેલ કરી શકાય નહીં. એને કોઈ પણ રીતે યુદ્ધમાં જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે તો દેશ તેનો વિરોધ કરશે.”
</small>
{{gap}}બીજો મહત્ત્વનો ઠરાવ હરિપુરા કૉંગ્રેસમાં પસાર કરવામાં આવ્યો તે પાયાની કેળવણીને લગતો હતો. કેળવણીના જે સિદ્ધાંતો અને નીતિ કૉંગ્રેસે તે વખતે સ્વીકારી તે સ્વતંત્રતા મળ્યા છતાં હજી આપણે અમલમાં મૂકી શક્યા નથી. એટલે તેનું સ્મરણ કરીએ એ યોગ્ય છે. હરિપુરા કૉંગ્રેસે રાષ્ટ્રીય શિક્ષણનો ઠરાવ કરીને જાહેર કર્યું કે,
<small>
{{gap}}“હિંદુસ્તાનમાંની કેળવણીની અત્યારની પદ્ધતિ નિષ્ફળ નીવડી છે એમ સૌ સ્વીકારે છે. તેના ઉદ્દેશો રાષ્ટ્રવિરોધી અને સમાજવિરોધી છે અને તે આપવાની પદ્ધતિ તદ્દન જુનવાણી છે. વળી દેશના થોડા જ માણસોને તે મળી શકે છે, વિશાળ જનતા તો તદ્દન અભણ રહે છે. તેથી એ આવશ્યક છે કે આપણા રાષ્ટ્રીય શિક્ષણની રચના નવા પાયા ઉપર અને રાષ્ટ્રવ્યાપી ધોરણ ઉપર થવી જોઈએ. કૉંગ્રેસને અત્યારે સરકારી શિક્ષણ ઉપર અસર પાડવાની અને પોતાના વિચાર પ્રમાણે તે ચલાવવાની તક મળી છે. એટલે આપણું શિક્ષણ કયા પાયાના સિદ્ધાંત ઉપર ચાલવું જોઈએ અને તેનો અમલ કરવા માટે કેવા ઉપાયો લેવા જોઈએ તે નક્કી કરવું આવશ્યક છે. કૉંગ્રેસ એવા અભિપ્રાયની છે કે પ્રાથમિક અને માધ્યમિક કક્ષામાં નીચેના સિદ્ધાંત્તો મુજબની પાયાની કેળવણી આપવી જોઈએ :
{{gap}}૧. આખા રાષ્ટ્રને સાત વર્ષ મફત અને ફરજિયાત કેળવણી મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.<br>
{{gap}}૨. શિક્ષણનું વાહન માતૃભાષા હોવી જોઈએ.<br>
{{gap}}૩. આ બધો વખત કેળવણીની રચના કોઈ પણ પ્રકારના ઉત્પાદક ઉદ્યોગને કેન્દ્રમાં રાખીને થવી જોઈએ, કેળવણીની બીજી બધી પ્રવૃત્તિઓ
</small><noinclude></noinclude>
gwujdho6nxrm0j7xe15yoabsndw7ett
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૯૯
104
73046
222613
222568
2026-06-12T03:38:11Z
Snehrashmi
2103
/* Validated */
222613
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૯૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>છે. એ કહેતો, દુનિયાને તજીને માણસ જાત, પશુ પંખી સાથે પાછી વસવા જાય એ વાત હવે વાહિયત જેવી લાગે છે. પશુ પંખી પણ એવી નવી વસ્તીના વધારાને ન ઈચ્છે. એટલે માણસને માણસ જાત સાથે જ કામ કરવાનું રહ્યું. તો પછી માણસ પોતાનાં દુઃખી ભાઈભાંડુઓની વચમાં જઈને વસે, ને એમના દુઃખમાં ભાગ લેવા મથે, એના કરતાં વધારે શ્રેષ્ઠ કામ બીજું કયું હોઈ શકે ?
{{gap}}આ વાંચતાં ભગવાન તથાગતના શબ્દો ફરીને યાદ આવે છે. રાજની કે મોક્ષની ઈચ્છા ન કરતાં દુઃખીજનોનાં દુઃખ દૂર કરવાની એમાં પ્રાર્થના છે.
{{gap}}એક સાધુની વાત છે. એને કોઈકે પૂછ્યું કયો ધર્મ પામવાથી જલ્દી મોક્ષ મળે ?
સાધુએ જવાબ વાળ્યો: ‘જે મોક્ષ મેળવવા મથે છે તેના જેવો મૂર્ખ બીજો કોઈ નથી. આંહી પૃથ્વીમાં કરવાનાં સત્કાર્યો ક્યાં ઓછાં છે કે માણસ પૃથ્વીથી ભાગીને મોક્ષની માગણી કરવા જાય છે ? અને મોક્ષ પણ શું છે? સત્કર્મનો સ્વ આનંદ એટલે મોક્ષ.’
{{gap}}કોન્ફ્યુશ્યસનો સિદ્ધાંત પણ કાંઈક આવો જ હતો. તે પોતાના રહેઠાણ લુ નામના ગામથી આ હેતુસર જુદા જુદા વિભાગોમાં ફરવા નીકળ્યો હતો. અને થોડો વખત ન્યાયાધીશ પણ બન્યો હતો. પણ એણે જોયું કે પ્રાથમિક ભૂમિકા વિના લોકો ન્યાયાલયોમાંથી પણ કાંઈ મેળવી શકે તેમ નથી.
{{gap}}એટલે એણે પેાતાના ગામ –લુ માં—એક વિદ્યાપીઠ<noinclude></noinclude>
tcy9fbsuzr4v8rkv0hm44gn5onaw9lw
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૦
104
73047
222614
222590
2026-06-12T03:40:49Z
Snehrashmi
2103
/* Validated */
222614
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|કોન્ફ્યુશ્યસ||૯૧}}<hr>'''</noinclude>સ્થાપી. ન્યાય અને સત્યનો પ્રચાર કરવા માટેની હવા ઊભી કરવાનો તેણે ત્યાં બેઠાં બેઠાં પ્રયત્ન કર્યો
{{gap}}એ પોતે મજુરીનું જીવન ગાળતો અને એ દ્વારા જ, એ સામાન્ય માણસોની સ્થિતિ સમજી એમના પ્રત્યે સહાનુભૂતિ કેળવતો.
{{gap}}તે વખતના ચીનદેશમાં એવી ભયંકર હવા હતી કે અસંખ્ય વિભાગો થવાથી માણસોને માણસોમાંથી શ્રદ્ધા ઉડી ગઈ હતી. આ હવા જેવી તેવી ઝેરી ન
ગણાય. માણસને માણસ પ્રત્યે શ્રદ્ધા ન રહે એટલે પછી બધી વાતનું દીવાળું ફુંકાય ! પછી તો સામાન્ય વ્યવહાર પણ શી રીતે ચાલે ? કારણ કે કોઈ ને કોઈનામાં વિશ્વાસ તો હોય નહિ. કોન્ફ્યુશ્યસે માણસોને પોત પોતાના સ્વાર્થ માટે એક બીજા સામે લડતા જોયા, અને છતાં સૌ દેખાવ જનસેવાનો કરતા હતા !
{{gap}}કોન્ફ્યુશ્યસે આ જોયું. એને લાગ્યું કે જ્યાં સુધી ઉપરથી રાજ નહિ સુધરે, ત્યાં સુધી આ સ્થિતિ નહિ સુધરે. એટલે એણે રાજાઓને અને રાજકર્તાઓને ઉપદેશ આપવા માંડ્યો.
{{gap}}એને ચીન દેશમાં નવી હવા લાવવી હતી. પણ નવી હવા આવે ત્યારે સાથે લોહી વહેતી નદીઓ લાવે છે. કોન્ફ્યુશ્યસને નવી હવા લાવવી હતી. અને એ હવા લોહી વિના લાવવી હતી. લોહીલુહાણ થઈ ને જાનવરો પણ સુધરે. લોહીલુહાણ થયા વિના માનવો સુધરે એ મહાન કાર્ય કોન્ફ્યુશ્યસે હાથમાં લીધું.<noinclude></noinclude>
nhei2zrnoa4qtqj4ieyrcrp6g0js2ei
222615
222614
2026-06-12T03:41:21Z
Snehrashmi
2103
{{nop}}
222615
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|કોન્ફ્યુશ્યસ||૯૧}}<hr>'''</noinclude>સ્થાપી. ન્યાય અને સત્યનો પ્રચાર કરવા માટેની હવા ઊભી કરવાનો તેણે ત્યાં બેઠાં બેઠાં પ્રયત્ન કર્યો
{{gap}}એ પોતે મજુરીનું જીવન ગાળતો અને એ દ્વારા જ, એ સામાન્ય માણસોની સ્થિતિ સમજી એમના પ્રત્યે સહાનુભૂતિ કેળવતો.
{{gap}}તે વખતના ચીનદેશમાં એવી ભયંકર હવા હતી કે અસંખ્ય વિભાગો થવાથી માણસોને માણસોમાંથી શ્રદ્ધા ઉડી ગઈ હતી. આ હવા જેવી તેવી ઝેરી ન
ગણાય. માણસને માણસ પ્રત્યે શ્રદ્ધા ન રહે એટલે પછી બધી વાતનું દીવાળું ફુંકાય ! પછી તો સામાન્ય વ્યવહાર પણ શી રીતે ચાલે ? કારણ કે કોઈ ને કોઈનામાં વિશ્વાસ તો હોય નહિ. કોન્ફ્યુશ્યસે માણસોને પોત પોતાના સ્વાર્થ માટે એક બીજા સામે લડતા જોયા, અને છતાં સૌ દેખાવ જનસેવાનો કરતા હતા !
{{gap}}કોન્ફ્યુશ્યસે આ જોયું. એને લાગ્યું કે જ્યાં સુધી ઉપરથી રાજ નહિ સુધરે, ત્યાં સુધી આ સ્થિતિ નહિ સુધરે. એટલે એણે રાજાઓને અને રાજકર્તાઓને ઉપદેશ આપવા માંડ્યો.
{{gap}}એને ચીન દેશમાં નવી હવા લાવવી હતી. પણ નવી હવા આવે ત્યારે સાથે લોહી વહેતી નદીઓ લાવે છે. કોન્ફ્યુશ્યસને નવી હવા લાવવી હતી. અને એ હવા લોહી વિના લાવવી હતી. લોહીલુહાણ થઈ ને જાનવરો પણ સુધરે. લોહીલુહાણ થયા વિના માનવો સુધરે એ મહાન કાર્ય કોન્ફ્યુશ્યસે હાથમાં લીધું.
{{nop}}<noinclude></noinclude>
165tugr81urk0dxfwkx6a79fb05ob4v
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૧
104
73058
222616
222591
2026-06-12T03:43:15Z
Snehrashmi
2103
/* Validated */
222616
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૯૨||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>{{gap}}એણે સામાન્ય માણસ પાસે બે જ વસ્તુ માગી, તમે શ્રમ કરો અને બુદ્ધિપૂર્વક શ્રમ કરો. પછી તમારામાં હૃદય આવશે જ આવશે. બુદ્ધિપૂર્વકના શ્રમ પાછળ હૃદય ચાલે છે. તમે બુદ્ધિપુર્વકનો શ્રમ કરો, તો સુખી હવા ઉભી કરશો. એ સુખી હવા તમામ માણસને હૃદય આપે, ને હેવાનીયત ન આપે, એ જોવાનું કામ રાજનું છે. એટલા માટે એણે self-restraint સંયમનો મહિમા ગાયો. એણે તો આ સંયમ માટે એટલે સુધી વાત કરી કે દરેક માણસનો ખોરાક, એના શ્રમ પ્રમાણે, નિયમનથી એને મળવો જોઈએ. કારણ કે ખોરાક એ જીવન ઘડતરનો જ એક ભાગ છે. એને વિલાસમાં ફેરવવો ન જોઈએ.
{{gap}}કોન્ફયુશ્યસે પોતાની આસપાસ એક સંઘ ઊભો કર્યો.
{{gap}}એ સંઘમાંથી કેટલાક રાજ કર્મચારીઓ થયા. એ પોતે પણ રાજ કર્મચારી થયો હતો. પણ એણે જોયું કે પોતાના સંઘના માણસો પણ સત્તા મેળવ્યા પછી, માનવોને બહુ ઉપયોગી થઈ શક્યા ન હતા !
{{gap}}એટલે એણે આખા દેશને જાગ્રત કરવા માટે એક મોટી મુસાફરી ઉપાડી. એણે એ મુસાફરીમાં જોયું કે એના સ્વપ્નાનું રાજ કોઈ ઠેકાણે નથી ! આખા ચીન દેશમાં ક્યાંય એની સ્વપ્નાની ભોમ એને જડી નહિ !
{{gap}}એના મૃત્યુ સમયે તો એને એક મહાન નિષ્ફળતાને વરેલા માણસ તરીકે સૌએ માન્યો.
{{nop}}<noinclude></noinclude>
lqwgkuzm8qfvegecj84gib5224ktmp7
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૨
104
73059
222617
222592
2026-06-12T03:44:46Z
Snehrashmi
2103
/* Validated */
222617
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|કોન્ફ્યુશ્યસ ||૯૩}}<hr>'''</noinclude>{{gap}}પણ એના જે શબ્દો હતા તે પ્રજામાં ચમત્કાર કરતા રહ્યા. એણે તો વખતે એક મહાન સિદ્ધાંત આપ્યો હતો. શાસન કરનારાઓને સુધારો અને તંત્ર
સુધરશે. રાજતંત્ર ત્યાં સુધી જ રહેવું જોઈએ જ્યાં સુધી એ લોકકલ્યાણ સાધી શકે. લોકકલ્યાણ સાધી ન શકનારા રાજતંત્રે તરત વિખરાઈ જવું જોઈએ. શાસન કરનારાઓને જો તમે અમુક જ વર્ગમાંથી પસંદ કરવાની પ્રથા ચલાવશો, તો અવશ્ય એ પ્રથા કોઈ પણ સુશાસનને બગાડી મુકશે. આ છેલ્લા સિદ્ધાંતને લીધે કોન્ફયુશ્યસને આમવર્ગનો મોટો ટેકો મળતો રહ્યો. અને એના મૃત્યુ પછી એના સિદ્ધાંતો જાળવનારો મોટો વર્ગ ઊભો થયો.
{{gap}}પણ કોન્ફ્યુશ્યસના કલ્યાણકારી સુત્રોને પણ બગાડી શકાય તેમ છે એ પાછળથી જણાયું. કારણ કે છેવટે તો કોઈ પણ સુશાસન કે કોઈ પણ શાસન, સ્થાન ઉપર બેઠેલા માણસોના સંસ્કાર જેટલું જ સંસ્કારી બની શકે છે. એટલે માણસને સુધારવાનું ન બને તો શાસન ન જ સુધરે.
{{gap}}વર્ષો થયાં, કોન્ફ્યુશ્યસના એ જમાનાથી આજે સ્ટેલીનના જમાના સુધી, પ્રશ્ન આ જ રહ્યો છે. ‘માણસને સંસ્કારી શી રીતે બનાવવો ?’ માણસ સંસ્કારી ન બને તો શાસનને ગમે તેવું રૂપાળું નામ આપવાથી એ રૂપાળું શી રીતે બને ?
{{gap}}આપણી આજની સાધનોની વિપુલતા જોતાં, કોઈપણ શાસન ધારે તો, માણસને સંસ્કારી હવા<noinclude></noinclude>
2meeqb4ypcgyuh89z8exa16vop1l4h9
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૩
104
73060
222618
222593
2026-06-12T03:45:26Z
Snehrashmi
2103
/* Validated */
222618
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૯૪||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>આપવાનું કામ વેગથી કરી શકે અને માણસને ફેરવી પણ શકે.
{{gap}}એ સાધનો અત્યારે આટલાં છે. સીનેમા, રંગભૂમિ, રેડિયો, શાળાઓ, વર્તમાનપત્રો.
{{gap}}આ પાંચનો જે શાસન સદુપયોગ કરશે તે પ્રજાને માત્ર બળવાન કે વિજયી નહિ, સંસ્કારી અને સુખી બનાવશે. એનો જે દુરૂપયાગ કરશે, તે ખાડે જશે ને
ખાડે પડશે.
{{સ-મ| |★ | }}<noinclude></noinclude>
ovmavk2dytg3t42l6gayg8v6rgr0nsa
222619
222618
2026-06-12T03:51:04Z
Snehrashmi
2103
222619
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૯૪||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>આપવાનું કામ વેગથી કરી શકે અને માણસને ફેરવી પણ શકે.
{{gap}}એ સાધનો અત્યારે આટલાં છે. સીનેમા, રંગભૂમિ, રેડિયો, શાળાઓ, વર્તમાનપત્રો.
{{gap}}આ પાંચનો જે શાસન સદુપયોગ કરશે તે પ્રજાને માત્ર બળવાન કે વિજયી નહિ, સંસ્કારી અને સુખી બનાવશે. એનો જે દુરૂપયોગ કરશે, તે ખાડે જશે ને
ખાડે પડશે.
{{સ-મ| |★ | }}<noinclude></noinclude>
orcrskrtw8x2goxhpjpmql7a985la65
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૯
104
73073
222606
222601
2026-06-11T15:58:53Z
Amvaishnav
156
222606
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૦૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>હોય તેમ પોતાના હાથે આ શિશુ બચી ગયુંં, એ જોઇને તેની આંખમાંથી આભારના આંસુ નીકળી પડ્યાં !
{{સ-મ| |[ 3 ] | }}
{{gap}}બે માણસો વાતો કરી રહ્યા હતા. એક માણસ કહી રહ્યો હતો કે એણે જીવનભરમાં એક દિવસ પણ પોતાની નોકરીમાં મોડું કર્યુંં ન હતું. અને હવે અઠવાડિયા પછી એનું કામ પૂરુંં થાય છે. આ એક અઠવાડિયું એ નિયમ જળવાઈ જાય તો બસ !'
{{gap}}બીજાએ હસીને કહ્યું: ‘ પણ એમાં તમને ફાયદો શુ થયો ? તમે ધેાડા કર્યાં, એટલું નફામાં રહ્યું ! તમારો માલિક થોડો જાણવાનેા છે કે આ ભાઇએ નિયમિતતા જાળવી હતી ?'
{{gap}}પેલાએ જવાબ વાળ્યો : ‘ એમ તો બદલો મળે કે ન મળે. પણ મારું પોતાનું મન એક પ્રકારની નિયમિતતાને જાણે ટેવાઈ ગયું છે. એ એનો હવે ગુણ
થઈ ગયો છે. ફાયદો ગણો તો આ !'
{{gap}}અને એમની બન્નેની વાત સાચી હતી. માણસ જે કાંઇ કામ કરે તે કેવળ પોતાનુ કર્તવ્ય જાણીને કરે, તો જ એ પોતાની માણસાઇ વધારતો રહે. માણસાઈ માટે માન હોય તો જ માણસ કામમાં સંતોષ મેળવે, નહિતર તો એને કોઈ દીવસ સંતોષ થવાનો જ નથી.
{{સ-મ| |[ ૪ ] | }}
{{gap}}એક માણસે લખ્યું છે, મને સુખ વિષેનો ખ્યાલ અચાનક જ આવ્યો . હું માનતો હતો કે ઘણુ કરીને<noinclude></noinclude>
59huc3okt6sganv3248q06sxgqzpsf9
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૦
104
73074
222607
222391
2026-06-11T16:06:33Z
Amvaishnav
156
/* Proofread */
222607
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૧૦૧}}<hr>'''</noinclude>પૈસાદાર સિવાય બીજું કોઈ સુખી હોતું નથી. સુખી હોઈ શકે પણ નહિ. આ ખ્યાલ કાંઈ મારો એકનો નથી. હજારો માણસો આ ખ્યાલ ધરાવે છે. ને એ
રીતે જ સુખની વ્યાખ્યા બાંધે છે. પૈસા એટલે સાધન, સગવડ, સુખ.
{{gap}}હવે એક વખત એવુ બન્યું, હું એક જૂની વસ્તુઓના ભંડારમાં ફરવા ગયો હતો. ત્યાં એ ભંડારમાં નવી નવાઇની ચીન્તે આવતી, એનુ ખરું મૂલ્ય કાંઈ ન હતું. પણ એના આશકો માટે એ અમૂલ્ય સમૃદ્ધિ હતી.
{{gap}}હું ત્યાં ફરતો હતો. ત્યાં મેં એક માણસને જોયો. એ દેખાવે તો મુફલીસ જેવો હતો. પણ એનામાં કાંઈક એવો ખુમારી હતી કે હું એના તરફ આકર્ષાયો. મેં એની પાસે જઈને એ શુ કરે છે તે જોયું.
{{gap}}એ બીજું કાંઈ કરતો ન હતો. જૂનામાં જૂના વાજિંત્રો એ ભેગાં કરી રહ્યો હતો. એને માટે એ ઝીણવટ ભરી શોધ કરતો, આમથી તેમ ફરી રહ્યો હતો. એના એમ ફરવામાં ઉતાવળ તો હતી, પણ એ ઉતાવળ કોઈક સુખદ ઘડી જાણે ચાલી ન જાય તેને પકડી લેવાની ઉતાવળ હતી.
{{gap}}ત્યાર પછી એ તો ગયો. પણ મેં એના જેવો મસ્ત માણસ કોઈ જોયો ન હતો, તેથી એ યાદ રહી ગયો. દુકાનદારને મેં પૂછ્યું 'આ કોણ છે ?' દુકાનદાર તો પૈસામાં રમમાણ રહેનારો માણસ હતો. છતાં તેણે જવાખ વાળ્યો : 'સાહેબ ! એ કોણ છે એ<noinclude></noinclude>
8shypwbgtinpr6h5f10ibfzvjc13p79
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૧
104
73075
222608
222392
2026-06-11T16:14:31Z
Amvaishnav
156
/* Proofread */
222608
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૦૨||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>તે મને પણ ખખર નથી. પણ હું જોઉં છુંં કે એ જ્યારે જ્યારે આંહી આવે છે ત્યારે ત્યારે એની સાથે સુખની હવા ચાલી આવે છે ! અમુક પ્રકારના મસ્ત આનંદની લેરખી એ લેતો આવે છે !
{{gap}}‘તમે કહ્યું સુખની હવા એની સાથે ચાલી આવે છે? બહુ પૈસાદાર હશે !'
{{gap}}દુકાનદાર હસી પડ્યો ‘ના, ના, પૈસાદાર તો નથી. પણ હું એને જ્યારનો ઓળખું છું ત્યારનો એના જેવો કોઈ સુખી મેં જોયો નથી ! એક બે પૈસાની કોઇ નમાલી જુની ચીજ મળી જાય, કે એને બસ આનંદ આનદ થઈ જાય ! '
{{gap}}આ સાંભળ્યું ત્યારથી મારો સુખ વિષેનો ખ્યાલ ફરી ગયો છે.
{{gap}}સુખી તે લાગે છે, જેને કાઈક અમૂલ્ય વસ્તુ જડી ગઈ છે !
{{gap}}પછી ભલે એ અમૂલ્ય વસ્તુ, નાનકડું છોકરું મૂઠી વાળીને માને છે તેમ, કેવળ એક શંખલુ હોય કે છીપલું હોય !
{{gap}}કારણ કે વસ્તુનું મૂલ્યાંકન વસ્તુમાં નથી માણસના મનમાં છે.
{{સ-મ| |[ ૫ ] | }}
{{gap}}એક વખત એક સવાલ પૂછાયો : 'કયો માણસ તદ્દન નકામો છે?'
{{gap}}એનો ઉત્તર બધાએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે આપ્યો. કોઈએ કહ્યું પૈસા વિનાનો માણુસ નકામો<noinclude></noinclude>
dvwrop0elxo1vgr5e0fvz7rk9ixll2q
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૨
104
73076
222610
222393
2026-06-11T16:35:07Z
Amvaishnav
156
/* Proofread */
222610
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૧૦૩}}<hr>'''</noinclude>છે. કોઈએ કહ્યું બુદ્ધિ વિનાનો નકામો, કોઈ કહે માણસાઈ વિના--માણસ કેવો ? જેને જેમ ઠીક લાગ્યું તેમ કહ્યું.
{{gap}}એ સભામાં એક રાજદ્વારી પુરૂષ બેઠા હતા. છેવટે તે ઊભા થઈ ને બોલ્યાઃ ‘ જુઓ ભાઈઓ ! અમને હરઘડીએ જે અનુભવ થાય છે તે તમને કહીએ. અમારે ત્યાં બુદ્ધિશાળીઓનો તો ઘણો અખાડો જામે છે. વાદવિવાદમાં કોઈ કોઇનાથી ગાંજ્યા ન જાય. અમારે ત્યાં એવા બળિયા છે. પણ તે છતાં અમે વિશ્વાસ તો એક જ પ્રકારના માણુસ ઉપર મૂકી શકીએ તેવુ હોય છે. '
{{gap}}'કેવા પ્રકારના માણસ ઉપર ?'
{{gap}}* Man of Character ચારિત્રવાન માણસ ઉપર !’
{{gap}}'પણ ચારિત્ર એટલે શું?'
{{gap}}'ચારિત્ર એટલે શું એ તે અમને ખખર નથી. એની વ્યાખ્યા વળી જુદી જુદી આવે. પણ ચારિત્રને શું ખપ છે, તેના ઉપરથી ચારિત્ર કોને કહેવાય તે જાણી શકાશે.
{{gap}}જે જગ્યાએ માણસને મૂક્યોયે તે જગ્યાએ ગમે તેટલી મુશ્કેલી હોય, ને ગમે તેટલાં પ્રલોભનો હોય, છતાં જે ટકી રહે તે ચારિત્રશાળી.’
{{gap}}'ત્યારે તો તમે ચારિત્રશાળીઓને જ શોધતા હશો ?'
{{gap}}'અમે શોધીએ છીએ તો એમને, પણ 'ડીગ્રી ’ અને ‘ ચારિત્ર ’ એટલાં બધાં સેળભેળ થઈ ગયાં છે,<noinclude></noinclude>
4w0ehviwqkkh6zyiompooahrm8q7va0
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૩
104
73077
222611
222394
2026-06-11T16:45:22Z
Amvaishnav
156
/* Proofread */
222611
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૦૪||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>કે એ શંભુમેળામાં એકમાંથી બીજિં તારવવાનો કોઈ જ કાંટો અમારી પાસે નથી.
પણ એ કાંટો અમારી પાસે નહિ હોય, તો અમારું પતન ત્યાંથી શરૂ થશે એ પણ અમને ખબર છે ! ’
{{gap}}‘ પણ સવાલ આ છે—આ ચારિત્ર આવે છે ક્યાંથી ?' કોઈકે પૂછ્યું.
{{gap}}‘હવામાંથી! ’ પેલા માણસે જવાબ વાળ્યો ‘અને એ હવા ઊભી કરે રાજના સાચા શ્રેષ્ઠ પુરુષો. શ્રેષ્ઠ પુરુષો વિના વાતોડિયાથી હવા ઊભી થાય નહિ !
{{સ-મ| |[ ૬ ] | }}
{{gap}}એક વખત હું. ભદ્રકાળીમાંથી દર્શન કરીને આવતો હતો. એ જ વખતે ત્યાંથી એક દંપતી પણ દર્શન કરીને પાછાં ફરે. બન્ને ભાવિક લાગતાં હતાં. રસ્તે પણ ધર્મકથા કરતાં ચાલ્યાં જતાં હતાં.
{{gap}}પછી એ માણેકચાકને રસ્તે ગયાં. મારે પણ શાક—પાંદડું લેવાનું હતું, એટલે હું પણ માણેકચોકને માર્ગે જ ગયો.
{{gap}}રસ્તામાં એમને એક લીંબુના ટોપલાવાળા પાસે બેઠેલાં જોયાં. ત્યાં લીંબુ લેવા માટે બીજા માણસો પણ ઊભાં હતાં. મારે પણ લીંબુ લેવાં હતાં. એટલે
હુંં બાજુમાં ઊભો રહ્યો.
{{gap}}પેલા ભાઇએ લીબુ જોખાવ્યાં. ને એમના પત્નીની પાસેથી થેલી લઈને એમાં નાખ્યાં. પણ એમનાં પત્નીને થયુંં કે આમાં જે ઉપરનો લાભ લેવાનો હતો<noinclude></noinclude>
a0bfy16gym44iphxy0v0zx5bz70nj43
પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૧૪
104
73078
222612
222395
2026-06-11T16:52:19Z
Amvaishnav
156
/* Proofread */
222612
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૧૦૫}}<hr>'''</noinclude>તે તો રહી ગયો છે ! એટલે એ પોતે થેલી લઈને નીચે બેઠાં.
{{gap}}પછી એમણે ‘બે લીંબુ ખરાબ છે' એમ કહીને બદલાવવા માટે કાધ્યાં. ને પોતાના હાથમાં રાખ્યાં.
{{gap}}જ્યારે લીંબુવાળાએ બદલાવવા માટેના બે લીંબુ તેમને આપ્યાં, ત્યારે એમણે એને સામે બે લીંંબુ આપવાને બદલે, એક આપ્યુ. ને એક પોતાની થેલીમાં
પધરાવી દીધું !
{{gap}}એ વખતે ત્યાં ઘરાકીની ભીડ હતી એટલે પેલાનું ધ્યાન ન રહ્યુ. પેલાં બાઈ તરત સીફતથી ઊભાં થઈ ગયાં ને ઊભા થતાં થતાં જ હવે એક લીંબુ તો
આપો ! એમ કહીને એક લીંબુ લઈ લીધું ! આ જોઈ ને એમના પતિને પણ પાછળ રહી ગયાના શોક થયો. એટલે એમણે પણ ‘હા, હા, એક તો આપ !
આ ક્યાં ઘી છે ? ' એમ કહીને એક લીંબુ પોતે પશુ લઈ લીધું. આ પ્રમાણે ત્રણ-ચાર લીંબુ વધારે આવી જવાથી હવે પાતે ખાટી ગયાં છે, એમ માનીને
એ બન્ને જણાએ તરત પૈસા આપવા માંડ્યા.
{{gap}}‘અરે ! તમે પણ શું શેઠ માણસ થઈ ને, આમ લઇ લ્યો છો ?' એમ લીંબુવાળો બોલતો રહ્યો ને એ પૈસા ચૂકવીને ચાલતા થયા.
{{gap}}હજી પાંચ જ ક્ષણ પહેલાં એમણે કહેલી ઘણી વાત મારા મનમાં આવી ગઈ.
{{gap}}ત્યાં તો પેલી બાઈ એ એક સાદ પણ કર્યો: 'એમના ક્યાં હેંડ્યા ? આમ જવું નથી દર્શન કરવા ?’<noinclude></noinclude>
tcu32rat9448xpgsggqo7blhyfiiz6z
સભ્યની ચર્ચા:Nimisha nilesh bhai halpati
3
73163
222604
2026-06-11T13:16:32Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
222604
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Nimisha nilesh bhai halpati}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૮:૪૬, ૧૧ જૂન ૨૦૨૬ (IST)
l9gluc9e092viw7tsi1g9zietfzj086