વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.6 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk ઢાંચો:રૂપક કૃતિ/ઓગસ્ટ 10 4356 222638 131573 2026-06-14T15:04:33Z Jochen Burghardt 4591 222638 wikitext text/x-wiki <!--Using the format below, enter the text chosen text between the comment bars --> <Big>'''''[[સ્નેહસૃષ્ટિ]]'''</Big>એ [[સર્જક:રમણલાલ દેસાઈ|રમણલાલ દેસાઈ]]ની દ્વારા રચાયેલ નવલકથા છે.'' રમણલાલ દેસાઈ એ પોતાની આગવી શૈલિમાં રચેલી પ્રણય ત્રિકોણના વિષય આધારિત નવલકથા આઝાદી મળી તે સમયના સમાજ જીવનનો ખયાલ આપે છે. સમાજવાદના વિષયને કથામાં સુંદર રીતે વણવામાં આવ્યો છે.'' [[File:Ramanlal V. Desai.jpg|80px|right]] <!--80px if portrait orientation--> <!--80px if portrait orientation--> <div style="margin-left: 2em; font-size: 0.88em;"> {{sc|નદીતટનો સદુપયોગ }} કરતાં આવડે તો એ તટ બગીચો બની જાય છે. મોટે ભાગે ભારતનાં નગરેનગરમાં નદી હોય છે. નદી ન હોય ત્યાં તલાવ-સરોવર પણ હોય. અહીં તો નદીકિનારો હતો. કિનારા ઉપર એક વિશાળ સાર્વજનિક બગીચો હતો. બગીચામાં વૃક્ષોની ઘટા હતી, નીલમ લીલું ઘાસ પથરાયેલું હતું અને પુષ્પક્યારાઓ પણ વેરાયેલા પડ્યા હતા. ઉજાણી માટેની એ આદર્શ જગા. ઉજાણી આપણી પ્રાચીન ઉદ્યાનિકા માટે પ્રજાના મોટા ભાગને હવે ફુરસદ નથી. છતાં પ્રજાનો વિદ્યાર્થીવર્ગ હજી બાગબગીચા અને નદીતટનાં એકાંત શોધી સમૂહઆનંદ કદી કદી લે છે. રજાનો દિવસ હોય, દિવસનો ત્રીજો પ્રહર હોય, મિત્રોનું જૂથ હોય અને એ જુથમાં થોડી વિદ્યાર્થિનીઓ પણ હોય ત્યારે ‘પિકનિક’ના અંગ્રેજી નામ નીચે વિદ્યાર્થીઓને આવા સ્થળ બહુ આનંદ આપી રહે છે. આ બગીચાનો એવો જ ઉપયોગ થઈ રહ્યો હતો. પંદર-વીસ સંસ્કારી વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એક વિશાળ ઘટામાં અને ખુલ્લા ઘાસ ઉપર બેઠાં હતાં, ફરતાં હતાં, દોડતાં હતાં, હીંચકા ખાતાં હતાં, હસતાં હતાં અને બેડમિન્ટન પણ રમતાં હતાં. આનંદ નિર્દોષ જ હોય; છતાં એ આનંદમાં અંગત તત્ત્વ ભળે ત્યારે આનંદ દુષિત તો નહિ પરંતુ મર્યાદિત બની જાય ખરો. સમૂહમાં હસતાં રમતાં યુવક-યુવતીઓ વચ્ચેથી લાગ જોઈ કોઈને અલગ થઈ જવું હોય તો તેની સગવડ પણ આવા બગીચાઓમાં મળી શકે ખરી. જોકે એમાં એકાંતભંગ થવાનો પણ ભય પ્રત્યેક ક્ષણે હોય જ. યુવક-યુવતીના સમૂહ એકાંતશોધનનો ઠીકઠીક આગ્રહ રાખે છે, અને લાગ જોઈ એકાંત મેળવે પણ છે. આવો લાગ શોધી સહજ છૂટાં પડેલાં યુવકયુવતીનું એક યુગલ વૃક્ષના વિશાળ થડને ઓથે ઉભું રહ્યું હતું અને વાત કરતું હતું. વાત કરતે કરતે યુવતીએ યુવકનો હાથ પકડ્યો અને પૂછ્યું : ‘મધુકર ! આ વીંટી આપ્યે કેટલા માસ થયા ?’ </div> :('''[[સ્નેહસૃષ્ટિ|આગળ વાંચો...]]''')<!-- --><noinclude> <pre> ''"'''[[**pagename**]]'''" (**short introductory statement**) [[સર્જક:**name**|]]. (**Summary statement about work**) '' [[File:**filename**.jpg|150px|right]] <!--80px if portrait orientation--> <div style="margin-left: 2em; font-size: 0.88em;"> (**snippet of starting text of work**) </div> :('''[[**pagename**|Read on...]]''') </pre></noinclude> ow4oaamz083sbe3gqfaeo6up79156gc પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૩૨ 104 44160 222654 195538 2026-06-15T08:07:03Z Parth Anonymous 4587 /* Validated */ 222654 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ|૩૨૪|સરદાર વલ્લભભાઈ|}}</noinclude>સગાંવહાલાં રડતાં કકળતાં એ નદીના પટમાં જ ઘણા વખત સુધી પડ્યાં રહ્યાં. મૈસૂર સરકાર તરફથી ગમે તેવો બચાવ કરવામાં આવે તો પણ આ હત્યાકાંડ એટલો ત્રાસજનક હતો કે આખો દેશ ખળભળી ઊઠ્યો. મૈસૂર સરકારે ત્રણ જજોની એક તપાસ સમિતિ મારફતે આ ઘટનાની તપાસ કરવાનું જાહેર કર્યું. ગાંધીજીએ તા. ૨૯મી એપ્રિલે ઘટના વિષે એક નિવેદન બહાર પાડયું. તેમાંનો મહત્ત્વનો ભાગ નીચે આપ્યો છે : <small> {{gap}}“મૈસૂર સરકારે બહાર પાડેલું નિવેદન મેં વાંચ્યું છે. એ મને ગળે ઊતર્યું નથી. મૈસૂરના લોકસેવકો તરફથી અનેક દર્દભર્યા પત્રો અને તારો મારી પાસે આવ્યા છે. તેમાંથી એકબે વાતો તો નિર્વિવાદ જણાય છે. હથિયાર વગરનાં ટોળાં ઉપર ગોળીબાર કરવામાં આવ્યો અને પરિણામે કેટલાંક મરણ પામ્યાં અને અનેક ઘાયલ થયાં. જો કે લોકો તરફથી મને જે માહિતી મળી છે, તે તો મૈસૂર સરકારના નિવેદનથી તદ્દન ઊલટી છે. છતાં માનો કે લોકો ઉશ્કેરાયેલા હતા, તોપણ ગોળીબાર કરવો જરૂરી હતો એમ હરગિજ કહી શકાય એમ નથી. મૈસૂર સરકારને એ સૂચના કરવાની છે કે તેઓ ભલેને ગમે તેટલી નિષ્પક્ષ પણ કેવળ તપાસ સમિતિ નીમીને સંતોષ ન માને. મૈસૂરમાં રાષ્ટ્રીય વાવટા વિષે જે આંદોલન ચાલે છે તે તો સમયના પ્રતીકરૂપ છે. એ બાબતમાં પ્રજાની માગણીને તેણે માન આપવું જ જોઈએ. {{gap}}“મૈસૂરમાં સાચે જ આટલી ભારે લોકજાગૃતિ આવેલી છે એ હું જાણતો ન હતો એમ મારે કબૂલ કરવું જોઈએ. તેથી મને હર્ષ થાય છે અને એવી જ રીતે મૈસુર સરકારને પણ થતો હશે એવી હું આશા રાખું છું. તેના ઉપાય તરીકે મહારાજા અને તેમના દીવાન સર મિરઝાં ઇસ્માઈલને મારી સૂચના છે કે તેમણે એકહથ્થુ રાજતંત્રની પદ્ધતિ દુર કરી રાજ્યનાં સંચાલનની જવાબદારી લોકપ્રતિનિધિઓને સોંપવી. જો મૈસૂરમાં શાન્તિ સ્થાપવી હોય તો એ જવાબદારી જેટલી બને તેટલી વિશાળ હોવી જોઈએ. એમ કહેવામાં આવે છે કે રાજ્ય પછાત હોવાથી જવાબદારી ધીરે ધીરે સોપવામાં આવશે. હું એ માન્યતા ધરાવતો નથી. ધીરે ધીરેની વાત કરવામાં રાજ્યની શોભા નથી. મૈસુર પાસે તો કેટલીચ કુદરતી બક્ષિસો હોઈ બ્રિટિશ હિંદ કરતાં ત્યાં ઘણી વધારે પ્રગતિ થઈ શકે એમ છે.” </small> {{gap}}આ નિવેદન બહાર પાડ્યા પછી ગાંધીએ સરદારને અને કૉંગ્રેસના પ્રધાન મંત્રી શ્રી કૃપાલાનીજીને આ ઘટનાની જાતે તપાસ કરવા તથા મહારાજા, દીવાન તેમ સ્ટેટ કૉંગ્રેસના આગેવાનોને મળી લોકોને ન્યાય અપાવવા જે કાંઈ થઈ શકે તે કરવા મૈસૂર મોકલ્યા. {{gap}}દરમ્યાન સરદારના સાંભળવામાં આવ્યું કે ગાંધીજી પોતે આ લડત ચલાવવા મૈસૂર જવાના છે. એવી અફવા છાપાંઓએ ચલાવી છે. એટલે તેમણે તા. ૩૦મી એપ્રિલે નીચેનું નિવેદન બહાર પાડ્યું : <small> {{gap}}“ આજ સવારના છાપામાં ગાંધીજીનું કહેવામાં આવતું એક નિવેદન મેં જોયું. તેમાં એવું જણાવ્યું છે કે તેઓ હિંદુસ્તાનમાં જ્યાં હશે ત્યાંથી આ લડતની </small><noinclude></noinclude> ry6s2074t2q71scsojakeo50mn72pug પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૫ 104 44367 222637 195901 2026-06-14T13:01:20Z Parth Anonymous 4587 /* Validated */ 222637 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨|૩૪૭}}</noinclude><small> {{gap}}"રાજકોટમાં ચાલતી લડત વિષે રાજકોટ રાજ્ય તરફથી જે જાહેરનામું બહાર પડયું છે તે જોઈને મને દુ:ખ સાથે આશ્ચર્ય થાય છે. મને એમાં વિશ્વાસભંગ થયેલો લાગે છે. નીચેની હકીકત ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ થશે. {{gap}}"સર પેટ્રિક કૅંડલ તા. ૨૯મી નવેમ્બરે મને મળ્યા તે પહેલાં ઠાકોર સાહેબ તરફથી કાઢવાના જાહેરનામાનો નીચેનો મુસદ્દો તેમની સમક્ષ હતો : ::“ 'પોતાને થયેલા અન્યાયો દૂર કરવા માટે લોકોને સવિનય ભંગનો આશ્રય લેવો પડ્યો છે અને તેને અંગે જે હાડમારીઓ તેમને વેઠવી પડી છે તે જોઈ મને દુ:ખ થાય છે. હું જોઈ શક્યો છું કે ખરી રીતે કે ખોટી રીતે પણ મારા રાજ્યમાં ચાલતી ચળવળ એટલી લોકપ્રિય થઈ પડી છે કે તેની હું અવગણના કરી શકું નહીં. એ વસ્તુની પણ હું નોંધ લઉં છું કે આ ચળવળે આખા હિંદુસ્તાનનું અને ઇગ્લેંડનું પણ ધ્યાન ખેંચ્યું છે.પોતાનાં જે કૃત્યને લોકો નિર્દોષ માને છે તે સારુ તેમને જેલમાં પૂર્યા કરવાનું કોઈ પણ રાજ્યને પોસાય નહીં. તેથી મેં નક્કી કર્યું છે કે જાહેર માફી આપી દઈ સવિનય ભંગના સઘળા કેદીઓને મુક્ત કરવા, તેમના દંડ માફ કરવા અને સઘળાં દમનકારી પગલાં પાછાં ખેંચી લેવાં.' ::“ ' આ ઉપરાંત હું નીચેના માણસોની એક કમિટી નીમું છું, જેના પ્રમુખ તરીકે મારા દીવાન સર પેટ્રિક કૅંડલ કામ કરશે. આ કમિટી દશ સભ્યોની હશે જેમાંના સાત પરિષદના સભ્યો હશે. તેમની પસંદગી સરદાર વલ્લભભાઈ કરશે. બે સભ્ય રાજ્યના અમલદાર હશે. અને તેમની નિમણુક સમિતિના પ્રમુખ કરશે. આ કમિટીએ સુધારાની એક યોજના ઘડી કાઢવાની છે. આ યોજનામાં શહેનશાહ પ્રત્યેની મારી ફરજો તથા રાજા તરીકેના મારા વિશેષ અધિકારોની સાથે સુસંગત થાય એવી રીતે લોકોને વધારેમાં વધારે વિશાળ સત્તાઓ આપવામાં આવશે. અમારી એવી પણ ઇચ્છા છે કે અમારું ખાનગી ખર્ચ નરેન્દ્ર મંડળે ઠરાવ્યું છે તે પ્રમાણે રાજ્યની આવકના દસમા ભાગ જેટલું અમારે મર્યાદિત કરી નાખવું. મારી પ્રજાને હું વિશેષ ખાતરી આપવા ઇચ્છું છું કે સદરહુ કમિટી જે યોજના રજૂ કરશે તેનો હું સંપૂર્ણ રીતે અમલ કરીશ. આ કમિટીને જરૂરી પુરાવા લેવાની સત્તા હશે. તેમણે યોજના ઘડીને ૧૫-૧૨-'૩૮ પહેલાં મારી આગળ રજૂ કરવાની છે.' {{gap}}"જાહેરનામાનો ઉપરનો મુસદ્દો ઠાકોરસાહેબ અને સર પેટ્રિક કૅંડલને માન્ય હતો. એ સાબિત કરવા મારી પાસે પુરાવો છે. પણ સર પેટ્રિક કૅંડલને કેટલીક શંકા હતી તે તેમણે લખેલી છે. તે અસલ લખાણ મારી પાસે છે. તેમણે નીચેના મુદ્દા ઉભા કર્યા હતા : {{gap}}૧. જાહેરનામાંના પ્રાસ્તાવિક ભાગની ભાષા.<br> {{gap}}૨. કમિટી પોતાનું કામ ચલાવતી હોય તે દરમ્યાન ચળવળ બંધ કરવાની ખાતરી આપવામાં આવે. આ ખાતરી લેખી હોવાનું જરૂરી નથી.<br> {{gap}}૩. દીવાન જે રાજ્યનો પગારદાર નોકર છે, તે સિવાયના કમિટીના બીજા સભ્યો રાજ્યની રૈયત પૈકીના હોવા જોઈએ. </small><noinclude></noinclude> s8qs2myizs0supzsbakuiwym5trnqgn પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૩૫૭ 104 44368 222636 195912 2026-06-14T12:42:31Z Parth Anonymous 4587 /* Validated */ 222636 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Parth Anonymous" />{{સ-મ||દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૨|૩૪૯}}</noinclude><small> :આવ્યું. એ મુલાકાતની પણ મેં માગણી કરી નહોતી, પણ મારે મુંબઈ જવાનું જ હતું એટલે પેલા દીવાને ટેલિફોન કરી શ્રી વલ્લભભાઈ સાથે મારી મુલાકાત ગોઠવી. {{gap}}“ મને એવું જરા પણ સૂચવવામાં આવ્યું નહોતું કે રાજકોટ દરબાર આ મુસદ્દો સ્વીકારવાને બંધાયેલા હતા. જો ઉઠાવેલા મુદ્દા વિષે શ્રી વ૯લભભાઈ પટેલને વાંધા હશે તો એ મુદ્દાઓ હું જતા કરીશ એવી પણ વાત થઈ નહોતી. {{gap}}“ મેં તો તરત જ પૂછેલું કે શ્રી વલ્લભભાઈ સૂચવે છે એવી કમિટી જો નીમવામાં આવે તો રાજાના અધિકાર કેટલા રહેશે ? એ મુલાકાત ખાનગી હોવાથી શ્રી વલ્લભભાઈએ જે શબ્દો કહ્યા તે અહીં ઉતારવાનું મને ગમતું નથી, છતાં મારે તે ઉતારવા પડે છે. તેમના શબ્દો એ હતા કે રાજા આવકના દસ ટકાનો જમીનદાર થઈ રહેશે. એટલે કે જમીનદાર તરીકે તેને આવકનો દસ ટકા ભાગ મળશે. અને રાજા તરીકે તેનું અમુક ગૌરવ જળવાશે તે ઉપરાંત તેને કશા અધિકાર રહેશે નહીં. {{gap}}“ ઠાકોરસાહેબે અઠવાડિયા ૫છી પોતાની પ્રજા પ્રત્યે જે જાહેરનામું બહાર પાડયું અને રાજ્યમાં અમુક સુધારા દાખલ કરવાનો પોતાનો ઈરાદો જાહેર કર્યો છે તેમાં શ્રી વલ્લભભાઈ પટેલ સાથે થયેલી ચર્ચાનો ઉલ્લેખ કર્યો નથી. કારણ તેની સાથે એને કશો સંબંધ નહોતો. શ્રી વલ્લભભાઈ પટેલ એમ કહે છે કે મારી સાથે તેમને થયેલી વાતચીતને લીધે રાજાને પોતાની પ્રજાને કશું કહેવાનો અધિકાર નથી. એ વસ્તુ માન્ય થઈ શકે એવી નથી.” </small> {{gap}}સરદારે સર પેટ્રિક કૅંડલને નીચે પ્રમાણે જવાબ આપ્યો : <small> {{gap}}"મારા નિવેદનનો સર પેટ્રિકે જે જવાબ આપ્યો છે તે હું ધ્યાનપૂર્વક વાંચી ગયો છું. તેમાંથી બે વસ્તુઓ સ્પષ્ટ તરી આવે છે. ઠાકોરસાહેબે બહાર પાડવાના જાહેરનામાનો મુસદ્દો જોયાનું તે કબૂલ કરે છે. એની નકલ એમણે ન કરી લીધી તો એ એમનો દોષ હતો. તેની નોંધ કરી લીધાનું તે પોતે કબૂલ કરે છે તેમ કેટલાક મુદ્દા જેને વિષે મારી પાસેથી તેમને વિશેષ ચોખવટ કરાવવી હતી તે નોંધી લીધાનું પણ પોતે કબૂલ કરે છે. તેમના જવાબ ઉપરથી જણાય છે કે આ મુસદ્દો જે ગાંધીજીએ તૈયાર કરેલો હતો અને જે મેં માન્ય રાખ્યો હતા તે સ્વીકારી લેવાને ઠાકોરસાહેબ બંધાયેલા હતા. એમ ન હોય તો તેમણે એ મુસદ્દો જોયો, એનું ટાંચણ કરી લીધું અને મારી સાથે ચર્ચવાના મુદ્દા ઉતારી લીધા તેનો બીજો શું અર્થ થઈ શકે ? એટલો જ અર્થ થઈ શકે કે તેમણે જે મુદ્દા કાઢ્યા હતા તે બાદ રાખતાં આખો મુસદ્દો તેમને પણ માન્ય હતો. શું ઠાકોર સાહેબના શબ્દની કશી કિંમત નથી ? શું સર પેટ્રિક એક દીવાન તરીકે પોતાના રાજાની ઇચ્છાની અવજ્ઞા કરી શકે ? જે રાજકોટની પ્રજા ઠાકોરસાહેબનાં વચનોનો અમલ થાય એ જોવાને પોતાનો ધર્મ માને છે તેઓ શું કહેશે ? મારે એ સાબિત કરવાનું પ્રસ્તુત નથી કે જે ત્રણ મુદ્દાઓ તેમણે ઊભા કર્યા હતા તે જો હું માન્ય ન રાખું તો તે ઉપર આ સમાધાન તેઓ તોડી શકે નહીંં. તેમણે જે જવાબ આપ્યો છે તે ઉપરથી જ હું તો દાવો કરું છું કે કહેવાતા સુધારાઓનું જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં ઠાકોરસાહેબના તેમ જ તેમના પોતાના વચનનો ભંગ થાય છે. </small><noinclude></noinclude> rpc3jcvq85pc7o6z6e3rqo5mm82prw6 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૪ 104 73061 222647 222594 2026-06-15T03:34:42Z Snehrashmi 2103 /* Validated */ 222647 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big><big>[ ૨૩ ]</big></big><br/> <big><big>પ્રસંગ કથાઓ</big></big> | }} <br/> {{gap}}'''‘આપણી''' કેળવણીમાં ક્યાં ખામી છે?’ એક વખત અમારે આ ચર્ચા થઈ. એક વૃદ્ધ પુરૂષ સાંભળતો હતો તેમણે ઊભા થઇને કહ્યું, ‘તમે બધા આંહીં શાંત ઊભા રહો. હું તમને આપણી કેળવણીનો કરૂણ અંજામ કેમ આવે છે તે બતાવું !’ {{gap}}અમે શાંત ઊભા હતા, એટલામાં એક છોકરી આવી. તેણે આવીને આ વૃદ્ધને કાંઈ ચીઠી આપવાની હતી તે આપી. તે પાછી જતી હતી ત્યાં વૃદ્ધે પૂછ્યું: ‘ બેન ! તુ ‘ફીફ્થ’માં પાસ થઈ ગઈ કાં ?’ {{gap}}‘હા કાકાજી ! હું ‘સીકસ્થ’માં આવી !’ ત્યાર પછી એ ચાલી ગઈ. એ ઝાંપેથી જતી હતી ત્યાં પેલા વૃદ્ધ માણસે કહ્યું : ‘હવે જુઓ, આપણી કેળવણી શું નથી આપતી તે તમારે જોવું હોય તો ત્યાં નજર કરી !’ {{gap}}અમે નજર કરી. પણ કાંઈ જોયું નહિ. {{gap}}‘કાંઈ જોયુ નહિ ?’ વૃદ્ધે અમારા તરફ ફરીને<noinclude></noinclude> 404cieeakd8f7bm7i02xb0nbv1ib5v0 222648 222647 2026-06-15T03:35:37Z Snehrashmi 2103 222648 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big><big>[ ૨૩ ]</big></big><br/> <big><big>પ્રસંગ કથાઓ</big></big> | }} <br/> {{gap}}'''‘આપણી''' કેળવણીમાં ક્યાં ખામી છે?’ એક વખત અમારે આ ચર્ચા થઈ. એક વૃદ્ધ પુરૂષ સાંભળતો હતો તેમણે ઊભા થઇને કહ્યું, ‘તમે બધા આંહીં શાંત ઊભા રહો. હું તમને આપણી કેળવણીનો કરૂણ અંજામ કેમ આવે છે તે બતાવું !’ {{gap}}અમે શાંત ઊભા હતા, એટલામાં એક છોકરી આવી. તેણે આવીને આ વૃદ્ધને કાંઈ ચીઠી આપવાની હતી તે આપી. તે પાછી જતી હતી ત્યાં વૃદ્ધે પૂછ્યું: ‘બેન ! {{SIC|તુ|તું}} ‘ફીફ્થ’માં પાસ થઈ ગઈ કાં ?’ {{gap}}‘હા કાકાજી ! હું ‘સીકસ્થ’માં આવી !’ ત્યાર પછી એ ચાલી ગઈ. એ ઝાંપેથી જતી હતી ત્યાં પેલા વૃદ્ધ માણસે કહ્યું : ‘હવે જુઓ, આપણી કેળવણી શું નથી આપતી તે તમારે જોવું હોય તો ત્યાં નજર કરી !’ {{gap}}અમે નજર કરી. પણ કાંઈ જોયું નહિ. {{gap}}‘કાંઈ જોયુ નહિ ?’ વૃદ્ધે અમારા તરફ ફરીને<noinclude></noinclude> 9vlbnl0wh81o9hrqvv0d0ehwjfu05kb 222649 222648 2026-06-15T03:36:18Z Snehrashmi 2103 222649 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big><big>[ ૨૩ ]</big></big><br/> <big><big>પ્રસંગ કથાઓ</big></big> | }} <br/> {{gap}}'''‘આપણી''' કેળવણીમાં ક્યાં ખામી છે?’ એક વખત અમારે આ ચર્ચા થઈ. એક વૃદ્ધ પુરૂષ સાંભળતો હતો તેમણે ઊભા થઇને કહ્યું, ‘તમે બધા આંહીં શાંત ઊભા રહો. હું તમને આપણી કેળવણીનો કરૂણ અંજામ કેમ આવે છે તે બતાવું !’ {{gap}}અમે શાંત ઊભા હતા, એટલામાં એક છોકરી આવી. તેણે આવીને આ વૃદ્ધને કાંઈ ચીઠી આપવાની હતી તે આપી. તે પાછી જતી હતી ત્યાં વૃદ્ધે પૂછ્યું: ‘બેન ! {{SIC|તુ|તું}} ‘ફીફ્થ’માં પાસ થઈ ગઈ કાં ?’ {{gap}}‘હા કાકાજી ! હું ‘સીકસ્થ’માં આવી !’ ત્યાર પછી એ ચાલી ગઈ. એ ઝાંપેથી જતી હતી ત્યાં પેલા વૃદ્ધ માણસે કહ્યું : ‘હવે જુઓ, આપણી કેળવણી શું નથી આપતી તે તમારે જોવું હોય તો ત્યાં નજર કરી !’ {{gap}}અમે નજર કરી. પણ કાંઈ જોયું નહિ. {{gap}}‘કાંઈ {{SIC|જોયુ|જોયું}} નહિ ?’ વૃદ્ધે અમારા તરફ ફરીને<noinclude></noinclude> akraetinn3ucnhkhfdvzmlfcrzoj5e6 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૫ 104 73069 222650 222597 2026-06-15T03:39:07Z Snehrashmi 2103 /* Validated */ 222650 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૯૬||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>પૂછ્યું. ‘ત્યારે તો તમે પણ દૃષ્ટિ ગુમાવી છે. જુઓ, એ છોકરી ઝાંપો ઉઘાડો મૂકીને ચાલી ગઈ.’ {{gap}}અમે ત્યાં જોયું તો વાત સાચી હતી. છોકરીએ ઝાંપો બંધ કર્યો ન હતો. જાણે કે એટલા શ્રમમાં પણ નાનપ હોય ! કે એવી વ્યવસ્થાને એ ટેવાયલી જ ન હોય ! {{gap}}‘ત્યારે તમારી કેળવણીમાં આ ખામી છે. વ્યવસ્થા શક્તિ, જાત શ્રમ વિના આવે જ નહિ, અને જાત શ્રમને કેળવણીમાં સ્થાન નથી. આ કારણ છે ! જુઓ, આ એવું બીજું કારણ પણ આવી રહ્યું છે તે બતાવું. {{gap}}એટલામાં એક છોકરો દોડતો આવ્યો. તેના હાથમાં ગઈ કાલનું ‘પેપર’ હતું. તે ‘પેપર’ દેવા માટે જ આવ્યો હતો. તે ‘પેપર’ આપતાં હાંફતો હાંફતો બોલ્યો; ‘કાકા’ આ તમારું ‘પેપર’ બાપાજીએ કહ્યું છે, આજનું હોય તો આપો.’ {{gap}}વૃદ્ધ અંદર ગયા. પેપર લાવ્યા. પછી એની બરાબર ઘડી કરી. છોકરાના હાથમાં તે આપ્યુ. આપતાં બોલ્યા, ·‘ અલ્યા ’તું પણ 'સીકસ્થ ’માં આવ્યો ? {{gap}}‘અરે ! હોય કાંઈ કાકા ? હું તો મેટ્રીક પાસ થઈ ગયો. આ વખતે તો કાલેજની તૈયારી છે! {{gap}}એ પેપર લઈને ચાલતો થયો. {{gap}}વૃધ્ધે અમારા તરફ ફરીને કહ્યું. ‘જોયું તમે ? મેં એને ‘પેપર’ ઘડી કરીને આપ્યું હતું. એ જ પ્રમાણે હંમેશાં આપું છું. પણ જ્યારે એ ‘પેપર’ પાછું’ દેવા આવે, ત્યારે આ જ પ્રમાણે ! ફરફર થાતું લાવે !<noinclude></noinclude> k2x4bkmyvqea1btrwzzgg9h70w54jf5 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૬ 104 73070 222651 222598 2026-06-15T03:40:34Z Snehrashmi 2103 /* Validated */ 222651 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૯૭}}<hr>'''</noinclude>આપણી રીતમાંથી રીત ગ્રહણ કરવાની શક્તિ પણ જાણે હવે ક્યાંય નથી ! {{gap}}આ પ્રમાણે જીવનમાં વ્યવસ્થા શક્તિ આવતી જ નથી. એ જ આપણા તમામ પતનનું કારણ છે! એ શી રીતે આવે? {{gap}}એક જ રીતે. પહેલેથી વ્યવસ્થિત થવાની ટેવ પાડવાથી. વ્યવસ્થાને પરીક્ષાનું મહત્ત્વ આપવું, એ જ જાણે જીવન છે, એમ સમજવું. તો જ બસમાં ચડતાં, થોડીવાર લાઈનમાં ઊભું રહેવું પડે તો ગુસ્સે ન થઈ જવાય ! વ્યવસ્થા શાંતિને જન્માવે છે. શિક્ષણમાં નાનામાં નાના કામમાં વ્યવસ્થાનો આગ્રહ રાખવામાં આવે તો જ જીવન ઘડાય. આને માટે આપણી ઘર કેળવણી જવાબદાર છે. છોકરાં નાના હોય ત્યારે ગમે તેમ રડે, ગમે તેમ બોલે, ગમે તેમ હરેફરે, કોઈ ભાવ જ પૂછે નહિ! આ વસ્તુ મોટપણે પછી ફાલે છે. {{gap}}એક વખતની વાત કહું. એક ઠેકાણે એક બાઇએ ફરતાં ફરતાં લીંબુડી જોઇ. એમાં લીંબુ લટકતાં હતાં. પોતે મોટી ઉમ્મરની અને ચારે તરફ વાડ એટલે પ્રવેશ મેળવવો પણ અઘરો તેથી તેણે પોતાના બે ત્રણ નાનાં ભુલકાંને કહ્યું કે તમે અંદર જાઓ ! તમારો કોઈ ભાવ નહિ પૂછે ! {{gap}}આવી રીત સંસ્કારી ગણાતા માણસો રાખે પછી પ્રજાકીય ગુણ જેવો ગુણ જ ક્યાંથી જન્મે ? એક ડૉકટર અમારી પાસે શિસ્ત પાલનની મોટી મોટી વાતો કરતા હંમેશા ઊભા રહેતા હતા. પણ જેવું, બસમાં ચડવાનું<noinclude></noinclude> mb60ndwvra4gypq1psgyg39ls8gz6pe પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૭ 104 73071 222652 222599 2026-06-15T03:43:38Z Snehrashmi 2103 /* Validated */ 222652 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૯૮||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>આવે કે તે સૌથી પહેલા દોડતા, અને ગેરવ્યવસ્થા કરી મૂકતા. {{gap}}એટલે જ્યાં સુધી આપણે નાના મોટા તમામની પાસેથી જાત મહેનત ને શિસ્તપાલનનો આગ્રહ ન રાખીએ, ત્યાં સુધી ‘નેશનલ કેરેક્ટર’ પ્રજાકીય ગુણ તરીકે કોઈ ગુણનો વિકાસ સાધી ન શકીએ. {{સ-મ| |[ ૨ ] | }} {{gap}}એક નર્સની વાત છે. એનો વિચાર તો ડોક્ટરી લાઈન લેવાનો હતો, પણ તેમાં એને નિષ્ફળતા મળી. એટલે એ ન થઈ. છતાં એણે પોતાના શોખની ખાતર થોડો થોડો શસ્ત્ર ક્રિયાનો અભ્યાસ કર્યા કર્યો. અને ધીમે ધીમે એ એમાં નિષ્ણાત પણ થઈ ગઈ. {{gap}}હવે એક વખત {{SIC|એવુ|એવું}} બન્યું, એક બાઈ દવાખાનામાં આવી. એ દવાખાનામાં હતી ત્યાં જ સમાચાર મળ્યા કે તેણે પોતાના પતિને લડાઇમાં ગુમાવ્યો છે. બાઈના શોકનો પાર ન હતો. છતાં એણે બહુ ધીરજથી એ દુઃખ સહન કર્યુંં. એને એક નાનકડો પુત્ર તેની સાથે હતો. એને આધારે એણે આ દુઃખ સહેવાનું ધૈર્ય બતાવ્યું. {{gap}}પણ કહેવાય છે કે મુશ્કેલી આવે છે, ત્યારે એક પછી એક આવતે જ રહે છે. આ બાઇને પણ એવું જ થયું. એના નાનકડા પુત્રને મગજનો વ્યાધિ લાગુ પડ્યો હતો, અને તે પણ આ સંસાર છોડી જશે એવી સ્થિતિ આવી ગઈ! {{gap}}એ વખતે એ બાઈના દુઃખનો પાર રહ્યો નહિ.<noinclude></noinclude> 7nn2phy0bnho3xatoun1w0f0azw0n8v પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૮ 104 73072 222653 222600 2026-06-15T03:46:11Z Snehrashmi 2103 /* Validated */ 222653 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|પ્રસંગ કથાઓ||૯૯}}<hr>'''</noinclude>ડૉક્ટર પણ લાચાર હતો. બીજો કોઈ ઉપાય જણાતો ન હતો. ઓપરેશન અનિવાર્ય હતું. પણ તે સફળ થાય કે નહિ તે કહી શકાય તેવું ન હતું. એ પરિસ્થિતિમાં આ બાઈના મનની વ્યથાનો પાર ન હતો. {{gap}}પેલી નર્સ આ વસ્તુ જોઈ રહી હતી. એ કાંઈક ઈશ્વર ઉપર શ્રદ્ધા ધરાવતી હતી. એને થયું કે ઈશ્વર એને હાથે આ દુઃખી બાઈની સેવા કરાવવા માગે છે ! એવી એને લાગણી જ થઈ આવી. એટલે એણે ડૉક્ટરને કહ્યું કે ‘સાહેબ ! હું યોગ્ય તો નથી, પણ મેં ઘણી શસ્ત્રક્રિયાઓ જોઈ છે ને કેટલીક કરી પણ છે. આ છોકરાને ઈશ્વર મારે હાથે જીવતદાન આપે’ એમ હું પ્રાર્થના કરી રહી છું. પ્રાર્થના ઈશ્વરે સાંભળી છે કે નહિ તે તો હું કાંઈ નિશ્ચય પૂર્વક કહી શકતી નથી. પણ તમે મને આ કામ {{SIC|વિશ્વાસપુર્વક|વિશ્વાસપૂર્વક}} સોંપી શકો, તો હું મારાથી બનતું બધું કરી છુટીશ !’ {{gap}}સૌને ખબર હતી કે આ શસ્ત્રક્રિયામાં પરિણામ તો લગભગ નક્કી છે. આ તો એક તક લેવાની વાત છે. કોને ખબર છે? વખત છે ને આને હાથે યશ ચડી આવે ! {{gap}}ડૉક્ટરે રજા આપી. એટલે આ બાઈએ પ્રભુને પ્રાર્થના કરી અને ઓપરેશન હાથમાં લીધું. એકશતાંશ ઈંચનો પણ જો આમ કે તેમ તફાવત પડે તો મૃત્યુ અનિવાર્ય હતું. એટલે એણે ઘણી જ ધીરજ અને શાંતિથી કામ કર્યું. છેવટે ઇશ્વરકૃપાથી બાળક બચી ગયું ! {{gap}}પોતાના જીવનશ્રમનો મોટામાં મોટો બદલો મળ્યો<noinclude></noinclude> nhgi2xv65u6ey9rh8ztz7pvfv6y4ewb પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૦૯ 104 73073 222645 222606 2026-06-15T03:32:54Z Snehrashmi 2103 222645 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૦૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>હોય તેમ પોતાના હાથે આ શિશુ બચી ગયુંં, એ જોઇને તેની આંખમાંથી આભારના આંસુ નીકળી પડ્યાં ! {{સ-મ| |[ 3 ] | }} {{gap}}બે માણસો વાતો કરી રહ્યા હતા. એક માણસ કહી રહ્યો હતો કે એણે જીવનભરમાં એક દિવસ પણ પોતાની નોકરીમાં મોડું કર્યુંં ન હતું. અને હવે અઠવાડિયા પછી એનું કામ પૂરુંં થાય છે. આ એક અઠવાડિયું એ નિયમ જળવાઈ જાય તો બસ !’ {{gap}}બીજાએ હસીને કહ્યું: ‘પણ એમાં તમને ફાયદો શું થયો ? તમે ધોડા કર્યાં, એટલું નફામાં રહ્યું ! તમારો માલિક થોડો જાણવાનો છે કે આ ભાઇએ નિયમિતતા જાળવી હતી ?’ {{gap}}પેલાએ જવાબ વાળ્યો : ‘એમ તો બદલો મળે કે ન મળે. પણ મારું પોતાનું મન એક પ્રકારની નિયમિતતાને જાણે ટેવાઈ ગયું છે. એ એનો હવે ગુણ થઈ ગયો છે. ફાયદો ગણો તો આ !’ {{gap}}અને એમની બન્નેની વાત સાચી હતી. માણસ જે કાંઇ કામ કરે તે કેવળ પોતાનું કર્તવ્ય જાણીને કરે, તો જ એ પોતાની માણસાઇ વધારતો રહે. માણસાઈ માટે માન હોય તો જ માણસ કામમાં સંતોષ મેળવે, નહિતર તો એને કોઈ {{SIC|દીવસ|દિવસ}} સંતોષ થવાનો જ નથી. {{સ-મ| |[ ૪ ] | }} {{gap}}એક માણસે લખ્યું છે, મને સુખ વિષેનો ખ્યાલ અચાનક જ આવ્યો. હું માનતો હતો કે ઘણું કરીને<noinclude></noinclude> thq6yxtsfsfozkviudnjad0a9oxuz71 222646 222645 2026-06-15T03:33:11Z Snehrashmi 2103 /* Validated */ 222646 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Snehrashmi" />'''<hr>{{rh|૧૦૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>હોય તેમ પોતાના હાથે આ શિશુ બચી ગયુંં, એ જોઇને તેની આંખમાંથી આભારના આંસુ નીકળી પડ્યાં ! {{સ-મ| |[ 3 ] | }} {{gap}}બે માણસો વાતો કરી રહ્યા હતા. એક માણસ કહી રહ્યો હતો કે એણે જીવનભરમાં એક દિવસ પણ પોતાની નોકરીમાં મોડું કર્યુંં ન હતું. અને હવે અઠવાડિયા પછી એનું કામ પૂરુંં થાય છે. આ એક અઠવાડિયું એ નિયમ જળવાઈ જાય તો બસ !’ {{gap}}બીજાએ હસીને કહ્યું: ‘પણ એમાં તમને ફાયદો શું થયો ? તમે ધોડા કર્યાં, એટલું નફામાં રહ્યું ! તમારો માલિક થોડો જાણવાનો છે કે આ ભાઇએ નિયમિતતા જાળવી હતી ?’ {{gap}}પેલાએ જવાબ વાળ્યો : ‘એમ તો બદલો મળે કે ન મળે. પણ મારું પોતાનું મન એક પ્રકારની નિયમિતતાને જાણે ટેવાઈ ગયું છે. એ એનો હવે ગુણ થઈ ગયો છે. ફાયદો ગણો તો આ !’ {{gap}}અને એમની બન્નેની વાત સાચી હતી. માણસ જે કાંઇ કામ કરે તે કેવળ પોતાનું કર્તવ્ય જાણીને કરે, તો જ એ પોતાની માણસાઇ વધારતો રહે. માણસાઈ માટે માન હોય તો જ માણસ કામમાં સંતોષ મેળવે, નહિતર તો એને કોઈ {{SIC|દીવસ|દિવસ}} સંતોષ થવાનો જ નથી. {{સ-મ| |[ ૪ ] | }} {{gap}}એક માણસે લખ્યું છે, મને સુખ વિષેનો ખ્યાલ અચાનક જ આવ્યો. હું માનતો હતો કે ઘણું કરીને<noinclude></noinclude> ndd4sd823jxdt7h4nlshj6yivfgd9wn પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૫ 104 73090 222639 222445 2026-06-14T15:51:08Z Amvaishnav 156 /* Proofread */ 222639 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br/> <br/> <br/> <br/> {{સ-મ| |<big><big>[ ૨૫ ]</big></big> <br/><big><big>જરૂરિયાતોની મર્યાદા એ જ શાસન !</big></big> | }} <br/> {{gap}}'''ચીનમાં''' એક બાદશાહ થઈ ગયો. તેનું નામ વેન વાંગ. એક વખત એક દયાળુ વૃદ્ધ ડાહ્યો અનુભવી માણસ એણે જોયો. એ નદી કિનારે બેઠો બેઠો શાંત પાણી જોયા કરતો હતો. {{gap}}બાદશાહે તેને કહ્યું: 'તમે આંહીંં આવી રીતે બેઠા છો, જ્યારે બીજા અનેક માણસો નદીમાં જાળ નાખીને પોતાનો ધંધો કરે છે, ને જીવનનિર્વાહનાં સાધન પ્રાપ્ત કરે છે, તો આવી રીતે શાંત બેઠા રહેવું એ તો આળસને નોતરવા જેવું છે ! ' {{gap}}પેલા માણસે જવાખ વાળ્યો: ' નામદાર ! જે ધમાલ કરે છે તે ખોટી ધમાલ કરે છે, જીવનનિર્વાહ માટે કુદરત એટલી થોડી વારમાં અને થોડી મહેનતે દરેકને એનો બદલો આપી દે છે, કે પછીની મહેનત એ જીવનનિર્વાહની મહેનત રહેતી નથી. એ તો જીવન તૃષ્ણાની ધમાલ થઈ રહે છે. ને એવી ધમાલ કરીને જ માણસોએ એક પ્રકારની ખાધ ઊભી કરી છે. પણ<noinclude></noinclude> qo2138k256916in1m1lmrdyxqpbe5j2 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૬ 104 73091 222640 222446 2026-06-14T15:59:55Z Amvaishnav 156 /* Proofread */ 222640 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|જરૂરિયાતોની મર્યાદા એ જ શાસન !||૧૧૭}}<hr>'''</noinclude>જેનું મન પૂરાવા માગતું નથી, તેનું ઉત્પાદન વધે તો એના મનનો ખાડો પણ એટલે જ વધવાનો છે !' {{gap}}બાદશાહને આ માણસની ફિલસુફી સમજવા જેવી લાગી. એ જો voવ્યવહારમાં મુકાય તો તો ઘણી ખોટી સ્પર્ધાઓ અટકી જાય. તો સૌને જીવન પૂરતું મળે, ને કોઈના મનમાં, મને મળ્યું નહિ એવું ન રહે. એવી હવા તો સુશાસન ઊભું કરે ! {{gap}}એટલે બાદશાહે વિચાર કર્યો કે, આ માણસને જો શાસનમાં મૂકવામાં આવે તો એ પોતાના વ્યક્તિત્વથી જ ઘણું કરી શકે. {{gap}}પણ શાસનઅધિકારીઓની વચ્ચે એને એકદમ લઈ જવો એ ઠીક ન હતું. તેથી એણે રાજધાનીમાં પાછા ફર્યા પછી અધિકારીઓને વાત કરી કે મેં એક એવો માણસ જોયોo છે, જે સ્પર્ધામાં માનતો નથી ! જે એમ કહે છે કે, સૌ જો પોત્તપોતાની ખરી ઉપયોગિતા પ્રમાણે કામ કરે, તો દુનિયામાં એક શાંતિભરી હવા આવે ! {{gap}}'પણ એકની ઉપયેાગિતા બીજાથી જુદી પડે તેનું શું? બધા એક જ ધોરણ સ્વીકારે એ શી રીતે શકય બને ?’ {{gap}}બાદશાહે કહ્યું: 'તમારી વાત તો સાચી છે; પણ એક પ્રયોગ લેખે આ માણસને અજમાવવો હોય તો એમાં પણ કાંઈ ખોટું નથી !' {{gap}}શાસન અધિકારીઓને આ પ્રમાણે પોતાની સત્તામાં કોઈ ભાગ પડાવે તે વાત રૂચતી ન આવી. {{gap}}બાદશાહે થોડા દિવસ પછી એક નવી જુક્તિ કરી. {{gap}}તેણે અધિકારીઓને કહ્યું કે મને સ્વપ્નામાં<noinclude></noinclude> ic8xgx2v0jp1fyo7wj6ddm8f37n6onp પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૭ 104 73092 222641 222447 2026-06-14T16:06:46Z Amvaishnav 156 /* Proofread */ 222641 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૧૮||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>આપણા પિતામહ દેખાયા. એ તો જાણે ઠીક, પણ એમણે કેટલીક વાતો કરી. પણ આપણે એવી ભ્રમજાળને કયાં વળગી રહીએ છીએ ? {{gap}}શાસન અધિકારીઓએ કહ્યું: ‘ અરે! એવું હોય નામદાર ! આપણે ત્યાં યો આવાં સ્વપ્નાંનો ઘણો મહિમા છે!’ {{gap}}બાદશાહે કહ્યું: ‘ એમ ?’ {{gap}}‘ત્યારે નહિ નામદાર ? જૂના વખતમાં તો ઘણી વખત આવાં સ્વપ્નાંએ માર્ગ બતાવ્યા છે !' {{gap}}બાદશાહ વેનવાંગે ધીમેથી કહ્યું: ‘તો તો આપણે એમને માન આપવું ઘટે છે. સ્વપ્નામાં એમ આવ્યું છે કે, સાચા અધિકારી માણસો રાજશાસનના નિયમો ફેરવતા રહે છે. ને એ ફેરવવા માટે દેશના અનુભવી, વ્યવહારું, ડાહ્યા માણસોને વારંવાર નાતરે છે ! એટલે આપણે પણ પેલા માણસને બોલાવીએ. જોઈએ એને શું કહેવાનુ છે ?’ {{gap}}પોતાના જ વેણથી બંધાઈ ગયા હતા એટલે શાસન અધિકારીઓ હવે કાંઈ બોલી શક્યા નહિ, ને એવી રીતે શહેનશાહે પેલા વૃદ્ધ માણસને બોલાવ્યો. {{gap}}પણ આ માણસની શાસનરીતિ નવી નવાઈની નીકળી. તેણે જે પ્રચલિત ધારાઓ હતા તેમાં બહુ ઓછા ફેરફાર કર્યો. એણે કહ્યું કે તમે જૂનાને બદલે નવા ધારા મૂકો છો, પણ તેથી કાંઈ જૂના માણસોને અદલે નવાં માણસો મૂકતા નથી, અને તેથી માણસો તો જૂના ધારામાંથી જેમ રસ્તો શોધી કાઢતા હતા,<noinclude></noinclude> olkq9s237w7pokc71yhywy196znwvd2 પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૮ 104 73093 222642 222448 2026-06-14T16:16:45Z Amvaishnav 156 /* Proofread */ 222642 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|જરૂરિયાતોની મર્યાદા એ જ શાસન !|| ૧૧૯}}<hr>'''</noinclude>તેમ નવામાંથી પણ રસ્તા શોધી કાઢે ! {{gap}}પણ એને બદલે એણે પોતાની જરૂરિયાત ઘટાડી. બીજાઓને પણ જરૂરિયાતો ઘટાડવા કહ્યું. ખોટું બીનઉપયોગી ઉત્પાદન કરનારાઓને એણે એમની જરૂરિયાત પૂરતું જ ઉત્પાદન કરવાનું કહ્યું, પણ એમાંથી તો એક ચમત્કાર થયો. દરેક માણસને લાગવા માંડ્યું કે એને કાંઈ ખોટ નથી ! એને ત્યાં બધું ભરપૂર છે ! {{gap}}ખોટનો ખાડો ઊભો કરનારા થોડા માણસોને એણે વશ કર્યો અને બધું જ જાણે ફરી ગયું ! {{gap}}ધારાઓ ફેરવ્યા વિના એણે આ ચમત્કાર કર્યો હતેા. {{gap}}ત્રણ વર્ષને અંતે વેનવાંગે જોયું કે બધે પોતપોતાની જરૂરિયાતો સૌને મળતી હતી. જરૂરિયાતો વિનાની વસ્તુઓ પાછળ દોડવાની વૃત્તિ બદલાઈ ગઈ હતી. અને અમલદારો પોત પોતાનું કામ કરતા હતા. હવે ખોટાં બહાનાં કાઢવાનું એમને કામ ન રહ્યું. ને જરૂરિયાત કરતાં વિશેષની કોઈને જરૂર ન રહી. {{gap}}વેનવાંગે આ જોઈને પેલા વૃદ્ધ માણસને બોલાવીને કહ્યું: ‘ આ હવા આખા રાજમાં ફેલાય નહિ ? તમે હવે એવો યત્ન ન કરો?' {{gap}}પણ વૃદ્ધ માણસે હાથ જોડીને જવાબ વાળ્યો : ‘એવો યત્ન કરવા કરતાં એ હવા પોતે હવે પોતાનામાંથી નવી હવા ઊભી કરે તો જ આ વસ્તુ ટકે. એટલે માણસો પોતે જ આ વસ્તુની ખૂબી સમજીને આપસ આપસમાં આનો ફેલાવો કરે ! મારા જેવા એક વૃદ્ધ માણસને એ કામ માટે નીમવો એ વસ્તુ<noinclude></noinclude> g2hbsblkkeydf12tnmkvae375p9k5vr પૃષ્ઠ:Suvarna Rekha By Dhumketu.pdf/૧૨૯ 104 73094 222643 222449 2026-06-14T16:23:57Z Amvaishnav 156 /* Proofread */ 222643 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૧૨૦||સુવર્ણરેખા}}<hr>'''</noinclude>પોતે જ અકુદરતી છે. કારણ કે એ એવી છાપ ઊભી કરે કે આ માણસ હોઈને બધુ છે. એક માણસનું એવું મહત્ત્વ વધારનારી પ્રજા ઘણુંખરું એ માણસ ન હોય ત્યારે પાછળથી આંધળી થઈ જાય છે!' {{gap}}આટલું બોલીને એણે રજા લીધી. {{gap}}અને બીજે દિવસે એની તપાસ કરી. પણ એનો પોતાનો જ પત્તો મળ્યો નહિં ! {{gap}}શહેનશાહને ત્યારે સાંભર્યું કે આ માણસે પોતાનું નામ પણ પ્રગટ કર્યું ન હતું ! {{gap}}એટલે એને સૌ ‘ નદીનો માણસ ’ એમ કહીને આજ દિવસ સુધી સંભારે છે ! {{gap}}પણ એ કાંઈ એનુ ખરું નામ નથી. એનું ખરું નામ તો નદીના જલતરગમાં લખેલું પડ્યું છે. કારણ કે એ ઘણુંખરું ત્યાં બેઠો બેઠો પોતાના કુદરતકાનુનો પ્રગટાવ્યા કરતો ! પણ જલતરંગમાં લખેલું નામ કોઈ ને વાંચતાં આવડતું નથી, ને માણસોના હૃદયમાં લખાયેલું નામ કોઈ વાંચી શકતું નથી ! {{gap}}એટલે એ અજાણ્યો માણસ આજ દિવસ સુધી અજાણ્યો જ રહ્યો છે ! એની ફિલસુફી હજી પડી છે. પણ લોકોને તે નામ જોઈએ છીએ–ને એ મળતું નથી! લોકો હજી પણ બૂમો પાડે છે કે એનું નામ આપોને ! એની ફિલસૂફીને શું કૂટવી છે? નામ હોય તો પૂજા થાય | {{gap}}અને નદીનાં શાંત પાણી એ સાંભળીને હમેશાં હસ્યા કરે છે ! {{સ-મ| |★ | }}<noinclude></noinclude> kn1gdygp6927xwfu679qvmz3i47qco9 સભ્યની ચર્ચા:Parth Anonymous 3 73165 222644 2026-06-15T03:14:23Z Snehrashmi 2103 સ્વાગતમ્‌ 222644 wikitext text/x-wiki == સ્વાગત == {{ઢાંચો:સ્વાગત|realName=|name=Parth Anonymous}} [[સભ્ય:Snehrashmi|સ્નેહરશ્મિ]] ૦૮:૪૪, ૧૫ જૂન ૨૦૨૬ (IST) a21cl7n32ho282oia0u53zbbjnzgrzp